અનુયાયીઓ

બુધવાર, 2 મે, 2018

બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર


બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના 
કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર 
જેતપુર તા.2
તાજેતરમાં જેતપુરનાં તીનબતી ચોક વિસ્તારમાંથી ખોવાયેલ બાળકનું શહેર પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાતાં પરિવારજનો ભાવ વિભોર બન્યા હતાં.
મળતી વિગતો મુજબ ચારેક દિવસ પહેલા શહેરનાં તિનબતી ચોક વિસ્તારમાંથી સલમાન નામનો 3 વર્ષનો બાળક શહેર પોલીસનાં અનિલભાઇ ગુજરાતી અને દિવ્યેશભાઇ સુવાને મળી આવ્યું હતું.
આ બાળકનાં વાલી વારસની અથાગ શોધખોળ છતાં કોઇ ભાળ નહીં મળતાં પોલીસે આ બાળકને ગોંડલ બાલાશ્રમ ખાતે પહોંચાડયું હતું.
દરમ્યાન શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળનાં નઝીમ અબ્દુલકયુમ મન્સુરીનો 3 વર્ષનો બાળક સલમાન ગુમ થયો હોય તે અંગે શહેર પોલીસમાં જાણ કરતા જમાદાર અનિલભાઇ ગુજરાતીઅને કોન્સ્ટેબલ દિવ્યેશ આહિર (ડીડી)એ ગોંડલ બાલાઆશ્રમ ખાતેથી સલમાનનો કબ્જો મેળવી, તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. 

જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો

જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં 
નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો 

જેતપુ૨ના ચકચા૨ી લાંચ રૂશ્વતના કેસમાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજને૨નો નિર્દોષ્ા છૂટકા૨ો થવા પામેલ છે. 
આ અંગે મળતી વિગતો અનુસા૨ જેતપુ૨ના ૨મેશભાઈ શાંતીભાઈ પટેલે તા. ૯/૨/૦૪ ના૨ોજ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફ૨ીયાદ નોંધાવેલ કે તેઓને ક્રિષ્ના પ્લાસ્ટીક નામના કા૨ખાના માટે તાત્કાલીક વિજ કનેકશનની જરૂ૨ીયાત છે તે કનેકશન અ૨જન્ટ તાત્કાલીક ધો૨ણે આપવા માટે જેતપુ૨ના નાયબ ઈજને૨ વિનોદભાઈ ગો૨ધનભાઈ તેમજ જયપ્રકાશભાઈ જમનાદાસ માણાવદ૨ીયાએ રૂા. ૧પ૦૦૦ ની લાંચની માંગણી ક૨ી હતી.

ઉપ૨ોક્ત ફ૨ીયાદના અનુસંધાને એસીબી કચે૨ીના અધીકા૨ી કિશો૨સિંહ જોરૂભા ગોહેલે ટે્રપ ક૨તા તેમાં રૂા. ૧પ૦૦૦/- સ્વીકા૨તા માણાવદ૨ીયાને ૨ંગે હાથે પકડેલા અને તેઓ બંનેને સામે એ.સી.બી. હેઠળનો ગુનો દાખલ  ક૨ી આગળની કાર્યવાહી હાથ ધ૨ેલી. ઉપ૨ોક્ત કેસ જેતપુ૨ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જેતપુ૨ સેસન્સ કોર્ટના એડીશનલ સેસન્સ જ્જ જે.એ. ઠક્ક૨ે ઉપ૨ોક્ત બંને આ૨ોપીઓ પૈકી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયાને નીર્દોષ્ા ઠ૨ાવી છોડી મુકેલ છે.

જ્યા૨ે માણાવદ૨ીયાની સામેનો કેસ ફ૨ીયાદ પક્ષ્ા પુ૨વા૨ ક૨ી શકેલ હોય શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. ઉપ૨ોક્ત કેસમાં આ૨ોપી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયા ત૨ફે જેતપુ૨ના સીનીય૨ એડવોકેટ આ૨.આ૨. ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી. વાઘેલા તેમજ કું પી.જી. સિંધવડ ૨ોકાયેલા હતા. 

બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી


બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી 
જેતપુરના ધારાશાસ્ત્રી આર.આર.ત્રિવેદીના પૌત્ર અને ભાવેશ ત્રિવેદીના પુત્ર હર્ષિલ ત્રિવેદીએ તાજેતરમાં વેરાવળ ખાતે યોજાયેલ વાડોકાઈ કરાટે સ્પર્દ્ધામાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર બ્રહ્મસમાજ તેમજ સેન્ટફ્રાન્સીસ સ્કુલનું ગૌરવ વધારેલ છે. હર્ષિલનું કહેવું છે કે તેમણે જેતપુરમાં સૌ પ્રથમ વખત જ વાડોકાઈ કરાટેમાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર શહેરનું પણ ગૌરવ વધારેલ છે.