અનુયાયીઓ

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાંથી શ્રદ્ધાળુઓના તડફડાવેલા 9 મોબાઈલ ને રોકડ સાથે ગોંડલની ત્રિપુટીને જેતલસર નજીકથી ઝડપી લેતી તાલુકા પોલીસ


જેતલસર તા.16
જેતપુર તાલુકા પોલીસે આજે સાંજે જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી મેળો માણવા આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ચોરીને જેતપુર તરફ આવતી ગોંડલની તસ્કર ત્રિપુટીને જેતપુર તાલુકા પીએસઆઈ કરમટીયા સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સાંજે છ વાગ્યે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, સ્ટાફના ભુરાભાઈ, ગૌત્તમભાઈ, મજનુભાઈ જેતલસર નઝીક ચોકી ધાર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા.
આવા સમયે જુનાગઢ તરફથી આવતી જીજે 7વી 5149 નંબરની ઓટો રિક્ષાને રોકી તલાશી લેતા પોલીસે જુદી જુદી કંપનીના 9 મોબાઈલ(કી.રૂ.50000) તથા રૂ.4050-00 રોકડ મળી આવતા પોલીસે રીક્ષામાં બેઠેલા 3 તસ્કરો સામે લાલ આંખ કરતા આ તસ્કર ત્રિપુટીએ તેઓના નામ વિજય પરેશ પરમાર-કોળી, સાગર રામજી દેવીપુજક તથા અનીલ કિશોર દેવીપુજક(રહે.ત્રણેય ગોંડલ)ના હોવાની કબુલાત આપતા પોલીસે રોકડ તેમજ મોબાઈલ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

બોક્સ: શીવરાત્રીના મેળામાંથી મોબાઈલ ચોર્યા !
જેતપુર : જીવમાં શિવ એવી ભક્તિથી જૂનાગઢમાં લાખો શિવભકતો કીડીયારુની માફક ઉમટી પડ્યા છે. ત્યારે ચિક્કાર ગીર્દીનો લાભ લઇ ઉપરોક્ત તસ્કર ત્રિપુટીએ શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ તડફડાવ્યા હોવાની કબુલાત આપી હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812
 

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ
જેતપુર તા.16
જેતપુરના વીરપુર ગામેથી ગત મોડી રાત્રીના એક પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થયાની તેણીના સાસુએ વીરપુર પોલીસમાં જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના રાધાકૃષ્ણ નગરની શેરી નં.1 માં, શાંતિભાઈ કોળીના મકાનમાં રહેતા અજયભાઈ રામભાઈ આહીર ગઈકાલે ડમ્પર લઈને ઉપલેટા રેતી ભરવા ગયા હતા. પાછળ તેમની પત્ની કૃપાબેન (ઉ.વ.22) એકલા હતા. દરમિયાન ઉપલેટાથી પરત આવી અજયે તપાસ કરતા જીવનસંગીની ક્યાય ના દેખાતા બધે તપાસ કરી હતી. છતાં ક્યાય પત્તો ના લાગતા હંશાબેન રામભાઈ આહીર(રહે.રાજકોટ) એ પોતાની પુત્રવધુ ગુમ થયાની વીરપુર પોલીસમાં જાણ કરતા એએસઆઈ બી.એ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812 

KASHYAP JOSHI JETALSAR

જેતપુરના ચારણસમઢીયાળા ગામે વાલ્મીકી 
સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળા  ગામે આગામી 10.5.2015 ના રોજ ગ્રામ્ય વાલ્મીકી યુવા ગ્રુપ દ્વારા માત્ર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 13 યુગલોને જ આ સમૂહ લગ્નમાં જોડવાના હોય, 30.3.2015 સુધીમાં લગ્ન ફોર્મ ભરી ગ્રુપના પ્રમુખ મનજીભાઈ ઘાવરી અશોક ઘાવરીનો ચારણસમઢીયાળા ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગ 
જેતપુર બાર અશોસિએશનના પ્રમુખ પ્રકાશ પારગીનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર 
જેતપુર તા.16
રાજ્ય સરકારના મહેસુલ ખાતાએ જાહેર કરેલ પરિપત્રમાં હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા પાછી શરુ કરવા જેતપુર બાર એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ પારગીએ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગામ નમુના-6 એટલેકે હક પત્રકે કોઈ પણ નોંધ દાખલ કરવા માટે અરજી કરાય ત્યારે આ નોંધ સામાન્ય કારણો હોય તો રદ કરવાની પ્રથા અને અને વાજબી જણાય તો નામંજૂર કરવાની એમ બંને પ્રથા હતી.
પરંતુ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના તા.17.2.14 ના પરીપત્રથી હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા કાઢી નાખવામાં આવી છે. અને તેને બદલે કોઈ પણ વાજબી ના જણાય તો નામંજૂર જ કરવી તેવો નિર્યણ લેવાયો છે.
સરકારના આવા નિર્ણયને કારણે પ્રાંત કચેરીમાં અપીલોના ઢગલા થઇ રહ્યા છે. સામાન્ય અપીલોનો પણ એક વર્ષ પછી નિકાલ આવતો હોય છે. એટલુજ નહિ પ્રાંત અધિકારી પણ બોજ તળે આવી જાય છે. ત્યારે ઉપરોક્ત પરિપત્ર રદ કરી નોંધ રદ કરવાના વિકલ્પવાળો અધિકાર રેવન્યુ ઓથોરીટીને આપવો જરૂરી છે. તેમજ હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ શરુ કરવા માંગ કરી છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812