અનુયાયીઓ

રવિવાર, 22 નવેમ્બર, 2015

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫

અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫ 
જેતલસર :
               જેતલસર(જંકશન) નિવાસી નિવૃત રેલ કર્મચારી નટવરલાલ ઓધવજીભાઈ જોશીના પત્ની હંસાબેન(ઉ.વ.૭૬) તે ગીતાબેનના માતુશ્રી તા.૨૧ ના રોજ અવસાન પામેલ છે.
                                                    કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર

જેતપુરના સ્ટેશનવાવડી ગામે તુલસી વિવાહની ઉજવણી
જેતપુર તા.૨૨
જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે આજે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી તુલસીવિવાહ ધામધુમથી ઉજવાયા હોવાનું ગામના સરપંચ શિવલાલભાઈ ભુવાએ જણાવ્યું હતું.
(ફોટો : હિતેશ સાવલિયા જેતપુર ) 
 

જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર

મતદારો કહે છે વિઠ્ઠલભાઈ કમળ મુરઝાવા નહિ ધ્યે, જગાભાઇ હાથને નબળો નહિ પડવા ધ્યે !!
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તા.૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભલે ઉમેદવારો કાટેકી ટક્કર જેવો જંગ ખેલી રહ્યા હોય, હકીકતમાં ઉમેદવારોને સાઈડમાં રાખીએ તો અહીનો ચુંટણી જંગ ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના જગદીશભાઈ પાંભર એમ બે બાહુબલીઓ વચ્ચેનું ધમાસાણ હોવાનું રાજકીય આગેવાનો કહે છે. 
બંને રાષ્ટ્રીય પક્ષોના જોરસોરથી થઇ રહેલા પ્રચાર પણ બંને પક્ષોના વજનદાર ઉમેદવારો પક્ષપલટો કરી એકાબીજા પક્ષો સામે બળાપો કાઢી રહ્યા છે.
પોરબંદરના સાંસદ અને રાજ્ય મંત્રી જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા એવું કહી રહ્યા છે કે, અનામત મળી જવાની આશાએ મતદારો હાથને મજબુત બનાવવા મથશે તો આ માન્યતા ખોટી પડશે. જયારે શહેરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર કહે છે કે જેતપુર તાલુકામાં સહકારી મંડળીઓમાં થયેલા વ્યાપક ગોટાળાઓ જમીનમાં ધરબી દઈ ખેડૂતો સાથેજ અન્યાયી પગલું ભરાવતી કમળની સરકારને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. અને એટલેજ ભાજપને બાય બાય કરી અનેક સહકારી આગેવાનો, hyapકાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આ આગેવાને જેતપુર તાલુકાભરમાં રેશમડી ગાલોળ, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોળ, કેરાલી વેગેરે ગામોમાં રાત્રીના જઈને સભાઓ યોજતા તેઓના હરીફ પક્ષને માણસોએ રીતસરનો વગોવી હાથને જંગી બહુમતીથી જીતાડવાના કોલ આપ્યા છે. તો ભાજપના આગેવાનો કહે છે કે, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો પર કમળને મુરઝાવા નહિ દઈએ.

આ લખાય છે ત્યારે રેશમડી ગાલોળમાં સભા દરમિયાન જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ પાંભર, નીલેશ પંડયા, ધીરુભાઈ અને ભાનુભાઈ પાઘદાર વિગેરે આગેવાનોની હાજરીમાં થાણાગાલોળ બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ વઘાસીયાએ  પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે. દાવા પ્રતિદાવા સાથે બંને પક્ષના આ બંને બાહુબલીઓએ પોતપોતાની તાકાત કામે લગાડી પોતાના ઉમેદવારોને જીતાડવા કમ્મર કસી રહ્યા છે. ૨૯ મી નવેમ્બરે ચૂંટણી બાદ એવીએમ મશીનમાં કેદ ઉમેદવારોના નશીબ કેવા સાબિત થશે ? કોણ જીતશે કે હારશે ? તે મતગણનાના દિવસે સાબિત થઇ જશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની ૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !

જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો 
તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની 
૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !
જો કે પાટીદાર અનામત ફેક્ટર કામ કરી જશે તો ખાટશે કોંગ્રેસ, હારશે ભાજપ ??

જેતપુર તા. ૨૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકોની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણીમાં એકાબીજાને હરાવવા મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્સ ઉમેદવારોએ મતદારો સમક્ષ રીતસરની કવાયત આદરી પોત પોતાને સૌપ્રથમ વાર અથવા તો વધુ એકવાર તક અને મત આપવાની માંગણીઓ દોહરાવી રહ્યા હોય, મતદારો ઉચાટ ભરેલી હાલતમાં હાલ તો તમામ ઉમેદવારોને મત આપવાની હા પાડી રહ્યા છે. વર્ષો જૂની એક લોકવાયકાને ધ્યાને લઇએ તો '' મતદારો બધા ઉમેદવારોના ગાંઠીયા-ભજીયા ખાય, પણ મત કોને આપશે તે વાત કોઈ ના કળી શકે. આમછતાં બુદ્ધિજીવી રાજકારણીઓના એવા અનુમાનોને અત્યારે પ્રબળ બળ મળી રહ્યું છે કે, અનામતથી નારાઝ પાટીદારો, પોતાનો હક્ક મેળવવા વર્તમાન સરકારથી નારાઝગી જતાવે અને ચમત્કાર સર્જે તો ''પંજો'' ''ફૂલ''ની હાલત બગડી નાંખે તેવી શક્યતાઓ બળવત્તર બની શકે !?

જો કે ચુંટણી પરિણામો દરમિયાન જ આવા તમામ પ્રશ્નાર્થો, જે તે પક્ષની હાર જીતના ઉદ્ગારો કે પૂર્ણવિરામમાં ફેરવાઈ જતા હોવાની વાત પણ મારે, તમારે અને આપણે સૌએ સ્વીકારવા સિવાય પણ છૂટકો નથી. ઉમેદવારો અને મતદારોની ચુંટણી અને મતદાન પરત્વેની આવી માનસિક સ્થિતિ જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ પર નજર કરીએ તો જેતપુર તાલુકા  જેતપુર તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકો( જો કે એક બેઠક અમરનગર બિનહરીફ(ભાજપ) થઇ ગઈ છે) ના ૬૧ ઉમેદવારો અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી ચુંટણી લડનારા ૧૨ ઉમેદવારોના હાર જીતનો ફેંસલો આગામી ૨૯-૧૧-૨૦૧૫ નારોજ જેતપુર તાલુકાના ૯૭૦૫૮(સત્તાનું હજાર, અઠ્ઠાવન ) મતદારો કરશે. 

-------------------------------------------
જેતપુર મત વિસ્તારમાં રાજકોટ જીલ્લા પંચાયતની
૪ બેઠકો પર કોણ કોણ લડશે ચુંટણી !
------------------------------------------
૬ - બોરડી સમઢીયાળા બેઠક : 
નીતાબેન રમેશભાઈ રૈયાણી(જેતલસર), 
હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ(જેતલસર)

૩૬ - વીરપુર(જલારમાં) બેઠક : 
ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા(વીરપુર), 
રામજીભાઈ બચુભાઈ સરવૈયા(ઉમરાળી), 
વિપુલભાઈ ભીખુભાઈ ધડુક(પીઠડીયા), 
જનકભાઈ રવજીભાઈ ડોબરિયા(વીરપુર)

૩૩ - થાણાગાલોળ બેઠક :
ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા(દેવકીગાલોળ)

૨૫ - પેઢલા બેઠક : 
કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(મંડલીકપુર ),
શુભાશ્ચન્દ્ર કે.બામ્ભ્રોલીયા(લુણાગરા),
કેશુભાઈ હીરાભાઈ સરવૈયા(મંડલીકપુર ),
ગોવિંદ પ્રાગજી ડોબરિયા(સરધારપુર)
-------------------------------------------------------------------------------------------------------


જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર કોણ કોણ ઉમેદવારો ?
--------------------------------------------------
પેઢલા બેઠક :
અમરાભાઈ દાનાભાઈ સારીખડા(પેઢલા),
અશોક હમીર વાલેરા(પેઢલા)
કાન્તિલાલ દેવાભાઈ બગડા(ટીંબડી),
જગદીશભાઈ ધનજીભાઈ વાલેરા(પેઢલા),
રૂડાભાઈ બધાભાઈ સિંગલ(જૂની સાંકળી),


૫ - ચારણીયા બેઠક :
જાગૃતિબેન ભાવેશભાઈ હિરપરા(ચારણીયા),
નિર્મલાબેન ભાનુભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા)


૬ - દેવકી ગાલોળ બેઠક :
કંચનબેન રઘુભાઈ કયાડા(દેવકી ગાલોળ),
ધારાબેન સુરેશભાઈ કયાડા(દેવકી ગાલોળ),
રેખાબેન કમલેશભાઈ ખુમાણ(ખારચિયા)


૧૦ - ખીરસરા બેઠક :
ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટ(દેરડી),
નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા(ખજૂરી ગુંદાળા)


૧૫ - પીઠડીયા બેઠક :
દામજીભાઈ કાનજીભાઈ સખીયા(પીઠડીયા),
નારાદભાઈ શંભુભાઈ દાવરા(પીઠડીયા),
વજુભાઈ ખીમજીભાઈ ધડુક(પીઠડીયા),
શાન્તીરામભાઈ પ્રભુદાસભાઈ ગોન્ડલીયા(સેલુકા)


૧૬ - થાણાગાલોળ બેઠક :
અશોક ભગવાનજી ઉંધાડ(થાણાગાલોળ),
મુકેશ બચું ઉંધાડ(થાણાગાલોળ),
ભરત દામજી વઘાસીયા(રેશમડીગાલોળ),
હીરાલાલ નારણભાઈ મકવાણા(થાણાગાલોળ) 


૧૭ - ઉમરાળી બેઠક :
ગોપાલ હરેશ મકવાણા(ઉમરાળી)
ભાવનાબેન ભુપતભાઈ સોલંકી(વાળાડુંગરા),
ગાંડુ કરશન રાઠોડ(વાળાડુંગરા),
નીલેશ નારણ વિરડીયા(ઉમરાળી)


૧૮ - વાડાસડા બેઠક :
ભરતભાઈ જીલુભાઈ ધાધલ(મોણપર),
મનસુખભાઈ રુખડભાઈ યાદવ(ખજૂરી ગુંદાળા),
સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા(વાડાસડા),
ચંદુભાઈ રવજીભાઈ કરકર(વાડાસડા)


૧૯ - વીરપુર બેઠક :
વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા(વીરપુર),
હીનાબેન રાજેશભાઈ બારૈયા(વીરપુર)


૨૦ - વીરપુર બેઠક :
દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા(વીરપુર),
સંજયભાઈ ચંદુભાઈ વઘાસીયા(વીરપુર)


૨ - આરબ ટીંબડી બેઠક :
ઉષાબેન હરસુખભાઈ ગુજરાતી(બાવા પીપળીયા),
લાભુબેન સુરેશભાઈ મોરબીયા(આરબ ટીંબડી)


૩ - બોરડી સમઢીયાળા બેઠક :
કાંતાબેન ભીમાભાઇ ગોહેલ(બોરડી સમઢીયાળા)
હંસાબેન દેવશીભાઈ રાઠોડ(બોરડી સમઢીયાળા)
લાભુબેન માધાભાઈ વેગડા(ચાંપરાજપુર)


૪ - ચાંપરાજપુર બેઠક :
કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા(ડેડરવા) 
જયેશભાઈ અરજણભાઈ મકવાણા(ડેડરવા) 
આલિંગભાઈ મેરામભાઇ બસિયા(ચાંપરાજપુર)


૭ - જેતલસર ગામ બેઠક :
કિરણબેન સુરેશભાઈ ભુવા(જેતલસર)
ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા(જેતલસર)
ઇન્દુબેન મુકેશભાઈ અગ્રાવત,
વિદ્યાબેન બચુભાઈ મુળિયા(પેઢલા),
સોનલબેન દિનેશભાઈ ભુવા(જેતલસર)


૮ - જેતલસર જંકશન બેઠક :
આરતીબેન રોહિતભાઈ સરવૈયા
રસીલાબેન મનસુખભાઈ ડાભી


૯ -કેરાળી બેઠક :
મંજુલાબેન આંબાભાઈ પરમાર(કેરાળી),
સગુણાબેન રમેશભાઈ વામજા(પ્રેમગઢ),
ગીતાબેન ભરતભાઈ ઠોળીયા(પ્રેમગઢ),
દિવાળીબેન પોપટભાઈ મકવાણા(કેરાળી)


૧૧ - મેવાસા બેઠક :
પ્રભાબેન રઘુભાઈ સાવલિયા(મેવાસા),
શિલ્પાબેન કેતનભાઈ હિરપરા(મેવાસા),
લક્ષ્મીબેન ખોડાભાઈ ટાલિયા(મેવાસા),
હીનાબેન પ્રતાપભાઈ લાલુ(રબારીકા),


૧૨ - મોટાગુંદાળા બેઠક :
પ્રિયાબેન ગોપાલભાઈ કોટડીયા(મોટા ગુંદાળા),
સવિતાબેન રમેશભાઈ અમીપરા(મોટાગુંદાળા)
કાંતાબેન રાજેશભાઈ સેંજલિયા(મંડલીકપુર)


૧૩ - પાંચપીપળા બેઠક 
જગદીશભાઈ શંભુભાઈ હિરપરા(પાંચ પીપળા,
રમેશભાઈ નાથાભાઈ મુળિયા(પાંચ પીપળા)
ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા(સરધારપુર)

----------------------------------------------------------------------------------------------------------------


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર