અનુયાયીઓ

સોમવાર, 18 જાન્યુઆરી, 2016

જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો

જેતપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત...
અન્ય એક યુવાનનું વીજશોકથી અને પરિણીતાનું દવા પીવાથી મોત થયાની ઘટનાઓ પોલીસ દફતરે 
જેતપુર તા.૧૮
જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહીના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અપરણિત યુવાન કાનજી પરબત ગોહેલ(ઉ.વ.૩૫) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા જમાદાર ખરાડીએ તપાસ હાથ ધરી છે.
વંદા મારવાની દવા પી લેનાર પરિણીતાનું મોત
જેતપુર તા.૧૮
અહીના જગાવાલા ચોરા વિસ્તારમાં રહેતા ફર્ઝાનાબેન સલીમભાઈ મકરાણી નામની ૩૪ વર્ષીય પરિણીતાની લાશ આજે અહીના ભાદરના પુલ પાસેથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ફરઝાનાબેનનું મોત વંદા મારવાની દવા પીવાથી મોત થયાનું પ્રાથમિક તારણ જાહેર કર્યું હતું. આ મુસ્લિમ પરિણીતાને શા માટે દવા પીવી પડી તે અંગે જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
જેતપુરના યુવાનનું વીજશોકથી મોત 
જેતપુર તા.૧૮
અહીના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ કોળી લાઈનમાં રહેતા ગોવિંદ મનસુખ તરવાડીયા(ઉ.વ.૨૫) ને આજે પોતાના ઘરે વીજશોક લાગતા બેભાન હાલતમાં અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ગોવિદને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ જમાદાર ખરાડીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !
જેતપુર: જન્મદિવસની વાત આવે એટલે કોઈ પણ યુવાન, કિશોર કે વાલીઓ જન્મદિવસ ઉજવવા કોઈ હોટેલનો સહારો લેતા હોય છે. આ વાતમાં વાંક કિશોર, યુવાન કે વાલીઓનો નથી, બલકે યુગનો છે. સાંપ્રત સમયમાં દેખાદેખી અને અનુકરણ સૌ કરતા આવ્યા છીએ.આવા અનુકરણના પરિણામમાં અંતે વાલીઓએ નુકશાની સહવાનો વારો આવે છે. આવી બધી વાતોને જાકારો આપી અહીની સેવાભાવી સંસ્થા લાયન્સ કલબના ડી.ચેરમેન હરસુખભાઈ ડોબરીયાના પુત્ર કિશનના જન્મ દિવસે ડોબરિયા પરિવારે અન્ય લાયન મિત્રો ડો.જોશી, લા.પ્રમુખ અતુલભાઈ લાલકીયા, અક્ષય પટેલ, જેન્તીભાઈ સાકરીયા, લલીતભાઈ ઠુંમર અને હિતેશ અંટાલા વી.ની હાજરીમાં શહેરના પછાત વિસ્તારમાં જઈ, કેક કાપી, ગરીબોને ભોજન કરાવી જન્મદિન ઉજવતા આ પ્રેરણાદાયી પગલાની શહેરમાં સરાહના થઇ રહી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ
જેતપુર : જેતપુર રોયલ લાયન્‍સ કલબ તથા સલગ્ન સંસ્‍થા લીયો કલબ દ્વારા  મકરસંક્રાંતિના પાવન દિવસે સંસ્‍થાના પૂવ ડી-ગવર્નર ધીરૂભાઇ રાણપરીયાના માર્ગદર્શન વચ્ચે પછાત વિસ્તારોમાં લાયન્‍સ - લીયો ટીમે મહાકાળી સાડી - મુંબઇના આર્થિક મદદ દ્વારા બાળકોને શેરડી, બીસ્‍કીટ, ચિકી, લાડુનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. ફોટો : કશ્યપ જોશી જેતપુર