ગુજરાત રેલવે પોલીસ ફોર્સની સરાહનીય કામગીરી : સાત પોલીસ કર્મીને બઢતી આપી ઉત્સાહ વધાર્યો
જેતલસર તા, 5 (કુલદિપ જોશી)
જેતલસર જંકશન ગુજરાત રેલવે પોલિસ ફોર્સમાં સાત પોલીસ કર્મીને આંતરિક બઢતી આપવામાં આવી હતી.જેમાં ઉપરી અધિકારી દ્વારા તેની સંપુર્ણ કામગીરીની તપાસ હાથ ધરતા સારી અને ગુણવત્તા યુક્ત લાગતા ભેટ સ્વરૂપે પોલીસ કર્મી ને બઢતી આપી તેની કામગીરીને વધાવી હતી.
જેતલસર જંકશન ગુજરાત રેલવે પોલિસ ફોર્સમાં સાત પોલીસ કર્મીને આંતરિક બઢતી આપવામાં આવી હતી.જેમાં ઉપરી અધિકારી દ્વારા તેની સંપુર્ણ કામગીરીની તપાસ હાથ ધરતા સારી અને ગુણવત્તા યુક્ત લાગતા ભેટ સ્વરૂપે પોલીસ કર્મી ને બઢતી આપી તેની કામગીરીને વધાવી હતી.
જેતલસર જં. ના ગુજરાત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.પી.જાડેજા ને તારીખ ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રિપોર્ટ મળ્યો હતો જેમાં સાત જેટલા પોલીસ કર્મીની બઢતીનો ઓર્ડર મળ્યો હતો. જેમાં ફરજ માટે તલપાપડ થતા રઘુવીરસિંહ આર આરસીભાઈ, કનકસિંહ ઘનશ્યામસિંહ, વાલબાઈ બાવકુભાઈ ,પ્રવીણભાઈ અરવિંદભાઈ ,પરેશભાઇ ગોવિંદભાઇ ,ભરતભાઈ કરસનભાઈ , અને જુમાભાઈ આમજ ભાઈ એ બઢતી પત્ર સ્વીકારી પોતાની કામગીરીની શરૂઆત હોંશભેર કરી દીધી છે જેમાં તેના સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
