પરિણામ, જહેમતનું ! માત્ર ૧૫ દિવસમાં રૂ.૧૮ લાખના ખર્ચે...
જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !
વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !
જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.
બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..
બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.
આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !
વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !
જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.
બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..
બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.
આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર




