અનુયાયીઓ

રવિવાર, 15 માર્ચ, 2015

આઈસ્ક્રીમ-શીખંડના પૈસા આપવાના હતા પણ તસ્કરો ઉસેડી ગયા

જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે

દુકાનમાંથી રોકડ રૂ.30000 ની ચોરી

જેતલસર તા.15

જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગત મોડી રાત્રીના એક દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 30 હજાર રોકડની ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગઈકાલે માતાજીનો માંડવો હોય ગામના ભરતગીરી હીરાગીરી ગોસ્વામી નામના વેપારીએ પોતાની ઠંડા પીણાંની દુકાનમાં શીખંડ અને આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. ખાદ્ય વસ્તુઓના પૈસા સંબંધિત વેપારીને આપવાના હતા. પણ વેપારી પૈસા લેવા ના આવતા ભરતગીરીએ એક પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 30 હજાર રાખી, દુકાનમાં મૂકી ઘરે ચાલ્યા ગયા હતા. પણ સવારે આવીને જોતા દુકાનના નળિયા ઉંચકાવી કોઈ હરામખોર તસ્કરો રોકડ રકમની થેલી ચોરી કરી લઇ જતા બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર રઘુભાઈ કરમટિયાએ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812

 

 

 

સાડી કારખાનામાં મજુરી કરતા અને સવારે કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા 

જેતપુરમાં ટ્રકની ઠોકરે બે પરપ્રાંતીય યુવાનોના મોત 

અજાણ્યા સાઈકલ ચાલકને બચાવવા કાવો માર્યો ને બંનેએ જીંદગી ગુમાવી !

જેતપુર તા.15

જેતપુરમાં આજે સવારે એક કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા બે પરપ્રાંતીય યુવાનોએ એક જિંદગીને બચાવવા જીવ ગુમાવ્યા હોવાની ઘટનાથી નઝારે જોનારોમાં અરેરાટી ઉપજી હતી.

જે પોષતું તે મારતું જેવી બનેલી ઘટનાની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર વીજ કંપનીની કચેરી પાછળ આવેલ યમુના પ્રિન્ટ નામના સાડી કારખાનાના સાદી છાપવાનું મજુરી કામ કરતાઆત્મારામ શિવપૂજન જયસ્વાલ (..20) તથા શૈયદઅલી અસગરઅલી(..20) એમ બંને સાડી છાપકામના કારીગરો સાડી  એકમના શેઠનું જીજે3 બી.જી.8537 નંબરના મોટર સાઈકલ પર  નવાગઢ ખાતે જુના કારખાનેથી પરચુરણ કામ પતાવી પરત ફરતા હતા ત્યારે નાઝાવાલા પરા ચોકડી, જગદીશના બંગલા પાસે રોડ ઉપર એક અજાણ્યો સાઈકલ સવાર વચ્ચે પડતા તેમને બચાવવા ઉપરોક્ત બાઈકસવારોએ કાવો મારતા, પાછળ આવતા જીજે3 ઝેડ 1770 નંબરના ટ્રકની ઠોકરે ચડ્યા બાદ તે ટ્રકના તોતિંગ વ્હિલ તળે ચકાદાઈ જતા બંનેના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા. એકની જીંદગી બચાવવા ગયેલા બે કારીગરોએ જીવ ગુમાવ્યાના 

બનાવની જાણ  થતાજ શહેર પોલીસના પીઆઈ વી.એમ. ગોહિલ સ્ટાફ સાથે દોડી જઈ, જામ થી ગયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવી મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી.

બનાવની મૃતક આત્મારામ શિવપૂજન જયસ્વાલ ના ભાઈ પીન્ટુ શિવપૂજનની ફરિયાદ પરથી શહેર પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી 279,304-,એમવીએકટ 177,184 વી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812