અનુયાયીઓ

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર 
જેતપુર તા.7
જેતપુરની એક કુંભાર મહિલાએ અગ્મ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતમાં જેતપુર થી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે.
મળતી વિગતો મુજબ અહીના ધોરાજી રોડ પર નકલંક આશ્રમ પાસે રહેતી ઉષાબેન વિપુલભાઈ લાડવા જાતે કુંભાર નામની 24 વર્ષની પરિણીતાએ કોઈ અગ્મ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. તપાસનીસ ફોજદાર એસ.બી.જાડેજાએ જણાવેલ કે ઉષાબેનને એક ચાર વર્ષનો પુત્ર છે. તેમણે  શા માટે આવું પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

મિત્રએ આપેલ ચોરાઉ બાઈક સાથે યુવાન પકડાયો 
જેતપુર તા.7
ગોંડલનો એક યુવાન ચોરાઉ બાઈક સાથે નીકળનાર હોવાની બાતમી પરથી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોંડલના એક યુવાનને પકડી પાડી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે બપોરે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણ પંપાણિયા, કાળુભાઈ ડાંગર, નીલેશ ગોહિલ વેગેરેએ બાતમીના આધારે ગોમટા ચોકડી પર વોચ રાખી બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક બાઈક સાથે નીકળેલ યુવાનને રોકી તેની આકરી પૂછપરછ કરતા યુવાન પોતે અંકિત દિનેશભાઈ નાગલા રહેવાસી ગોંડલનો હોવાનું તેમજ તેમની પાસેનું બાઈક મિત્ર મૃદુરાજ્સિંહ ઉર્ફે રાજા ઘનશ્યામસિંહ ચુડાસમા રહે. ગોંડલવાળાએ આપ્યું હોવાનું કબુલતા એલસીબીના ભુરાભાઈ વિગેરી અંકિતને પકડી પાડી પૂછપરછ્નો દૌર શરુ કર્યો છે.

પ્રેમગઢની ભીલ પરિણીતા ગુમ થયાની પોલીસમાં રાવ
જેતપુર તા.7
મૂળ મધ્યપ્રદેશ, હાલ જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના રવજીભાઈ મનજીભાઈ મકાનમાં રહેતા કુસુમભાઈ કાગુભાઈ વાસુમીયા-ભીલ ના પત્ની રમાબેન ગઈ તા.29-7-2015 ના રોજ ઘરેથી શંકાસ્પદ હાલતમાં ગુમ થયાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરાતા એએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

 

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં

પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર  ખાતે અર્પણ કરવામાં આવેલ.

પ્રસંગે  જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન  મકવાણા પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયાપ્રમુખ, પ્રમોદ  ત્રાડાસદસ્ય,  જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા,  જે. એમ. ભોરણીયામામલતદાર, જેતપુર,  બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડાટી.ડી.., જેતપુર,  નિખિલ મહેતાસર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ
જેતપુર તા.7
જેતપુરના કણકિયા પ્લોટમાં મેડીકલ ધરાવતો એક આશાસ્પદ પટેલ યુવાન છેલ્લા 3 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ થયાની શહેર પોલીસ દફતરે જાણ કરાઈ છે. 
મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદ ગામનો અને હાલ મેડીકલ સ્ટોરના વ્યવસાયથી જેતપુર સ્થાયી થયેલ સુધીર હંસરાજભાઈ રામાણી (ઉ.વ.28) ગઈ તા.5-8-2015 થી કોઈને કહ્યા વગર જેતપુરથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યાની શહેર પોલીસ દફતરે જાણ કરાતા પોલીસ જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયેલ વિગતોમાં સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણી તથા કાકા ગોરધનભાઈ રામાણીએ જણાવ્યું છે કે  સુધીર પોતાના બજાજ ડીસ્કવર GJ  03 5633 સાથે ગુમ થયો છે, ખીલતો ઉજળો વાન અને સિંગલ બોડી ધરાવે છે. જે કોઈને ભાળ મળે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો 02823-220033 અથવા ગુમસુધ્ધા યુવાન સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણીનો મો.9879996656 ઉપર સંપર્ક સાધવા પોલિસનો અનુરોધ છે.
(આ સાથે સુધીરનો ફોટો પણ મોકલેલ છે)


જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો 
રોકડ 18 હજાર સાથે 5 ઇસમો પકડાયા
જેતપુર તા.7
બાતમીના આધારે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ગોહિલ અને જમાદાર મજનુંભાઈએ ગત રાત્રીના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો પાડતા 5 શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા 18440/- સાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલામાં 3 ગુંદાલાના કાનજી હમીર ડાભી, હરસુખ જીવણ કાચા, તથા ભીમા જેઠા, મુસ્તાક ઇકબાલ (જેતલસર જંકશન) તથા આરીફ ગફાર(જેતપુર)નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે. 

અકસ્માતે દાઝેલી નવાગઢની યુવતીનું મોત
જેતપુર તા.7
ગઈકાલે  જેતપુરના નવાગઢ વિસ્તારમાં અકસ્માતે દાઝી ગયેલી એક વણકર પરણીતાનું આજે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર શહેર પોલીસમાં જાહેર કરાયું છે.
મળતી વિગતો મુજબ અહીના નવાગઢ વિસ્તારના વણકર વાસમાં રહેતી જયાબેન અશ્વિનભાઈ બગડા (ઉ.વ.22) ગઈકાલે પ્રાઈમસ પર ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા પ્રાથમિક સારવાર સરકારી હોસ્પીટલમાં આપીને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દમિયાન જયાબેનનું મોત થયું હોવાનું પોલીસ જણાવે છે. છ માસનો લગ્ન ગાળો ધરાવતી જયાબેન મગજ સંતુલન અવારનવાર ગુમાવી દેતી હોય, દાઝી જવાનો બનાવ બન્યો હોવાનું પાઈ વી.એમ.ગોહિલે જણાવ્યું હતું.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812






કશ્યપ જોશી જેતલસર જેતપુર