LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015
જેતપુરમાં ડ્રેસ મટીરીયલ્સના વેપારી પર માજી સુધરાઈ સભ્યના પુત્રનો લોખંડના સળિયા વતી હુમલો
જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા
જેતપુરના ધરાશાસ્ત્રીનો તેમનાજ મકાનમાંથી મૃતદેહ મળતા ચકચાર: લાશ ફોરેન્સિકમાં મોકલાઈ
ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં હુમલો કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !
રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા
ફોજદાર રાજભા ચુડાસમા ઉપર જેતપુરમાં હુમલો
કરતા બે શખ્શો : માથામાં કડું જીંકયુ !
સાઈડ આપવા જેવી વાતમાં લાજવાને બદલે ગાજેલા બે શખ્શો ફોજદાર પર તૂટી પડ્યા !!
જેતપુર તા. ૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે સવારે બે ભરવાડ શખ્શોએ રાજકોટ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં ફરજ મૌકુફી પીરીયડમાં ફરજ બજાવતા ફોજદાર ચુડાસમા ઉપર નજીવી બાબતે હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં રહેતા અને હાલ રાજકોટ ખાતે પોલીસ હેડક્વાર્ટર ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ પરબતસિંહ ચુડાસમા આજે રાજકોટથી પોતાની કાર લઈને જેતપુર આવી રહ્યા હતા ત્યારે નવાગઢથી જીજે ૦૩ એચ કયું ૮૬૦૬ નંબરના બે બાઈક સવારોને હોર્ન મારવા છતાં સાઈડ ના આપતા ટપારવા ગયેલા રાજભા ચુડાસમા પર બંને શખ્શો તૂટી પડ્યા હતા.
જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એકે ધક્કો મારીને પછાડી દઈને અને બીજાએ માથામાં કડું મારી ઈજા કરતા ફોજદારને તાત્કાલિક અહીની સરકારી હોસ્પીટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર રાજભા ચુડાસમાને માથામાં ચાર પાંચ ટાંકા લેવાની સારવાર અપાઈ હતી.
બનાવ જેતપુરના બસ સ્ટેન્ડ સામેજ વિશાલ ટ્રાવેલ્સ નજીક બનતા માણસોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાડા ડ્રેસમાં રહેલા ફોજદાર પર આમ સરેઆમ હુમલો થતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી હતી. અંતે આ મામલો પોલીસમાં પહોચતા પોલીસે રાજભા ચુડાસમાની ફરિયાદ પરથી, નવાગઢના બે શખ્શો ભરત સુધા મોરી અને ગોગન પાંચા મુશળ સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં સમાધાન થઇ ગયાની ચર્ચાઓ પર પરદો પાડતા જેતપુર શહેર પોલીસ મથકના પીએસઓ સુરેશભાઈ પટેલે જણાવેલ કે, ના કોઈ સમાધાન થયું નથી, ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી ૨ શખ્શો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )
જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાં
કાર યુવાનને હડફેટે લઇ ઝાડ સાથે ભટકાઈ
અકસ્માત સર્જી ચાલક નાશી છૂટ્યો !
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે બપોરે સર્જાયેલ એક વિચિત્ર કાર અકસ્માતમાં એક યુવાનને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા ચાલકને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી પસાર થયેલી જીજે ૫ સીએ 4115 નંબરની કાર ચાલકે અચાનક ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા કાર કોર્ટ નાઝીકના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં રસ્તે ચાલીને જતો સંજય જેન્તી સોલંકી (ઉ.વ.૨૪-રહે.વિરાશક્તિ મંદિર વિસ્તાર, ધોરાજી રોડ જેતપુર) નામનો યુવાન હડફેટે ચડી જતા તેમને સારવાર માટે અહીની સરકારી દવાખાને ખસેડેલ. પોલીસ તપાસ દરમિયાન કારમાં જયદીપ આર. પટેલ(રહે.ચારણીયા) તથા ભૂપત પટેલ બેઠેલા હોવાનું તેમજ કાર ચાલક ઉમેશ હોવાનું અને નાશી છૂટ્યો હોવાનું પોલીસે જણાવેલ. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )
થોડા સમય પહેલાજ બનેલો રોડ ખખડધજ બની ગયો, બોલો !
જેતપુરના બોરડીસમઢીયાળાથી રૂપાવટી
સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાથી રૂપાવટી ગામ તરફ જવાનો રસ્તો હાલ અત્યંત બિસ્માર બન્યો હોય, વાહનચાલકો ત્રાસી ગયા છે.
આ બાબતે રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશભાઈ પાંભર જણાવે છે કે, જેતલસર થી રૂપાવટી ગામ જવાનો જેમ પાકો રસ્તો છે તેમ તાલુકાના બોરડીસમઢીયાળાથી રૂપાવટી જવાનો પણ રોડ બન્યો છે. પણ આ રોડ બન્યાને થોડા સમયમાંજ જર્જરિત બની ગયો હોય,સંબંધિત સરકારી તંત્રોએ આ રોડ સામું કદી ના જોયું હોય, આ રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે વાહનચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પર ચાલનારા વાહનચાલકોનું કહેવું છે કે આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે તારવી તારવીને થાકી જવાય છે અને ઘણી વખત તો ખાડા તારવામાં ધ્યાન હોય ત્યાં સામેના વાહનો સાથે અથડાઈ પડાઈ છે. આ રોડની તાકીદે બિસ્માર હાલત સુધારાય તેવી માંગ કરાઈ છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )
ખજૂરી હડમતીયા ચોકડી પર અણઉકેલ પ્રશ્નો બાબતે ચક્કાજામ કરનાર સાંકારોળાના સરપંચ સહીત ૧૫ ની અટકાયત
ખજૂરી હડમતીયા ચોકડી પર અણઉકેલ પ્રશ્નો બાબતે ચક્કાજામ કરનાર
સાંકારોળાના સરપંચ સહીત ૧૫ ની અટકાયત
જો કે સંબંધિત માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી ગેરરીતીયુક્ત બનેલા રોડની તપાસ કરવાની અને એક રોડ વહેલો બનાવવાની ખાતરી આપ્યાનું જણાવતા સરપંચ સોજીત્રા....
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
"ચાલો યુવાનો મારી સાથે, અધિકારીઓ દોડી આવશે તમારી પાસે !" તેવું સુત્ર તરતું મૂકી ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણ સોજીત્રાએ આજે પોતાના અણઉકેલ પ્રશ્નો બાબતે ખજૂરી હડમતીયા ચોકડી પર સફળ ચક્કાજામ કાર્યક્રમ કરી દીધા બાદ સરપંચ સહીત ૧૫ લોકોની ભેસાણ પોલીસે અટકાયત કરી છોડી મુક્યા હતા.
મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા ભૂતકાળમાં અનેક વખત રજુઆતો પછી પણ ભેસાણ, જુનાગઢના લાગતા વળગતા માર્ગ અને મકાનખાતાના અધિકારીઓએ મળતી વિગતો મુજબ ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી બાબતે કોઈ તપાસ કરાવી નહોતી.
તેમજ ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી છતી થઇ હોવા છતાં તંત્રે રીતસરના આંખ મીચામણા કર્યા હતા. જયારે સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની અવારનવાર રજુઆતો ધ્યાને લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય, આ ત્રણેય પ્રશ્નો હલ કરાવવાના વિરોધમાં આજે તા.૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રા મોટીસંખ્યામાં ત્રણ-ચાર ગામોના આગેવાનો સાથે ખજૂરી હડમતીયા ચોકડી પર સવારના નવેક વાગ્યાની આસપાસ પહોચી જઈ તેઓએ સત્તાધીસોને લેખિત રજુઆતો કરી ઘડેલો ચક્કાજામનો કાર્યક્રમ સુપેરે પાર પાડી તેઓની માંગણીઓ હલ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.
આ તકે મારતે ઘોડે દોડી આવેલી ભેસાણ તાલુકા પોલીસે સંકારોલાના સરપંચ સહીત ૧૫ આગેવાનોની અટકાયત કરી હતી. જો કે આ પહેલા જુનાગઢ માર્ગ અને મકાન ખાતાના ઈજનેરો ખજૂરી ચોકડી ખાતે દોડી આવી આંદોલનકર્તાઓને સાંભળી ઉપરોક્ત બંને ગેરરીતિઓથી બનેલા રોડની તપાસ કરવા તેમજ મંજુર થયેલ હડમતીયાથી દેવકી સુધીના રોડનું કામ બને તેટલું વહેલું શરુ કરાવવાની ખાતરી આપતા ચક્કાજામ કરનાર આગેવાનોમાં આનંદ સાથે રાહતની લાગણી છવાઈ હતી.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર











