અનુયાયીઓ

ગુરુવાર, 19 એપ્રિલ, 2018

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા

વિમાનના એન્જિનમાં બ્લાસ્ટ : 30,000 
ફૂટ ઉંચે ૧૫૪ ના જીવ પડીકે બંધાયા 
વોશિંગ્ટનઃ અમેરિકામાં જમીનથી લગભગ 30,000 ફૂટની ઊંચાઈ પર ઊડી રહેલા એક વિમાનના એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં એક બારીને નુકસાન થવાથી એક યાત્રી બહાર પડવા લાગી, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પાઈલોટે હિમ્મત ન હારી અને સુઝબુઝથી યાત્રીઓનો જીવ બચાવ્યો. ઉડાણની સફળતાપૂર્વક ઈમર્જેન્સી લેન્ડીંગ કરાવ્યા બાદ સાઉથવેસ્ટ એરલાઈન્સની મહિલા પાઈલોટની ખૂબ પ્રશંસા કરાઈ રહી છે.
હકીકતમાં આ ઘટના મંગળવારની છે જ્યારે સાઉથવેસ્ટનું વિમાન 1380એ ન્યૂયોર્કથી ડલાસ માટે ઊડાણ ભરી હતી. અમેરિકન નૌસેનામાં ફાઈટર પ્લેનની પાઈલોટ રહી ચૂકેલી ટેમી જો શલ્ટ્સ આ વિમાનની કેપ્ટન અને પાઈલોટ હતી. સ્થાનીક સમય અનુસાર આ ઘટના સવારે 11 વાગ્યાની છે, ચાર કલાકની ફ્લાઈટને ઉડાણ ભર્યાના 20 મિનિટ જ થઈ હતી. આ સમયે વિમાનના જમણા એન્જિનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ સમયે વિમાન 500 માઈલ પ્રતિ કલાકની ઝડપથી 30,000 ફૂટની ઉંચાઈ પર ઊડી રહ્યું હતું. તેમાં 5 ક્રૂ મેમ્બર સાથે 149 લોકો સવાર હતા. વિમાનના એક ફેનની બ્લેડ તૂટી ગઈ હતી. ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા અને વિમાન એક મિનિટમાં હજારો ફૂટ નીચે આવી ગયું. આના તરત બાદ 14માં ક્રમમાં બેઠેલી એક યાત્રી બારીમાંથી બહાર પડલા લાગી.

20 મિનિટ સુધી 30,000 ફૂટની ઉંચાઈ પર યાત્રીઓ ડર અને ચિંતાની સ્થિતિમાં રહ્યા. આ વચ્ચે મહિલા પાઈલોટે જે સાહસનો પરિચય આપ્યો જેની યાત્રીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે ફિલાડેલફિયા તરફ વિમાનને ઈમર્જેન્સી લેન્ડીંગ માટે વાળી દીધું. એક યાત્રી ટિમોથી સી બોરમેન (36)એ જણાવ્યું કે, મેં મારી પત્નીનો હાથ પકડી લીધો અને પ્રાર્થના કરવા લાગ્યો. અમને લાગ્યું કે અમે મરવાના છીએ.


વિસ્ફોટ બાદ એક અણીદાર વસ્તુ વિમાન સાથે ટકરાઈ અને વિમાનની બારીને નુકસાન થયું. યાત્રીઓએ જણાવ્યું કે, તેમણે નુકસાન થયેલી બારીમાંથી બહાર પડી રહેલી એક મહિલાને બચાવી. જોકે માથામાં ઈજા લગવાના કારણે બાદમાં મહિલાનું મોત થઈ ગયું. આ ઈમર્જેન્સી સ્થિતિમાં પણ ટેમીએ સંયમથી કામ લીધું અને એર ટ્રાફીક કંટ્રોલરને સમગ્ર માહિતી આપી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હરમિત દેસાઇનું સન્માન  

સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અપાયો 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21મી કોમન વેલ્થ ગેમ્સ-2018માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે 33 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

હરમિત દેસાઇને ટેબલ ટેનિસની રમતમાં 2015માં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રિય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા 1 કરોડ 9 લાખ 96 હજારની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.


અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન-કોચિંગ અને તજ્જ્ઞતા મળી રહે તે હેતુથી 2007થી શકિતદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે.

તદઅનુસાર રાજ્ય સરકારની શકિતદૂત યોજના અન્વયે હોનહાર ખેલાડીઓને નીડ બેઇઝ સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેમાં હરમિત દેસાઇને 2007થી 2017-18 સુધી કુલ 60.46 લાખ રૂપિયાની રકમ શકિતદૂત યોજના અંતર્ગત અપાઇ છે. આ ઉપરાંત હરમિત દેસાઇને 16.50 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે.


શકિતદૂત યોજના અન્વયે 2.50 લાખથી 25 લાખ સુધીની સહાય ખેલાડીને જરૂરિયાત મુજબ ભારતમાં કે ભારત બહાર કોચીંગ વગેરે માટે સરકાર આપે છે. 2007થી 2017-18ના દસકમાં આવા 777 ખેલાડીઓને 15 કરોડ 57 લાખ 59 હજારની સહાય અપાઇ છે.

મુખ્યમંત્રીએ હરમિત દેસાઇને આ ચેક અર્પણ કર્યો તે વેળાએ રમત-ગમત રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સચિવ વી. પી. પટેલ, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડૉ. કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જતીન સોની તેમજ હરમિત દેસાઇના પરિવારજનો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.



કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ પર છ શખ્સોનો હિચકારો હુમલો

કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ 
પર છ શખ્સોનો હિચકારો હુમલો

ઘાયલ દંપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ: કારમાંથી ઉતરી દંપતિ પર ધોકા, તલવારથી તૂટી પડયા: ઘરમાં ટીવી-ગાડીના કાચ તોડી આતંક મચાવ્યો : ઘટનાસ્થળે દોડેલી ભકિતનગર પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ સીસી ફૂટેજના આધારે તપાસ : હુમલાનો ભોગ બનેલ દંપતિ "નિર્દોષ” કુટાઈ ગયાનું પોલીસનું અનુમાન: દંપતિને કોઈની સાથે વેરઝેર નથી! : બપોરના 12/00 વાગ્યે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોના આતંકથી પટેલ દંપતિ ભયભીત: સારવાર હેઠળ












રાજકોટ તા.19
શહેરના કોઠારીયા રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા એક પટેલ દંપતિ ઉપર છ અજાણ્યા શખ્સો બપોરના બાર વાગ્યાના ટકોરે ધોકા- તલવારથી હિચકારો હુમલો કરતા નાની મોટી ગંભીર ઈજાઓ સાથે દંપતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. હુમલાખોર શખ્સોએ જતા જતા ઘરનું ફર્નીચર, ટીવી, ગાડીના કાચ વિગેરે તોડીફોડી આતંક મચાવી નાશી છૂટયા હતા. બનાવથી પડોશી વર્ગ પણ ભયભીત બન્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત આદરી છે.
 ભેદી રીતે પટેલ દંપતિ પર થયેલા હુમલાની મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રીરામ પાર્કની શેરી નં.3માં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ વોરા (ઉ.55) અને તેમના પત્ની ભાનુબેન મનસુખભાઈ વોરા (ઉ.50) એમ દંપતિ આજે પોતાના ઘરે હતું.

ત્યારે બપોરના 12 વાગ્યે ફિલ્મી સ્ટાઈલથી ધસી આવેલી એક અજાણી કારમાંથી ઉતરેલા છ શખ્સો મનસુખભાઈના ઘરમાં ઘુસી-તલવાર અને ધોકા વડે મનસુખભાઈ અને ભાનુબેન પર તૂટી પડયા હતા.
 આવા સમયે ‘તમે કોણ છો?’ ‘તમે કયાંથી આવો છો?’, ‘તમો શું કામ અમારા પર હુમલો કરી મારો છો?’ વિગેરે પ્રશ્ર્નોના બુમ બરાડા વચ્ચે પણ મનસુખભાઈ અને ભાનુબેન ઉપર મરણતોલ હુમલો કરતા છએ શખ્સોએ કંઈ પણ બોલ્યા વગર, ઘરમાં ટીવી, ટેબલ, ટીપોઈ, ગાડીના કાચ વિગેરે પર તલવાર અને ધોકાના ઘા કરી તોડફોડ કરી નાશી છૂટયા હતા.
 બીજી બાજુ લોહીલુહાણ દંપતિને પડોશીઓની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરાતા ભકિતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
 ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના કાફલાએ બનાવ સ્થળે નિરીક્ષણ કરી સીસી ફૂટેજ કબજે કરતા આતંક મચાવનાર શખ્સો ખુલ્લા મોઢાએ ધોકા, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે મનસુખભાઈ વોરાના મકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હોય હુમલાખોરો પકડાઈ જવાની પોલીસે આશા સેવી છે.
 બનાવ સંદર્ભે હુમલાનો ભોગ બનેલા દંપતિના સગા વ્હાલાઓએ વધુ વિગતો આપી હતી કે મનસુખભાઈ પોતાના ઘર નજીક જ ચોકમાં ઈગલ પાન નામની દુકાન ધરાવે છે. સિધીલીટીમાં જીવન જીવનાર વ્યકિત છે. મનસુખભાઈને બે સંતાનોમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. જે બન્ને પરણીત છે.
 પુત્ર સંદીપભાઈ ચાટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હોય તે આ વ્યવસાયની શહેરમાં ઓફીસ ધરાવે છે. અચાનક હુમલાના બનાવથી મનસુખભાઈ અને તેમના પત્ની પ્રભાબેન ભયભીત બની ગયા છે. હાલ બન્ને મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પુત્રવધુ પડોશીઓને બોલાવવા દોડયા ત્યાં હુમલાખોરો નાશી ગયા!
 ભર બપોરે દિનદહાડે શ્રીરામ પાર્કમાં પટેલ દંપતિ પર હિચકારો હુમલો થયો ત્યારે ઘરમાં માત્ર ત્રણ સભ્યો હાજર હતા. સાસુ અને સસરા પર થઈ રહેલા હુમલાની અને છ શખ્સોની આતંકની ઘટના સમયે હાજર મિતલબેન સંદિપભાઈ વોરા નામના પુત્રવધુ પડોશીઓની મદદ માટે ઘર બહાર દોડયા હતા પણ ત્યાં સુધીમાં હુમલાખોરો આતંક મચાવી નાસી છૂટયા હોવાનું મિતલબેને જણાવ્યુ હતું.

નિર્દોષ દંપતિ પર હુમલો થઈ ગયાનું પોલીસનું અનુમાન
 રાજકોટ શહેરની પોલીસ માટે પડકાર સમાન આજની પટેલ દંપતિ પરની હુમલાની ઘટનાથી શ્રીરામ પાર્ક વાસીઓ ભયભીત બની ગયા છે. અહીં પોલીસની ધાક ભોંમા ધરબાઈ ગઈ છે તો ગુનેગારોનો ખૌફ સારાયે શહેરમાં ગમે ત્યાં, ગમે ત્યારે આતંક મચાવી રહ્યો હોય પોલીસને મહદઅંશે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કરે છે.
 બીજી બાજુ આજની ઘટનામાં નિર્દોષ પટેલ દંપતિ કુટાઈ ગયાનું પોલીસ અનુમાન કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

હુમલાખોરો ઘર ભૂલ્યા કે દંપતિનું જુનુ વેરઝેર કારણભૂત?
પોલીસને દ્દઢ શંકા: આવો હુમલો કેમ થઈ શકે?
 શ્રીરામ પાર્કમાં મનસુખભાઈ અને પ્રભાબેન પટેલ એમ દંપતિ પર હિચકારા હુમલામાં પોલીસ પણ ચકરાવે ચડી છે. વગર વાંકે આવી રીતે દંપતી પર કેમ હુમલો થઈ શકે? હુમલાખોરો શા માટે હુમલો કરે? હુમલાનું કારણ શું? કે હુમલાખોરો ‘ઘર’ ભૂલી નિર્દોષને હુમલાનો ભોગ બનાવી ગયા? તો પટેલ દંપતિને કોઈ ઝઘડો થયો છે? પૈસાની લેતી દેતી કારણભૂત છે કે બીજા કોઈ વેરઝેરના લીધે તેઓ હુમલાનો ભોગ બન્યા? વિ. બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે

સ્વ. એડવોકેટ ૨ાજકુમા૨ પ૨મા૨નાં સ્મ૨ણાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મો૨બી ૨ોડ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી ટુર્નામેન્ટનો શુભા૨ંભ થશે


૨ાજકોટના સીનીય૨ એડવોકેટ સ્વ. ૨ાજકુમા૨ ક્રિપાલસિંહજી પ૨મા૨ની પુણ્યતિથિ અનુસંધાને સતત ત્રીજા વર્ષ્ો તેમના સ્મ૨ણાર્થે વકીલઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્વ. ૨ાજકુમા૨સિંહજીના પુત્ર  રૂપ૨ાજસિંહ પ૨મા૨ના સહયોગથી તા.૧૯/૪/૨૦૧૮ તથા તા.૨૦/૪/૨૦૧૮ના ૨ોજ મો૨બી ૨ોડ જકાતનાકા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વકીલઓ તથા કોર્ટ સ્ટાફ સહીતની ટીમો વચ્ચે ક૨ાયુ છે.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન ૨ાષ્ટ્રીય લો-કમીશનના સભ્ય અને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રી અભયભાઈ ભા૨ાજ તથા બા૨ કાઉન્સીલ ઓફ ગુજ૨ાતના ચે૨મેન દિલીપભાઈ પટેલ ા૨ા ક૨વામા આવશે. તેમજ અતિથી વિશેષ્ા ત૨ીકે ૨ાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આ૨.કે. દેસાઈ  ખાસ ઉપથિત ૨હેશે.

આ આયોજનને ૨ાજકોટના સીનીય૨ ધા૨ાશાસ્ત્રીઓ, લલીતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ (૨ાજકોટ બા૨ એસોસીએશન પ્રમુખ) પિયુષ્ાભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, ગી૨ીશભાઈ ભટ્ટ, મુકેશભાઈ દેસાઈ,  મર્હષ્ાીભાઈ પંડયા, આ૨.એમ઼ વા૨ોત૨ીયા, જયુભાઈ શુકલ, જયુભા ૨ાણા, તરૂણભાઈ કોઠા૨ી, જી.આ૨. ઠાક૨, કમલેશ શાહ, શ્યામલભાઈ સોનપાલ, જયેશ જાની, પ્રશાંત જોષ્ાી, હિતેષ્ા દવે સહીતના તમામ સિનીય૨ એડવોકેટો સહભાગી થયા છે.
આયોજનને સફળ બનાવવા આયોજન કમીટીના અર્જુનભાઈ પટેલ, મનીષ્ાભાઈ ખખ્ખ૨, જે.બી. શાહ, સંદીપ વેક૨ીયા (સેન્ડી), અમિત વ્યાસ, કમલેશ ૨ાવલ, દિપક અંતાણી, ઈન્દુભા ઝાલા, જિતેન્સિંહ જાડેજા, અજય જોષ્ાી, જતીન ઠકક૨, હર્ષ્ાદ બા૨ૈયા, શૈલેષ્ા વનાળીયા, કેતન ભટ્ટી, ૨વિ વાઘેલા, વિ૨ેન વ્યાસ, કેતન પટેલ, ગૌ૨ાંગ માંકડ, અજય પીપળીયા, મનીષ્ા દવે, કુલદિપસિંહ જાડેજા, સહીતના વકીલ મિત્રો જહેમત ઉઠાવી ૨હયા છે.