અનુયાયીઓ

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં અન્નકૂટ દર્શન :

જેતપુરમાં અન્નકૂટ દર્શન :


જેતપુરમાં બાવાવાળાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧ મી વખત સફળ ગણેશોત્સવ ઉજવાઈ 


રહ્યો છે. ચોરા પાસે યોજાતા અને સ્થાપન કરેલ ગણેશ મહોત્સવ સ્થળે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં 


આવ્યું હતું જેનો લાભ લેતા ભાવિકો દેખાય છે. ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર)


જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !

સફાઈ અભિયાનો હાથ ધરાયા પણ માત્ર કાગળ ઉપર
જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ 
પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !
જેતલસર તા.૨૬   (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધી જે સફાઈ અભિયાનો હાથ ધરાયા તે માત્રને માત્ર કાગળ
ઉપરની કામગીરીરૂપ પબ્લીસીટી સ્ટંટ સાબિત થઇ હોય તેમ અહી ઠેર ઠેર ગંદકીના
ગંજ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આવા ગંદકીના સામ્રાજ્યમાં હવે શહેરના અમુક સંસ્કારધામો પણ બાકાત નથી તેની
ગવાહી આ તસ્વીર પૂરી પાડે છે. શહેરના દેસાઈવાડીમાં આવેલ ચભાડિયા સ્કુલ
સામેજ જમા થતી ગંદકીથી આ શાળાએ પોતાના ભૂલકાઓને લેવા, મુકવા આવતા વાલીઓ
પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. જાણકાર લોકો કહે
છે કે શાળા સામે જમા થયેલી ગંદકીથી અમોને ચિંતા એ વાતની થઇ રહી છે કે
''અમારા ફૂલની કળી સમા બાળકોને ઉપરોક્ત શાળાએ સંસ્કારોના સિંચન માટે
મોકલી રહ્યા છીએ, પણ ક્યાંક રોગનો ભોગ નાં બની જાય !!'' ત્યારે જેતપુર
નવાગઢ નગરપાલિકા ના લાગતા વળગતા સત્તાધીસો તાત્કાલિક ઉપરોકત શાળા પાસે
પહોંચી ગંદકી દુર કરે તે જરૂરી છે.
                                                                                                     ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

virpurma sagir putri par balaatkaar gujarnaar tahomatdaar kalu solanki photo by kashyap joshi jetpur

પવિત્ર ધામ વીરપુરને કલંકિત કરતી ઘટના બનતા સર્વત્ર ચકચાર !
સગી પુત્રી પર નરાધમ પિતાનો બળાત્કાર
દેવીપૂજક માતાએ હિંમત કેળવી બીજા ભરથારના કાળા કામો પોલીસ થાણે જઈ
વર્ણવતા પોલીસ પણ ધ્રુજી ગઈ ! ફોજદાર ગોહિલે બળાત્કારી પિતાને ગણતરીની
કલાકોમાજ ઝડપી લીધો !
photo kashyap joshi jetpur