જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે..
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી રવિવારને તા.20.12. ના રોજ જેતપુરના માજી ધારાસભ્ય સ્વ.રમણી કભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ રાજકોટ અને રાહત સમિતિ જેતપુરના સહયોગ વચ્ચે અહીંના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાત્તિની વાડી ખાતે સવારના 8:30 કલાકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કેમ્પમાં રાજકોટ, જેતપુરના ખ્યાતનામ તબીબો પોતપોતાની સેવાઓ આપશે. જેઓને બિરદાવવા શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષ પંડયા વિગેરેએ જણાવ્યું છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812