અનુયાયીઓ

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું 
બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ 
જેતપુર તા.૩
આજે સવારે જેતપુરના વીરપુર જલારામ નજીક એક ખાલી ટેન્કર વીજપોલ સાથે અથડાયું ત્યારે બનાવ સ્થળેથી એક અજાણ્યા યુવાનની લાશ પણ મળતા વીરપુર પોલીસના ફોજદાર ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરથી વીરપુર જતા વચ્ચે આવતા શ્રી ગણપતિબાપાનાં મંદિર સામે આજે સવારે રાજકોટ થી જેતપુર તરફ આવતા જીજે૧૮ એક્સ ૩૮૬૫ નંબરનું એક ખાલી ટેન્કર રોડ નીચે ઉતારી જઈ ધડાકાભેર એક વીજપોલ સાથે અથડાતા આજુબાજુનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતાજ ઘટના સ્થળે પહોચેલી વીરપુર પોલીસના ધ્યાને એક અજાણ્યા પુરુષની લાશ આવી હતી. બનાવ બાદ વીજશોકથી આ યુવાનનું મોત થયું છે કે ટેન્કર અકસ્માતથી ? મૃતક ટેન્કરનો ક્લીનર છે કે કોઈ રાહદારી ? વિગેરે બાબતોની તપાસ વીરપુર પોલીસના પીએસઆઈ ગોહિલે હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર અજાણ્યા મૃતકની લાશ હાલ વિરપુરના સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ છે. કોઈ વાલી વારસો હોય તો વીરપુર સરકારી દવાખાનાનો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ છે.

વીરપુરની પરિણીતાએ એસીડ પી લેતા ગંભીર 
જેતપુર તા.૩
વીરપુરની એક પરિણીતાએ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હોવાનું વીરપુર પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વિરપુરના દેવપરા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ દેગામાની પત્ની ભારતીબેન(ઉ.વ.૨૮) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. દરમિયાન ત્યાં ભારતીબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષનો લગ્ન ગાળો ધરાવતી ભારતીએ એસીડ પીવા પાછળ કોઈ ગૃહકંકાશ કારણભૂત છે કે બીજું કોઈ કારણ ? તે અંગે ફોજદાર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા
પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો 
જેતપુર તા.૩
લાયન્સ કલબ જેતપુર રોયલ દ્વારા તાલુકાના રેશમડી ગાલોળ ગામે પશુરોગ નિદાન અને સારવાર, શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થાના કાર્યવાહકોની જહેમત વચ્ચે ડો.રૂપાપરા, ડો.અસારી, ડો.સાવલિયા વી વેટરનરી તબીબોની સેવા દ્વારા ગામ તેમજ આજુબાજુના પશુ પાલકો પોત પોતાના બીમાર પશુની સારવાર તેમજ શસ્ત્રક્રિયા કરાવી હોવાનું પ્રમુખ રાણપરીયા, પ્રોજેક્ટ ચેરમેન આંબલીયા, ધીરુભાઈ રાણપરીયા વિગેરે જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 



અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬

અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬
જેતપુર : દશા સોરઠિયા વણિક સ્વ.શાંતિલાલ જીવણરામ વિરાણીના પુત્રી દીનાબેન ભાનુરાય બાબરિયા (રાજકોટ-ઉ.વ.૬૪) તે દીપકભાઈ વીરની(સ્ટેટ બેંક-નવાગઢ), કલાબેન(ગોંડલ), અંજનાબેન, કવિતાબેન(મુંબઈ)ના બહેન તા.૨૯ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા.૪ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, "શ્રીનાથજી", એ-૫૮, પંચવટી સોસાઈટી, ધોરાજી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતપુર : લાભુબેન તુલસીભાઈ માંડવીયા(ઉ.વ.૯૭) તે કાન્તીભાઈ, ગીરધરભાઈના માતા, જીતુભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈના દાદીમાં, ગીરીશભાઈ અને ગોપાલભાઈ હંસરાજભાઈ માંડવીયાના કાકી તા.૩ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૫ ને શુક્રવારે, સાંજના ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, ડોબરિયવાડી, અમરનગર રોડ, હરીવીલા એપાર્ટમેન્ટની બાજુમાં, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                 કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...

જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ 
બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...
જેતપુર તા.૩(કશ્યપ જોશી દ્વારા) 
જેતપુરના કણકિયા પ્લોટનો એક રોડ બનાવવા પાલિકા તંત્ર વર્ષો થયા જાણે મુહુર્ત શોધતું હોય તેમ તે રોડ બનાવાતો જ ના હોય આ રોડ પરના વેપારીઓ રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના કણકિયા પ્લોટમાં બસસ્ટેન્ડ રોડને સંલગ્ન સત્સંગ હોલ વાળો રોડ લાંબા સમય થયા અત્યંત જર્જરિત ને ધૂળિયો બની ગયો હોય મેડીકલવાળા જીતુભાઈ સહિતના વેપારીઓએ અનેક વખત જેતપુર નગર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત, મૌખિક રજુઆતો કરી છે.
પણ સંબંધિત તંત્ર આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરતા હોવાનો વેપારીઓને આક્ષેપ છે. ફરિયાદી વેપારીઓ એમ પણ જણાવે છે કે આ રોડ સામેનો નાગરિક બેંકવાળો રોડ તાજેતરમાં બીજી વખત બનાવીને તંત્રએ સત્સંગ હોલ વાળા રોડ પરના વેપારીઓ, હોસ્પિટલસુત્રો અને ધંધાર્થીઓ  સાથે ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનું સાબિત થઇ રહ્યું છે. આ વાતના ફરિયાદી વેપારીઓએ એવી પણ ચીમકી ઉચારી છે પાલિકા તંત્ર આ બાબતે કઈ જલ્દી નિર્ણય નહિ લ્યે તો વેપારીઓને ના છુટકે  આંદોલન
છેડવું પડશે. પ્રસ્તુત તસ્વીરમાં સત્સંગ હોલ વાળો ધૂળિયો રોડ દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં પણ ઝળકી

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી 
નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની 
ખેલ મહાકુંભમાં પણ ઝળકી 
કુ.આસ્થા જીલ્લા કક્ષાએ પણ દોડમાં મેદાન માર્યું !
જેતપુર તા.૩
જેતપુરના નવાગઢમાં રહેતી અને અહીની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કુ.આસ્થા હિતેશભાઈ રાવલે અગાઉ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં તેજસ્વી દેખાવ કર્યા  બાદ કેન્દ્રીય  વિદ્યાલય સંગઠન દ્વારા યોજાયેલ  દોડ સ્પર્ધામાં ૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રહ્મસમાજ, શાળા અને જેતપુર નવાગઢનું ગૌરવ વધાર્યું હતું.
તો તાજેતરમાં ગોંડલની એશિયાટિક કોલેજ ખાતે જીલ્લા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય નંબરો મેળવી પુનઃ આગામી ખેલમહાકુંભમાં જોડાવાની પાત્રતા હાંસલ કરતા કેન્દ્રીય વિદ્યાલય તેમજ જેતપુર-નવાગઢ શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. કુ.આસ્થા રાવલે દોડ સ્પર્ધા ક્ષેત્રે વખતો વખત પોતાની ચિત્તા સ્ટાઈલ દોડ સાબિત કરવાનું ચાલુ રાખતા જેતપુર બ્રહ્મસમાજના ભામાશા વી.આઈ.પંડ્યા, બ્રહ્મસમાજના આગેવાનો કમલેશભાઈ પંડ્યા, કાળુભાઈ જોશી, કશ્યપ જોશી વિગેરેએ આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..
પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ મરીન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.  જેમાં આ વર્ષે જેતપુરના પેઢલાની ધવલ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.અરબી સમુદ્રમાં ડની આઈલેન્ડ પોઈન્ટ પર રાખવામાં આવેલ આ કેમ્પ દરમિયાન વિવિધ દરિયાઈ પ્રજાતિઓ જેવી કે ઓક્ટોપસ, ડોલ્ફિન, કોરલ્સ, શંખ કરપ્સ, લાઈવ શટલફીશએગ અને પફર ફીશ વિગેરેનો નજરોનજર લહાવો લઈને અભ્યાસ કર્યો હતો.
આ  મરીન એક્સપર્ટ અને એનજીઓ ના મેનેજીંગ ડીરેક્ટર રવિ વાઢેરે દરિયાઈ વનસ્પતિ શેવાળ અને પરવાળા વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. (ફોટો : કશ્યપ જે. જોશી - જેતપુર )