અનુયાયીઓ

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો 
રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા 
જેતપુર તા.22
જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈએ દરોડો પાડી  4 ને રોકડ રકમ રૂપિયા 8120/- સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાને બાતમી મળતા તેઓની સુચનાથી જમાદાર મજનુભાઇ મનાતે જુગાર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મનુ ભૂરા ગઢવી, હરસુખ વલ્લભ સગર તથા લાભુબેન શામજીભાઈ મોરી(રહે.ત્રણેય લુણાગરી) તથા કનું બચું મકવાણા(રહે.પાંચ પીપળા) એમ ચારેયને રોકડ રકમ 8120/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

હિતેશ સાવલિયા જેતપુર 9898848584

જેતલસર પંથકમાં અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા

રૂપાવટીના  યુવાને જન્મ દિવશે ગૌસેવા બતાવી 
જેતલસર પંથકમાં  અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા 
જેતલસર તા.22
જેતલસર અને પંથકના ગામોમાં અનેકવિધ રીતે હાથ ધરાઈ રહેલી ગૌસેવા સૌમાં સરાહનીય બની છે.
આ બાબતે એવી વિગતો મળી કે કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સદસ્ય અને ગૌ સેવા પ્રેમી ભાવેશ બાલધાએ તાજેતરમાં પોતાના જન્મ દિવશે અન્યોનું અનુકરણ કરવાને બદલે મોજશોખ પાછળ ખર્ચાનારી પાંચ હજાર જેવી  રકમની નીરણ, ચારો, ખોળ ખરીદી ગામની ગાયોને ખવડાવી ગૌસેવા બતાવી અન્યોને રાહ ચીંધ્યો હતો. ભાવેશે પોતાની ધાર્મિક લાગણી બતાવતા કહેલ કે આખું  વર્ષ થોડા પૈસા બચાવો અને પ્રતિ વર્ષ જન્મ દિવશે આ રકમથી ગૌસેવા કરવાનું સૌ ચાલુ કરે તો જીવન ધન્ય થઇ જાય.

ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર 99742 62812


જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત

 પંચાયત તંત્ર પાણીનો નિકાલ કરાવે તે જરૂરી 
જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત 
ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત 
જેતલસર તા.22
જેતલસરના ગાયત્રીનગરમાં એક જગ્યાએ ગંદકીયુકત પાણીના ભરાયેલા ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે.
આ બાબતે પેઇન્ટર  અર્જુન  થાપલીયા સહિતના લોકોની ફરિયાદ છે કે જેતલસરમાં ડેડરવા રોડ પર આવેલ ગાયત્રીનગરમાં છેવાડાના  ભાગે આખા લત્તાનું ગંદકીયુક્ત પાણી જમા થતું હોય, આ ભયંકર બેસુમાર દુર્ગંધ ફેલાવતા ખાબોચિયાથી આજુબાજુના રહીશોને ભારે યાતના ભોગવવી પડે છે. આ બાબતે પંચાયત તંત્રને અવારનવાર ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ના થતી હોવાનો લાત્તાવાસીઓનો આક્ષેપ છે.
 ત્યારે ખરાબ પાણીના ભરાવાથી સર્જાયેલ ગંદકીયુકત ખાબોચિયાને તાકીદે બુરાવી પંચાયતસુત્રો  પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી ફેલાતા રોગચાળાને અટકાવે તેવી અર્જુન થાપલીયા સહિતના લોકોની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 99742 62812

અવસાન નોંધ.....22-2-2015 KASHYAP JOSHI JETALSAR JETPUR - 99742 62812

અવસાન નોંધ.....
જેતપુર : મૂળ જેતલસર હાલ  જેતપુર નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ચંદુલાલ પ્રભાશંકરભાઈ પંડ્યાના પુત્રવધુ પુનમબેન(ઉ.વ.40) તે પરેશભાઈ પંડ્યાના પત્ની, મનીષભાઈ  તથા ડો.ધર્મેશ પંડ્યા(બોસમીયા કોલેજ)ના ભાભી તા.21 નારોજ અવસાન પામ્યા છે.બેસણું તા.23 ને સોમવારે, સાંજે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન રાજેશ્વરી સોસાઈટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : જામનગર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.જયંતીલાલ લાભશંકરભાઈ દવેની પુત્રી ચેતનાબેન(પુનમબેન)પરેશભાઈ પંડ્યા(જેતપુર -ઉ.વ.40) તે યોગેશભાઈ, દિનેશભાઈ( જીલ્લા પંચાયત) અને ચંદ્રેશભાઈના બહેન તેમજ સ્વ.યજ્ઞેશ્વરભાઈ, મહેશભાઈ મહેશભાઈ તથા મુકુન્દભાઈ દવેની ભત્રીજીનું તા.22 ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.26 ને ગુરુવારે, સાંજે 5 થી 6, દુઃખ ભંજન મહાદેવ મંદિર, ઇન્દિરા ઇન્દિરા સોસાઈટી મેઈન રોડ, નવાગામ(ઘેડ), જામનગર મુકામે રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : માખાવડ(તા.લોધિકા) નિવાસી  રવજીભાઈ  અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ અને ભરતભાઈના માતા તા.20 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. 23 ને સોમવારે, તેમના નિવાસસ્થાન, માખાવડ ગામ ખાતે બપોરે 3-30 થી 5-30 રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જે. જોશી  જેતલસર-જેતપુર 99742 62812