અનુયાયીઓ

મંગળવાર, 10 એપ્રિલ, 2018

મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ આનંદનગરના શખ્શને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો


રાજકોટ તા.૧૦ 
શહેરમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આનંદનગરના એક શખ્શને ગઈકાલે ભક્તિનગર પોલીસે પાસા તળે પકડી પાડી અમદાવાદ જેલ હવાલે કર્યો હોવાની વિગતો મળી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટાફ મારામારીના બનાવો સાથે સંકળાયેલા તત્વોની શોધખોળમાં હતા. આવા સમયે કોઠારિયા રોડ પર, આનંદનગર ક્વાટર્સમાં રહેતા અંકિત ઉર્ફે નાનો કાળીયો ઉર્ફે લાલો અશોક મગ્ન હાડા જાતે ખવાસ સામે પાસાનું વોરંટ ઇસ્યુ થતા તેમને પકડવા કવાયત આદરાઈ હતી.
આવા સમયે ભક્તિ નગર પોલીસના પીઆઈ ગઢવી, પીએસઆઈ ધાખડા સહિતના સ્ટાફે અંકિતને પકડી પાડી, પાસા વોરંટની બજવણી કરી તેમને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હોવાનું પોલીસ જણાવે છે.

ટિપ્પણીઓ નથી: