LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 14 ડિસેમ્બર, 2020
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન ...... મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે
વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે
દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે
રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન
......
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
..........
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે.
વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.
અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.
સી.એમ.-પીઆરઓ/અરૂણ ... ...
વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે
- ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે
- વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અબ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો
શિલાન્યાસ કરશે
- દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન
પ્લાટનું ભૂમિપૂજન કરશે
- રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧૨૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે.
વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના | ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની | ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના | તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.
અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં | આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.
સી. એમ. -પીઆરઓ/અરૂણ ...
ઘંટેશ્વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ
રાજકોટ - રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી. જુથમાં આવેલ બફેલ રેન્જ ખાતે એસ.આર.પી.જૂથના અધિકારીઓ/કર્મચારીઓનું તા.૨૮/૨/૨૦૨૧ સુધી ફાયરીંગ પ્રેકટિસ થઇ હોવાથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટની આજુ- બાજુના વિસ્તારમાં ઉપર તા.૨૮/૨/૨૧થી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપપિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા થયું સફળ ઓપરેશન
૦૦૦
ઇજાને કારણે બાળકીનો મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો
સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને મળ્યુ નવજીવન
રાજકોટ : અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપ પિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરાયુ છે. આ બાળકીને ઇજાને કારણે મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ છે.
અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતીબેન બધેકા કહે છે કે મે, ૨૦૨૦માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખસ ઉપાડી ગયો હતો. બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરીને આ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. અમરેલીના કલેકટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલીંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો.
આ ઘટનાના પાંચ માસ બાદ સપ્ટેમ્બર માસમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીના સ્ટાફ દ્વારા ફરી આ બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે તેની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.
રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી- સારવાર રાજકોટ સિવિલના પીડીયાટ્રીક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે.
આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના લાજવંતીબને બધેકા, મનિષાબેન ત્રિવેદી, યાસ્મીનબેન ઠેબા, વનિતાબેન ચૌહાણ, છાયાબેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી કિરણ મોરીના સયુંકત પ્રયાસોથી બાળકીને નવજીવન પ્રાપ્ત થયુ છે.
પારૂલ આડેસરા
માળીયા હાટીના સમસ્ત સમાજ માં ભભૂકીયો રોષ
માળીયા હાટીના એક તાલુકા નું સ્થળ છે. અંદાજીત 4 કી. મી. માં પથરાયેલ છે. અહીં સૂર્ય ગંગા ઘાટ આવેલ છે. અને ત્રિવેણી સંગમ નદી છે. ત્યાં સ્વામીનારણ ભગવાને સ્નાન પણ કરેલ છે. બહાર ના ઘણા હરિ ભક્તો અહીં સ્નાન કરવા અને દર્શન કરવા આવે છે.
માળીયા હાટીના તાલુકાનું સ્થળ હોવાથી અહીં સુવિધા નામે મીંડું છે અહીં અંતિમ રથ સુવિધા નથી અને સ્મશાન ખુબજ બિસ્માર હાલત માં છે. આ બાબત છેલ્લા ઘણા સમય થી બજાર માંલોકો મુખે ચર્ચા થઈ રહી છે કે હાલ સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો ને શુ ખબર નથી? માળીયા હાટીના માં સ્મશાન માં સુવિધા માં શુ ઘટે છે?
હરેક સમાજ ના માણસ નાત જાત ના ભેદભાવ વગર એકજ રસ્તે જવાનું હોય છે. સા માટે કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનો આ બાબતે ધ્યાન દેતા નથી
ચૂંટાયેલા પ્રતિનિધિ રૂપિયા મળે તેમાજ ગ્રાન્ટ ફાળવે છે. ? અગાઉ એક આગેવાન દ્વારા એક વર્ષ માટે અંદાજીત 500000/ ની ગ્રાન્ટ વાઇફાઇ વાપરવા માટે આપી હતિ પરંતુ આ ગ્રાન્ટ મીની અંતિમ રથ અથવા માળીયા હાટીના સ્મશાન માટે આપી હોત તો કાયમ લોકો યાદ કરતા હોત
છેલ્લે માળીયા હાટીના માં સૌ પ્રથમ મુસ્લિમ આગેવાન ના સરપંચ બન્યા ત્યારે ચાર્જ સાંભળતા માળીયા હાટીના હિન્દૂ સ્માશન સારી કામ ગિરી થઈ હતી ત્યારબાદ કોઈ પણ માળીયા હાટીના સ્મશાન કામ થયું નથી
જ્યારે ચોમાસુ આવે ત્યારે ખાટલી ઉપર પાણી પડે છે.ત્યારે ચિતા પણ ઠરી જાય છે. અને માળીયા હાટીના મોટા વિસ્તાર માં પથરાયેલ હોવાથી અંતિમ રથ ન હોવાથીલોકો ને સમશાને મૃતદેહ ને પોહચડવા ખુબજ મુશ્કેલ પડે છે.અંતિમ રથ ના હોવાથી માળીયા હાટીના ની પ્રજા માં ભભૂકીયો રોષ
જૂનાગઢ જીલ્લા નું તાલુકા નું ગામ માળીયા હાટીના છે તો એક સારું સ્મશાન નથી કે અંતિમ રથ નથી હાલ ઘણા નાના ગામ માં પણ સારા સ્મશાન છે. તોહવે જોવાનું રહેશે કે માળીયા હાટીના સારું સ્મશાન નિર્માણકરવા અને અંતિમ રથ માટે આવિસ્તાર ના સંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા, ધારાસભ્ય બાબુ ભાઈ વાજા અને ચૂંટાયેલા નાના મોટા આગેવાનો અને સામાજિક કાર્યકરો આગળ આવશે ? તે જોવાનું રહેશે
જો રાજકીય આગેવનો ને રસ ન હોય તો આવનારા દરેક સમાજ ના મોભી આગેવનો આગળ આવે ગ્રામજનો ની મિટિંગ બોલાવી સ્મશાન સારું બનાવવા અને અંતિમ રથ માટે સારો નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ
બહાર ગામ ના લોકો જ્યારે સ્મશાન(મુક્તિ ધામ) ની મુલાકાત લઈ ત્યારે રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યોકરો, દરેક સમાજ ના આગેવાની ની એક નોંધ લેવાય છે. સુ કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ સારું કામ કરવા વાળા નથી ? તેના માટે માળીયા હાટીના નો આબરૂ સવાલ થઈ રહ્યો છે જરાક કુદરત નો ખોપ રાખો દરેક ને એકજ રસ્તે જવાનું એટલે મુક્તિ ધામ માં આમા કોઈ એ પણ જાત ના પક્ષા પક્ષી વિના સાથે મળી કામ કરવું જોઈએ તેવી માળીયા હાટીના ની જાહેર જનતા ની બુલંદ માંગ છે.
માળીયા હાટીના સ્મશાન અને અંતિમ રથ માટે ગ્રામજનો એ અને આગેવાનો સારો લોકફાળો ભેગો કરી માળીયા હાટીના ના સરપંચ નટવરસિંહ સીસોદીયા ને આપી સારું બનાવવા સાથ સહકાર આપવો જેથી માળીયા હાટીના સારું સુવિધા વાળુ સ્મશાન અને અંતિમ રથ લઈ શકે આ વિકાસ ના કામ સૌ સાથ આપવા સહ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો.7575863292
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















