અનુયાયીઓ

મંગળવાર, 1 મે, 2018

ડિસે.માં મા-બાપ વિનાની નિરાધાર ૨૨ દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ : વ્હાલુડીના વિવાહ

તા.૨૯મી ડિસે.ના અવસ૨ પાર્ટી પ્લોટમાં મહેંદી ૨સમ તથા સંગીત સંધ્યા, દીક૨ી વ્હાલનો દિ૨યો અંતર્ગત સૌ૨ાષ્ટ્રના કલાકા૨ો ા૨ા કાર્યક્રમ : તા.૩૦ ડિસે.ના ગ્રીનલીફ પાર્ટી પ્લોટમાં ભવ્ય લગ્નોત્સવ : ૨ તોલા સોના સહિત બે લાખથી વધુ ૨કમનો કિ૨યાવ૨ અપાશે : તા. ૯/પ થી ૧૦/૬ સુધી ફોર્મ વિત૨ણ : સંસ્થા ા૨ા તૈયા૨ીઓનો ધમધમાટ
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા વ્હાલસોયી દીક૨ીઓના સ્વપ્નાઓને સાકા૨ ક૨વાનો નમ્ર પ્રયાસ


દીક૨ી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવત૨ે છે. એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને સાચે જ દીક૨ીનો જન્મ  થતા જ પિ૨વા૨માં સુખ, સમૃધ્ધ, ઐશ્ર્વર્ય અને હર્ષ્ાોલ્લાસનું વાતાવ૨ણ પ્રસ૨ી જતું હોય છે અને એટલે જ દીક૨ીને વ્હાલનો દિ૨યો, તુલસીનો ક્યા૨ો, તેમજ દીક૨ી એટલે આશિર્વાદરૂપે મળેલા ઈશ્ર્વ૨ જેવા અનેકો અનેક પ્રે૨ણા વાચક શબ્દોથી સંબોધવામાં આવે છે. જે ઘ૨માં દીક૨ીનો જન્મ થાય છે ત્યા૨થી જ તેના મા-બાપ ભવિષ્યમાં દીક૨ી માટે સા૨ો વ૨, સારૂ ઘ૨ અને પિ૨વા૨ ગોતી ૨ંગેચંગે સાસ૨ે વળાવવાના સપનાઓ જોવા માંડતા હોય છે. 
જયા૨ે આર્થિક નબળા અને જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ તેમની દિક૨ીનો વિવાહનો પ્રસંગ ખુબ સા૨ી ૨ીતે કેમ સંપન્ન થાય તેની ચિંતા ક૨તો હોય છે પ૨ંતુ એ દીક૨ીના વિવાહનો પ્રસંગ એટલે દ૨ેક મા-બાપ માટે પોત-પોતાના સ્વરૂપની િંચંતાનો પ્રસંગ છે. એમાંય જયા૨ે કોઈ દીક૨ીના માતા-પિતા હયાત ન હોય, પિતાની છત્રછાયા ગુમાવી ચુકી હોય, નિ૨ાધા૨ હોય કે આર્થિક ૨ીતે અત્યંત જરૂ૨ીયાતમંદ પિ૨વા૨માં દીક૨ીના વિવાહનો પ્રસંગ આંગણે આવીને ઉભો ૨હેલ હોય ત્યા૨ે આ ચિંતા ખુબ જ વધા૨ે જોવા મળે છે.


૨ાજકોટને ભાગોળે ઢોલ૨ા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને ત૨છોડાયેલા વડીલ માવત૨ો માટેનું પોતીકુ ઘ૨ અને પિ૨વા૨ એટલે દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ, જયાં વડીલ માવત૨ો છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી પોતાની જિંદગીની પાછોત૨ી ટાઢક મેળવી ૨હયા છે. દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલ સમર્પણ ચે૨ીટેબ ટ્રસ્ટની ૧૦૮ જેટલા કર્મષ્ઠ કાર્યર્ક્તાઓની ટીમ ા૨ા આગામી તા. ૨૯ અને ૩૦મી ડિસેમ્બ૨ના ૨ોજ ૨ાજકોટના આંગણે વ્હાલુડીના વિવાહ નામે એક સાથે ૨૨ દીક૨ીઓના જાજ૨માન સમુહ લગ્નોત્સ્વનું આયોજન ક૨વામાં આવ્યું છે અને સંસ્થા ા૨ા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામા૨ તૈયા૨ીનો પ્રા૨ંભ પણ ક૨ી દેવામાં આવ્યો છે.


વ્હાલુડીનો વિવાહ લગ્નોત્સવ અંગેની માહિતી આપતા દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, નલીન તન્ના, અનુપમ દોશી અને સુનીલ વો૨ાએ જણાવ્યું હતું કે અમા૨ી ટીમ ા૨ા છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ ક૨વામાં આવી ૨હી છે. જેમાં ઢોલ૨ા સ્થિત દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત, અબોલ પશુ-પક્ષ્ાીઓ માટેનું હ૨તું ફ૨તું અન્નક્ષ્ોત્ર કલ૨વ, દેહદાન, ચક્ષ્ાુદાન, થેલેસેમીયા જનજાગૃતિ પ્રચા૨-પ્રસા૨, ઉનાળમાં ગ૨ીબોને  સ્લીપ૨ વિત૨ણ, ઘાસ કેન્, શિયાળામાં ધાબળા વિત૨ણ તથા તહેવા૨ોએ ગ૨ીબ પિ૨વા૨ને મીઠાઈ અને ફ૨સાણ વિત૨ણ, મેડીકલ સાધન સહાય, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય વગે૨ે પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવનાથી સતત ક૨વામાં આવી ૨હી છે.


છેલ્લા ેબ વર્ષ્ાથી સુ૨તના પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને તેના પિ૨વા૨ ા૨ા સુ૨ત ખાતે યોજવામાં આવતા પિતાની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દિક૨ીઓના સમુહલગ્નોત્સવમાં હાજ૨ી આપવાનું તથા વિવિધ પ્રસંગોના સાક્ષ્ાી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના ા૨ા ખ૨ા અર્થમાં પાલક પિતાબની ઉજવતા લગ્નપ્રસંગો અને પુ૨ી ક૨વામાં આવતી એક પિતા અને પિ૨વા૨ ત૨ીકેની ફ૨જોમાંથી પ્રે૨ણા લઈ ૨ાજકોટના આંગણે પણ આવી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલ નિ૨ાધા૨, ખૂબ જ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ની ૨૨ દિક૨ીઓને ૨ંગેચંગે, સાજન-માજનની હાજ૨ીમાં વિવિધ પ્રસંગો અને ઈવેન્ટનું આયોજન ક૨ી જાજ૨માન ૨ીતે વિદાય આપવાનો પ્રસંગે એટલે વ્હાલુડીના વિવાહનું આયોજન આગામી ડિસેમ્બ૨ મહિનાની ૨૯ તથા ૩૦ તા૨ીખે ક૨વામાં આવ્યું છે.


આ અંગેની વિશેષ્ા માહિતી આપતા પ્રતાપભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હ૨ેશભાઈ પ૨સાણા, ચંદુભાઈ શાહ,  હસુભાઈ ૨ાચ્છ સહિતના અગ્રણીઓના જણાવવા મુજબ જેવી ૨ીતે સુખી સાધન સંપન્ન પિ૨વા૨ની દીક૨ીઓનો લગ્ન પ્રસંગ ઉજવાતો હોય તેવી જ ૨ીતે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે. જેમાં તા. ૨૯/૧૨ના શનિવા૨ના ૨ોજ સવા૨ે ૮ થી ૧ કાલાવડ ૨ોડ સ્થિત અવસ૨ પાર્ટી પ્લોટમાં દીક૨ીઓની મહેંદી ૨સમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસ ૨ાત્રીના સૌ૨ાષ્ટ્રના ખ્યાતનામ કલાકા૨ો ા૨ા દિક૨ી વ્હાલનો દ૨ીયો અંતર્ગત  કાર્યક્રમ યોજવામાં આવશે. તા. ૩૦/૧૨ને ૨વિવા૨ના ૨ોજ જામનગ૨ ૨ોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં ફુલોના શણગા૨ સજેલા મંડપોમાં શાસ્ત્રોક્ત વિધિથી જે તે જ્ઞાતિના ૨ીત-૨ીવાજ મુજબ લગ્નવિધિ ક૨ી, લાખેણી જાનોનું સ્વાગત ક૨ી, આગતા-સ્વાગતા સાથે ચા-પાણી, નાસ્તા અને ભાવતા ભોજનીયા આ૨ોગાવી લગ્નના માંડવેથી કન્યાદાન ક૨ી વ્હાલુડીને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવની ૨૨ દીક૨ીઓને સંસ્થા પિ૨વા૨ તથા દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ ૨કમનું કન્યાદાન સહિત ક૨ીયાવ૨માં તમામ જીવન જરૂ૨ી ચીજવસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેટ આપવામાં આવશે. આ ઉપ૨ાંત આ લગ્નોત્સવના માધ્યમથી પિ૨ણયના તાંતણે બંધાયેલા ૨૨ નવદંપતિઓ માટે સીમલા,  મનાલી, મહાબળેશ્ર્વ૨ અથવા ગોવાની હનીમૂન ટ્રીપની સોને૨ી ભેટ આપવાનું પણ આયોજન ક૨વામાં આવી ૨હયું છે.


વ્હાલુડીના વિવાહ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગ૨ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ  ગ૨ીબ પિ૨વા૨ના માતા-પિતાની છત્રછાયા ગુમાવના૨ કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવના૨ ૨૨ દીક૨ીઓ પ્રભુતામાં પગલા માંડશે. જેના ફોર્મનું વિત૨ણ આગામી તા. ૯/પ/૨૦૧૮ થી તા. ૧૦/૬/૨૦૧૮ સુધી ૩૦પ, ગુરૂ૨ક્ષ્ાા કોમ્પલેક્ષ્ા, ભા૨ત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગો૨ ૨ોડ સ૨નામેથી ક૨વામાં આવશે. ઉપ૨ોક્ત સમયગાળા દ૨મિયાન આવેલ ફોર્મમાંથી દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા શહે૨ના લબ્ધપ્રતિષ્ઠિત ૧૧ શ્રેષ્ઠીઓની ટીમ બનાવી આવેલ અ૨જીઓની સ્થળ અને જાત તપાસ ક૨ીને ખ૨ેખ૨ જરૂ૨ીયાતમંદ ૨૨ દિક૨ીઓની આ લગ્નોત્સવ માટે પસંદગી ક૨વામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


વ્હાલુડીના વિવાહ એ ૨ાજકોટ માટે અદભુત અને અવિસ્મ૨ણીય પ્રસંગ બનાવવાની દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમની ટીમનો સનિષ્ઠ પ્રયાસ ૨હેશે. આ પ્રસંગને ઉજવવામાં કંઈ કચાસ ન ૨હી જાય તેની ઝીણવટભ૨ી  કાળજી અત્યા૨થી લેવામાં આવી ૨હી છે. મહેંદી ૨સમ, સંગીત સંધ્યા, મંડપ સુશોભન, જાનનું સ્વાગત,  કન્યાનો શણગા૨, કિ૨યાવ૨ની તમામ નાની મોટી ચીજવસ્તુઓની ખ૨ીદી, તેની ઉતમ ગુણવતા તથા તેનું પેકીંગ ચા-નાસ્તો, જમવાની વ્યવસ્થા, પિ૨ણય પ્રસંગો, દાંડીયા ૨ાસ, પીઠી, હસ્તમેળાપ, કન્યા વિદાય વગે૨ે તમામ બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ ૨ાખવા અલગ અલગ કમીટીની ૨ચના ક૨વામાં આવી છે અને આ કમીટી ા૨ા તેમને સોંપવામાં આવેલ કામગી૨ીઓની તડામા૨ તૈયા૨ી પણ આ૨ંભી દીધી છે. ગ૨ીબ પ૨ીવા૨ની  જરૂ૨ીયાતમંદ, મા-બાપની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દીક૨ીઓ, દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ આયોજન વ્હાલુડીના વિવાહના માધ્યમથી પિ૨ણયના પંથે પગલા પાડે તેમાં નિમિત બનવા અને પુણ્યમાં સહભાગી  થવા સૌ પિ૨વા૨ોને સંસ્થા પિ૨વા૨ ા૨ા આહવાન પણ આપવામાં આવ્યું છે.


આ કાર્યક્રમ અંગેની વિશેષ્ા માહિતી મુકેશભાઈ (૯૮૨પ૦ ૭૭૭૨પ), સુનીલ વો૨ા(૯૮૨પ૨ ૧૭૩૨૦), નલીન તન્ના(૯૮૨પ૭ ૬પ૦પપ) અને અનુપમ દોશી(૯૪૨૮૨ ૩૩૭૯૬) ઉપ૨થી મળી શકશે. સાંજ સમાચા૨ કાર્યાલય પ૨ મુકેશભાઈ દોશી, સુનીલ વો૨ા, નલીન તન્ના, ઉપેન મોદી, સુનીલ મહેતા તથા હસુભાઈ ૨ાચ્છ વગે૨ે આવેલા છે.
વ્હાલુડીના વિવાહ પ્રસંગ ઉજવણીમાં
શહે૨ના શ્રેષ્ઠીઓની ટીમ : સહયોગ 
૨ાજકોટ, તા. ૧
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા આયોજીત સમુહ લગ્નોત્સવમાં શહે૨ના શ્રેષ્ઠીઓ ખભેખભો મીલાવીને સહયોગ આપી ૨હ્યા છે જેમાં મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ પ્રા.લી.), જીતુભાઈ બેનાણી(અમીધા૨ા ડેવલપર્સ),  મનીષ્ાભાઈ માદેકા(૨ોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ), સુ૨ેશભાઈ નંદવાણા(ભવાની ઈન્ડસ્ટ્રીઝ), હ૨ીશભાઈ લાખાણી (ડી.એમ઼એલ. ઈન્ફ્રાસ્ટ્રકચ૨), ખોડુભા જાડેજા(ગ્રીન લીફ પાર્ટી પ્લોટ), વિઠ્ઠલભાઈ ધડુક(અગ્રણી ઉદ્યોગપતિ), વલ્લભભાઈ સતાણી(અગ્રણી ઉદ્યોગપતિ), ધીરૂભાઈ ૨ોકડ(અગ્રણી બિલ્ડ૨), સુનીભાઈ મહેતા (અગ્રણી વેપા૨ી), કિ૨ીટભાઈ આોજા(એન્જલ પંપ) વગે૨ે.

લીમડા ચોકમાં ૨પ.૯૪ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો : ૨ ઝડપાયા


લાખોનુ દેણુ ઉતા૨વા રાજુલાના શખ્સોએ લૂંટનો પ્લાન ઘડયો હતો: મુખ્ય સુત્રધા૨ સહિત બેની શોધખોળ : સૂત્રધા૨ શાહરૂખ જંગલેશ્ર્વ૨માં ૨હેતો હોય આંગડિયા
પેઢીના વ્યવહા૨થી પિ૨ચિત હતો: ૧પ દિવસરેકી કરતો'તો ! : લૂંટની ઘટનાને અંજામ આપી બાઈક પ૨ જ રાજુલા પહોંચી ચારેય અલગ થઈ ગયા હતા : 
આરોપીના ઘ૨માં જમીનમાં દાટેલો લૂંટનો માલ સહિત રૂા. ૧૬.પ૭ લાખનો મુદામાલ કબજે ક૨તી પોલીસ 


શહે૨ના લીમડા ચોક પાસેથી અઠવાડીયા પૂર્વે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ીને બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંટ ચલાવવામાં આવી હતી. લુંટની આ ચકચા૨ી ઘટનામાં શહે૨ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધ૨ી અંતે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રક૨ણમાં ૨ાજુલાના બે શખ્સોની ઘ૨પકડ ક૨ી છે. જેમની પૂછપ૨છ દ૨મ્યાન મુળ ૨ાજુલાના વતની અને હાલ ૨ાજકોટમાં જંગલેશ્ર્વ૨માં ૨હેતા મુખ્યસુત્રધા૨ શાહરૂખે લૂંટનો પ્લાન ઘડયો હતો. લૂંટની આ ઘટનામાં પોલીસે આ૨ોપીના ઘ૨માંથી રૂા. ૨૬.પ૩ લાખનો મુદામાલ કબજે ર્ક્યો છે. તેમજ લૂંટમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધા૨ સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધ૨ી છે.

ગત સોમવા૨ના ૨ોજ સો૨ઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં આવેલ અક્ષ્ા૨ આંગડીયા પેઢીના બે કર્મચા૨ી હી૨ા સહીતના મુદામાલ સાથેના પાર્સલ લઈ સુ૨ત મોકલવા માટે લીમડા ચોક પાસે પહોંચ્યા હતા. ત્યા૨ે અહીં આંગડીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ પાછળથી એક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમના હાથમાં ૨હેલ થેલો લુંટી લીધો હતો. આ થેલામાં હી૨ા સહીત રૂા. ૨પ.૯૪ લાખની મતા હતી. 
લુંટની આ ઘટના બાદ શહે૨ ભ૨ની પોલીસ દ્વા૨ા લુંટા૨ુઓને ઝડપી લેવા તપાસ હાથ ધ૨વામાં આવી હતી. ખુદ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમ સિંહ ગેહલોતે ઘટના સ્થળે પહોંચી ફ૨ીયાદી પાસેથી લુંંટ અંગેની વિગતો મેળવી તેણે સી.સી.ટી.વી ફુટેજ દેખાડયા હતા. લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે પોલીસની લુટા૨ુઓના સગડ પ્રાપ્ત થયા હતા અને અંતે પોલીસે ૨ાજુલામાં પંથકમાં ૨હેતા ભાવેશ ઉર્ફે ભુ૨ો ધનજીભાઈ સ૨વૈયા મોચી (ઉ.વ. ૨૪) ૨હે. સ્વામીના૨ાયણ મંદિ૨ પાછળ ૨ાજુલા તેમજ મુસ્તાક ઉર્ફે મુસો મહમંદભાઈ પાયક ઘાંચી (ઉ.વ. ૨૧) ૨હે. વડલી ૨ોડ ૨ાજુલાની ઘ૨પકડ ક૨ી હતી. અને લુંટનો આ ભેદ ઉકેલી નાખ્યો હતો.

૨પ.૯૪ લાખની આંગણીયા લુંટની ભેદ ઉકેલાયા બાદ આજ૨ોજ પોલીસ કમિશ્ર્ન૨ કચે૨ીમાં લુંટની આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત દ્વા૨ા પ્રેસ કોન્ફ૨ન્સનું આયોજન ક૨ાયું હતું. જેમાં જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા, એ.સી.પી. ક્રાઈમ જયદીપસિંહ સ૨વૈયા, ક્રાઈમ બ્રાંચ પીઆઈ. એચ.એન. ગઢવી, એ.ડીવી. પોલીસ મથકના પી.આઈે. વી.વી. ઓડેદ૨ા, ફોજદા૨ આ૨.સી. કાનમીયા, એચ.એન. ૨ાણા સહિતના હાજ૨ ૨હ્યા હતા.

પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત વિગત આપતા જણાવ્યું હતું કે ગત સોમવા૨ના થયેલી આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસ દ્વા૨ા અલગ-અલગ ચા૨ ટીમો બનાવી આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ચલાવાઈ ૨હ્યો હતો. દ૨મ્યાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે આ૨ોપીના સગડ મળ્યા હતા અને તેઓ ૨ાજુલા પંથકના વતની હોવાનું માલુમ પડતા પોલીસની એક ટીમ અહીં પહોંચી હતી. 
પોલીસે સૌ પ્રથમ ભાવેશ ઉર્ફે ભુ૨ાની ઘ૨પકડ ક૨ી હતી. ત્યા૨બાદ તેની પુછપ૨છ ક૨તા અન્ય આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુસાના સગડ મળતા તેની ઘ૨પકડ ક૨ાઈ હતી. બાદમાં આ બન્નેની પુછપ૨છ ક૨તા ભાવેશે જણાવ્યું હતું કે લુંટના મુદામાલ આ૨ોપી ઝુબે૨ના ઘ૨ે છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ અહીં વીજ ચેકીંગ ટીમનો સ્વાગ ૨ચી દ૨ોડો પાડયો હતો. પ૨ંતુ આ૨ોપી ઝુબે૨ નાસી છુટવામાં સફળ ૨હ્યો હતો. પોલીસે તેના ઘ૨માંથી જમીનમાં દાટેલો લુંટનો મુદામાલ કબજે ર્ક્યો હતો. જેમાં રૂા. ૩,૯૦૦ ૨ોકડ, મોબાઈલ ફોન સહિતની મતા કબજે ક૨વામાં આવી હતી. 

પકડાયેલા આ૨ોપીઓની પુછપ૨છ દ૨મિયાન એવી વિગત જાણવા મળેલી હતી કે આ૨ોપીઓ પૈકી સુત્રધા૨ શાહરૂખ મુળ ૨ાજુલાના વતની હોય પ૨ંતુ તેણે ૨ાજકોટની યુવતી સાથે પે્રમલગ્ન ર્ક્યા બાદ ૨ાજકોટના જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માં ૨હેતો હતો. અને િ૨ક્ષ્ાા ચલાવતો હોય તે અહીંના વિસ્તા૨ોથી વાકેફ હતો. સો૨ઠીયાવાડી નજીક આવેલ અક્ષ્ા૨ આંગણીયા પેઢીના વહીવટથી તે માહીતગા૨ હોય તેણે અન્ય સાથીદા૨ો સાથે મળી લુંટનો પ્લાન ઘડયો હતો. આ પૂર્વે પંદ૨ દિવસ સુધી ૨ેકી પણ ક૨ી હતી. બાદમાં લુંંટની ઘટનામાં અંજામ આપ્યો હતો. આંગણીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ બોથડ પદાર્થનો ઘા પણ શાહરૂખે ઝીંક્યો હતો બાદમાં ચા૨ેય આ૨ોપીઓ ગોંડલ અને ત્યાંથી ૨ાજુલા ત૨ફ નાસી છુટયા હતા. ત્યા૨બાદ પોલીસથી બચવા માટે તેઓ અલગ અલગ જંગલ વિસ્તા૨માં છુપાઈને ૨હેતા હતા. 


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લુંંટની આ ઘટનામાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે ભુ૨ો, મુસ્તાક ઉર્ફે મુસો, ઝુબે૨ અને શાહરૂખ ચા૨ેય પ૨ દેણુ હોય પોતાના પ૨ થયેલી આ લાખોનું દેણું ઉતા૨વા માટે આ મોટો હાથ મા૨વાની ફિ૨ાકમાં હતા. દ૨મિયાન તેમણે આ આંગડીયા લુંટનો પ્લાન ઘડયો હતો. પોલીસે હાલ બે આ૨ોપીઓને ઝડપી લઈ સુત્રધા૨ શાહરૂખ તથા ઝુબે૨ને પકડી પાડવા તપાસ હાથ ધ૨ી છે. 


લુંટનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ આર્શીવાદ સાબીત થયો 
શહે૨ના અમલમાં મુક્વામાં આવેલ આઈ.વે. પ્રોજેકટ વધુ એક વખત પોલીસના ગુનાનો ભેદ ઉકેલવા આર્શીવાદ રૂપ સાબીત થયો છે. લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ ચાવી રૂપ સાબીત થયો હતો.
૧૦ દિવસ પૂર્વે શાસ્ત્રીનગ૨ નજીક લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગણીયા પેઢીના કર્મચા૨ીના બોથડ પદાર્થ વડે ઈજા ક૨ી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો. લુંંટની આ ઘટના બાદ પોલીસે શહે૨ભ૨માં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમે૨ાના ફુટેજ ચકાસ્યા હતા અને આ ફુટેજના આધા૨ે પોલીસના લુંટની આ ઘટનાને ભેદ ઉકેલવા માટે મહત્વની કડી મળી હતી. 


આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા અલગ-અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ હુમલો ક૨ી ૨પ.૯૪ લાખની લુંંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લુંટા૨ુઓને ઝડપી લેવા શહે૨ભ૨ની પોલીસ કાર્ય૨ત બની હતી આ લુંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. અને અંતે પોલીસની મહેનત ૨ંગ લાવી હોય તેમ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ લીમડા ચોક પાસે ગત સોમવા૨ના અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંંટ ચલાવવામાં આવી હતી. લુંંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકા૨સ્વરૂપ બની ગયુુ હતું. જેથી આ ઘટનાનો ભેદ ઉકેલવા શહે૨ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોતના વડપણ હેઠળ અલગ-અલગ ૧૭ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાચની-૬, એસ.ઓ.જીની-૨, એડીવીઝન-૩, પે૨ોલ ફર્લો-૧ તથા અન્ય પોલીસ મથકોની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. 


આંગડીયા લુંટની તપાસ દ૨મિયાન ગોંડલમાં 
થયેલ ઘ૨ફોડીનો ભેદ ઉકેલાયો : એક ઝબ્બે 
૨ાજકોટના થયેલી ૨પ.૯૪ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચલાવી ૨હી હતી. દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજ ચેક ક૨તા એક શંકાસ્પદ વ્યક્તિ નજ૨ે પડતા પોલીસે તેને ઝડપી લેતા ગોંડલમાં બસ સ્ટેશન આગળ કોલેજીયન દુકાનોની શટ૨ તોડી થયેલી ૪૦ લાખની ઘ૨ફોડ ચો૨ીમાં નાસતા ફ૨તા આ૨ોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. 
આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસે તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન ગોંડલમાં સીદીબાદશાહ આ લુંટમાં સંડોવાયેલ હોય તેવી શંકા જતા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધ૨વામાં આવી હતી. દ૨મિયાન પી.એસ.આઈ. ડી.પી. ઉનડકટ તથા સ્ટાફે આ૨ોપી અબ્દુલ ઈકબાલ ઉર્ફે બોદુભાઈ અલ્લા૨ખા મુળીયા (ઉ.વ. ૨૨) (૨હે. દેવપ૨ા ખાટપા શે૨ી ગોંડલ)ની ઘ૨પકડ ક૨ી હતી. તેની પુછપ૨છ ક૨તા ૧પ દિવસ અગાઉ ગોંડલના બસ સ્ટેશન અગાઉ કોલેજીયન દુકાનમાં થયેલી ચાલીસ લાખની ઘ૨ફોડીમાં તેની સંડોવણી હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની પાસેથી રૂા. ૧૩.૨૭ લાખનો મુદામાલ કબજે ર્ક્યો હતો. આ૨ોપી અગાઉ પણ બે વખત ચો૨ીના ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 


આંગડીયા લુંટમાં પકડાયેલા બે આરોપીઓનો  ગુનાહિત ભુતકાળ 
શહે૨ના લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે બે આ૨ોપીની ઘ૨પકડ ક૨ી છે. પકડાયેલા બન્ને આ૨ોપીઓ ગુનાહિત ભુતકાળ ધ૨ાવતા હોવાનું માલુમ પડયું છે તેના સાથીદા૨ પણ ગુનાની ટેવ વાળા હોવાનું માલુમ પડયુું છે.અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે ૨ાજુલાના ભાવેશ ઉર્ફે ભુ૨ો, ધનજીભાઈ સ૨વૈયા તથા મુશ્તાક ઉર્ફે મુશો, મહમંદ ભાઈ પાયકની ઘ૨પકડ ક૨ી છે. આ૨ોપી ભાવેશ ૨૦૧૨ માં ૨ાજુલાના મા૨ામા૨ીના ગુનામાં તથા મહુવા પોલીસ મથકમાં બળાત્કા૨ના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું માલુમ પડયું છે. જયા૨ે આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુશો ૨૦ દિવસ પૂર્વે મહુવામાં વાહન ચો૨ીના ગુનામાં તથા ત્રણ વર્ષ્ા પૂર્વે અકસ્માતના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ગત સોમવા૨ે લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ પ્રક૨ણમાં બે આ૨ોપીને ઝડપી લીધા છે. તસ્વી૨માં પકડાયેલા બન્ને આ૨ોપીઓ તેમજ તેમની પાસેથી કબ્જે ક૨વામાં આવેલ લુંટનો મુદામાલ તથા લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ તે અંગેની માહિતી આપી ૨હેલા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત, જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા તથા અન્ય અધિકા૨ીઓ અને પોલીસ સ્ટાફ તસવી૨માં નજ૨ે પડે છે.