અનુયાયીઓ

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય

શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુર તા.૨૬

જેતપુરમાં સતત ૭ માં વર્ષે પટેલ સમાજના ભાઈ બહેનો માટે લેઉવા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય શરદોત્સવનું આયોજન કરાયું છે. તા.૨૫ થી શરુ થયેલ શરદોત્સવનો આજે ૨૭ મી એ છેલ્લો દિવસ છે. અહી આયોજકોના કહેવા મુજબ મન મુકીને પટેલ સમાજના ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમી રહ્યા છે. જુનાગઢ રોડ પર ચમુદા માતાજીના મંદિર સામેના શિવકૃપા નગરમાં ચાલતા આ દાંડિયારાસના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત થઇ રહ્યા છે. આજે આયોજનના અંતિમ દિવસે પણ પટેલ સમાજના ભાઈ બહેનોએ રાસ ગરબા રમવા આયોજક ટીમે અનુરોધ કર્યો છે.


ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


૪ વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ થયા બંધ કરી દેવાતા રજુઆતો..

જેતપુર તાલુકાના ચારણીયા ગામની

૪  વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ

થયા બંધ કરી દેવાતા રજુઆતો...

જેતપુર તા. ૨૬

જેતપુર તાલુકાના ચારણીયા ગામની ૩ વિધવા મહિલાઓની વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા બંધ કરી દેવતા વિધવા મહિલાઓને મદદ કરવા ઇચ્છુકોએ લાગતા વળગતા સત્તાધીશોને રજુઆતો કરી છે.

આ અંગે ચારણીયાના રઘુભાઈ જીવાભાઈ રાઠોડે જેતપુરના મામલતદાર, કલેકટર તેમજ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ કાર્યવાહકોને લેખિત રજુઆતો કરી જણાવેલ છે કે તેઓના ગામના મંજુલાબેન મેસુરીયા(ખાતા નંબર ૨૦૦૧૮૦), સવિતાબેન રાઠોડ(૨૦૦૫૧૫),  મુક્તાબેન સોલંકી(ખાતા નંબર ૨૦૧૫૫૦)ને તથા મુક્તાબેન એલ.(ખાતા નંબર ૨૦૧૮૪૧) મળતી નિરાધાર વિધવા પુનઃ વસવાય માટેની નાણાકીય વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા મળતી બંધ થઇ ગઈ છે. લાભાર્થી વિધવા મહિલાઓએ જણાવેલ કે તેઓને ક્યા કારણસર સહાય બંધ કરાઈ ?  આ બાબતે સંબંધિતોને રજુઆતો કરાતા ક્યાયથી પણ કોઈ યોગ્ય જવાબ મળતો ના હોવાનો રઘુભાઈનો આક્ષેપ લાગતા વળગતા ઉચ્ચ સત્તાધીશોએ તપાસવો જોઈએ તેવી માંગ કરાઈ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨