બાબરા તાપડીયા આશ્રમના મહંતના
પિતાશ્રી રામશરણ પામ્યા
જેતલસર : બાબરા તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુ તેમજ મોજેરામબાપુ, જગદીશબાપુ અનેબટુકબાપુના પિતાશ્રી જીવરામબાપુ વજેરામબાપુ નિમાવત(ઉ.વ.95) તા.11.5.2015 ના રોજ શ્રી રામ શરણ પામેલ છે. હિતેશભાઈ જસાણી સહિતના ભક્તોએ જણાવેલ કે જીવરામબાપુ જીવ્યા ત્યાં સુધી સાદગી સભર અને શ્રીરામનામ માં લીન હતા. તેઓના અવસાનથી તાપડીયા આશ્રમના ભક્તગણમાં શોક ફેલાયો છે.
કશ્યપ જોશી જેતલસર





