અનુયાયીઓ

મંગળવાર, 19 મે, 2015

જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર સાફ કરતુ પાલિકા તંત્ર

પ્રજા ફરિયાદને કારસામાં ખપાવતા જેતપુર પાલિકા પ્રમુખ !! 
વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર 
સાફ કરતુ પાલિકા તંત્ર
પાલિકા પ્રમુખ રમાબેન કહે છે કોઈ હિતશત્રુઓ જાણીજોઇને ભૂગર્ભ ગટર બુરવાના હીન પ્રયાસો કરે છે !
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.19
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરને કોઈ હિતશત્રુઓ જાણી જોઇને બુરવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરી આજે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા હોવાની ફરિયાદ બાદ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ તંત્રના માણસોને લઈને જેસીબી સાથે ફરિયાદવાળી જગ્યાએ દોડી ગયા હતા. 
જ્યાં ભૂગર્ભ ગટર ખોલીને તપાસ કરાતા ગટરમાંથી કચરો, ગાભા, અને પથ્થરો નીકળતા, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા હોવાનો પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા. પાલિકા પ્રમુખે એક લેખિત યાદીમાં એવું પણ જણાવેલ છે કે તેમને બદનામ-હેરાન કરવા કોઈ તત્વો ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જાય તે રીતે ગટરમાં ગાભાના ડુચ્ચા, પથ્થરો નાખી દે છે. પણ આ વાતની ખાનગી રાહે તપાસ કરાવી, ભૂગર્ભ ગટર બુરવા પ્રયાસો કરતા તત્વો પકડાશે તો કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે..
ફોટો : - કશ્યપ જોશી જેતપુર