અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2018

એસ્ટ્રોન ચોક, ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ ૨૦ કોમ્પ્લેક્સના  ઓટલાનું ડિમોલીશન
૨ાજકોટ મ્યુનિ. કોર્પો૨ેશન ા૨ા બુધવા૨ે ક૨વામાં આવતી વન વીક, વન ૨ોડ કામગી૨ી અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનના ધમધમતા વોર્ડ નં.૭ના એસ્ટ્રોન ચોક થી ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ સુધીના ૨સ્તે કોમ્પ્લેક્ષ્ા સહિતની જગ્યાઓ બહા૨થી છાપ૨ા અને ઓટલાના બાંધકામ તોડવામાં આવ્યા હતા. હાર્ડવે૨ બજા૨માં આજે મનપાના બુલડોઝ૨ દોડયા હતા અને વાહનો માટે જગ્યા ખુલ્લી ક૨ાવવામાં આવી હતી. પ૨ંતુ આ જ ૨ોડ પ૨ અગાઉ ગે૨કાયદે બાંધકામો અંગે અપાયેલી નોટીસ બદલ સમાંત૨ કોઈ કાર્યવાહી ક૨વામાં ન આવતા અગાઉની કામગી૨ી અભે૨ાઈ પ૨ ચડી ગઈ હોય તેવી છાપ ઉપસી છે.


કમિશ્ન૨ બંછાનિધિ પાનીની સુચનાથી આજે ટીપીઓ એમ઼ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ સવા૨ે એસ્ટ્રોન ચોકથી ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા ગે૨કાયદે બાંધકામો દુ૨ ક૨વા ડિમોલીશન હાથ ધર્યુ હતું. બુલડોઝ૨ની મદદથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૨૦ સ્થળે થયેલા ઓટા, ગ્રીલ અને છાપ૨ાના બાંધકામ દુ૨ ક૨વામાં આવ્યા હતા. તો જાહે૨માં ગંદકી અને ન્યુસન્સ ક૨વા બદલ  ૧૩ વેપા૨ીઓ પાસેથી રૂા.૪૩પ૦નો દંડ વસુલ ક૨ીને બે કિલો પ્લાસ્ટીકના ઝબલા કબ્જે ક૨વામાં આવ્યા હતા. આજે જયાં દબાણ તોડવામાં આવ્યા તેમાં નામી શોરૂમ અને કોમ્પ્લેક્ષ્ાનો પણ સમાવેશ થતો હતો.
ટીપી શાખાએ કો૨ મોબાઈલ સેન્ટ૨ અને ડોમીનોઝ પીત્ઝા બહા૨થી હોર્ડિગ બોર્ડ હટાવ્યા હતા. આ ઉપ૨ાંત જયાં જયાંથી ઓટલા, પાઈપ, પગથિયા, છાપ૨ા તોડવામાં આવ્યા તેમાં મુંબઈ સ્નેક્સ સેન્ટ૨, હ૨ેકૃષ્ણ સ્ટેશન૨ી, સંતોષ્ા હે૨ સલુન, મોમાઈ ટી સ્ટોલ, ૨ામનાથ ટી સેન્ટ૨, જય ૨ાજમંદિ૨ ફ૨સાણ, ગોપાલ ભજીયા,  હ૨ી પેલેસ કોમ્પ્લેક્ષ્ામાં આદર્શ હાર્ડવે૨, મોલ અને ગી૨ી૨ાજ હાર્ડવે૨, પાર્થ ડેવલોપર્સ, ચંદન સેનેટ૨ી વુડ, ૨ેડ એપલ વુડ, યુનિકોન સિસ્ટમ કોમ્પ્લેક્ષ્ા, ડીકો સીટી એસેસ૨ીઝ, બાવીસી પ્લાયવુડ, જે.પી.ટાવ૨ કોમ્પલેક્ષ્ાનો સમાવેશ થાય છે.
આજની કામગી૨ીમાં એટીપી આઈ.યુ.વસાવા, એસ.એસ.ગુપ્તા, વિજય બાબ૨ીયા, ૠષ્ાિ ચૌહાણ, દિલીપ પંડયા, તુષ્ાા૨ લીંબડીયા, એસ.એફ.કડીયા સહિતનો ટીપી સ્ટાફ હાજ૨ ૨હયો હતો.
ઉપ૨ાંત સોલીડ વેસ્ટના નાયબ ઈજને૨ ઝીંઝાડા, બાંધકામ શાખાના ઈજને૨ જી.જે.સુત૨ીયા, એસ્ટેટ અધિકા૨ી કાથ૨ોટીયા, ડોડીયા, ૨ોશની, ફાય૨ વિભાગનો સ્ટાફ કામગી૨ીમાં સાથે ૨હયો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા વિજીલન્સ અધિકા૨ી ઝાલા સહિતની ટીમ પણ સ્થળ પ૨ હાજ૨ હતી.

રવિવારે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં કેન્સર નિદાન કેન્દ્રનું ઉદઘાટન


રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી બાળકો અને મહિલાઓનાં ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં કેન્સરનાં દર્દીઓ અને લોકો માટે અમદાવાદ સ્થિત ગુજરાતની આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થ કેર ગ્લોબલ (એચસીજી) સાથે જોડાણ કરી આગામી તા.1પને રવિવારે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પ અને કેન્સર અવરનેસ કેમ્પ ટ્રસ્ટના ચેરમેન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા એચસીજીનાં કેન્સર સર્જન ડો.કોસ્તુરભાઇ પટેલનાં હસ્તે ઉદઘાટન થનાર છે.
આગામી 15મીને રવિવારે યોજાનાર કેન્સર અવરનેસ અને નિદાન કેમ્પ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદનાં પ્રારંભમાં યાત્રાધામ બોર્ડનાં રાજુભાઇ ધ્રુવે પ્રાસંગીક ઉદબોધનમાં સૌનુ શાબ્દીક સ્વાગત કર્યા બાદ સંસ્થાના મેડીકલ પ્રોજેકટ કમિટિનાં ઇન્ચાર્જ અને મેયર ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયે જણાવેલ કે શહેરના જરૂરીયાતમંદ  નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ઉપક્રમે અનોખુ કદમ છે. છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુકત ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટને ચેક કરી આપવામાં આવશે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.


આ કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ઝુંબેશની શરૂઆત 15 એપ્રિલ 2018 રવિવારથી થઇ જશે. જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોનથી પણ કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઇ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઇ માંડલીક, ડો.પરીનભાઇ પટેલ, ડો.ભરતભાઇ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામુલ્યે લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ, પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 15 એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.2704પ4પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.

સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 1પ એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.270454પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.
કેમ્પનો લાભ કોણે લેવો જોઇએ?

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદના ઉપક્રમે યોજાનાર નિદાન કેમ્પમાં ગળુ, જડબા, બેસ્ટ તથા ગર્ભાશયના તમામ પ્રકારનાં કેન્સર નિદાન સાથે અચાનક દેખા દેતા આ રોગને ઉગતો ડામવા માટે લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેલુ જોઇએ.
- લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
- લાંબો સમય અવાજ બેસી જવો
- ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ
- ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો
- મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી
- શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ હોવી
- સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું
- લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામ)ં લોહી નીકળવું
- માસિક સ્ત્રાવ વખતે વધુ પડતુ લોહી નીકળવું
- યોનીમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
- ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું
- સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું. 

સાંસદ મોહનભાઈ કુંડારીયા કાલે ઢેબરચોકમાં ધરણા-ઉપવાસ કરશે



રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.12-4ના ગુરુવારે સવારે 10થી5 દરમ્યાન શહેરના ખાદીભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાસામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવા દઈને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને 23 દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ધરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.

ગોંડલની સબજેલમાંથી મોબાઈલ પકડાયો આરોપી નાશી છૂટ્યો : ઓચિંતું ચેકિંગ થયું


રાજકોટ તા.૧૧ 
ગઈકાલે અમદાવાદ ખાતેથી ગોંડલ દોડી આવેલા જેલ ઝડતી સ્કવોડસુત્રોએ સબજેલમાંથી એક મોબાઈલ પકડી પાડ્યો હતો. જ્યાર આરોપી નાશી છૂટતા તેમની સામે ગોંડલ શહેર પોલીસમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે ગોંડલની સબ જેલમાં જેલર ગ્રુપ-૧, ઝડતી સ્કવોડ, પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી,આમદાવાદ, ગુજરાત રાજ્યના ભરતસિંહ રાજાજી વાઘેલા પોતાના સ્ટાફ સાથે ગોંડલ દોડી આવી સબજેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરતા રાજાન પ્રહલાદ ચૌધરી નામના શખ્સ પાસેથ એક મોબાઈલ મળવા પામ્યો હતો. જ્યારે પ્રહલાદ પોલીસને ચકમો આપી નાશી છૂટ્યો હતો.
આ શખ્સ જેલનો કેદી હતો કે બહારનો ? તે મામલે તપાસ વચ્ચે ભરતસિંહ વાઘેલાએ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૮૮ પ્રિઝન એક્ટ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ રાજન સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પડધરી ગામે પ્રોઢને બોલેરો નીચે કચડી મારવા પ્રયાસ : બે હોન્ડા ભાંગીને ભુક્કો : ભારે ચકચાર


ફાર્મહાઉસ સંચાલકને પગમાં ઈજા સાથે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા  
રાજકોટ તા.૧૧ 
પડધરીમાં એક ફાર્મહાઉસના માલિકને નજીવી બાબતે તે જ ગામના એક શખ્શે બોલેરો ગાડી તળે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢ હટી જતા તેમના પગમાં સામાન્ય ઈજાઓ થઇ હતી. પણ ફાર્મનો દરવાજો અને બે હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ પડધરીમાં રહેતા હિતેન્દ્રભાઈ તુલસીદાસભાઈ ભાલાળા નામના પ્રોઢે  ભારત હોટેલ બાઈપાસ પાસે માધવ દર્શન નામનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. તેમજ તેમાં ફાર્મ હાઉસ પાસે અન્નપુર્ણા નામનું ખાખરા બનાવવાનું કારખાનું ચાલતું હોય, આ કારખાનાના વાહનો રોજ જુદા જુદા અનાજના લોટના બાચકા લઈને આવજા-કરતા હોય છે.
આ વાતમાં ફરિયાદી હિતેન્દ્રભાઈને કોઈ વાંધો નહોતો. પણ વાહનોમાંથી અવારનાવર લોટના બાચકા પડી જતા હોય, રસ્તો ખરાબ થતો હોય, ખાખારાના કારખાનાસુત્રોએ આ બાબતે હિતેન્દ્રભાઈએ ટપાર્યા હતા.
પણ આ વાતને લઈને મયો કરશન રાજપૂત નામના શખ્સે ફાર્મહાઉસના માલિકને ફોન કરી, તને પતાવી દેવો છે તેવી ધમકી આપી બોલેરો કાર સાથે ફાર્મ હાઉસ પર ઘસી આવ્યો હતો.
અને ધમકીભર્યા સ્વરોમાં ઝગડો કરી, ફૂલ સ્પીડે બોલેરો ગાડી ચલાવી હિતેન્દ્રભાઈને કચડી મારવા પ્રયાસ કરતા હિતેન્દ્રભાઈ ખસી ગયા હતા અને બોલેરો નીચે ૨ હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયા હતા.
આવા સમયે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પણ મયો ધમકી આપી નાશી છૂટ્યો હતો. આ બારાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આમ એક ફાર્મ હાઉસના માલિકને બોલેરો નીચે કચડી મારવાના પ્રયાસથી જાણકારોમાં ચકચાર જાગી હતી. 

જસદણના કાસકોલીયા નજીક ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા મહિલા સહીત ૨ ના મોત : અરેરાટી રાજકોટ તા.૧૧


આજથી બે દિવસ પહેલા જસદણ તાલુકાના કાસકોલિયા ગામ તરફ જવાના રસ્તે ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા એક મહિલા અને એક કિશોરનું મોત થયું હતું. પોલીસે મેણીયા ગામના ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મેણીયા ગામનો ભરત શામા મેણીયા નામનો શખ્શ નંબર વગરનું ટ્રેક્ટર લઈને જતો હતો ત્યારે કાસકોલીયા ગામના રસ્તે, આંબરડી ગામ નજીક રોડ પર આવેલા એક બમ્પ ઠેકાડતા ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી નંદુબેન ધીરુભાઈ ભોજાભાઈ ભોજાણી(રહે.નવાગામ, જસદણ)ના દેરાણી મધુબેન ભરતભાઈ ભોજાણી તથા મધુબેનના દીકરા સુરેશભાઈનો દીકરો તનવીર એમ બંને ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા અને બંને પર તે જ ટ્રેક્ટરના વ્હીલ ફરી વળતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. 
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક ભરત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી નવાગામમાં શોકનું મોજું ફેલાયું છે.

પડધરી બાયપાસ પાસે જીનીંગમાં આગથી ૫ કરોડનો ૧૦૦ ગાડી કપાસ બળીને ખાક


આગનું કારણ શોધવા તંત્રની કવાયત : કોઈ જાનહાની નહિ ! 
રાજકોટ તા.૧૧
આજે વહેલી સવારે પડધરી બાયપાસ પાસે એક જીનીંગના કારખાનામાં લાગ ભભૂકી ઉઠતા આશરે ૯૫ થી ૧૦૦ જેટલી ગાડીનો એટલેકે રૂપિયા પાંચેક કરોડનો કપાસ બળીને ભસ્મી ભૂત થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ પરથી રાજકોટ ખાતેથી ૩ ફાયર ફાયટર સ્ટાફે દોડી જઈને આગને કાબુમાં લઇ લીધી છે. છતાં અંદર ખાતે આગ પ્રજ્જ્વલ્લિત હોવાનું દેખાય છે.



બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે. 
મળતી વિગતો મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને પડધરી બાયપાસ પાસે પટેલ કોટન નામનું જીનીંગનું કારખાનું ધરાવતા વસંતભાઈ જીણાભાઇ પટેલની માલિકીના ઉપરોક્ત સ્થળે આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં રાતવાસો કરતા માણસોએ વસંતભાઈને જાણ કરી બનાવ સ્થળે બોલાવ્યા હતા.
માલિકે સૌ પ્રથમ રાજકોટ ફાયર તંત્રને જાણ કરી કોટન કારખાને પહોચ્યા હતા. થોડી વારમાં આવી પહોચેલ રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો સખત મારો ચલાવી આગને સંપૂર્ણ કાબુમાં લઇ લીધી છે. છતાં કપાસના ઢગલામાં અંદર ખાતે આગના લબકારા ચાલુ છે. આ બાબતે વસંતભાઈ ગોટીએ “સાંજસમાચાર”ને જણાવેલ કે, પોતાની જીનીંગ મિલમાં આશરે ૯૫ થી ૧૦૦ ગાડી(ટ્રક) જેટલો કપાસનો જથ્થો પડ્યો હતો. એક ગાડીની કીમત આશરે સાડા પાંચ લાખ ગણીએ તો આશરે પાંચેક કરોડનો કપાસ આગમાં બળીને ખાક થઇ ગયો હોવાની દહેશત સેવાઈ રહી છે.
બનાવની જાણ પરથી સંબંધિત સરકારી સુત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ શરુ કરી છે. બનાવ સમયે કોઈ જાનહાની થવા પામી નથી પણ માલિકને કરોડોનું નુકશાન સહવાની નોબત આવી હોવાની વાત નકારી શકાતી નથી.