અનુયાયીઓ

ગુરુવાર, 5 નવેમ્બર, 2015

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

૧૫ કલાક પછી ''કાળજા કેરો કટકો મૃતાવસ્થામાં મળતા પરિવારજનો ભાંગી પડ્યા ! 

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો 

મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૫

બુધવારની સાંજે જેતપુરમાં ધોરાજી રોડ પરની કેનાલમાં અકસ્માતે ગબડી પડેલ જેતલસર જંકશનના વાલ્મીકી કિશોરનો મૃતદેહ આજે સવારે ધોરાજી નજીકથી કેનાલમાંથી મળી આવતા આખી રાત મહેનત કરનાર સેવાભાવીઓએ  દુઃખાવસ્થા વચ્ચે મૃતકના સ્વજનોને સાચવવાની વધુ કે કપરી પરિસ્થિતિને પાર પાડી હતી.

 

મળતી વિગતો મુજબ જેતલસરના રેલ્વે કોલોનીમાં રહેતા નરેશભાઈ મંગાભાઈ પરમારનો એકનો એક પુત્ર દીપેશ ઉ.વ.૧૩ ગઈકાલે જેતપુરના ધોરાજી રોડ નજીકથી પસાર થતી ભાદર કેનાલમાં અકસ્માતે પડી જતા તે કેનાલના પાણીમાં ગરક થઈને તણાઈ ગયો હતો.

 

આવા સમયે દીપેશ સાથે રહેલા તેમના બે મિત્રો ભાવેશ સોલંકી અને શ્રવણ પરમારની વિગતો પરથી જેતલસરના સરપંચ હનીફ બલોચ, અન્ય સેવાભાવીઓ શૈલેશ રણછોડ કયાડા, સંજય સામજી સોલંકી, મોહન પ્રેમજી પરમાર, ભારત શાર્દુલ વાઘેલા, રાજુ બાબુ ગડીયલ, જેતપુરના હારૂનભાઈ રફાઈ, ગોંડલના કિશોરભાઈ વિગેરે રાત આખી ભાદર કેનાલના પેઢલા, ગુંદાળા, ધોરાજી, મોટીમારડ સુધીના વિસ્તારો ખુંદી નાખ્યા હતા. પણ રાત્રીના દીપેશનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.

 

બીજીબાજુ આજે ગુરુવારે સવારે દીપેશનો મૃતદેહ ધોરાજી થી જુનાગઢ જવાના રસ્તે, તોરણીયાના પાટીયાથી આગળ ભાદર કેનાલમાંથી મળી આવ્યો હોવાનું અને ધોરાજી હોસ્પીઅલ ખાતે દીપેશની લાશનું પીએમ કરાયું હોવાનું જંકશનના સરપંચ બલોચે આ લખનારને જણાવ્યું હતું.

 

બોક્સ: દીપેશનો મૃતદેહ ડોક્ટર વાડીની માઈનોરમાં ફસાયો !

જેતલસર : રાત આખી અંધારા ઓઢી દીપેશને શોધવાની પ્રશંશનીય જહેમત ઉઠાવનાર જેતલસર, જેતપુર અને ગોંડલના સેવાભાવીઓએ એવું જણાવેલ કે ભાદરની કેનાલના ઘસમસતા પાણીમાં જેતપુરથી ૧૪-૧૫ કિમી દુર ધોરાજી સુધી તણાઈને મોતને ભેટેલ દીપેશની લાશ મૂળ કેનાલમાંથી ડોક્ટર દુધાતની વાડીમાં જતી માઈનોર કેનાલમાં ફસાઈ જતા તે આગળ તણાતા બચી ગઈ હતી. જો આમ ના થયું હોત તો દીપેશની લાશ ઘણું દુર તણાઈ ગઈ હોત અને શોધવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડત. ટૂંકમાં આ બનાવમાં જે જે સેવાભાવીઓએ દીપેશને શોધવા અનન્ય જહેમત ઉઠાવી તે તમામ અન્ય પ્રજામાં સરાહના પાત્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર

 

 

ફોટોની વિગતો :

મૃતક દીપેશની ફાઈલ તસ્વીર અને તેમની ડેડબોડી,

૧૫-૧૫ કલાક સુધી દીપેશને શોધવા સેવા કરનાર યુવાનોની ટીમો

સરકારી તંત્રનું વાહન, તથા ગામલોકો નજરે પડે છે.

 

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ

જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

જેતલસર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)

     જેતલસર જંકશનમાં ઉભા કરાયેલ સ્ટેટબેંકના એટીએમ સેન્ટરમાં છેલ્લા ૨૦ દિવસ થયા પૈસા ઉપલબ્ધ ના કરાવાતા હોય આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરનાર ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની ફરિયાદો ઉભી થયાની વિગતો મળી રહી છે.

     આ બાબતે જેતલસર જંકશનના રણમલભાઈ વાણીયા સહિતના બેંક ગ્રાહકોની ફરિયાદ છે કે જેતલસર જંકશનમાં હાલના દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ સુવિધા ઉભી કરતા આ એટીએમ સેન્ટરનો ૧૫૦-૨૦૦ બેંક ગ્રાહકો હર્ષભેર લાભ લઇ રહ્યા છે. પણ છેલ્લા ૨૦ દિવસ થયા અહી એક પણ પૈસો ઉપલબ્ધ કરાવાયો ના હોય, આ એટીએમ સેવાનો લાભ લેતા બેંક ખાતેદારોમાં દેકારો મચી ગયો છે.

આ બાબતે જેતલસર જંકશનના બેંક ગ્રાહકો કહે છે કે ભલે તેઓ સ્ટેટ બેન્કના ગ્રાહકો ના હોય, અને સ્થાનિક યુનિયન બેન્કના ગ્રાહકો હોય, પણ આ સેવા ઉભી કારાઈ એટલે લાભ સૌ લેવાના ! આ વાતને ધ્યાને લઈને જેતપુર સ્થિત સ્ટેટ બેન્કના સુત્રો તાકીદે જંકશનના તેઓના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપલબ્ધ કરાવી ગ્રાહકોનો દિવાળી જેવો તહેવાર ના બગાડે અને ઓછી હેરાનગતિએ એટીએમ દ્વારા પૈસા મળતા થઇ તેવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર