અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરીને ISO 9001:2008 QMS પ્રમાણપત્ર એનાયત

અમરેલી, તા.૧૮ જૂન,૨૦૧૧ અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરી-ગાંધીનગર ખાતે સામાજિક ન્‍યાય અને અધિકારીતા, રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્‍થિતિમાં સમ્રાટ એસોસિએટસ તરફથી નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરીને ISO 9001:2008 QMS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત મંત્રીશ્રી વાઘેલાના હસ્‍તે ડૉ. આંબેડકર વિશેનો કાવ્‍યસંગ્રહ શબ્દ બાંધ્યો સૂરજ અને અનુસૂચિત જાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે વિદેશ લોન અને પાયલોટ તાલીમ માટેની યોજના અંગેના પુસ્‍તકનું પણ વિમોચન કરવામાં આવેલ. અનુસૂચિત જાતિ કલ્‍યાણના નિયામક તરીકે ફરજ બજાવતાં શ્રી પી.કે. ગઢવી વય નિવૃત્ત થતાં શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી પી.કે. તનેજા ઉપસ્‍થિત રહેલ.

ટિપ્પણીઓ નથી: