અનુયાયીઓ

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2018

સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ધીરેન પંડયાનું રાજીનામું આજથી આર.જી.પરમાર રજીસ્ટ્રારનો હોદો સંભાળશે



- ગત ફેબુ્-૨૦૧૮ માં પણ રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

- સવા ચાર વર્ષ સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ અંગત કારણથી
હોદ્દો છોડયો,


સૌરાષ્ટ્ર યુનિ.માં આંતરીક ખટપટ અને આંટીઘુટીવાળા વહીવટમાં સવાચાર વર્ષ સુધી કાર્યકારી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવનારા ડો. ધીરેન પંડયાએ આજે અંગત કારણ દર્શાવી  રજીસ્ટ્રાર પદેથી છૂટા થઈ જતાં યુનિ.ના તમામ કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

લાંબા સમય સુધી રજીસ્ટ્રાર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ એક એક આજે રજીસ્ટ્રારનો ચાર્જ છોડી દેતા તેમની કામગીરીનો હવાલો અગાઉ રજીસ્ટ્રારનો કાર્યભાર સંભાળનાર એસસીએસટી સેલનાં ડેપ્યુટી રજીસ્ટ્રાર આર.જી. પરમારને સોંપવામાં આવ્યો હતો. તેઓ આવતીકાલ તા.૧૪ને શુક્રવારથી રજીસ્ટ્રાર  તરીકે કામગીરી સંભાળશે.

સૌરાષ્ટ્ર યુનિ.માં રજીસ્ટ્રારની પોસ્ટ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ખાલી રહી છે આ રજીસ્ટ્રારની જગ્યા ભરવા માટે અગાઉ અરજીઓ મગાવવામાં આવી હોવા છતાં નવી નિમણુંક કરવાને બદલે કાર્યકારી રજીસ્ટ્રારથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. આ જગ્યા ઉપર ચાર વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી આજે રાજીનામું આપી દઈ હોદા ઉપરથી મુક્ત થનાર ડો. ધીરેન પંડયાએ તેમની કામગીરીનો હિસાબ આપી જણાવ્યું હતું કે મારા ફરજ કામ દરમિયાન રૂા ૧૨૬ કરોડની ગ્રાન્ટ મળી છે યુનિ.ને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તેમજ ૭૮ મેજર રીસર્ચ પ્રોજેકટ ૩૫ માઈનોર રીસર્ચ પ્રોજેકટ ઉપરાંત ૪૦ હજાર વૃક્ષોનું નંદનવન ઉભુ કરવા સહિતનાં કામો થયા છે.

યુનિ.માં આધુનિક મેદાનો, લાયબ્રેરી, હોસ્ટેલ, વિવિધભવનો, સીસીડીસી સેન્ટર ભરતી મેળાસહિતના કામો થયા છે. અલબત તેમ છતાં તેઓએ અગાઉ ફેબુ્રઆરી ૨૦૧૮માં પણ અંગત કારણોથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ નવા અધિકારીની નિમણુંક નહી થતી હોવાથી આખરે આજે તેઓએ રાજીનામું ધરી દેતા રજીસ્ટ્રાર તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ હવે એચ.આર.ડી.સી.માં એસો. પ્રોફેસર તરીકે કામગીરી સંભાળશે. વધુમાં તેઓએ રાજીનામા પાછળ કોઈની સાથે મનભેદ કે મતભેદ નહી હોવાનું જણાવ્યું હતું.

યુનિ.ના કાર્યકારી રજીસ્ટ્રાર ડો. નિલાબંરીબેન દવે એ પણ ડો. ધીરેન પંડયાની કાર્યનિષ્ઠા પ્રત્યે સંતોષ વ્યક્ત કરી તેમની કૌટુંબિક જવાબદારી સંભાળવા માટે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. યુનિ. માં લાંબા સમયથી કુલપતિ રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, એકેડેમીક ઓફિસર સહિતની ખાલી પડેલી જગ્યાઓને લીધે દિન-પ્રતિદિન વહીવટ વિવાદાસ્પદ બ નતો રહ્યો છે.

આગામી વર્ષ દરમિયાન નેકના એક્રીડીએશન યુનિ. પુરજોશથી તૈયારી કરી રહી છે. ત્યારે રજીસ્ટ્રાર જેવા મહત્વના પદ ઉપરથી ડો. ધીરેન પંડયાએ રાજીનામું આપતા આંતરીક ખટપટ હવે ચરમસીમાએ પહોંચી ગઈ હોવાની ચર્ચાઓ પણ સંભળાતી રહી છે.

સંતાનોનાં પિતા દ્વારા નવાગામની ૧૪ વર્ષની તરૂણી પર ત્રણ દૂષ્કર્મ



- રાજકોટ નજીકનાં નવાગામની ચોંકાવનારી ઘટના
- 'સેલ્ફી' બતાવી બદનામ કરી દેવાની ધમકી આપી ડરાવી, ધમકાવી હવસનો શિકાર બનાવી, આરોપીની ધરપકડ

શહેરની ભાગોળે નવાગામ આણંદપર ગામની રંગીલા સોસાયટીમાં રહેતાં ૨૯ વર્ષનાં અને ત્રણ સંતાનોનાં પિતા અરવિંદ હકાભાઈ બાલાણી નામનાં શખ્સે એક તરૂણીને બદનામ કરવાની બીક બતાવી તેની ઉપર અવારનવાર દૂષ્કર્મ ગુજાર્યાનો બ નાવ કુવાડવા પોલીસમાં જાહેર થયો છે. પોલીસે રેપ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ભોગ બ નનારની ઉપર માત્ર ૧૪ વર્ષ છે. તેણે પોલીસને કહ્યું કે આરોપીનાં ઘરે તેને તથા તેનાં પરિવારને અવાર જવર કરવાનો વહેવાર હતો આરોપી જયારે પણ તેનાં ઘરે આવતો ત્યારે તેની ઉપર નજર બગાડતો હતો.

પાંચેક માસ પહેલા આરોપીની પત્ની તેને ઈમિટેશનનું કામ કરવા પોતાનાં ઘરે તેડી ગઈ હતી. બાદમાં આરોપીની પત્ની કોઈ કામ અર્થે બહાર જતાં એકલા પડેલા આરોપીએ તેને હવસનો શિકાર બ નાવી હતી. એટલું જ નહીં તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઘટનાને કારણે તે ગભરાઈ જતાં ચાર પાંચ દિવસ તો ઘરની બહાર પણ નિકળી ન હતી.

આ ઘટનાનાં એકાદ માસ પછી આરોપી ફરીથી તેનાં ઘરે આવ્યો હતો. ત્યારે ઘરમાં કોઈ ન હતું. જેનો ગેરલાભ લઈ આરોપીએ સેલ્ફી બતાવી અન્યથા બધાને તે દેખાડી બદનામ કરી નાખવાની ધમકી આપી ફરીથી તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું.

આ પછી સાતેક દિવસ પછી ફરીથી તેનાં ઘરે આવી સીમકાર્ડ સહિતનો મોબાીલ આપ્યો હતો. જેની ઉપર તેની સાથે વાતચીત કરતો હતો. છેલ્લા એક માસમાં આરોપીએ તેને ડરાવી, ધમકાવી પોતાનાં ઘરે બોલાવી ચારથી પાંચ વખત બળજબરી કરી હતી.

ગઈ તા. ૮મીએ આરોપીએ તેને કોલ કરી મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી મોડીરાત્રે ઘરની બહાર બોલાવી નવાગામ ઢોરે લઈ જઈ ત્યાં હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ અત્યારે મારી પાસે રૂપિયા નથી.

પછી જમીન વેંચી તને ભગાડી જઈશ તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો તે ડરી જતાં તે દિવસે ઘરે પણ ગઈ ન હતી. અંતે ઘરે પહોંચી વાલીઓને આપવીતી જણાવતા ફરિયાદ નોંધાવાનો નિર્ણય લઈ આજે બપોરે કુવાડવા પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.ડી. ચંદ્રવાડીયા અને હિતેષ ગઢવીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરની પછાત વિસ્તારોની આંગણવાળીમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ શરૂ કરાયું  

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા  જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે. જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા માં આવી રહ્યો છે. 
 

ગરમ ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૪ વર્ષ થી રાજકોટ અને જામનગર ની ઝુપડપટ્ટી માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્‍ડ અને લેન્‍ડલાઇન ટેરિફ પ્‍લાનમાં ફેરફાર



ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્‍સ બ્રોડબેન્‍ડ ૨૪૯ પ્‍લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધામાં ઉમેરો કરી રૂ.૩૦૦ સુધીના કોલ્‍સ કોઇપણ નેટવર્ક પર ફ્રી આપવામાં આવશે.

બ્રોડબેંડની ૮ Mbps સુધીની સ્‍પીડ ૧૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળતી હતી તેમાં સુધારો કરીને દરરોજ ૮ Mbps સુધીની સ્‍પીડ ૧.૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૨૪૯થી વધારીને રૂ.૨૯૯ કરવામાં આવ્યું છે. માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી નવા જોડાનાર ગ્રાહકોને ૧૮૦ દિવસ સુધી માસિક ભાડામાં રૂ.૫૦નું કેશબેક આપવામાં આવશે.

ભારત સંચાર નિ.લિ. દ્વારા અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાન, રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાન અને LL 99 onnet પ્‍લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાનમાં અનુક્રમે રૂ.૨૪૦ અને રૂ.૨૦૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. રૂ.૨૪૦નું રૂ.૨૯૯ અને રૂ.૨૦૦નું રૂ.૨૪૯ ભાડું કરવામાં આવ્યું છે. રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાનમાં અનુક્રમે રૂ.૧૮૦ અને રૂ.૧૬૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. બંને પ્‍લાનું ભાડું વધારીને રૂ.૧૮૦ કરવામાં આવ્યું છે.
LL 99 onnet પ્‍લાનમાં ગ્રાહકોને દેશભરના બીએસએનએલ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલ્‍સની સુવિધા આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને રૂ.૧૦૦ સુધીના ફ્રી કોલ્સ અન્‍ય નેટવર્ક પર આપવામાં આવશે. આ સાથે આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૯૯ થી વધારીને રૂ.૧૨૯ કરવામાં આવે છે.

માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમલી છે. વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક પેમેન્ટ ઓપ્‍શનવાળા ગ્રાહકોને તેમના પેમેન્‍ટ મુજબની અવધિ પૂરી થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ થશે, વધુ વિગતો માટે ભારત સંચાર નિ.લિ.ની નજીકની કચેરીનો સંપર્ક કરી શકાશે. (માહિતી બ્યુરો - રાજકોટ)

ન્યાયતંત્રમાં દેર છે પણ અંધેર નથી... - રમેશભાઈ રામાણી


રાજકોટના જાણીતા એડવોકેટ રમેશભાઈ રામાણીના કહેવા મુજબ ભગવાન કે ઘર મેં દેર હૈ પર અંધેર નહી હૈ.. આ જાણીતી કહેવત કાયદો અને ન્યાયતંત્રમાં પણ લાગુ પડે છે. જયારે ન્યાય મેળવવામાં વિલંબ થાય ત્યારે લોકોએ થોડીક ધીરજ રાખીને ન્યાયતંત્ર ઉપર ચોક્કસ ભરોસો રાખવો જોઈએ

રમેશભાઈ રામાણી રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના વતની છે. તેમના કુટુંબનો મુળ વ્યવસાય ખેતી છે.  લેઉવા પટેલ સમાજમાંથી આવતા રમેશભાઈ રાજકોટમાં છેલ્લાં ૩૦ વર્ષથી સ્થાયી થયા છે. રમેશભાઈએ તેમના વતન જસદણ અને વીંછિયામાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટ ની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં બી.એ પૂર્ણ કરી અહીંનીજ એ. એમ. પી. લો કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરી એલ.એલ.બી., ડી.એલ.એલ.પી., ની ૧૯૯૮ માં ડિગ્રી મેળવી છે.
 

રમેશભાઈ છેલ્લા ૧૮ વર્ષથી  સિવિલ, રેવન્યુ અને ક્રિમિનલને લગતી પ્રેક્ટીસ કરે છે. તેમની કાર્યપધ્ધતિ તેમજ અનુભવને લીધે આજે  તેઓ ખુબજ મોટું મિત્રવર્તુળ - ક્લાયન્ટો તેમજ શુભેચ્છકો ધરાવે છે. રમેશભાઈને મળવા માટે રમેશભાઈ એચ. રામાણી (બી.એ, એલ.એલ.બી, ડી.એલ.એલ.પી) એડવોકેટ, (ગુજરાત હાઈકોર્ટ),  ૩૪૨ - એ,  ૩ જો માળ, જય ખોડીયાર કોમ્પ્લેક્ષ, બસ સ્ટેન્ડની સામે, રજપૂતપરા મેઈન રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ તેમજ મોબાઈલ ૯૩૭૫૭ ૨૦૭૪૧ / ૯૭૨૬૯ ૨૨૪૩૩ અને ઇમેઇલ rhramani.advocate@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.


જીવનભર પૈસા ન કમાનારા અને લોકોને મદદરૂપ થતા રહેલા અનોખા ડોક્ટરની પ્રેરક વાત


 - આશુ પટેલ

કોલકાતાના વતની એવા ડોક્ટર તપન કુમાર લાહિરી ઈંગ્લેન્ડમાં મેડિકલ ડિગ્રી લઈને પાછા ભારત આવ્યા એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટ તરીકે જોડાયા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન હજારો વ્યક્તિઓનાં હૃદયના ઓપરેશન્સ કર્યાં અને તેમની પાસે ભણીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા. ડોક્ટર લાહિરીને ૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું. જો કે તેમને પદ્મશ્રી નહીં, પણ પદ્મભૂષણ કે પદ્મવિભૂષણથી સન્માનિત કરાય તો પણ એ સન્માન ઓછું ગણાય. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું.

ડોક્ટર લાહિરી તેમની જિંદગીમાં હજારો દર્દીઓને મદદરૂપ બન્યા છે. આજના સમયમાં મોટા ભાગના ડો ક્ટરોનું ધ્યાન ચિક્કાર પૈસા કમાવા પર હોય છે ત્યારે ડોક્ટર લાહિરીએ પોતાની હોસ્પિટલ શરૂ કરીને બેંક બેલન્સ તગડું કરવાને બદલે દર્દીઓને મદદ કરવાનું લક્ષ્ય જ નજર સામે રાખ્યું. ડોક્ટર લાહિરી ૨૦૦૩માં નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમણે પોતાના માટે કાર પણ ન ખરીદી. તેઓ હંમેશાં ઘરેથી ચાલતા-ચાલતા બનારસ હિન્દુ યુનિવર્સિટી જતા હતા. નિવૃત્ત થયા પછી તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીને માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. તેઓ આજની તારીખે પણ ઘરેથી ચાલીને બનારસ હિન્દુ યુનિવર્સિટી જાય છે અને પ્રોફેસર તથા કાર્ડિયોલોજિસ્ટ તરીકે મફત સેવા આપે છે. અને એવું નથી કે તેઓ અમુક કલાક પૂરતા પોતાની સેવા આપવા જાય છે. તેઓ નોકરી પર હતા એ વખતે જેટલો સમય આપતા હતા એટલો જ સમય વર્તમાન સમયમાં પણ આપે છે. વાત અહીં પૂરી થતી નથી. તેમને પેન્શનની જે રકમ મળે છે એમાંથી તેઓ પોતાની મૂળભૂત જરૂરત પૂરતી રકમ પોતાની પાસે રાખે છે અને બાકીની રકમ બનારસ હિન્દુ યુનિવર્સિટીને આપી દે છે. તેમની જીવનશૈલી એકદમ સીધીસાદી છે એટલે તેમની આર્થિક જરૂરત પણ બહુ ઓછી છે. તેમની નોકરી દરમિયાન પણ તેમને જે વેતન મળતું હતું એમાંથી તેઓ ગરીબ દર્દીઓને આર્થિક સહાય કરતા રહ્યા હતા.

ડોક્ટર લાહિરી નિશ્ચિત સમય પર બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચી જાય છે. તેઓ સમયપાલનના એટલા આગ્રહી છે કે તેમના માટે એવું કહેવાય છે કે તેમને આવતા જોઈને લોકો પોતાની ઘડિયાળમાં સમય સેટ કરી શકે. તેમની ત્રીસ વર્ષની નોકરી દરમિયાન અને પંદર વર્ષની માનદ સેવા દરમિયાન તેમણે એક લાખથી વધુ દર્દીઓના હૃદયના ઓપરેશન્સ કર્યા છે. તેમણે પોતાની ખાનગી હોસ્પિટલ કરી હોત તો દેશના અન્ય અનેક કાર્ડિયોલોજિસ્ટ્સની જેમ તેઓ અબજો રૂપિયા કમાઈ શક્યા હોત, પણ તેઓ નોખી માટીના માનવી સાબિત થયા. ડોક્ટર ટી. કે. લાહિરી જેવા અનોખા માણસોનું જીવન સાર્થક સાબિત થતું હોય છે. પોતાના માટે તો બધા જ જીવતા હોય છે, બીજાઓ માટે જીવનારા લોકો બહુ ઓછા હોય છે. આવા પરોપકારી માણસો જીવનભર લોકોને સુખી કરતા રહેતા હોય છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર)