અનુયાયીઓ

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી 
ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??
પ્રતિવર્ષે ફટાકડાની દુકાનોની બાઝાર ઉભી કરવા માંગ કરાય છે, પણ કઈ કરાતું નથી !!

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરમાં પ્રતિવર્ષે ફટાકડાની દુકાનો ભરચક વિસ્તારોમાં પણ શાકભાજીઓની રેકડીઓની માફક ખુલી જતી હોય, વેપારીઓ દ્વ્રારા સરેઆમ સરકારી નિયમોનો ભંગ થતો હોવાની શહેરીજનોના મૂંગા મોંએ ઉઠેલી ફરિયાદ સરકારી તંત્રોએ ધ્યાને લેવી જરૂરી છે.
મળતી વિગતો મુજબ એકદમ નેરો સીટી એવા જેતપુર શહેરમાં મોટાભાગની બઝારો ખુબ સાંકળી છે. આવી બઝારો અને શહેરના અમુક જાહેર માર્ગો પર દર વર્ષે સરકારી નિયમોને નેવે ચડાવી ફટાકડાની દુકાનો ખુલી જતી હોય, અહીના નાગરિકોમાં અસલામતીનો ભય ફેલાયો છે. સૌથી દુખની વાત એ છે કે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષે ફટાકડાની ખાસ અલાયદી જગ્યાએ માર્કેટ ઉભી કરવાની માંગ થઇ રહી છે. પણ કહેવાય છે જે સરકારી તંત્રોની આ બાબતે તકેદારી રાખવાની ફરજ છે તેઓ ભારોભાર આળસ દાખવતા હોય, જલ્દી કામાઈ લેવાની ગણત્રીઓમાં જીવતા વેપારીઓ પોતાની મનસુફી મુજબ ફટાકડાની દુકાનો ખોલીને પ્રજાની અસલામતી પેદા કરી રહ્યા છે. એટલુજ નહિ શહેરમાં અમુક સાંકડા રોડ રસ્તા પર બહાર સ્ટોલ ઉભા કરી આવા વેપારીઓ ટ્રાફિકની સમસ્યા પણ પેદા કરતા હોય, પોલીસ, મામલતદાર અને નગર પાલિકાએ પ્રજાની ફરિયાદ ધ્યાને લેવી જરૂરી હોવાનું જાગૃત માણસો કહે છે.
આ બાબતે જે હોય તે પણ સરકારી તંત્રો આ વર્ષે કોઈ કડક અમલવારી કરાવી ફટાકડાની દુકાનોની માર્કેટ શહેર થી અલગ સ્થાપે તે જરૂરી છે.

------------------------
જેતપુર તાલુકાના મોણપર ગામે ગેરકાયદે ધમધમતા 
સાડી ધોલાઈ ઘાટો દુર કરવા ઉપસરપંચની માંગ....
જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ગેરકાયદે ધમધમતા સાડી ધોલાઈઘાટો તાત્કાલિક તોડી પાડી ફેલાતા પાણી પ્રદુષણને હલ કરવા મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલે માંગ કરી છે.
જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ નિયંત્રણ કચેરી, ગાંધીનગર ખાતે રિજ્યોનલ ઓફિસર, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર તેમજ જેતપુરના મામલતદારને ઉદેશીને કરાયેલ લેખિત ફરિયાદમાં મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ ધાધલે જણાવ્યું છે કે, જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ચાલતા સાડી ધોલાઈ ઘાટો, પ્રોસેસ હાઉસોના ઝેરી પ્રદુષણ યુક્ત પાણીથી ભાદર નદીના પાણી પ્રદુષિત થઇ ગયા છે. આજુબાજુની જમીનોની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે, તો અબોલ પશુઓ અને જળચરો પણ સમયાંતરે પ્રદુષિત પાણીથી મોતને ભેટી રહ્યા છે. લોકોમાં કાયમી માંદગી ઘર કરી ગઈ છે. અરજદારે રજુઆતમાં એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આમને આમ પાણી પ્રદુષણ ફેલાવાનું ચાલુ રહેશે તો તેઓની આવનારી પેઢીના નશીબમાં બંજર જમીન સિવાય કશું હાથમાં નહિ આવે, પરિણામે ખેતી ભૂતકાળ બની જશે. 
પણ ગુજરાત હાઈકોર્ટના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૨૫૪/૨૦૦૯ ના ઓરલ ઓર્ડરનું ઉલંઘન થતું અટકાવાય તો પ્રદુષણ ફેલાતું અટકે તેવું રાજુઆતકર્તાનું કહેવું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 


અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો ૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો

૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં જેતપુર તાલુકાના અમરનગર ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે સદગુરુ દેવ શ્રી અન્નપુર્ણા માતાજીનો ૯૨ જન્મ દિવસ અસંખ્ય ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવસે સવારથી જ ભાવિકોએ મહાઆરતી, દર્શન અને બપોરે સામુહિક પ્રસાદનો લાભ લીધો હોવાનું આશ્રમના હંસાગીરી અન્નપુર્ણાગીરીએ જણાવ્યું હતું.

 

અમરનગરમાં આદર્શ ધૂન મંડળની સરાહના

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના અમરનગર ગામે છેલ્લા ૬ વર્ષથી કાર્યરત આદર્શ ધૂન મંડળ ગ્રામજનોમાં સરાહનાપાત્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વરસે પણ નવરાત્રી દરમિયાન ગામના દરેક પરિવારોના મઢમાં જઈને ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. ગરબીના ચોકમાં પણ આ ધૂન મંડળના સભ્યો અનન્ય રાગથી ગરબાઓ ગાઈને ભાવિકોને જકડી રાખ્યા હતા. આ મંડળ દ્વારા દર પૂનમે સત્સંગ, ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે, કોઈની પાસે ફંડ ફાળા મંગાતા નથી, હૈયે વસે તેવી અને તેટલી મળતી સખાવતોથી મંડળના મુખ્ય કાર્યકર દેવીદાસભાઈ સોલંકી, વિરજીભાઈ પરમાર, મુળુભાઈ ગોવાળિયા, ધીરુભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ ગુજરાતી, જયંતીભાઈ વેકરીયા તથા અલ્પેશ પરમાર વી. ખુશ હોવાનું ગામના સામાજિક આગેવાન બી.કે.જયસ્વાલ જણાવે છે.

 

 

જેતપુરના સ્ટેશનવાવડી ગામનું આકર્ષણ

જય ખોડિયાર ગરબી મંડળ

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાઓની ધૂમ મચાવી રહી છે. અહી રમાતા રાસ ગરબાથી ગ્રામજનો અને ભાવિકો ભારે ખુશ હોવાનું રોહિતભાઈ ગીરધરભાઈ ભટ્ટી જણાવે છે.

 

 

૨ રોડના કામોમાં ગેરરીતી અને ૧ રોડ બનાવાતો ના હોય, વિરોધ કરવા

આવતીકાલે  સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી આવતીકાલે ખજૂરી હડમતીયા ચોકડી રોડને કરશે ચક્કાજામ

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જુનાગઢ જીલ્લાના સંબંધિતોને અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં ભેસાણ પંથકના બે રોડકામની ગેરરીતીની તપાસ ના થતી હોય તેમજ એક રોડ મંજુર થયો હોવા છતાં તંત્ર દાદ આપતું ના હોવાની વાતના વિરોધમાં આવતીકાલ તા. ૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ જેટલા લોકોને સાથે રાખીને ખજૂરી હડમતીયા ચોકડી રોડ પર ચક્કાજામ કાર્યક્રમ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

મળતી વિગતો મુજબ  ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી અંગે લાગતા વળગતા સત્તાધીસોને સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ તા.૨૨-૨-૧૪, ૧૯-૫-૧૪, ૨૨-૭-૧૪, ૩૦-૧૦-૧૪ તથા ૧૫-૧૦-૨૦૧૫ નારોજ રજુઆતો કરી હોવા છતાં કોઈએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નથી.

 

ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા અનેક વખત રજુઆતો કરાઈ પણ સંબંધિત માર્ગ અને મકાન ખાતું મુક, બધીર અને સુરદાસની ભૂમિકા ભજવતું હોવાનો સરપંચનો આક્ષેપ છે.

 

તેમજ સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની  અવારનવાર રજુઆતો ધ્યાને લેવાતી ના હોય આ તમામ બાબતોએ ન્યાય મેળવવાની માંગ સાથે આજે તા.૨૨-૧૦. સુધીમાં સંબંધિતો કઈ ઘટતું નહિ કરે તો આવતીકાલ તા.૨૩.૧૦ ના રોજ સવારે, ૯-૦૦ કલાકે, ખજૂરી હડમતીયાની ચોકડી પર સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા ખજૂરી હડમતીયા, બરવાળા અને ઢોળવા એમ ત્રણ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારતી લેખિત રજૂઆત જુનાગઢ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર, જુનાગઢના કલેકટર, ભેસાણના મામલતદાર વિગેરેને કરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

ગોંડલના ચોરડી-શેમળા ગામો નજીક રાજકોટ હાઈવે પર ‘નીલગાય ઝોન’ના બોર્ડ મુકાયા !

જેતલસરના યુવા પત્રકારની રજુઆતને સફળતા

ગોંડલના ચોરડી-શેમળા ગામો નજીક રાજકોટ 

હાઈવે પર 'નીલગાય ઝોન'ના બોર્ડ મુકાયા !

જેતલસર તા. ૨૧ (કશ્યપ જોશી દ્વ્રારા)

ગોંડલના શેમળા અને ચોરડી નજીક નીલગાય ઝોન દર્શાવતા બોર્ડ મુકવાની જેતલસર(જેતપુર)ના યુવા પત્રકાર કશ્યપ જોશીની સંબંધિતોને કરાયેલી રજુઆતને સફળતા મળી છે.

જેતપુરથી રાજકોટ સુધીના ફોર લાઈન હાઈવેની કામગીરી દરમિયાન ગોંડલના શેમળા, ચોરડી, વીરપુર ગામો નજીક સીમ વિસ્તારને લીધે નીલગાય, રોઝની માહિતી દર્શાવતા ચેતવણીદર્શક બોર્ડ પુનઃ ના મુકાતા આ ગામોના રોડ પર રોજબરોજ નીલગાયના ધણ રોડ પર આવીને અકસ્માત સર્જતા હોવાની ઘટનાઓ બનતી હતી. આ વાતનો ભોગ જેતલસરના યુવાન કશ્યપ જોશી સહિતનો પરિવાર પણ બન્યો હતો.

બીજીબાજુ જેતપુરથી રાજકોટ પુરપાટ ઝડપે જતા અને આવતા નાના મોટા વાહનો કે બાઈક ચાલકોની સલામતી માટે ઉપરોક્ત ગામોના રોડ ઉપર નીલગાય-રોઝની ચેતવણી દર્શાવતા બોર્ડ પુનઃ ઉભા કરી અકસ્માતો બનતા અટકાવવા કશ્યપે સંબંધિતોને જાણ કરવા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાવ્યા હતા. આ અહેવાલો અને રજુઆતને સફળતા મળી હોય તેમ શેમળા, વીરપુર, ચોરડી નજીક રોડની બંને બાજુએ રાજકોટના વન ખાતે અકસ્માત સંભવ ક્ષેત્ર જાહેર કરી નીલગાય-રોઝ જેવા વન્ય પ્રાણીઓથી ચેતવણી દર્શાવતા બોર્ડ ઉભા કરતા આ વાતના જાણકારોમાં રાજીપો છવાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) ૯૯૭૪૨૬૨૮૧૨