અનુયાયીઓ

શુક્રવાર, 3 જુલાઈ, 2015

જેતપુરનો કાખાનેદાર યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

જેતપુરનો કાખાનેદાર યુવાન 

વિદેશી દારૂ સાથે ઝડપાયો

જેતપુર તા.3

જેતપુરના એક સાડી કારખાનામાં મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી લોકલ ક્રાઈમ બ્રાંચે પાડેલ દરોડામાં માત્ર દોઢ બોટલ શરાબ મળ્યો હોવાની નીરુભા વાળાએ જણાવ્યું હતું. 

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં કે.બી.પ્રિન્ટ નામના સાડી કારખાનામાં મોટાપાયે વિદેશી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ભુરાભાઈ પટેલ, નીરુભા વાળા વિગેરે દરોડો પાડતા કારખાનેદાર યુવાન કશ્યપ બાબુ પટેલ (રહે.પંચશીલ સોસાયટી)વાળો રૂપિયા 2100 ની કિમતની વિલાયતી શરાબની દોઢ બોટલ સાથે જડપાઈ ગયો હતો. પોલીસે શરાબ સાથે કશ્યપ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી  ધરી છે.

ભાયાવદરની પરિણીતાને જેતપુરના યુવાને કાઢી મૂકી

જેતપુર તા.3

ભાયાવદરમાં હુસેની ચોક ખાતે રહેતા ઈબ્રાહીમભાઈ હાસમભાઈની પુત્રી ગુલશનબેનના નિકાહ નવાગઢના યાકુબ કાસમ ખેભર-સંધી સાથે થયા હતા.

સમય જતા યાજુબે ગુલશન ઉપર શારીરિક માનશીક ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું. છેલ્લે રૂપિયા 30 હજાર સાસરીયેથી મંગાવીને યાકુબે રીક્ષા ખરીદી હતી. આ રીક્ષા પણ વેંચી હજુ વધુ પૈસા માવતરેથી લાવવાનો ત્રાસ આપી યાકુબે ગુલશનને 3 સંતાનો સાથે જેતપુર થી પહેરેલ કપડે કાઢી મૂકી માવતરે મોકલી દીધાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર 

 

: જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા કિશોરના પરિવારને રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર

જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા યુવાનના  
પરિવારને  રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર 
જેતપુર તા.3
જેતપુરમાં વરસાદી પાણીએ સર્જેલી તારાજીમાં તણાઈને મોતને ભેટનાર કિશોરના પરિવારજનોને જાહેર કરેલી સહાય રૂપિયા ચાર લાખનો ચેક રાજ્ય મંત્રી, પાલિકા પ્રમુખ અને મામલતદાર દ્વારા અર્પણ કરાયો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાંજ તારાજી સર્જાઈ હતી. આ વિસ્તારમાં ખીરસરા રોડ પરના પાણી ફરી વળતા અનેક કાચા પોચા મકાનો ખળભળી ગયા હતા,  તો અમુક પાણીમાં ગરક થઇ ગયા હતા. વરસાદે વેરેલા આવા વિનાસમાં આ વિસ્તારનો વણઝારા કિશનભાઈ રાઠોડ નામનો યુવાન પણ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો. આ બાબતે સંબંધિત સરકારી તંત્રો દ્વારા રીપોર્ટ થતા રાજ્ય સરકારે કિશનભાઈના પત્ની ગૌરીબેનને રૂપિયા ચાર લાખની સહાય તાત્કાલિક જાહેર કરી હતી. 
આ રકમના ચેકની અર્પણ વિધિ માટે આજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાની હાજરીમાં આજે જેતપુરના મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા અને જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ મૃતક કિશોરના ઘરે જઈને તેમના પત્ની ગૌરીબેનને ચેક અર્પણ કર્યો હતો તે તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

અવસાન નોંધ



જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું


​જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું 
જેતપુર તા.3
નવાગઢ(જેતપુરના) ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ડોબરિયાએ તાજેતરમાં શાપર વેરાવળ ઇન્ડ.એશોશીયેશનના સંદર્ભમાં " ઔદ્યોગિક કામદારોનો કાર્યસંતોષ-એક નૈતિક મુલ્યાત્મક અભ્યાસ" વિષય પર, ફીલોશોફી ભવનના અધ્યક્ષ ડો. એસ.એસ. શર્માના માર્ગદર્શન હેઠળ એક મહાનિબંધ તૈયાર કર્યો હતો. જે ધ્યાને લઈને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ક્રિશ્ના ડોબરિયાને પીએચડીની પદવી એનાયત કરતા નવાગઢ જેતપુરનું ગૌરવ વધ્યું છે.

ફોટો : ક્રિશ્ના પ્રકાશભાઈ ડોબરિયાનો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર