અનુયાયીઓ

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત..

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો 
ગળાફાંસો ખાઈ આપઘાત..
જેતપુર તા.૧
જેતપુરની શાળામાં ભણતા અને તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા એક વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની ઘટનાથી નાનકડા એવા ગામમાં શોક વ્યાપ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા અને જેતપુરની શ્રીજી સ્કુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા જગદીશ કિશોર સાકરિયા ઉ.વ.૧૮ નામના વિદ્યાર્થીએ પોતાના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા, લાગી આવતા પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેતપુર તાલુકા પોલીસના જણાવ્યા ખેતીકામ કરતા કિશોરભાઈ ભીખુભાઈ સાકરીયાને ૨ સંતાનમાં એક જગદીશ મોટો અને એક ૧૫ વર્ષની પુત્રી છે. એકના એક ભાઈના આવા પગલાથી મૃતકની બહેન અને પરિવારજનોના વિલાપે ઉપસ્થીતોની આખો ભીની કરી દીધી હતી. જેતપુર તાલુકા પોલીસે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: