અનુયાયીઓ

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત..

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો 
ગળાફાંસો ખાઈ આપઘાત..
જેતપુર તા.૧
જેતપુરની શાળામાં ભણતા અને તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા એક વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની ઘટનાથી નાનકડા એવા ગામમાં શોક વ્યાપ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા અને જેતપુરની શ્રીજી સ્કુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા જગદીશ કિશોર સાકરિયા ઉ.વ.૧૮ નામના વિદ્યાર્થીએ પોતાના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા, લાગી આવતા પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેતપુર તાલુકા પોલીસના જણાવ્યા ખેતીકામ કરતા કિશોરભાઈ ભીખુભાઈ સાકરીયાને ૨ સંતાનમાં એક જગદીશ મોટો અને એક ૧૫ વર્ષની પુત્રી છે. એકના એક ભાઈના આવા પગલાથી મૃતકની બહેન અને પરિવારજનોના વિલાપે ઉપસ્થીતોની આખો ભીની કરી દીધી હતી. જેતપુર તાલુકા પોલીસે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

અમરનગરમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો

અમરનગરમાં કેન્સર

નિદાન કેમ્પ યોજાયો

જેતપુર તા.૧

જેતપુર તાલુકાના અમરનગર ગામના આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં રાજકોટ કેન્સર સોસાઈટી દ્વારા મુખ્ય મંત્રી અમૃત્તમ યોજના અને મુખ્ય મંત્રી વાત્સલ્ય યોજના હેઠળ કેન્સર નિંદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનગરના મેડીકલ ઓફિસર ડો.હેપ્પી અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને ડો.સવાણીના હસ્તે ઉદ્ઘાટિત થયેલ આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓનું નિદાનની સેવા ડો.ડી.કે.પીપળિયાની મળી હોવાનું ગામના સરપંચ જગદીશભાઈ અને આરોગ્ય કેન્દ્રના વાસુદેવભાઈ શીલુએ જણાવ્યું હતું.

                                        ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

“સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે” કહીને... જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

"સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે" કહીને...

જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી

રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

પેટીયું રળવા મજુરી કરી બેંકમાં પૈસા રાખ્યા હતા.પણ હિન્દીભાષી ગઠિયાઓએ  ભોળવીને પૈસા સેરવી લીધા ! બેંકવાળા સતોષકારક જવાબ ના આપતા હોવાની પોલીસમાં રાવ......

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના એક મુસ્લિમ આધેડને ફોન ઉપર ભોળવીને પરપ્રાંતીય શખ્શોએ તેમના જેતપુર સ્થિત બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લઇ છેત્તરપીંડી કરી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ખીરસરા રોડ પર રહેતા અને મજુરી કરતા હનીફભાઈ ઈસ્માઈલભાઈ શાહમદાર ગત ૨૭-૧-૧૬ ના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા હિન્દીભાસી યુવાનનો કોલ આવ્યો હતો કે "સાબ આપકા એટીએમ કાર્ડ લોક હો ગયા હૈ, પ્લીઝ આપકા એટીએમ કાર્ડ નંબર ઔર પાસવર્ડ દીજિયે, શુરુ કર દેતા હું" આવા સમયે જો એટીએમ કાર્ડ બંધ થઇ જાય તો ધંધે લાગી જઈએ તેવું મનોમન વિચારી હનીફભાઈએ હિન્દીભાષી યુવાનને તેમના એટીએમ કાર્ડ નંબર અને પાસવર્ડ આપી દીધા હતા.

દરમિયાન પાંચ જ મીનીટમાં હિન્દીભાસી શકશે એકવાર રૂપિયા ૯૦૦૦ અને બે વાર રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ ઉપાડી લીધાના મેસેજ મળતા આ મુસ્લિમ આધેડ મૂંઝાયા હતા. બીજીબાજુ તેમને અહીના લાદી રોડ સ્થિત ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં તપાસ કરતા રૂપિયા ૧૮૦૦૦ ઉપડી ગયાનું અને આ બાબતે બેંકસુત્રોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા હનીફભાઈએ આ વાતની જેતપુર શહેર પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસેને લેખિત ફરિયાદ કરી છે. અમુક બેંકસુત્રોએ જણાવેલ કે હિન્દુસ્તાનની કોઈ પણ બેન્કમાંથી એટીએમ કાર્ડ લોક થઇ ગયું તેવો કોઈ દિવસ કોઈ ગ્રાહકને ફોન નથી કરાતો. એક વખત જે તે બેન્કમાંથી એટીએમ કાર્ડ ગ્રાહકને સોંપાઈ કે અપાઈ ગયા પછી એટીએમના નંબર અને પાસવર્ડ સુરક્ષીત રાખવા જે તે ગ્રાહકની જવાબદારી છે. જયારે બેન્કિંગ કામકાજ સાથે સંકળાયેલા અમુક આગેવાનાઓ જણાવે છે કે, હિન્દુસ્તાનમાંથી ગમે તે જગ્યાએથી કોઈ પણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વહેવાર થાય એટલે સંબંધિત બેન્કને સો ટકા ખબર પડી જાય કે ક્યાંથી પૈસા ઉપડયા ? પણ કામગીરીઓના ભારણમાં કે આળસ નીચે દબાયેલા બેન્ક્સુત્રો આવી રીતે ઘણી વખત છેતરાયેલા ગ્રાહકો સાથે મનસ્વી-ઉડાઉ વર્તન કરતા હોય ઉપરી બેંકસુત્રોએ કોઈ કડક અમલવારી કરાવવી જોઈએ !

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર