અનુયાયીઓ

મંગળવાર, 10 એપ્રિલ, 2018

સૌથી વ્યસ્ત એરપોર્ટના લિસ્ટમાં ભારતનું એરપોર્ટ 16મા સ્થાને



ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(IGI)થી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે તેને દુનિયાના ટોપ 20 વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં જગ્યા મળી છે. યાત્રીઓની સંખ્યાના મામલામાં તેણે ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પાછળ છોડી દીધું છે. એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ(ACI)ની 2017ના રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં ભારતનું IGI 16મા સ્થાને છે. કાઉન્સીલના કહેવા પ્રમાણે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ એ એરપોર્ટમાં સામેલ છે જેમાં ગયા વર્ષની સરખામણીએ યાત્રીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.

ACI દુનિયાના એરપોર્ટનો વ્યાપાર સંઘ છે, જેણે વર્ષ 2017મા દુનિયાભરના 1202 એરપોર્ટના ડેટાને ભેગા કર્યા હતા, જેમાં ભારત અને ચીનમાં સતત પેસેન્જર ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે. ACIએ કહ્યું છે કે, જે રીતે ઓછા સમયમાં ભારતમાં ઉડ્ડયન માર્કેટ વધી રહ્યું છે તેના પરથી નક્કી છે કે આવનારા વર્ષોમાં તે દુનિયાનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે.

ACIએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પેસેન્જર ટ્રાફિકના મામલે ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે. ACI એરપોર્ટ 2016મા 22મા સ્થાન પર હતું, જે 6 ક્રમ આગળ જઈને 16મા ક્રમે પહોંચ્યું છે. પેસેન્જર ટ્રાફિકના મામલે દિલ્હી દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં દર વર્ષે 14.1%થી યાત્રીઓની સંખ્યા વધી રહી છે.

ગતવર્ષના ધો.12ના નાપાસ થયેલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટીકીટ કાલે વિત૨ણ થશે


ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષ્ાણ બોર્ડ, ગાંધીનગ૨ની અખબા૨ યાદીમાં જણાવે છે કે, ઉ.મા.પ્ર. પ૨ીક્ષ્ાા વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટ૨ -૧ થી ૪ ની પ૨ીક્ષ્ાાના તમામ વિષ્ાયોમાં ઉપસ્થિત ૨હ્યા બાદ અનુતીર્ણ (એન.આઈ.) થયેલ તથા જુલાઈ ૨૦૧૭ અને તે પહેલાની જુલાઈ પૂ૨ક પ૨ીક્ષ્ાામાં અનુતીર્ણ (એન.આઈ.) થયેલ ઉમેદવા૨ોની ખાસ પ૨ીક્ષ્ાા એપ્રિલ-૨૦૧૮ ની હોલ-ટીકીટ વિત૨ણ જિલ્લાના વિત૨ણ સ્થળે તા.૧૨/૦૪/૨૦૧૮ ના ૨ોજ સવા૨ે ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાક દ૨મ્યાન વિત૨ણ થના૨ છે. તો ૨ાજયની ઉ.મા.શાળાના આચાયર્ર્ઓએ પોતાની શાળાની હોલ-ટીકીટ મુખત્યા૨ પત્ર ૨જુ ક૨ી મેળવી લેવાની ૨હેશે. નિયત ક૨ેલ વિત૨ણ કેન્ોની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપ૨ મૂક્વામાં આવેલ છે.

બ્રહ્મદેવ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નીમીતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજકોટ તા.9
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
 ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !
આટકોટ પોલીસે ૭ શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી તમામની ધરપકડ માટે શરુ કરી કવાયત 
રાજકોટ તા.૧૦ 
આટકોટ ગામની સીમમાં ગઈકાલે એક ભરવાડ પ્રૌઢ પર સાત શખ્શોએ જૂની બોલાચાલીનો ખાર રાખી હિચકારો હુમલો કરી, બેય હાથ અને બેય પગ ભાંગી નાખતા પ્રોઢને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગુંદાળા જામ ગામે  રહેતા હમીરભાઈ ચોથાભાઇ ઝાપડા નામના ૫૦ વર્ષીય ભરવાડ પ્રોઢ ગઈકાલે આટકોટ ગામની સીમમાં જેશાભાઈ હિરપરાના ખેતરમાં હતા ત્યારે ગુંદાળાના ૭ સખ્શોએ ઇકો કારમાં ઘસી આવી 
ધોકા વડે આડેધડ હુમલો કરી હમીરભાઈના બંને હાથ અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ફરિયાદી હમીરભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી વીસ દિવસ પહેલા લાખા ભવાન ઝાપડા સાથે બોલાચાલી થઇ હોય, તે વાતનો ખાર રાખી ગઈકાલે લાખા ભવાન, બીમ પોપટ ઝાપડા, ભાયા મખા ઝાપડા, અનીલ મૂળા ઝાપડા, મૂળા કાના ઝાપડા, મખા ચના ઝાપડા અને મૈયા ભવાન ઝાપડા એમ સાતેય શખ્શોએ સૌ પ્રથમ હમીરભાઈની રીક્ષા ઉભી રખાવી હુમલો કરતા, હમીરભાઈ પોતાનો જીવ બચાવવા વાડી ખેતરમાં ભાગવા લાગ્યા હતા.
પણ હુમલાખોરોએ પાછળ દોડી આડેધડ ધોકા વડે ફટકારી હમીરભાઈ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છૂટ્યા હતા. બીજીબાજુ બંને હાથ અને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ સાથે હમીરભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. પોલીસે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત હમીરભાઈના નિવેદન પરથી ઉપરોક્ત સાતેય શખ્શો સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આટકોટ પોલીસના પીએસઆઈ એ.વી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
મોટી પાનેલીનો શખ્શ દેશી તમંચા સાથે ઝડપાયો 
ભાયાવદર પોલીસના પીએસઆઈ જે.યુ.ગોહિલે ગઈકાલે સાંજે મોટી પાનેલી ગામથી ઉપલેટા જતા રોડ પરથી સંજય વલ્લભ ફળદુ(રહે.આરાધના સોસાઈટી, મોટી પાનેલી)ને લોખંડના દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોજદાર ગોહિલે જણાવેલ કે રૂપિયા ૫ હજારની કિમતનું આ અગ્નિસસ્ત્ર શા માટે સાથે રાખીને સંજયભાઈ ફરતા હતા ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

જેતપુરની ખોડીયારધારમાં જુગાર દરોડો રોકડ ૧૦ હજાર સાથે ૭ તાસપ્રેમી ઝડપાયા


જસદણમાંથી જુગાર રમતા ૨ ઝડપાયા : જેતલસર નજીકથી દેશી દારૂ સાથે રીક્ષા ઝડપાઈ : ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી દારૂની બોટલ સાથે પકડાયો : જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ : વાસાવડમાં વરલી જુગાર 
રાજકોટ તા.૧૦ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે બપોરે ખોડિયાર ધાર નવાગઢ વિસ્તારમાં બાતમીના આધારે જુગાર દરોડો પાડી ૭ સખ્શોને રોકડ રૂપિયા ૧૦૨૭૦/- સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના ખોડિયાર ધાર વિસ્તારમાં રોજ મોટાપાયે તીનપત્તીનો જુગાર રમાય છે. આવી બાતમી પરથી ગઈકાલે શહેર પોલીસના પીઆઈ રાણાની સુચનાથી જમાદાર એસ.એન.પરમારે સ્ટાફના લખુભા ગંભીરસિંહ રાઠોડ વિગેરે પોલીસ કાફલાને સાથે રાખી ખોડિયારધાર વિસ્તારમાં જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ૭ શખ્શો ઝડપાઈ ગયા હતા.
જેમાં સાગર વેલજી સાંગાણી, બહાદુર બચું ચાવડા(સરધારપુર), દિલીપ લાલજી કોળી, યોગેશ ઉર્ફે મન્નો ભીખુ ભાયાણી(સરધારપુર), કિશન ભીમજી માયાણી(જાગૃતીપરા), રણછોડ ગોકળ જીન્જુવાડીયા(બળદેવધાર) તથા મનસુખ વીરા પરમાર(સેન્ટફ્રાન્સીસ સ્કુલ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા સમયે રોકડ ૧૦૨૭૦/- કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણમાંથી જુગાર રમતા ૨ પકડાયા 
જસદણમાં ચંદ્રકાંત ટોકીઝની સામે, શહેનશાહ પીરની દરગાહની દીવાલ પાસે, ખુલ્લા પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૨ ઇસમોને જમાદાર આર.એ.વાકાતરે રોકડ રૂપિયા ૩૪૨૦/- સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શ્ખ્શોમાં સુરેશ ભનુ મકવાણા(જસદણ-વિંછીયા રોડ, બાપા સીતારામના ઓટા પાસે) તથા વીનું રામજી કોળી(વાજસુરપરા શેરી નંબર-૧)નો સમાવેશ થથો હોવાનું પોલીસ જણાવે છે.
જેતલસર નજીકથી દેશી દારૂ ઝડપાયો 
જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે ગઈકાલે જેતલસર નજીક, જુનાગઢ રોડ પરથી નીકળેલી જીજે ૦૩ ડબ્લ્યુ ૩૬૩ નંબરની અતુલ શક્તિ રીક્ષા રોકાવી હતી. રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષામાંથી રૂપિયા ૪૦૦૦ નો ૦૦ લીટર દેશી દારૂ પકડાવા પામ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦ હજારની રીક્ષા પણ કબજે લઇ, રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક-માલિકની શોધખોળ આદરી છે.
ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી 
દારૂની બોટલ સાથે પકડાયો
ગોંડલમાં જેલચોક, ભોજપરામાં રહેતો રીક્ષા  ડ્રાઈવર ગૌરવ અરુણ જેઠવા કારડીયા રાજપૂત યુવાન ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને જુનાગઢ રોડ પર ચોકી ધાર પાસેથી નીકળ્યો ત્યારે તેને થોભાવી તપાસ કરાતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની એક શીલપેક બોટલ મળી આવી હતી. આ સમયે પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે રૂપિયા ૧ લાખની રીક્ષા, રૂપિયા ૩ હજારનો મોબાઈલ અને ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી ગૌરવ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી 
નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ 
જેતપુર શહેરમાં ખોડપરા, શેરી-૬ માં રહેતા દિનેશ રામજી ચાવડા નામના યુવાનના હોન્ડામાં લાકડાના ધોકા ફટકારી મુખ્તાર મુસાણી નામના શખ્શે હોન્ડામાં રૂપિયા ૧૦ હજારનું નુકશાન પહોચાડ્યાની  સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.૧.૪.ના રોજ લક્ષ્મીનગર, બાવાવાળાપરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ.એન.વી.સોલંકીએ હાથ ધરી છે.
વાસાવડમાં વરલી જુગાર રમતો ઝડપાયો 
હરેશ શંભુ બાવળિયા-કોળી (રહે.ઈશ્વરભાઈ મીયાત્રાની વાડીએ) વાળા શખ્શને ગોંડલ તાલુકા પોલીસના એ.એસ.આઈ. ડી.એ.પાનસેરિયાએ વસાવડ બસસ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો અને રમાડતો રોકડ રૂપિયા ૧૩૧૦/- સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે ટ્રેક્ટરે છકડો રિક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત : ૭ ઘાયલ


વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત

રાજકોટ તા.૧૦ 
ગત રાત્રીના ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૭ લોકોને નાની મોટી ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રેડિયો સ્ટેશન પાસે, બાઘીના પાટિયા પાસે પડધરી રહેતા ચારણ-ગઢવી પરિવારના ૮ સભ્યો ગઈકાલે વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય પતાવી, છકડો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા બાળકો સહિતના ૮ ચારણ-ગઢવી પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ખીમીબેન ભોળાભાઈ વાલા-ચારણ-ગઢવી (ઉ.વ.૨૨) નું સારવાર દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જ્યારે નારણ રાયદે વાલા(ઉ.વ.૧૪), મુલું હરદાસ વાલા(ઉ.વ.૧૪), બુદ્ધિબેન ખીમાભાઈ વાલા(ઉ.વ.૮), દેવાભાઈ ભોળાભાઈ વાલા(ઉ.વ.૦૨), દેવીબેન હરદાસભાઈ માલાણી(ઉ.વ.૧૬), ભીખાભાઈ રાયદેભાઈ વાલા(ઉ.વ.૧૫) તથા રાજશીભાઇ ગોવિંદભાઈ વાલા(ઉ.વ.૨૫) એમ તમામને ઈજાઓની સારવાર અપાઈ રહી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલાનું પિયરીયું લીલાખા(તા.ગોંડલ) છે. અને તેણી ઈજાગ્રસ્ત કિશોર ભીખાભાઈના ભાભી થાય છે. તેમજ મૃતક ખીમીબેનને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. જે બંને બાળકોએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
બનાવથી પડધરી અને લીલાખાના ચારણ-ગઢવી પરિવાર-સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. સબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૂર્વ ઝોનના એસીપીની મિસિંગ ટીમે ૩ વર્ષ થયા નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો


આંબાવાડીનો શખ્શ બી-ડીવીઝન પોલીસના અપહરણના ગુનામાં ભાગતો ફરતો'તો ! 
રાજકોટ તા.૧૦ 
બી-ડીવીઝન પોલીસમાં આજથી ત્રણેક વર્ષ પહેલા નોંધાયેલા એક અપહરણના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ગઈકાલે એસીપી પૂર્વ ઝોન મિસિંગ ટીમના કાફલાએ પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ સને ૨૦૧૫ દરમિયાન બી ડીવીઝન પોલીસમાં આંબાવાડી સોસાયટીમાં રહેતા કાનજી ઉર્ફે કાનો રમેશભાઈ માનસુરીયા જાતે-કોળી સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્યારથી એટલેકે છેલ્લા ૩ વર્ષથી ભાગતા ફરતો કાનજી પોલીસને હાથ તાળી આપતો હતો.
પણ ગઈકાલે એસીપી પૂર્વ ઝોન  મિસિંગ ટીમના પ્રોબેશનલ ફોજદાર એમ.એમ.ઝાલા, જમાદાર જયુભા પરમાર અને મનીષભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે કાનજીને રાત્રીના પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચુનારાવાડ ચોકમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો


ડીસીબીએ વાહનચોરની હાથ ધરી પૂછપરછ 
રાજકોટ તા.૧૦ 
ભૂતકાળમાં દારૂ પીવાના, દારૂ વેંચવાના અને ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રામનાથપરાના શખ્શને વધુ એક વખત ગઈકાલે ડીસીબીને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે ડીસીબી પોલીસ કાફલો ગુનેગારોને શોધવાની કવાયતમાં હતો ત્યારે જમાદાર ભરતભાઈ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર અને યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, રામનાથપરાનો વસીમ અશરફભાઈ મુલતાની નામનો શખ્શ એક ચોરાઉ બાઈક સાથે નીકળવાનો છે.
આવી બાતમી બાદ વોચમાં રહેલી ડીસીબી પોલીસ સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથી પસાર થયેલા વસીમને બાઈક સાથે ઝડપી લઇ તપાસ કરતા તેમની પાસેથી પકડાયેલું બાઈક ચોરાયા અંગેની પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોય, બાઈક ચોરીનો આ ગુનો ઉકેલાઈ ગયાનું ડીસીબીના પીઆઈ એચ.એમ.ગઢવી જણાવે છે.

મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ આનંદનગરના શખ્શને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો


રાજકોટ તા.૧૦ 
શહેરમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આનંદનગરના એક શખ્શને ગઈકાલે ભક્તિનગર પોલીસે પાસા તળે પકડી પાડી અમદાવાદ જેલ હવાલે કર્યો હોવાની વિગતો મળી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટાફ મારામારીના બનાવો સાથે સંકળાયેલા તત્વોની શોધખોળમાં હતા. આવા સમયે કોઠારિયા રોડ પર, આનંદનગર ક્વાટર્સમાં રહેતા અંકિત ઉર્ફે નાનો કાળીયો ઉર્ફે લાલો અશોક મગ્ન હાડા જાતે ખવાસ સામે પાસાનું વોરંટ ઇસ્યુ થતા તેમને પકડવા કવાયત આદરાઈ હતી.
આવા સમયે ભક્તિ નગર પોલીસના પીઆઈ ગઢવી, પીએસઆઈ ધાખડા સહિતના સ્ટાફે અંકિતને પકડી પાડી, પાસા વોરંટની બજવણી કરી તેમને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હોવાનું પોલીસ જણાવે છે.
જેતપુર-જસદણ-શાપરમાં જુગાર દરોડા
રૂ.૭૬૫૦ સાથે ૧૪ તાસપ્રેમી ઝડપાયા

રાજકોટ તા.૯
રાજકોટ જીલ્લા વિસ્તારમાં જેતપુર, જસદણ અને શાપર(વેરાવળ) પોલીસે જુગાર દરોડા પાડી કુલ ૧૪ તાસપ્રેમીને રોકડ રૂપિયા ૭૬૫૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે નવાગઢ ખાટકીવાસમાં આવેલ અનાજના ગોડાઉન પાછળ મોટાપાયે જુગાર રમાતો  હોવાની બાતમીના આધારે જુગાર દરોડો
પાડતા ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્શો રોકડ ૧૮૬૦/- સાથે પકડાઈ ગયા હતા.

Jજેમાં વાલજી દાના પરમાર, આમદ સુલેમાન મતવા, અશરફ ગફાર સૈયદ, ગફાર હુસેન ચૌહાણ, તથા ઇકબાલ જુસબ સુમાંરાનો સમાવેશ થાય છે. સરકાર તરફે
ચેતનભાઈ ઠાકોરે જુગારીઓ સામે ફરિયાદી બન્યા હતા જે બનાવની વધુ તપાસ જમાદાર એસ.એન.પરમારે હાથ ધરી છે.

જસદણ પોલીસે તાલુકાના વનાળા ગામે જુગાર દરોડો પાડી તીપત્તીનો જુગાર રમતા ૪ શખ્શોને રોકડ રૂપિયા ૩૨૯૦/- સાથે પકડી પાડ્યા હતા. જેમાં જશા નાગજી ખેતરીયા, વિનોદ પીઠા ગોહેલ, વિનોદ ખોડીદાસ બાવાજી, તથા લાખ પાલા ખેતરીયાનો સમાવેશ થાય છે. બનાવની વધુ તપાસ જસદણ પોલીસના પ્રોબેશનલ
એ.એસ.આઈ. જે.એસ.ઝાપડીયાએ હાથ ધરી છે.

જયારે ત્રીજા જુગાર દરોડામાં શાપર વેરાવળ પોલીસે શીતળા માતાજીના મંદિર પહેલા જાહેરમાં જુગાર રમતા ૫ સખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા ૨૫૦૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર દરોડામાં પકડાયેલા તત્વોમાં અતુલ ભીખા મકવાણા(રહે.માંડાસણ, તા.જામજોધપુર), રાકેશ નુરજી નીનામા(શાપર), કાળું મનુ ડામોર(શાપર), ધનરાજ કાનજી