અનુયાયીઓ

શનિવાર, 1 ડિસેમ્બર, 2018

ગામડાઓની પોસ્ટ ઓફિસોમાં શરુ થયેલી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો લાભ લેવા પ્રજાને અનુરોધ


બ્રાંચ પોસ્ટ માસ્તર-કર્મચારીઓને માહિતીઓ અપાઈ:
હવે છેવાડાના ગ્રામજનો પણ ખાતા ખોલી શકશે


રાજકોટ તા.૧
પ્રવર્તમાન હરીફાઈના યુગમાં હવે પોસ્ટ તંત્ર પણ અન્ય બેંકો સાથે કદમોકદમ ચાલવા બેન્કિંગ સેવા શરુ કરી છે. આ બેન્કિંગ સેવાનો મહત્તમ લોકો લાભ લે તેવું પોસ્ટ તંત્રના સુત્રોનો અનુરોધ છે.

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના નામથી પોસ્ટમાં શરુ થયેલી આ સેવાનો હવે છેવાડાના ગામડાના લોકો પણ વિના મુશ્કેલીએ લાભ લઇ શકશે. અન્ય બેન્કોની જેમ જ ઇન્ડિયન પોસ્ટ બેંકમાં તમામ પ્રકારની સુવિધાઓ ગ્રાહકોને મળી શકશે.


આ બાબતે ગ્રામીણ પોસ્ટ ઓફીસના બ્રાંચ પોસ્ટ માસ્તર સહિતના કર્મચારીઓને ટ્રેઈનર જી.આર.સાંબલે જણાવ્યું હતું કે આઈ.પી.પી.બી. સેવા દ્વારા લોકો પોતાના ખાતાની રકમ અન્ય બેંકમાં આસાનીથી ટ્રાન્સફર કરી શકશે. એટલું જ નહી બીલના ચુકવણા, લાઈટ બીલ, રીચાર્જ વિગેરે સેવાઓ પણ મેળવી શકશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ધરાવનાર ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ સુવિધા પણ અન્ય બેંકોની જેમજ મેળવી શકશે.

જે ગામડાઓમાં કોઈ પણ બેંક ના હોય તેવા ગામડાઓના ગ્રાહકોએ હવે નિરાશ થવાની જરૂર નથી. આવા ગામડાઓના લોકો, ગ્રાહકો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો મહત્તમ લાભ લે તેવો પોસ્ટ સુત્રોએ અનુરોધ કર્યો છે.  (કશ્યપ જે.જોષી, રાજકોટ, જેતપુર, જેતલસર-૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨ )

જેતલસર ગામે સમસ્ત ગર્ગસ ગૌત્ર પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું


વિદ્યાર્થી સત્કાર સમારંભ-યજ્ઞ પણ યોજાયા

રાજકોટ તા.૧
તાજેતરમાં જેતપુર તાલુકાના જેતલસર ગામે જેતલસરા દાદાની જગ્યાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગર્ગસ ગૌત્ર પરિવારજનોનું સ્નેહમિલન, યજ્ઞ અને વિદ્યાર્થી સત્કાર સમાંરભ કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજ પરિવારજનો હાજર રહ્યા હતા. આ બાબતે વિગતો આપતા ગર્ગસ ગૌત્ર જેતલસરા દાદાના પ્રમુખ વિનોદભાઈ દયાશંકરભાઈ જોશીએ જણાવેલ કે, ગર્ગસ બ્રહ્મ પરિવારજનોના કુળદેવતા પુ.જેતલસરદાદાની જગ્યાએ જયંતભાઈ ઇન્દુલાલ જોષી(લુણાગરા)ના શાસ્ત્રીજી પદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

અ તકે તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ, સ્નેહમિલન અને દાદાના ઉતારાની બાજુમાં સામુહિક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્રિવિધ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ગર્ગસ ગૌત્ર પરિવારજનોને લાભ લીધો હતો.

વાંકાનેરનાં અમરસર ગામે બે યુવાનો પર ૫ શખ્શોનો ધોકા વડે હુમલો


રાજકોટ તા.૧
વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગઈકાલે રાત્રીના ૨ યુવાનો પર તે જ ગામના ૫ શખ્શોએ કોઈ કારણોસર લાકડાના ધોકા વડે હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા તકદીર હુશેન બલોચ(ઉ.વ.૨૫) અને પરવેઝ અનવર નાનાણી (ઉ.વ.૧૯) એમ બંને પર ગત રાત્રીના પોતાના ઘર પાસે ચડી આવેલા સમીર બલોચ સહિતના ૫ શખ્શોએ ધોકા વડે હુમલો કરી માર મારતા બંનેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટી સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. હુમલાનું કારણ જાની શકાયું નથી. હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી વાંકાનેર પોલીસ તરફ મોકલવા તજવીજ હાથ ધરી છે.

માતાના મોતનું નિમિત પુત્ર જ બન્યો વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈક પરથી ગબડેલી મહિલાનું સારવારમાં મોત


આજથી ૬ દિવસ પહેલા બાબરા પંથકમાં પુત્રના બાઈક પરથી ગબડેલી માતાનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.

માતાના મોતનું પુત્ર જ નિમિત બન્યો હોય તેવી કરુણાંતિકાની વિગતો મુજબ બાબરા તાલુકાના ઈશાપર ગામના વિલાશબેન ધરમદાસ(ઉ.૪૨) નામના મહિલા તેમના પુત્રના બાઈક પર બેસીને જતા હતા.
ત્યારે વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈકનું ટાયર ફાટતા ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા વિશાલબેન બાઈક પરથી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન ૬ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે વિશાલબેનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થતા હોસ્પિટલ ચોકી સુત્રોએ બાબરા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જંગવડ ગામના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજાવનાર કાર ચાલક ઓળખાયો


પોકેટ કોપ એપ્લીકેશન વધુ એકવાર પોલીસ માટે આશીર્વાદરૂપ
રાજકોટ તા.૧
આજથી પંદરેક દિવસ પહેલા આટકોટ પંથકમાં જંગવડ ગામના બાઈક ચાલકને હડફેટે લઈને મોત નીપજાવી નાશી છુટેલા કાર ચાલકને આટકોટ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ઓળખી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જંગવડ ગામના હંસરાજભાઈ જાદવભાઈ રંગાણી પોતાનું જીજે ૦૩ સી એફ ૩૪૩૭ નંબરનું બાઈક લઈને વીરનગરથી આટકોટ તરફ આવતા હતા ત્યારે જસદણ-આટકોટ રોડ પર ચંદુભાઈની વાડી સામે ૩૭૧૩ નંબરની સફેદ કલરની મારુતિ ઝેનના ચાલકે હડફેટે લઈને હંસરાજભાઈનું મોત નીપજાવેલ.

બનાવ સમયે અકસ્માત સર્જનાર કારના પુરા સીરીઝ સાથેના નંબર ના હોય આટકોટ પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. પણ આવા અધૂરા કલર અને કારનો કલર સહિતની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં અપલોડ કરી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત નંબરની કાર પાંચવડાના મહેન્દ્ર નાનાલાલ વ્યાસની હોવાનું બહાર આવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું આટકોટ પોલીસના પીએસઆઈ બી.એફ.ચૌધરી જણાવે છે.

કોટડાસાંગાણીના રાજપરા ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઈલ પીધું : સારવારમાં

રૂ.૧૨.૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા બાદ ચૂકવી દીધા છતાં ત્રાસ યથાવત રહેતા

રાજકોટની રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ સહીત ૫ શખ્શો સામે
કોટડાસાંગાણી પોલીસમાં નોંધાયો ગુનો : પોલીસ તપાસનો ધમધમાટ


રાજકોટ તા.૧
રાજકોટ જીલ્લાના, કોટડાસાંગાણી તાલુકાના રાજપર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. હોસ્પિટલ બિછાનેથી રાજકોટના ડોક્ટર સહિતના પાંચેક શાખ્શોના ત્રાસ-ધમકીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. કોટડાસાંગાણી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો અન્વયે પાંચેક શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નીલેશભાઈ લલીતભાઈ ગોહેલ(ઉ.વ.૩૦) નામના યુવાને પોતાના ઇંટોના ભઠ્ઠાના ધંધા માટે સગાભાઈ હરીશભાઈ મારફતે રાજકોટમાં રેટીના હોસ્પિટલના ડો. મુકેશ પોરવાલ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૨.૫૦ લાખ ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતા.

જે પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં નીલેશભાઈ અને તેમના ભાઈ હરીશભાઈ પાસેથી વધારે પૈસા પડાવવા, બંનેને ફોન પર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આજથી આઠેક માસ પહેલા હરીશભાઈનું અપહરણ કરી, જાતી પ્રત્યે હડધૂત કરી તેમને હેરાન પરેશાન કરતા હોય, આ વાતી ડરી ગયેલા નીલેશભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું બાહર આવ્યું છે.

ફિનાઈલ પી જવાથી અસરગ્રસ્ત નીલેશભાઈના નિવેદન પરથી કોટડાસાંગાણી પોલીસે રેટીના હોસ્પિટલ રાજકોટના ડો.મુકેશ પોરવાલ, તેમનો માણસ, રજુ તેમજ તમની સાથેના ૨ અજાણ્યા માણસો મળી કુલ પાંચેક શખ્શો સામે આઈપીસી ૩૮૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪, એટ્રોસિટી ની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨)(૫-એ) તથા મી લેણદાર એક્ટ ૫,૪૦ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે.

વિસાવદરના મોટાકોટડા ગામે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ રાજકોટની હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો

૮ મહિના પહેલા ગામના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું'તું


વિસાવદર પોલીસે રમેશ નાથા નામના શખ્શ સામે દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો'તો : ૧૪
વર્ષની સગીરા કુંવારી માતા બનતા જાણકારોમાં આરેરાટી : દુષ્કર્મી પર ફીટકારની લાગણી

રાજકોટ તા.૧
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આજથી ૮ મહિના પહેલા નરાધમના હાથે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આજે વહેલી સવારે રાજ્કોતી ઝનાના હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બનાવના જાણકારોમાં માત્ર ૧૪ વર્ષની સગીરા કુંવારી માતા બનતા અરેરાટી ફેલાઈ છે તેઓ દુષ્કર્મી નરાધમ સામે ફિટકાર વરસાવ્યો છે. આ બનાવ બાબતે અગાઉ આઠ મહિના પહેલા વિસાવદર પોલીસે મોટા કોટડા ગામના એક શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. આજે ઝનાના હોસ્પિટલ સુત્રોએ વિસાવદર પોલીસેને સગીરાએ બાળકીનો જન્મ આપ્યો હોવાની વાતની જાણ કરતા પોલીસ પણ ચૌંકી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતી એક ૧૪ વર્ષની સગીરા ઉપર આજથી ૮ મહિના પહેલા રમેશ નાથા નામના ઢગાએ દુશ્કારમાં ગુજાર્યું હોવાની વિસાવદર પોલીસમાં ગઈ તા.૨૨-૧૦-૨૦૧૮ ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે રમેશ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન બાળકીને મેડીકલ ચેકઅપ કરાવતા તેણી પર દુષ્કર્મ થયું હોવાની વાત સાચી પુરવાર થઇ હોય, પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજીબાજુ સગીરાને ગર્ભ રહી જતા અને સમય જતા પ્રસવ વેદના ઉપડતા સગીરાને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યારે આજે વહેલી સવારે બાળકીને પ્રસુતિની પીડા એકદમ વધી જતા તબીબોની સલાહ મુજબ સગીરાને સિઝેરિયન ક્રિયા વચ્ચે પ્રસુતિ કરાવાતા આજે સવારના ૪-૪૪ વાગ્યે  એક બાળકીનો જન્મ થયો હતો. કોઈ પણ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે પરિવારજનો હરખ ઘેલા બનતા હોય છે, પણ અહી દુષ્કર્મના શિકાર બાદ બાળકી અવતરી હોય પરિવારજનોમાં અરેરાટી સાથે દુ:ખ વ્યાપ્યું હતું.
************************

ગોંડલ-રાજકોટ હાઈવે પર શાપર(વેરાવળ) નજીક જુનાગઢના કાર ચાલકનો પીછો કરી રોકડ-મોબાઈલની લુંટ ચલાવતા રાજકોટના ત્રણ શખ્શો સામે ગુનો નોંધાયો



રાજકોટના રાહુલ બોરીચા સહિતના ત્રણ શખ્શો જુનાગઢના ગીરીશ પીઠીયા સાથે ઝપાઝપી કરી રોકડ ૪ હજાર તેમજ મોબાઈલ લુંટી નાશી છૂટ્યા : ઝપાઝપી દરમિયાન ગીરીશનો દોઢ તોલા સોનાનો ચેઈન ખોવાયો : અલ્ટો કાર સાથે એકટીવા અથડાતા એકટીવા ચાલકોએ આદરી લુખ્ખાગીરી : શાપર(વેરાવળ) પોલીસે શરુ કરી તપાસ

રાજકોટ તા.૧

આજથી ચાર દિવસ પહેલા રાત્રીના રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ નજીક એક અલ્ટો કાર પાછળ અથડાયેલા એકટીવાના બનાવમાં રાજકોટના ત્રણ શખ્શોએ કારનો પીછો કરી જુનાગઢના કાર ચાલકને રોકી, પંચ જેવા હથિયારથી મોઢા પર વાર કરી, રોકડ રૂપિયા અંદાજે ૪ હજાર અને વિવો મોબાઈલ લુંટી નાશી છૂટ્યા હોવાની શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમત શરુ કર્યો છે. બનાવ સમયે ફરિયાદી જુનાગઢના યુવાનનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ ભીખુભાઈ પીઠીયા(ઉ.વ.૩૨) અને તેમનો મિત્ર મહેશભાઈ લક્ષમણભાઈ જીજે ૦૩ ઈ સી ૫૦૭૫ નંબરની અલ્ટો કાર લઈને માવડી મેઈન રોડ ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે ત્રણ સવારી એક એકટીવા ચાલકે આ કારની ઓવરટેઇક કરતા, કાર પાછળ એકટીવા અથડાતા ત્રણેય એકટીવા સવારોએ કારનો પીછો કરી ગોંડલ ચોકડી પાસે કાર રોકાવવા પ્રયાસ કર્યો હતો.

પણ કાર ચાલકે કાર ના રોકતા પુરપાટ ઝડપે આગળ થઈને ત્રણેય એકટીવા સવારોએ રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેર્વાલ નજીકના કિશન પેટ્રોલ પંપથી આગળ કારને આંતરી, કારના કાચ તોડી નાખી ગીરીશભાઈના ખિસ્સામાંથી રૂપિયા અંદાજે ૪ હજાર રોકડા તેમજ વિવો કંપનીનો મોબાઈલ લુંટી, પંચ જેવા હથીયારથી વાર કરી ઈજા પહોચાડી નાશી છૂટ્યા હતા. તા.૨૭-૧૧ ના રાત્રીના 8-૩૦ વાગ્યે બનેલા આ બનાવની ગીરીશ ભીખુ પીઠીયાએ ગઈકાલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાને રાજકોટના રાહુલ બોરીચા અને તેમની સાથેના બે અજાણ્યા માણસોએ તેમને માર માર લુંટી લીધા હોવાની કેફિયત આપી હતી. ગિરીશે પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવેલ છે કે,બનાવ સમયે થયેલી ઝપાઝપી દરમિયાન તેમનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો છે. ફોજદાર એ.એ.ખોખરે આ બનાવમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

યુવા એજ્યુકેશન ચેરી.ટ્રસ્ટ દ્વારા અજમેર શરીફ ટુરનું આયોજન


૩૦ મહિલાઓને વિનામૂલ્યે અજમેર મોકલાયા

રાજકોટ તા.૧
યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શહેરના ૩૦ મુસ્લિમ બિરાદર મહિલાઓએ વિનામૂલ્યે અજમેર શરીફના દર્શનાર્થે મોકલવાની સેવા કરવામાં આવી છે.

આ બાબતે વિગતો આપતા યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હાજી યુસુફભાઈ જુણેજા તેમજ રાજનભાઈ જુણેજાએ જણાવેલ કે આજે તા.૧-૧૨ ના રોજ સાંજે ૭ કાલકે રાજકોટથી અજમેર શરીફ જવા મહિલાઓને લઈને નીકળાશે. દિલ્હી-સરાઈ રોહિલા એક્સપ્રેસ માં તમામ મહિલાઓને વિનામૂલ્યે મોકલવામાં આવ્યા છે.

મુસાફરી દરમિયાન આવવા જવાનો તેમજ સવાર, બપોર, રાત્રી ભોજન અને નાસ્તાનો ખર્ચ પણ આયોજક સંસ્થા ઉઠાવશે.તા.૨-૧૨ ના રોજ અજમેર શરીફ પહોચ્યા બાદ ત્યાં રિક્ષાભાડું તેમજ હોટેલ ખર્ચ પણ સંસ્થા દ્વારા ચુકવાશે. શહેરની સંસ્થા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરાયેલી આવી સેવા બદલ સૌમાં સરાહના થઇ રહી છે.



આજના મુખ્ય સમાચાર 01 12/ 2018



સુરત: 10 વર્ષ બાદ સિટી પોલીસની હદમાં ફેરફાર થશે સુરત: શહેર પોલીસની વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે વર્ષ 2008માં સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યા વધારી હદમાં ફેરફાર કર્યાના 10 વર્ષ બાદ ફરી વખત ફેરફાર કરાયો છે. અત્યારે મદદનીશ સીપીની 7 કચેરી કાર્યરત છે તેમાં એકનો ઉમેરો થશે એટલે કે આઠ થશે.તમામ ફેરફાર તા. 1-12-18થી લાગુ થઈ જશે

મોદી સરકારને ઝટકો : વિકાસનો પરપોટો ફૂટી ગયો, જાહેર થયો GDP નો આ આંક દેશના વિકાસ દરમાં બીજા ત્રિમાસીકમાં મોટું ગાબડું પડ્યું છે. સરકારના તાજા આંકડા મુજબ હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી પાછલા ત્રિમાસિકના સરખામણીમાં ગગડીને 7.1 ટકા થઈ ગયો છે. પહેલા ત્રિમાસિકમાં દેશનો જીડીપી 8.2 ટકા નોંધાયો હતો. જે પ્રમાણે માત્ર ત્રણ મહિનામાં જ જીડીપીમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતાં અને ગ્રામીણ માગોમાં આવેલી કમી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1% થયો છે.

ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે.

સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન આ વર્ષે ચોમાસું અતિશય નબળું રહ્યું છે, અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં અતિશય વધારો થયો છે. મોટાભાગના વિસ્તારોના ખેડૂતોનો પહેલો ફાલ નકામો ગયો છે, જૂનાગઢમાં તો વાવણી પર ભારે વરસાદ થતાં પાક પર બબ્બે વાર પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતોએ માંડ કરીને પાક ઉગવ્યો છે ત્યાં પાણીની અછત તેમને મારી રહી છે. પાણીની અછતને કારણે સરકારે નર્મદા કેનાલ પણ બંધ કરી દીધી

વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો સંસદ સુધી કૂચ કરશે દિલ્હીમાં પોતાની માંગણીઓ લઇને હજારો ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. અહીંથી તેઓ સંસદ ભવન સુધી માર્ચ કરશે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી, પાકના ખર્ચના દોઢ ગણા પૈસાની માંગણી રજૂ કરી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવી પહોંચેલા અંદાજે 1 લાખ ખેડૂતોએ બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી.

NRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. જેમના એનઆરઆઈ પતિએ લગ્ન પછી તેમને છોડી દીધી છે. તેમને કહ્યું કે આ બિલ ઘ્વારા તેઓ એવી બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રત્યન કરશે જેઓ એનઆરઆઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે લાભ ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઓપેક દેશ હાલ કોઈ આવાં પગલાં નથી ભવા જઈ રહ્યો જેનાથી ઓઈલની કિંમતો પ્રભાવિત થાય, માટે આ વર્ષે પહેલીવાર આવું જોવા મળ્યું છે જ્યારે ન્યૂયોર્કમાં ઓઈલની કિંમતો 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે ચાલી ગઈ હોય. હવે સૌની નજર અર્જેન્ટીનામાં થવા જનાર જી20 સંમેલન પર છે જ્યાં ઓઈલ ઉત્પાદક દેશો વાતચીત કરશે.
રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ છેઃ રાહુલ ગાંધી નોટબંધી પર પૂર્વ મુખ્ય સલાહકાર અરવિંદ સુ્બ્રમણ્યનના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે નોટબંધી પણ રાફેલની જેમ જ એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ કરાવીને દોષિતોને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું.

2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો ‘ખાસ પ્લાન લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે. આ ક્રમમાં પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર જેવા મોટા ચહેરાઓ ઉપરાંત અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં આવનારા 2-3 વર્ષમાં સાઉદી અરબ મોટું રોકાણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ અર્જેન્ટિનાની ટીમને વિશ્વ્ હોકી કંપની પહેલી મેચ જીતવા માટે અભિનંદન આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે.

ફિલ્મ ઝીરોના સેટ પર લાગી આગ, બચી ગયો શાહરૂખ ખાન ગોરેગાંવ ફિલ્મસિટીના સ્ટુડિયોમાં શાહરુખની આગામી ફિલ્મ ઝીરોના સેટ પર આગ ફાટી નીકળી હતી. આ હોનારતમાં શાહરૂખ માંડ માંડ બચ્યો હતો. સ્ટુડિયોને ઘણું નુકસાન પહોંચ્યુ હતું. ફિલ્મ સિટીની બુકિંગ મેનેજરે જણાવ્યું કે આગ એક કલાકમાં કાબુમાં લેવાઈ ગઈ હતી. સ્ટુડિયો આખો કવર કરાયેલો હોવાથી અંદર ખાસ્સો ધૂમાડો થઈ ગયો હતો. આ કારણે આગ કાબુમાં લાવેમાં પણ વાર લાગી હતી.

તેલંગાણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો : દર વર્ષે એક લાખ લોકોને મફતમાં આપશે ગાય ભાજપે ગુરુવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ઢંઢેરામાં વચન અપાયાં છે કે સત્તામાં આવશે તો ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરશે. સ્નાતકોને મફતમાં લેપટોપ આપશે. દારૂનું વેચાણ નિયમિત કરવામાં આવશે. આ સાથે દર વર્ષે એક લાખ કુટુંબોને મફતમાં ગાય આપવાનો વાયદો પણ કર્યો છે. તેલંગાણામાં 7 ડિસેમ્બેર મતદાન યોજાશે.

ડીસામાં પુત્રના લગ્ન કરીને પરત ફરી રહેલા માતા-પિતા સહિત 5 ત્રિપલ અકસ્માતમાં ભડથું ડીસા મંડાર હાઇવે પર ગુરૂવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે લગ્નમાંથી પરત ફરી રહેલા વરરાજાના માતા-પિતા સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ દૂર્ઘટના સર્જાઇ હતી

નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ 17 લોકોએ જીવ ગુમાવ્યા કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે 17 લોકોના જીવ ગયા હતા

રામલીલા મેદાનમાં બોલ્યા દેવગૌડા; ખેડૂતો સરકારને સજા આપશે કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશના વિવિધ ભાગમાં ખેડૂતો રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. આની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એડી દેવગૌડા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ખેડૂતો પોતાના દેવાં માફી અને અન્ય લઘુત્તમ ટેકાના ભાવમાં યોગ્ય ભાવ મળે

ભાજપના ‘કુંવરજી’ પાસે છે કેટલી સંપત્તિ,છે જસદણ બેઠક જે હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ આ ગઢમાં હવે કોંગ્રેસના બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કુંવરજી બાવળીયા જસદણ પહોંચ્યા હતા. જ્યા તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલ મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા બાવળીયાએ જસદણમાં રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતુ ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.

કોલસાકાંડ : કોલસા સચિવ સહિત 6ને થશે સજા,કોર્ટેનો ચૂકાદો દિલ્હી કોલસા કાંડમાં ભૂતપૂર્વ કોલસા સચિવ સહીત છ આરોપીઓને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ તમામ દોષિતોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી એચ. સી. ગુપ્તાને કોલસા કાંડના એક મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત છે.
સુરત બાદ ભાવનગરમાં 6 વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મ ઘટના  બોટાદના ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઘર પાસે રમતી બાળકીને હવસખોર ઇસમે પતંગ બતાવવાની લાલચ આપીને અજ્ઞાત સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલોએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે જનતાને અપીલ કરી હતી. અને કહ્યું હતું કે ઘટના કે આરોપી અંગે કોઇપણ પ્રકારની માહિતી કે જાણકારી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરે. જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે.

દુબઈથી મુંબઈ સુધી દરિયામાં દોડશે સુપરફાસ્ટ ટ્રેન અબુધાબી- દુબઇથી મુંબઇ સુધીની દરિયાની અંદર સફર થાય તો તે એક અચરજ છે. નજીકના ભવિષ્યમાં આ પરિકલ્પના સાકાર થઇ રહી છે. આ બન્ને સ્થળોનું અંતર દરિયાનો પેટાળ નક્કી કરશે જ્યાં સુપરફાસ્ટ ટ્રેન ચાલશે અને મુસાફરોની અવરજવર થશે. હાઇપરલૂપ અને ડ્રાઇવરલેસ ફ્લાઇંગ કાર પછી યુએઇ એક વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યું છે, જે ભારત સાથે સંકળાયેલો છે. દુબઇ થી મુંબઇની વચ્ચે સમુદ્રની નીચે ટ્રેન દોડી શકે છે.

ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે પ્રદિપસિંહ બાદ નીતિનભાઈ પટેલ પહોંચ્યા હોસ્પિટલમાં  ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે. એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે મુંબઇ પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત 25,000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. ગુજરાતના મંત્રી મંડળની હાલમાં માઠી દશા બેસી ગઈ છે
ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ છે. ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંવિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો દેખાયો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાનો સીમાકંન નહીં. તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં.ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છબરડાના મામલે GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે. જોશીએ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરાશે

ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી હથિયાર રાખવું સ્ટેટ્સ સિમ્બોલ બન્યું, ગુજરાતના આ શહેરમાં છે સૌથી વધુ હથિયારધારકો ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી. પહેલા લોકો સ્વરક્ષણ અને મોટા ભાગે ખેડૂતો પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો છે.મધ્ય ગુજરાતના 8 શહેર જિલ્લામાં 14,629થી વધુ હથિયારધારકો છે. લોકો હવે સ્ટેટ્સ, સ્વરક્ષણ તેમજ પ્રભાવ પાડવા હથિયાર રાખવાનું ચલણ વધી રહ્યું છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. દેશમાં સૌથી વધુ યુપીમાં 13 લાખ લાયસન્સ ધારકો છે. ગુજરાતના વડોદરા શહેરમાં 1956 અને જિલ્લામાં 602 સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે. તેમજ ઘણા લોકો સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથિયારના લાઇસન્સ મેળવતા હોય છે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ ફ્રીમાં પેટ્રોલ ભરાવવાની કંપની ઓફર નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તમને 1 લીટર પેટ્રોલ મફતમાં મેળવવાની તક આપી રહી છે. પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે. શરત એ છે કે આના માટે આપને કંપનીની એચપી રીફ્યૂલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર ફ્રી પેટ્રોલ આપવા માટે કસ્ટમરને HP રીફ્યૂલ એપ્લિકેશનથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું રહેશે અથવા સિલિન્ડર રીફિલ કરાવવો પડશે.

2020 માં બીએસ-4 વાહનો ગણાશે ભંગાર- સુપ્રીમ દેશમાં વધી રહેલા પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 પછી દેશમાં બીએસ-4 વાહનોના વેચાણ અને તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. દેશમાં અત્યારે બની રહેલા આશરે તમામ વાહનો બીએસ-4 શ્રેણીમાં આવે છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કંપનીઓને બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ બીએસ-4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય.

બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ કેન્દ્રિય મંત્રીઓ રહ્યાં હાજર જસદણ બેઠક પરથી પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.

ભારતનું ભવિષ્ય અંધકારમાં ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ ભારતના બાળકો સંદર્ભે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 દ્વારા ઘણાં ખતરનાક સંકેતો સાંપડી રહ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઘણી વધારે છે. વિશ્વના અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો ભારતીય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ દુનિયામાં 150.8 મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના 46.6 મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે.

આહવા માહિતી ખાતાની કચેરી જર્જરીત ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત આહવા હંમેશા સરકારી યોજનાઓ-સરકારી કાર્યક્રમો અને વિકાસનાં કામોની વાહવાહી કરતું આહવા માહિતી ખાતાની કચેરીની હાલત દિવાતળે અંધારા જેની છે. આજથી ૩૮ વર્ષ જુનું માહિતીનું બિલ્ડિંગ ગમે ત્યારે તુટી પડે તેવી હાલતમાં છે. ત્યાં ટોઈલેટ-બાથરૂમ પાણી વગર બંધ છે જ પરંતુ પીવાનું શુધ્ધ પાણી પણ મળતું નથી.તા.૨૦-૫-૧૯૮૧માં તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં બહસ્તે આહવાની માહિતી કચેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.(સાભાર : લોકાર્પણ)