અનુયાયીઓ

ગુરુવાર, 26 એપ્રિલ, 2012

ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી

નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનુંAA સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા
1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા
મુખ્યમંત્રીશ્રી
વિશ્વમાં સૌ પ્રથમ પહેલ
ભારત માટે પથદર્શક
ચંદ્રાસણમાં નિરંતર સૂર્યોદય

કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને
રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮
કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું
ગુજરાતનું સપનું પાર પાડયું છે.
કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં
માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ
ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો
નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ
ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ
છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે
ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ
વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર
કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ
યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર
બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન
થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી
ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ
ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે
તે ભારતને ગૌરવ અપાવે છે.
ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય
ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી
નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં
લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર
સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ
અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી
હતી.
સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ
પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા
ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી
વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ
તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર
જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે.
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની
ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા
દરે વીજળી મળતી થશે.
આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને
આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત
વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ
વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં
રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન
કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી
અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર
પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન
અપાવ્યું છે.
તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી
તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર
પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે.
શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં
મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા
કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ
વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર
કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત
વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ
વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય
સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર
સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર
નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ
શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન

નરેન્દ્રભાઇ મોદી
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ
પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ
શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના
અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી
જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.
""મારું કામ છે સદ્ભારવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ
ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ
રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની
પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ -
દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં
ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને
વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું
ઉદ્ધાસટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું
સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત
આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી
રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને
""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ
વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે
જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ
કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી
સમાજની સદ્ભાતવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે
સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ
યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું
શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ
ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા
યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે,
ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ
રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને
સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ
દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક
બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો
બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત
માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે
તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે
મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા
થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો
તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા
વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે
સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર
પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે
સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા
જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી,
ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો
હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું.
આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ
પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ,
શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર
વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર
દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના
અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 26 Apr 2012 23:14:38 +0800 (SGT)
Subject: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃ૨૦૧૨
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન
માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો

રાજકોટ તા.૨૬ એપ્રિલઃ- રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ અને
વાલીઓને ધો.૧૦, ઘો.૧૨, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની
માહિતી મળી રહે તે માટે પ્રતિ વર્ષ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનું
પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કારકિર્દી માર્ગદર્શન
વિશેષાંકઃ૨૦૧૨નું પ્રકાશન કરવામાં આવેલ છે. આજના સ્પકર્ધાત્મ્ક યુગમાં
યુવાનો પોતાની યોગ્યતા,
અભિરૂચી, શકિતઓ અને વ્ય્કિતત્વના લક્ષણો સાથે પોતાને પૂર્ણ રીતે
સ્વા્વલંબન આપી શકે તેવા વ્યવસાય કે સેવાની પસંદગી કરે છે તે અત્યંત
જરુરી છે. વિશ્વ સ્તરે આજે ઉજ્જવળ કારકિર્દીના અનેકવિધ ક્ષેત્રો ખુલ્યાં
છે. કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય સમાયેલ છે. આ તબક્કે
ગુજરાત રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ પથદર્શન માટે
ઉપયોગી બની રહેશે. આ
અંકમાં તજજ્ઞો / લેખકો દ્વારા લખવામાં આવેલ ઘો.૧૦ તથા ઘો.૧૨ પછી મળતા
જુદા જુદા અભ્યાસક્રમોના ૩૯ જેટલા માર્ગદર્શક ખાસ લેખોનો સમાવેશ કરવામાં
આવેલ છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ની છુટક વેચાણ કિંમત રૂ.
૨૦ છે. જે જિલ્લા્માં માહિતી કચેરી અને પુસ્તક વિક્રેતાઓ પાસેથી વેચાણથી
મળી શકશે. તેમ સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારની યાદીમાં જણાવાયું
છે.

"જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી

-Payal patel

Blog post added by Vshah:
એક વાર ગામના એક જુવાને વેપારધંધા અંગે કાયમી દિલ્હી રહેવાનું થયું એટલે
આગલે દિવસે એ કરસનકાકા પાસે આશીર્વાદ લેવા આવ્યો. કાકાએ કહ્યું,
'બેટા,...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132078&xgs=1&xg_source=msg_share_post

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ભસ્મ ધારણનો સિદ્ધાંત

Posted: 25 Apr 2012 10:54 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Lpdp21s-aWQ/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ ભસ્મ ધારણનો સિદ્ધાંત મિત્રો ! સારા માણસનું જીવન જીવતા આ૫ણને ક્યાં આવડે
છે ? જો આ૫ણને એ આવડતું હોત તો શંકરજીની ભસ્મ ધારણ કરવાની વાત આ૫ણને સમજાય ગઈ
હોત. આ૫ણું આ [...]

///////////////////////////////////////////
પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો.

Posted: 25 Apr 2012 10:52 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/llV41c7wmoc/?utm_source=feedburner&utm_medium=email

પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો. આ૫ તેનો સારો ખોટો ઉ૫યોગ કરી લીધો, એ જ
આ૫ના માટે પૂરતું હતું. આ વાત સિકંદરને સમજાય ગઈ અને જ્યારે તે મરવાનો થયો, તો
તેને [...]