અનુયાયીઓ

શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2014

JETALSAR : AMARNAGAR JAIN DERASARMA PARYUSHAN PARVA UJAVAYU..PHOTO AND METTER BY KASHYAP JOSHI JETALSAR

JETALSAR : AMARNAGAR JAIN DERASARMA PARYUSHAN PARVA UJAVAYU.
.PHOTO AND METTER BY KASHYAP JOSHI JETALSAR

જેતપુર માં અકસ્માત

જેતપુર બસસ્ટેન્ડમાં બે બસ વચ્ચે અકસ્માત, ૫ બાઇકનો કચ્ચરઘાણ

રાજકોટઃ જેતપુરના બસ સ્ટેન્ડમાં મંગળવારે રાત્રે એક વિચિત્ર અકસ્માત
સર્જાયો હતો જેમાં જૂનાગઢ-દાહોદ રૂટની બસે વળાંક લેતી વખતે બસ સ્ટેન્ડમાં
જ ઊભેલી એક ખાલી બસને પાછળથી ટક્કર મારતાં ખાલી બસ એસ.ટી.પાર્કિંગની બહાર
ઊભેલા પાંચ જેટલા મોટરસાઇકલ પર ચડી જતાં મોટરસાઇકલનો કચ્ચરઘાણ નીકળી ગયો
હતો. જેતપુરના બસ સ્ટેન્ડમાં મંગળવારે મોડીરાત્રે જૂનાગઢ-દાહોદ રૂટની
જીજે-૧૮-વાય-૮૨૩૪
નંબરની બસ હોલ્ટ કર્યા બાદ આગળ જવા ડ્રાઇવરે શરૂ કરી હતી જેમાં બહાર
નીકળવા માટ ડ્રાઇવરે રિવર્સ લેતાં બસ સ્ટેન્ડમાં ઊભેલી જીજે-૧૮-વાય-૪૫૬૩
નંબરની જૂનાગઢ-જેતપુર રૂટની લોકલ બસને પાછળથી ટક્કર મારતાં અકસ્માત
સર્જાયો હતો જેમાં ખાલી બસ પાર્કિંગ બહાર પાર્ક કરાયેલા પાંચ મોટરસાઇકલ
પર ચડી જતાં તમામ મોટરસાઇકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસ સ્ટેન્ડમાં
બસના પાર્કિંગ માટે
મર્યાદિત જગ્યા ફાળવવામાં આવી છે જેના કારણે બસ સ્ટેન્ડની અંદર
પ્રવેશતી બસોને રિવર્સ, વળાંક લેવામાં મુશ્કેલી પડે છે. આ અંગે ઇન્ચાર્જ
ડેપો મેનેજર આનંદભાઇને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્કિંગના
કોન્ટ્રક્ટરને અનેક વખત તેને અપાયેલી મર્યાદિત જગ્યામાં જ પાર્કિંગ કરવા
સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં બહાર પાર્ક કરાતા વાહનોના કારણે
અકસ્માત સર્જાયો હતો.