અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2018

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

જેતપુર તાલુકા વિસ્તારમાં અપહરણ કરી લાખોનો જીરૂ ભરેલ ટ્રક લુંટી લેવાના બનાવનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા જેતપુર તાલુકા પોલીસ

ગઇ તા. ૧૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે રાજેશભાઇ રવજીભાઇ ટાંક પોતાના ટ્રકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી  194 ગુણી જીરું કિંમત…રૂ. ૧૪,૫૦.૦૦૦/ના લઇ જુનાગઢ જતા હતા તે દરમ્યાન જેતલસર ચોકડી પાસે છ અજાણ્યા ઇસમોએ આ રાજેશલાઇ ટાંકનું અપહરણ કરી તેની પાસેનો ટ્રક નં, GQA-5787 નો જીરૂ ભરેલ ટ્રક લુટી લઇ પિસ્તોલ જેવુ હથીયાર બતાવી નાશી છુટ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ આ અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાએ એલ.સી.બી. રટાક સાથે તથા જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ એચ.એ.જાડેજાએ તેઓના સ્ટાફને સાથે આ ગુનો શોધી કાઢવા કવાયતમાં હતા.


દરમ્યાન આજે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પી, જાડેજાને, જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસેથી જીરૂ ભરેલ ટ્રકનીં લુટ થયેલ તે જીરૂ ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં રહેતા ફારૂક અબ્દુલ સુમરાની વાડીએ ફારૂક સુમરા તથા વસીમ સલીમ સુમરા  (રહે આંબલીયા ગામ તા. જુનાગઢ) તથા ઇમરાન જુસબ ખફી (રહે મસીતિયા તા, જામનગર)વાળાઓ લુ'ટેલ જીરૂના બાચકાઓ સગેવગે કરવાની વેંતરણમાં છે.

આવી બાતમીના આધારે એલસીબી તથા જેતપુર તાલુકા સ્ટાફે  ઉપલેટા તાલુકાના પડવલા ગામની સીમમાં ખાબકતા ત્યાં ફારૂક સુમરાની વાડીમાં  વસીમ સલીમ તથા ઇમરાન જુસબ એમ બંને શખ્સો 11700 કિલો જીરું રૂપિયા 14.50 લાખની કિમતનું સાથે ઝડપાઇ ગયા હતા.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી ના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા,  ફોજદાર બી.એન.ચૌધરી, જેતપુર તાલુકા પોસ્ટે.ના પીએસઆઈ હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ જે.વી.વાઢિયા, એલ.સી.બી. સ્ટાફના મહમદ રકીક હબીબભાઇ, મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, રસિકભાઈ જમોડ, ભાવેશભાઇ મકવાણા, અમુભાઈ વીરડા, રાયધાનભાઈ ડાંગર, વિનયભાઇ રાજપૂત, નરેન્દ્રભાઇ દવે, જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. ગૌત્તમભાઈ ત્રીવેદી, જમાદાર ભુરાભાઈ માલીવાડ, મહિપાલસિંહ ચુડાસમા, મુસ્તાકભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, અનીલભાઇ, દિનેશભાઇ, નિલેશભાઈ, પંકજસિંહ જાડેજા વિગેરે રોકાયા હતા.