અનુયાયીઓ

શનિવાર, 25 જુલાઈ, 2015

અવસાન નોંધ : 25-7-2015 જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ દુર્ગેશભાઈના પિતાનું અવસાન

અવસાન નોંધ : 25-7-2015
જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ 
દુર્ગેશભાઈના પિતાનું અવસાન 

જેતપુર : વાસુદેવભાઈ રેવાચંદભાઈ મંગલાણી(ઉ.વ.79) તે રામદેવભાઈ તથા દુર્ગેશભાઈ(સરકારી એમ્બ્યુલન્સ 108 ના પાયલોટ)ના પિતા તેમજ મુલચંદભાઈ(વિશ્વામિત્ર વાળા) અને વિષ્ણુભાઈના મોટાભાઈ તા.25 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.27 ને સોમવારે, સાંજે 4 થી 6, સંત કંવરરામ મંદિર, લાદી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812





અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ

અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ 
જેતપુર તા.25
જેતપુર તાલુકાના અમરનગર ગામે આવતીકાલ તા.27.7.2015 ને સોમવારના રોજ  હ.લાડ્માઈમાં દરગાહ શરીફ ખાતે જશ્ને ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે સંદલ શરીફ, સાંજે 4 કલાકે મિલાદ શરીફ તથા સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ન્યાઝ તકસીમ કરવામાં આવનાર હોય, જેતપુર શહેર તેમજ તાલુકાના ગામોમાં વસતા મુસ્લિમબિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

 જેતપુર તા.રપ : જેતપુરમાં કોંગ્રેસ  આજે તા.ર૬ને રવિવારે સવારે ૯ વાગ્યે સશકિતકરણ મહાસંમેલન  અહીના ખાખીમઢી હનુમાનજી મંદિર ખાતે   યોજાશે.
   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્‍યક્ષ સાથે યોજાનાર આ સંમેલનમાં દીપ પ્રાગટ્ય વિધિ સિધ્‍ધાર્થ પટેલના હસ્તે થશે.
ધારાસભ્‍ય રાઘવજી પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જાવેદ પીરજાદા, તેજશ્રીબેન પટેલ, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, ભોળા પટેલ, હર્ષદ રીબડીયા, પુવ સાંસદ કુંવરજી બાવળીયા, રાજકોટ જીલ્લા કોંગી પ્રમુખ દિનેશ ચોવટીયા હાજર રહેનાર હોય,  આ સંમેલનમાં  ખેડુતો , વેપારીઓને હાજર રહેવા રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને જેતપુરના જાણીતા દાનવીર જગદીશભાઇ પાંભરે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

  કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર