અનુયાયીઓ

બુધવાર, 16 ડિસેમ્બર, 2015

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી

જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે

ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)

    જેતપુરમાં આજે પાટીદાર અનામત અંદોલન સમિતિએ હાર્દિક પટેલ સહિતના આગેવાનોને તાકીદે જેલમુક્ત કરવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા અહીના મામલતદારને આવેદનો આપ્યા હતા.

પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ સૌર પ્રથમ અહીના જુનાગઢ રોડ પર સરદાર પટેલની અને સ્થાનિક ધારાસભ્ય સ્વ.સવજીભાઈ કોરાટની પ્રતિમાને હારતોરા કરી, સુત્રોચ્ચાર કરી, રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

  મામલતદાર કચરીએ પહોચેલા પાટીદાર આગેવાનોએ સુપરત કરેલા આવેદનમાં જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન પોલીસ તંત્રએ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને નીલેશ એરવાડીયા સામે લગાવેલ રાજદ્રોહના આરોપો પરત ખેંચી આમાંના જે પણ આગેવાનો જેલમાં હોય તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરાવો અન્યથા આગામી તા.૨૧/૧૨/૨૦૧૫ થી પાટીદાર અનામત આંદોલન સમિતિ પુનઃ ગામડે ગામડે અને શહેરે શહેર અનશન આંદોલન છેડશે.

 

જ્યારે જગદીશભાઈ પાંભરની આગેવાની તળે કોંગી કાર્યકરો અને આગેવાનોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતો અત્યારે બીચારવાસ્થામાં પટકાઈ જવા પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે કપાસ જેવા ખેત્પાકોના અપૂરતા ભાવો, પાક વિમાની રકમ ના મળવી, અપૂરતો વીજ અને પાણી પુરવઠો, પુર હોનારતમાં વ્યાપક નુકશાની અને વન્ય પ્રાણીઓનો ત્રાસ. આ તમામ પ્રશ્નો તાકીદે મિટાવી સરકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગતાત આલમને મદદ કરવી જોઈએ.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર 


જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં

ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન

બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુર તા.૧૬

જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરતની પચાસેક મહિલાઓ આજે જેતપુર શહેર પોલીસ મથકે દોડી આવી તેઓના વિસ્તારમાં માઝા મુકેલી તસ્કરીને નાથવા રાત્રી રોન કડક બનાવાય તેવી માંગ દોહરાવી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ૧૫ જેટલી નાની મોટી ચોરીઓ થઇ હોય તેમજ એક પણ ચોરીના પોલીસને સગડ મળ્યા ના હોય ભયભીત બનેલ મહિલાવર્ગ આજે મોટી સંખ્યામાં શહેર પોલીસ મથકે દોડી આવી, તેઓના વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા રાત્રી પેટ્રોલિંગ વધુ પ્રબળ બનાવવાની માંગ દોહરાવી હતી.

આ સમયે શહેર પોલીસના પીએસઆઈ ચૌહાણ, જાડેજા તથા સ્ટાફના કમલેશભાઈ રાવલ વિગેરેએ ઉક્ત લાત્તોની મહિલાઓની માંગ સ્વીકારી આજ્થીજ પેટ્રોલિંગ અસરકારક બનાવવાન અને આ માટે હોમગાર્ડ જવાનોને પણ લત્તામાં ફરીને વ્હીસલ વગાડી રાત્રી રોન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ

જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
                                                ફોટો લાઈન  : કશ્યપ જોશી જેતપુર