અનુયાયીઓ

રવિવાર, 17 જૂન, 2012

રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવાસદન ધોળકાનું લોકાર્પણ

રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવાસદન ધોળકાનું લોકાર્પણ -
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
સર્વાંગીણ વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે - શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
૨૦ વહીવટી કચેરીઓની કામગીરી તરીક જ સદનમાં
અમદાવાદ જિલ્લાનાં તાલુકાઓ પૈકી વિવિધ સરકારી કચેરીઓના મધ્યસ્થીકરણનાં
ઉદ્દેશથી સરકાર દ્વારા રાજ્યના આઠ તાલુકાઓ પૈકી જિલ્લાના ધોળકા મુકામે
તાલુકા સેવાસદન ધોળકાના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત ધોળકા તાલુકા સેવાસદનના લોકાર્પણ
સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા માર્ગ મકાનમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
જણાવ્યું હતું કે, ટીમ તાલુકા દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો
સમાજની ઝડપી અને યોગ્ય સેવા દ્વારા કર્મયોગીઓ સાકાર કરશે. અઘતન તાલુકા
સદનમાં મામલતદાર, એ.ટી.વી.ટી, જન સેવા કેન્દ્ર, સીટી સર્વે, ટ્રેઝરી,
પ્રાંત કચેરી, નર્મદા, ઇરિગેશન, આઇ.સી.ડી.સી., વન વભિાગ જેવી ૨૦ કચેરીઓની
કામગીરી એક જ સ્થળેથી પૂર્ણ થશે, જેથી નાગરિકોના નાણાં અને સમયની બચત
થશે.

કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર છે - શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા

કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર છે -
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
૨૦૧૨થી રૂા.૨૦૦૦ના વિઘાલક્ષ્મી બોન્ડ અને ધો-૮ પ્રવેશ પર રૂા.૩૦૦૦ના બોન્ડ અપાશે
કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવે સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર
છે એમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ નાઝ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ
પ્રસંગે જણાવ્યું હતું.
દસક્રોઇ તાલુકાના નાઝ ગામે નાઝ પ્રાથમિક શાળામાં ધો-૧માં કુલ ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
સરકાર જનભાગીદારી દ્વારા શાળા પ્રવેશોત્સવનો દશાબ્દી મહોત્સવ મનાવી રહ્યા
છીએ. રાજ્યની ૩૩ હજાર શાળાઓમાં આજે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થશે.
સૌના અથાગ પરિશ્રમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શાળામાં ૧૦૦ ટકા
નામાંકન અને નિયમિતતાનો યશ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીને ફાળે જાય છે.
જેમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને જનભાગીદારીના દાતાશ્રીઓનો અમૂલ્ય
ફાળો છે.

રૂા.૨૩ કરોડનાં ખર્ચે વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર પહોળો કરાશે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કામનો પ્રારંભ કરાવ્યો

રૂા.૨૩ કરોડનાં ખર્ચે વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર પહોળો કરાશે
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કામનો પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધા સાથે ઔઘોગિક ક્ષેત્રે હોય કે માર્ગ-મકાન
ક્ષેત્રે સતત લોકહિતના કામો થતા રહ્યાં છે તેમ મહેસુલ મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલે વિરમગામ-બેચરાજીના ધોરીમાર્ગના રસ્તાના મજબૂતીકરણ અને ૧૦
મીટર પહોળા રસ્તાના કામોનું ખાતમૂહર્ત કરતા જણાવ્યું હતું.
રૂા.૨૩ કરોડના ખર્ચે ૪૩ કિલોમીટરના વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર
પહોળો કરવામાં આવશે જેનાથી માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ સુગમતા રહેશે.
સુપ્રસિધ્ધ બેચરાજી યાત્રાધામે આવતા ધસારા અને ઔઘોગિક વિકાસને ધ્યાને
લઇને આ માર્ગના મજબૂતીકરણ દ્વારા ટ્રાફિકને હળવો કરી શકાશે.
રાજ્યમાં માર્ગ વિકાસની સિધ્ધિઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ રાષ્ટ્રીય અને
રાજ્ય ધોરીમાર્ગોની વૈશ્વિક નોંધ લેવાઇ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય શ્રી
પ્રાગજીભાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના
પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા અધિકારીઓ ગ્રામજનો મોટી સખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.

તા. ૧૧ ઓગષ્ટા સુધીમાં અરજી કરવી ભારતીય આર્મીમાં વિવિધ ધાર્મિક શિક્ષકોની ભરતી

ભારતીય આર્મીમાં ધાર્મિક શિક્ષક (જુનિયર કમાન્ડીંવગ ઓફિસર) પંડિત,પાદરી,
બૌધ્ધં મોકની ભરતી થનાર છે. આ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને તબીબી ધોરણ
સાથે ભારતીય નાગરિકો ઉંમર વર્ષ ૨૭ થી ૩૪ વર્ષ (રેલીના પ્રથમ દિવસે) હોય
તો આગામી તા. ૧૧ ઓગષ્ટવ સુધીમાં અરજી કરી શકે છે. પંડિત માટે સંસ્કુ તમાં
મધ્યમમા/હિન્દી માંભૂષણ અથવા બી.એ. સંસ્કૃમત/હિન્દી્, પાદરી માટે
સત્યયમચર્ચ દ્વારા પાદરી તરીકે નિયુક્ત કરેલ હોય અને ચાલુ હોય તથા
બૌધ્ધામોક દ્વારા યોગ્ય સત્તાધીશો વિધિવત રીતે બૌધ્ધ ભિક્ષુની દીક્ષા
આપેલ હોય. ઉમેદવાર સાંસ્કૃૌતિક રીતે સ્વીવકાર્ય હોવો જોઇએ. ઉમેદવાર
શારીરીક તથા માનસિક રીતે સ્વી કાર્ય હોવો જોઇએ. તંદુરસ્તસ શ્રવણક્ષમતા,
પેઢા અને દાંત તંદુરસ્તો હોવા જોઇએ અને ગંભીર રોગથી મુકત હોવા જોઇએ. અરજી
મોકલવાનું સ્થૃળ Recruititng Officer, RO (HR) Head Quarters Recruiting
Zone No.3 Rajendra Sinhji Road, PUNE-411001 છે. વધુ માહિતી માટે
એ.આર.ઓ.-જામનગર (૦૨૮૮-૨૯૧૧૩૧૦)નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક
યાદીમાં જણાવાયુ છે.

અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાત માટે થનાર ભરતી
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાજ માટે ભરતી કરવામાં
આવનાર છે. સ્ટુગવર્ડ અને કુક્સ (એસ.એસ.સી. પાસ) તથા ટોપાઝ માટે (ધો.૬
પાસ) વયમર્યાદા ૧૭ થી ૨૧ વર્ષ (જન્મ્ તારીખ તા.૦૧/૦૪/૧૯૯૨ તી
તા.૩૧/૦૩/૧૯૯૬) હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ છે. વધુ
માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવા અથવા
www.nausena-bharti.nic.in ની મુલાકાત લેવા જિલ્લાર રોજગાર
કચેરી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.
અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં કરવી


નર્મદા શ્રમ અને સેવા શિબિર અંગે અરજી કરવા અંગે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃસત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા
આયોજિત નર્મદા શ્રમ અને સેવા શિબિર, કેવડીયા કોલોની-જિ.નર્મદા ખાતે
યોજવામાં આવનાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ
કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું નિરૂપણ કરી શકે તેવા શુભાશયથી
શ્રમ-સેવા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નર્મદા યોજના તથા
પર્યાવરણને લગતું શ્રમકાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત આ યોજના અંગેની
વિસ્તૃમત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન યોજવામાં આવશે. પસંદ થયેલ
ઉમેદવારોના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યનવસ્થાર
સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ માટે ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાં યુવક-યુવતિઓ પાસેથી અરજી મંગાવવામાં
આવે છે. આ અરજીમાં (૧) પુરૂં નામ, (૨) જન્મયતારીખ (ઉંમર સહિત), (૩)
શૈક્ષણિક લાયકાત, (૪)પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કામઉટ ગાઇડ,
હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લીધો
હોય તો તેની વિગત, (૫)પર્યાવરણ વિશેની સૂઝ, (૬)વાલીનો સંમતિપત્ર,
(૭)શારીરિક તંદુરસ્તીત ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાત
રમતગમત અધિકારીશ્રી, હોસ્ટે લ ગ્રાઉન્ડો, ભરૂચ-૩૦૦૦૦૧ને પહોંચતી કરવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યા‍ને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી

પી.વી.એમ હાઇસ્કુેલ ધ્વાઅરકાનું ગૌરવ
શ્રી પી.વી.એમ. હાઇસ્કુવલ ધ્વા રકાનુ માર્ચ ૨૦૧૨ માં લેવાયેલ એસ.એસ.સી.
નું પરિણામ ૬૮.૬૯ ટકા આવેલ છે. પ્રથમ નંબરે કારડીયા પ્રિયા ૮૭.૬૦ ટકા તથા
ઠાકર ખુશ્બુક ૮૫.૦૪ ટકા લાવી બીજા નંબરે ઉતિર્ણ થઇ શાળાનું ગૌરવ વધારેલ
છે.


મહાદેવીયા ગામે કોઝવેનું બાંધકામ કરાશે
કલ્યાવણપુર તાલુકાના મહાદેવીયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ
કરવામાં આવશે. સ્મજશાન જવાના રસ્તેા આ કોઝવેનું બાંધકામ ૨૦૧૨-૧૩ની
ગ્રાંટમાંથી કરવામાં આવશે.


આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી
અમરેલી આગામી ૨૪ કલાક દરમ્યા ન ગુજરાતમાં અમુક સ્થહળોએ હળવાથી મધ્ય મ
વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. આથી અમરેલી જિલ્લાુમાં
કન્ટીીજન્સીવ એકશન પ્લાયન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા મામલતદારોને
જાણ કરવામાં આવે છે. ઉપરાંત તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જિલ્લાલ
કંટ્રોલરૂમના સંપર્કમાં રહી જરૂરી માહિતી આપવા તેમજ જવાબદાર તથા
મામલતદારે હેડ કવાર્ટરમાં હાજર રહેવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં
જણાવાયુ છે.


શિક્ષણ વિના જીવનની પ્રગતિ શક્ય નથી-લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા
કૃષ્ણણગઢ ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ
૮ કન્યાગ તથા ૫ કુમારે શાળામાં અને ૪ કન્યાા અને ૩ કુમારે આંગણવાડીમાં
પ્રવેશ મેળવ્યોણ
અમરેલી
કૃષ્ણીગઢ ખાતે લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ રૂ.૨૫ લાખના ખર્ચે
તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કર્યુ હતુ અને ૮ કન્યાલ
તથા ૫ કુમારને કુમકુમ તિલક કરી કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યોલ હતો.
દીપપ્રાગ્ટય કરી સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ જણાવ્યુા હતુ કે, શિક્ષણ
વિના જીવનની પ્રગતિ શક્ય નથી આથી દરેક બાળક શિક્ષણ મેળવી આધુનિક યુગ સાથે
તાલ મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં ધો.૮ની સુવિધા પણ
ઉપલબ્ધત કરાવી છે.
સાસંદશ્રીએ ઉર્મેયુ હતુ કે, શાળામાં પ્રવેશ લેવો એ બાળકના શિક્ષણ જીવનના
પ્રારંભનો દિવસ હોય છે આથી શાળા પ્રવેશ એ ઉત્સ વ છે અને બાળક શાળામાં
રોતા-રોતા નહિ પરંતુ હસતા-હસતા આવે તેવા આશયથી શાળા પ્રવેશોત્સતવની ઉજવણી
કરવામાં આવે છે.
શ્રી કાછડિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વે શાળાઓમાં ડ્રોપ આઉટ દર
ઉંચો હતો પરંતુ રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિએસભર કાર્યશૈલી અને સમાજમાં
આવેલી જાગૃત્તિના કારણે ડ્રોપ આઉટ દર ઘટ્યો છે અને શાળામાં ૧૦૦ ટકા
નામાંકન થવા લાગ્યુય છે.
સાંસદશ્રીએ કૃષ્ણંગઢ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃજત્તિક હોલ અને પાણીની
વ્ય વસ્થા માટે રૂ.૬ લાખની ગ્રાંટ ફાળવી હતી. સાંસદશ્રીએ શાળાના
મેદાનમાં વૃક્ષારોપણ કરી શાળાને હરિયાળી બનાવવા આહવાન કર્યુ હતુ.
સાંસદશ્રીએ આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કર્યુ હતુ.
પૂર્વ સરપંચ શ્રી અરવિંદભાઇ કોઠિયાએ શાળાને રૂ.૪૦ હજારનું પ્રોજેક્ટર
અર્પણ કર્યુ હતુ.
વિદ્યાર્થીનિઓએ સાંસ્કૃદત્તિક કૃત્તિ તથા યોગ નિદર્શન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાા પંચાયત આરોગ્યત સમિતિ ચેરમેન શ્રી કમલેશભાઇ કાનાણી,
સરપંચશ્રી રાજાભાઇ રત્નાભાઇ, સાવરકુંડલા ભાજપ મહામંત્રીશ્રી વિઠ્ઠલભાઇ
વાડોદરિયા, સાવરકુંડલા યુવા ભાજપ મહામંત્રીશ્રી દિનેશભાઇ લાડુમોર, પૂર્વ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી નનુભાઇ શેલડિયા, જીલુભાઇ ધાધલ, સંજયભાઇ કોઠિયા,
હરેશભાઇ વાડોદરિયા, હરિભાઇ મુંજપરા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી તથા
ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ-૨૦૧૨ અંતર્ગત


રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે-ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝા
જાબાળ ખાતે ૧૪ કુમાર અને ૮ કન્યાખઓએ શાળા પ્રવેશ મેળવ્યો
૧૫ કુમાર અને ૧૧ કન્યા ઓએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યોળ
અમરેલી
ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝાએ સાવરકુંડલા તાલુકાના જાબાળ ખાતે ૧૪ કુમાર
અને ૮ કન્યાન તથા આંગણવાડીના ૧૫ કુમાર અને ૧૧ કન્યાડઓને કુમકુમ તિલક કરી
મો મીઠુ કરાવી શાળા અને આંગણવાડી પ્રવેશ કરાવ્યો૫ હતો.
દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખૂલ્લોલ મૂકતા શ્રી કમલકુમાર ઓઝાએ જણાવ્યુલ
હતુ કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. શિક્ષણનો પાયો પ્રાથમિક
શિક્ષણમાં રહેલો હોય પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવાની ભૂમિકા
શિક્ષકની છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્ત ર વધુ સારૂ બનાવવા
શિક્ષકોને વધુ પ્રયત્ની કરવાની આવશ્યકતા હોવાનુ ઉમેરી વાલીઓને
શિક્ષણયજ્ઞમાં સહભાગી બની અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપી
શિક્ષણની જ્યોત ઝળહળતી રાખવા સહભાગી બનવા અપીલ કરી હતી.
શ્રી ઓઝાએ વિદ્યાર્થીઓને સામાન્યત જ્ઞાન અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.
આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કરવામાં આવ્યુી હતુ. વિદ્યાર્થીઓએ યોગ
નિદર્શન તથા અભિનય ગીત રજૂ કર્યુ હતુ. ધો. ૫ થી ૭માં પ્રથમ થી તૃત્તિય
ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સારહિત કર્યા હતા.
આચાર્યશ્રી બાવલભાઇ નાવલપરાએ શાબ્દિક સ્વા ગત કર્યુ હતુ.
આ પ્રસંગે સરપંચશ્રી ચાંપરાજભાઇ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્યન શ્રી
કાળુભાઇ લુણસરા, ચંદ્રેશભાઇ બોરીસાગર, ચંદ્રેશભાઇ જાડેજા, અશ્વિનભાઇ
મહેતા સહિત શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિશત રહ્યા
હતા.

વાવાઝોડુ અને વિજળી ત્રાટકે ત્યાંરે આટલુ તો જરૂર કરો

વિજળી પોતાના માર્ગમાં આવતી કોઇ પણ વસ્તુે પર ત્રાટકે છે
વાવાઝોડુ અને વિજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના ઝબકારામાં
૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટા જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બટને
ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા કોઇ ગંભીર ઇજા પહોચાડવા માટે અથવા
કોઇનું મોત નીપજાવવા માટે પૂરતી ગણાય છે. વાવાઝોડા અને વીજળી બનાવ વખતે
કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી
બાબત છે કે તમારે તેના પ્રત્યેલ બેદરકાર રહેવું ન જોઇએ. જેથી આવા પ્રસંગે
તાત્કાળલિક સલામત આશ્રય શોધો. એક વાતની તકેદારી રાખો કે વીજળી પોતાના
માર્ગમાં આવતી કોઇપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે.
જયારે તમે વીજળી થતી જુઓ ત્યાીરે ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો.
વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો.
બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો.
વિજળીના વાહક બને એવી કોઇપણ ચીજ વસ્તુરથી દૂર રહોઃ- આવી બાબતોમાં ભઠ્ઠા,
રેડિયેટર, ચુલા, ધાતુની નળી, સિન્કન અને ફોનનો સમાવેશ થાય છે. વાવાઝોડું
તોફાન આવતુ હોય તે પહેલા જ પ્રકરણોના વાયર પ્લડગ માંથી કાઢી નાંખો. પરંતુ
તોફાન દરમિયાન તેમ કરવું નહીં.
ટી.વી.,મ્યુફઝિક સિસ્ટુમ, બ્લેાન્ડ ર, ઇસ્ત્રીા, હેર ડ્રાઇવર અથવા
ઇલેકટ્રીકલ રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લીગ સાથે ચાલુ હોય
તેનો ઉપયોગ કરશો નહીં. જો વિજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભાર વહન થઇને
તમારા સુધી પહોચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં.
વિજળી, બહાર આવેલી ટેલીફોન લાઇન પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મીપકતા હોય
તો તે પુરતુ જ ટેલીફોનનો ઉપયોગ કરો. સીન્કી, બાથ અને નળ સહિત નળીઓનો
સંપર્ક ટાળવો.
ઘરની બહાર હોવ ત્યાીરે, વીજળીથી બચી શકાય તેવો આશ્રય શોધો, મકાનો
આશ્રય માટે ઉત્તમ ગણાય. પરંતુ આવુ કોઇ મકાન આસપાસમાં ન મળે તો તમે કોઇ
બખોલ, ખાઇ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય
નહીં. ઉચ્ચાબ વૃક્ષો વિજળીને આકર્ષે છે. વૃક્ષોનો આશ્રય કયારેય લેવો
નહીં.
જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો, વાહનો વીજળીથી તમને સૌથી
સારૂ રક્ષણ પુરુ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં
રહો. જો આશ્રય ન મળી શકે તો તે વિસ્તાીરમાના ઉચ્ચાો માળખામાં આશ્રય લેવો
નહીં. આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉચાઇ થી બમણા અંતરે
ખુલ્લાામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસના જમીનના અંતરથી વધુ ઉચ્ચાો
માળખા ધરાવતા વિસ્તાઅરમાં આશ્રય લેવાનું ટાળો, લોકોના ટોળામાં રહેવાના
બદલે છુટા છવાયા વિખરાઇ જાઓ.
ધાતુનું આવરણ ધરાવતી ચીજ વસ્તુંઓનો ઉપયોગ કરવો નહીં. બાઇક, વીજળી અથવા
ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વિગેરે સહિત ધાતુની ચીજવસ્તુહઓથી
દુર રહો.
પાણીની બહાર નીકળી જાઓ. આમાં પાણીમાં રહેલ નાની હોડીઓ માંથી બહાર નીકળી
જવાનો સમાવેશ થાય છે. હોડી માંથી તાત્કા લિક બહાર નીકળીને પૂલ, તળાવ અને
અન્યા જળાશયો માંથી દૂર રહો.
જયારે તમને વીજળીનો ઝટકો લાગે ત્યારરેઃ-
જયારે તમારા માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યાવરે
વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાચલીક નીચા નમીને કાન
ઢાંકી દેવા. જમીન પર સુવુ નહીં અથવા જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળીનો આંચકો લાગેલ વ્યઉકિતને જરૂર જણાય તો સી.પી.આર. (કાર્ડીયો
પલ્મોઅનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઇએ. તાત્કા લીક
પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. તેમ ડિઝાસ્ટજર મામલતદાર જામનગરની
યાદીમાં જણાવ્યું છે.

જો શિક્ષકોની સાથે વાલીઓ પણ બાળકોના શિક્ષણમાં રસ કેળવે તો એ દિવસ દૂર નથી કે ગુજરાત ૧૦૦ ટકા સાક્ષર હશે - શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી ડો. હસમુખભાઈ અઢિયા ચોટીલા તાલુકાના કુંઢડા, હિરાસર, અકાળા, પિયાવા અને મોકાસર ગામો ખાતે ભૂલકાંઓને રંગેચંગે શાળા પ્રવેશ

સુરેન્દ્ર નગર
સુરેન્દ્ર નગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા, હિરાસર, પિયાવા અને
મોકાસર ગામો ખાતે ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી ડો. હસમુખભાઈ
અઢિયાએ શાળા પ્રવેશોત્સપવના આજે ત્રીજા દિવસે શાળામાં પ્રવેશપાત્ર
બાળકોને શૈક્ષણિક કિટ્સ એનાયત કરી શાળા પ્રવેશ કરાવીને તેમનું નામાંકન
કરાવ્યું હતું.
આ પ્રસંગે કુંઢડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ માં પ્રવેશપાત્ર ૧૩
બાળકો અને આંગણવાડીના ૧૩ બાળકોને શાળા પ્રવેશ કરાવતા ડો. હસમુખભાઈ અઢિયાએ
જણાવ્યું હતું કે, પ્રત્યેેક બાળક સુસંસ્કાણરિત શિક્ષણ મેળવી જીવનમાં
પ્રગતિ કરે તે માટે સરાકર કાર્યશીલ છે, ત્યાયરે શિક્ષકોની સાથે વાલીઓએ પણ
બાળકોના શિક્ષણમાં અને સર્વાંગી વિકાસમાં રસ કેળવવો જોઈએ. જો આમ થશે તો
હવે એ દિવસ દૂર નથી કે ગુજરાત ૧૦૦ ટકા સાક્ષર હશે. ડો. અઢિયાએ શાળા
પ્રવેશોત્સશવ કાર્યક્રમની ફલશ્રુતિ રજૂ કરતાં જણાવ્યુંુ હતું કે,
ગુજરાતમાં છેલ્લાંમ કેટલાક સમયથી શિક્ષણમાં એક મોટું પરિવર્તન આવી રહયું
છે. રાજય સરકારના પાછલા વર્ષોના શાળા પ્રવેશોત્સેવ કાર્યક્રમની ફલશ્રુતિ
રૂપે જિલ્લાયના અતિ પછાત એવા ચોટીલા તાલુકામાં સાક્ષરતા દરની નોંધાયેલી
ટકાવારી જોતા આ વિસ્તામરમાં પણ હવે ધીમે ધીમે શિક્ષણની ભૂખ જાગી છે. આમ
છતાં, આટલેથી સંતોષ ન માનતા હજુ દરેક સમાજે શિક્ષણને મહત્વા આપવું પડશે.
તેમણે આ વિસ્તાચરના વિવિધ સમાજને કેટલીક જૂની સામાજિક માન્યકતાઓને
તિલાંજલી આપી પ્રત્યેાક દિકરીઓને શિક્ષિત બનાવી શિક્ષણથી થઈ રહેલા
ચમત્કાિરિક ફાયદાઓનો લાભ લેવા અપીલ કરી હતી.


શિક્ષકો, વાલીઓએ બાળકોના અભ્યા સ માટે પૂરતી ચીવટ લેવી જોઇએ -પ્રાંત
અધિકારીશ્રી ડામોર ઘુળકોટ, બાદનપર, ફાટસર, કેરાળી, જીવાપરમાં શાળા
પ્રવેશોત્સભવ યોજાયો જોડિયા તાલુકાના ઘુળકોટ, બાદનપર, ફાટસર, કેરાળી,
જીવાપર ગામે શાળા પ્રવેશોત્સોવનો કાર્યક્રમ ધ્રોલના પ્રાંત અધિકારીશ્રી
આર.આર. ડામોરની અધ્યમક્ષતામાં યોજાયો હતો. જેમાં ધો.૧ માં ૬૬ અને
આંગણવાડીમાં ૪૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. હતો.
શ્રી ડોમોરે બાદનપરના શાળા પ્રવેશોત્સાવના કાર્યક્રમમાં કહયુ હતું કે
બાળકોએ અભ્યા સમાં પૂરતુ ધ્યા૬ન દેવુ જોઇએ. શિક્ષકો અને વાલીઓએ બાળકોના
અભ્યાશસ માટે પૂરતી ચીવટ લઇ સજાગ રહેવુ જોઇએ. બાળકોને અભ્યાડસનું મહત્વઅ
સમજાય તે માટે શાળા પ્રવેશોત્સેવ ઉજવાય છે.
શાળાના નવા ઓરડાનું લોકાર્પણ શ્રી ડામોરના હસ્તેા થયુ હતું. વિધાર્થીઓએ
સાંસ્કૃ તિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

જામનગર જિલ્લાડ પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૧૮ મી જુને
જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આગામી તા.૧૮-૬-૨૦૧૨ નાં રોજ
૧૧.૩૦ કલાકે જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં રાખવામા આવેલ છે. જેમાં
મહેસુલ શાખા સમક્ષ રજુ થયેલ બીન ખેતીની અરજીઓ પૈકીની જમીન મહેસુલ કાયદાની
કલમ-૬૫ હેઠળની અરજીઅો તથા કલમ-૬૭ હેઠળના કેસોનો નિર્ણય લેવામાં આવનાર છે.
જે અંગેના સંબંધિત અરજદારોને સદરહુ મીટીંગમાં રૂબરૂ હાજર રહેવા અલગ
પત્રથી જાણ કરવામાં આવેલ છે. તો સંબંધિતોએ આ મીટીંગમાં રૂબરૂ હાજર રહેવા
તથા તેઓની અરજીની સૈંધ્ધાંજતિક મંજુરી અંગેનો પત્ર રૂબરૂ તેજ દિવસે
મીટીંગનાં સ્થતળ ઉપરથી જ મેળવી લેવા જિલ્લાા વિકાસ અધિકારીશ્રી, જામનગરની
યાદીમાં જણાવવામાં આવે છે.

ખંભાળિયા તાલુકાના ભાડથર, લાલુકા, ભારાબેરાજામાં શાળા પ્રવેશોત્સાવની
ઉમંગભેર ઉજવણી
હેન્ડ લુમ કોર્પોરેશનના એમ.ડી.શ્રી ઝા દ્વારા બાળકોનું સ્વા‍ગત કરાયુ

ખંભાળિયા તાલુકાના ભાડથર, લાલુકા, ભારાબેરાજા, લાલપરડા અને ગોલણ શેરડીમાં
આજે ગુજરાત હેન્ડરલુમ અને હેન્ડીયક્રાફટ કોર્પોરેશનના એમ.ડી.શ્રી એ.કે.ઝા
દ્વારા પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં સ્વા્ગત કરી નામાંકન કરાયુ હતું.
પાંચ શાળાના કુલ ૧૧૯ નાના ભુલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શ્રી ઝાએ કહયુ
કે બાળકોને સંસ્કારર સાથે શિક્ષણ આપજો. આજના આ નાના ભુલકા ભવિષ્યેનાં
સારા નાગરિકો બને તે માટે શિક્ષકો વાલીઓ સહિત તમામ લોકો જાગૃત બને તે
આવશ્યક છે.


ભાડથર શાળામાં અભ્યાનસ કરી ૭ વિદ્યાર્થીઓ ડોકટર બન્યાા ભાડથરની સરકારી
પ્રાથમિક શાળામાં અભ્યા સ કરી ૭ વિદ્યાર્થીઓ ડોકટર બન્યાિ છે. સરપંચશ્રી
સામતભાઇ કંડોરીયાના જણાવ્યાા અનુસાર રૂડાચ હેમુ, રૂડાચ ભીખુ, કંડોરીયા
અરશી, ગોજીયા પરબત, કેશરીયા સાજણ, કંડોરીયા પરબત અને દુધરેજીયા નથુભાઇએ આ
શાળામાં અભ્યા સ કરી ડોકટર બની ભાડથરની શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ છે.
ઉપરાંત જોગલ લખુભાઇ અને ગોહીલ ચિમનભાઇ ગાંધીનગર ખાતે સચિવાલયમાં ઉચ્ચક
હોદાઓ પર ફરજ બજાવે છે. જયારે પોલીસ ઇન્પેગાં કટર જોગલ એફ.કે. પણ ભાડથર
પ્રા.શાળાના વિદ્યાર્થીઓ છે. આ શાળામાં અભ્યા સ કરી અનેક વિદ્યાર્થીઓ
ધંધા-વ્યસવસાયમાં શહેરોમાં સ્થા યી થયા હોવાનું સરપંચશ્રીએ વધુમાં
જણાવ્યુંછ હતું.

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી ગોવિંદભાઇ પટેલ સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપાધ્યાોય

શાળા પ્રવેશોત્સતવ એ બાળકોના જીવનનું યાદગાર સંભારણું છે. -ધારાસભ્યતશ્રી
ગોવિંદભાઇ પટેલ
સફળતા મેળવવા માટે શિક્ષણનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ઉપાધ્યાોય
રાજકોટ તાલુકાના ધો.૧ના તમામ બાળકો માટે રૂ. બે લાખ આપનાર દાતાશ્રી
પૃથ્વી રાજસિંહ જાડેજાનું વિશેષ સન્માાન રાજકોટ તાલુકાના માઘાપર ગામે
યોજાયેલો શાળા પ્રવેશોત્સમવ
રાજકોટ
રાજય વ્યાલપી શાળા પ્રવેશોત્સ વના અંતિમ ચરણ અન્વ યે રાજકોટ તાલુકાના
માઘાપર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સુવ કાર્યક્રમમાં ઘારાસભ્ય‍શ્રી
ગોવિંદભાઇ પટેલે જણાવ્યુા હતુ કે ધો-૧માં પ્રવેશ મેળવનાર બાળકને રાજયના
અધિકારીઓ અને ગામના અગ્રણી નાગરિકો આવકારે તે બાબત બાળક માટે જિદગીભરનું
સંભારણું બની રહે છે. ધારાસભ્યછશ્રી ગોવિંદભાઇએ આ પ્રસંગે ગોંડલના
મહારાજાશ્રી ભગવતસિંહજીની શિક્ષણ પ્રત્યે ની દીર્ધદ્રષ્ટિ્ને બિરદાવતાં
જણાવ્યુશ હતુ કે ગોંડલ તાલુકાની ૯૦ વર્ષની વૃધ્ધાન પણ શિક્ષિત છે જે
ભગવતસિંહજી જેવા રાજવીને આભારી છે.

રાજયને સો ટકા સાક્ષર કરવા રાજય સરકારે ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરી
શાળાઓને શૈક્ષણિક સાધનોથી સુવિધાસભર બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ
નિગમના અધ્યવક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા
રાજકોટ તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા, અને મુંજકા ગામોમાં
યોજાયેલ શાળા પ્રવેશોત્સમવ કાર્યક્રમમાં ૧૦૭ બાળકોનું પ્રથમ ધોરણમાં
નામાંકન કરાયું
રાજકોટ
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાએ રાજકોટ
તાલુકાના વાવડી, કણકોટ, વીરડા વાજડી, મોટામવા અને મુંજકા ગામોમાં
ધોરણ-૧માં પ્રવેશપાત્ર ભૂલકાઓને આવકારી નામાંકન કર્યુ હતું. દરેક ગામોમાં
બાળકોને શાળા પ્રવેશોત્સકવ પ્રસંગે અભ્યાતસ કીટ અર્પણ કરી રંગેચંગે
પ્રવેશ અપાયો હતો. અધ્યોક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ આજના સમયમાં શિક્ષણની
આવશ્યેકતા પર ભાર મુકતા જણાવ્યુ્ હતુ કે રાજયના મુખ્યયમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયનો સુશિક્ષીત વિકાસ કરવો હશે તો રાજયને સો ટકા
સાક્ષર કરવું જ પડશે જે ધ્યેીયને ધ્યામનમાં રાખી છેલ્લાશ દશ વર્ષથી
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ રાજયને સો ટકા સાક્ષર કરવા
શાળા પ્રવેશોત્સાવ, કન્યા્ કેળવણી રથ મહોત્સવવ, ગુણોત્સાવ જેવા અનેક
કાર્યક્રમો લોક ભાગીદારીને જોડી શરૂ કર્યા છે, એટલું જ નહિ રાજયમાં
પ્રાથમિક શિક્ષણ મફત આપવા સાથે અનેક શૈક્ષણિક સવલતો સહાય પણ આપી છે.
શાળામાં ૧ લાખ ૩૩ હજાર શિક્ષકોની ભરતી કરવા સાથે ધોરણ-૮ના તજજ્ઞ ઉંચી
શૈક્ષણિક ડીગ્રી ધરાવતા શિક્ષકોની પણ ભરતી કરી છે. શાળાઓના શિક્ષણમાં
સુધારો લાવવા સાથે શાળાના સુવિધાવાળા મકાનોના બાંધકામ કરી, તેમાં વીજળી,
પંખા, કોમ્યુરો ટર લેબ, પ્રયોગશાળા સહિતની સુવિધા ઉભી કરાઇ છે. ત્યા,રે
વાલીઓ ખાનગી શાળાઓનો મોહ છોડી પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ
અપાવવું જોઇએ અને સાથે સરકારના આ સો ટકા સાક્ષરતાના કાર્યક્રમમાં
પ્રત્યેીક બાળકને શિક્ષણ અપાવી સહયોગી બને તેમ જણાવ્યુર હતું. તેમણે
શિક્ષિત કન્યા‍ઓએ આજે અનેક ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રતિપાદીત કરી છે
તેમ જણાવી કન્યાર કેળવણી ઉપર ખાસ ભાર મુકયો હતો.
આ પ્રસંગે જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી્ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ દરેક
વાલીઓ પોતાના બાળકને શિક્ષણ આપવા સાથે બાળક પુરુ શિક્ષણ મળેવે તેની કાળજી
લે તે જરુરી છે તેમ જણાવ્યુો હતું.


સાક્ષરતાદર વધારવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના રાજય સરકારના
પ્રયત્નોદમાં નાગરિકોનો સહકાર ખૂબ જરૂરી
-ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા
ટંકારા તાલુકાના પાંચ ગામોએ ૫૩ બાળકોને મંત્રીશ્રીએ શાળા પ્રવેશ કરાવ્યો્.
રાજકોટ
રાજયવ્યાજપી શાળા પ્રવેશોત્સાવના અંતિમ ચરણમાં આજે ટંકારા તાલુકાના
બંગાવડી ગામે ગ્રામવિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ ચૌદ બાળકોને
શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધતાં
જણાવ્યું હતું કે, રાજયસરકાર દ્વારા છેલ્લાબ દશ વર્ષથી રાજયભરમાં યોજાતા
શાળા પ્રવેશોત્સ વનો આશય સાક્ષરતાદર વધારવાનો અને ડ્રોટ-આઉટ રેશીયો
ઘટાડવાનો છે. આ ભગીરથ કાર્યમાં નાગરિકોનો સહકાર ખૂબ જ જરૂરી છે, એમ
જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામજનોના સહકાર થકી જ પ્રાથમિક
શિક્ષણનું ચિત્ર ઉજળું બન્યું છે. ઢોલ-નગારાના તાલે ૭ કુમારો અને ૭
કન્યા્ઓને ધોરણ-૧માં મંત્રીશ્રી કુંડારિયાએ વાજતે-ગાજતે પ્રવેશ કરાવ્યોક
હતો. અને ઉપસ્થિ ત વાલીગણને સંબોધતાં જણાવ્યુંધ હતું કે, એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, જેમાં ઉચ્ચ્ શિક્ષણ મેળવનાર બાળકો જ ટકી શકશે. આ
દિશામાં આગળ વધવા માટે રાજયસરકાર દ્વારા તાલીમબધ્ધશ શિક્ષકોની પ્રાથમિક
શિક્ષણ ક્ષેત્રે નિયુક્તિ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય્ બાળકો પણ તેમના
જીવનમાં તબક્કાવાર ઉચ્ચષ શિક્ષણ મેળવી શકે. આ માટે ગામલોકોએ પોતાના
બાળકોને શાળામાં અચૂક મોકલવા જોઇએ, અને ગામનું કોઇ પણ બાળક અધવચ્ચેિથી
શાળા ન છોડી જાય, તેનું ધ્યાબન રાખવું જોઇએ, એમ મંત્રીશ્રીએ વધુમાં
જણાવ્યુંમ હતું.


અનુસૂચિત જનજાતિના યુવાનો માટે યોજાનારો સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસૂચિત જનજાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાગરકાંઠા વિસ્તારની પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ
-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
રાજકોટ ગ્રામ્યત વિસ્તાલરના માત્ર અનુસૂચિત જનજાતિના જે યુવક-યુવતીઓ
તા.૩૧.૭.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય, અને આ
કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લા રમત-ગમત
અધિકારીશ્રી, રાજકોટ(ગ્રામ્યમ), ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટને
તા.૧૦.૭.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં સાદા કોરા કાગળમાં(૧) પુરૂ નામ (ર) સરનામું (૩) જન્મ તારીખ/ઉંમર
(૪) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પાર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત
(૫) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત, વ્યવસાય
(૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) અનુસૂચિત
જનજાતિના દાખલા અંગેની નકલ (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો
ફોટોગ્રાફ (૯) વાલીનો સંમતિપત્ર (૧૦) શૈક્ષણિક લાયકાત અને (૧૧)
વ્યવવસાયની વિગતો મોકલવાની રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ(ગ્રામ્યલ)ના જિલ્લાા રમત-ગમત
અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગો અંગે સેમિનાર યોજાશે. રાજકોટ
ગૌ-પેદાશ આધારિત ઉદ્યોગોની શકયતાઓ, તેનાથી થનાર સામાજિક અને આર્થિક
ફાયદાઓ, અને આ ઉદ્યોગોથી થનાર અર્થતંત્રની કાર્યપાલક વિષે આગામી તા.૨૦
જુને પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં સાંજે ૪ થી ૭ દરમિયાન
યોજાશે. ગુજરાત સરકારના ગૌસેવા આયોગ, ગાંધીનગર અને જિલ્લાથ ઉદ્યોગ
કેન્દ્રક-રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાનાર આ સેમિનારમાં ગૌ-પેદાશ આધારિત
ઉદ્યોગો બાબતે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બાયોગેસ,
ગૌમુત્ર અને ગૌ-પેદાશોના ઔષધીય ઉપયોગો, તથા આવી વિવિધ પેદાશો અંગેની
રસપ્રદ જાણકારી ક્ષેત્રનિષ્ણાપતો દ્વારા આપવામાં આવશે. રાજય સરકારના
ઉદ્યોગ ખાતા દ્વારા અપાતી વિવિધ સહાયની માહિતી પણ આ સેમિનારમાં આપવામાં
આવશે, જેનો જાણકારોને લાભ લેવા રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રપના જનરલ
મેનેજરશ્રી બારહટની યાદીમાં જણાવાયું છે.


ગામડાને બેઠા કરવા આ સરકારે અનેક પગલાં લીધા છે;
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
જામકંડોરણા તાલુકાના સાતોદડ, બરડિયા, ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં
શાળા પ્રવેશોત્સવની ઉજવણી, ત્રણ દિવસમાં ૭૪૯ બાળકોનો વિદ્યામંદિરોમાં
નામાંકન કરાયું
રાજકોટ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના અંતિમ તબક્કામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળા જામકંડોરણા તાલુકામાં સાતોદડ, બરડિયા,
ગુંદાસરી, કાનાવડાળા, દડવી ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા
હતા અને બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશો અપાવ્યો હતો. આ ત્રણ દિવસ
દરમિયાન જામકંડોરણા તાલુકામાં ૩૮૪ કુમાર અને ૩૬૫ કન્યા મળી કુલ ૭૪૯
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેની સાથે ગ્રામ્ય વિસ્તારનો
મહોત્સવ પૂર્ણ થયો હતો. આ તકે રાજ્ય મંત્રી શ્રી ભાલાળાએ રાજ્ય સરકારે
ગામડાને બેઠા કરવા અનેક પ્રકારના પગલાં લીધા હોવાનું કહ્યું હતું.


શાળામાં સો ટકા નામાંકનની સાથોસાથ શાળાની શૈક્ષિણક ગુણવત્તા ઉંચી આવે તે
જરૂરી -પ્રભારી સચિવશ્રી રાજગોપાલ
પ્રભારી સચિવશ્રી રાજગોપાલે જેતપુર તાલુકાનાં ખીરસરા અને સ્ટેંશન વાવડી
ગામોમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યોા ધારાસભ્યબશ્રી જશુમતિબેન કોરાટનો
વાલીઓને બાળકોની શૈ્ક્ષણિક કારકીર્દીના ઘડતર માટે જાગૃત રહેવા અનુરોધ

રાજકોટ
રાજયવ્યાેપી શાળા પ્રવેશોત્સનવના ત્રીજા દિવસે આજે ગુજરાત રાજય વાહન
વ્યતવહાર નિગમના વાઇસ ચેરમેનશ્રી અને રાજકોટ જિલ્લારના પ્રભારી સચિવશ્રી
રાજગોપાલે જેતપુર તાલુકાના ખીરસરા અને સ્ટે શન વાવડી સહિતના પાંચ ગામોની
પ્રાથમિક શાળામાં ભૂલકાઓને રંગેચંગે શાળામાં પ્રવેશ કરાવ્યોલ હતો. આ
પ્રસંગે ધારાસભ્યચશ્રી જશુમતી કોરાટ પણ સાથે રહ્યા હતા અને શાળામાં પા પા
પગલી કરતાં ભુલકાઓના વધામણા કર્યા હતા અને તેઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી
હતી. જયારે આંગણવાડીમાં દાખલ થયેલા બાળકો માટે રમકડાની કીટ અને ખુરસી
અર્પણ કરી હતી. બાળકોને પોષણક્ષમ ચોકલેટ પણ આપી તેઓને ખુશ કર્યા હતા.


રાજકોટ જિલ્લાકના મતદાર જોગ જરૂરી સુચના રાજકોટ
આથી રાજકોટ જિલ્લાીના મતદારોને જાણ કરવામાં આવે છે કે ભારતના ચૂંટણી પંચ
તરફથી મતદારયાદી ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૧૨ થી તા.
૨૭/૬/૧૨ દરમ્યામન મતદારોએ તેમના નામ ઉમેરવા, નામ કમી કરવા કે સુધારા કરવા
બાબતે વિગતવાર કાર્યક્રમાં થયેલ સુધારા મુજબ મતદાન મથકે તા. ૧૦/૬/૧૨ તથા
તા. ૧૭/૬/૧૨ રવિવાર ઉપરાંત તા. ર૪/૬/૧૨ રવિવવારે મતદાન મથકે સ્વીમકારશે
જેની સર્વએ નોંધ લેવા કલેકટર અને જિલ્લાા ચૂંટણી અધિકારી ડો.
રાજેન્દ્રરકુમારની યાદીમાં જણાવાયું છે.

સમાજમાંથી શિક્ષણના અભાવને દૂર કરવા લોકોએ શિક્ષણના કાર્ય સાથે તેમનો
'ભાવ' જોડવો પડશે
નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામની
શાળાના બાળકોને પાટી-પેન-દફતર આપી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી
વજુભાઈ વાળા
ધોરણ – ૮ માટેના નવા વર્ગખંડોનું મંત્રીશ્રીના હસ્તેે ખાતમુર્હત – લોકાર્પણ
સુરેન્દ્રળનગર,
સુરેન્દ્રળનગર જિલ્લામાં યોજાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમના આજના ત્રીજા દિવસે રાજ્યના નાણા મંત્રીશ્રી અને
સુરેન્દ્રજનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ જિલ્લાના
ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ, ગંજેળા, ડુમાણા અને પ્રતાપપુર ગામો
ખાતે ઉપસ્થિાત રહી શાળામાં પ્રવેશપાત્ર કુમાર – કન્યાાઓને પાટી-પેન-દફતર
આપીને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત રાજચરાડી ગામે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિ.ત રહેલા બાળકોના વાલીઓને
શિક્ષણયજ્ઞના આ કાર્યક્રમમાં ઉપસ્થિોત રહેવા બદલ અભિનંદન આપતાં
નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ એ
સંસ્કાઆરોની ભૂમિ છે, આ ભૂમિ ઉપર જન્મેલી પ્રત્યેક વ્યક્તિ શિક્ષીત બને
તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આહલેખ જગાવી દિકરાની સાથે દિકરીઓ પણ
ભણે તે માટે કન્યાક કેળવણી રૂપી યજ્ઞ આરંભ્યો છે.


રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને
ધબકતુ કર્યુ છે
- ચેરમેનશ્રી રતિલાલ યાદવ
વઢવાણ તાલુકામાં ડાંગસીયા વસાહત, માળોદ, ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર
ગામોની શાળામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સ વ
સુરેન્દ્રળનગર:- સુરેન્દ્રાનગર જિલ્લાન શાળા પ્રવેશોત્સભવ. કાર્યક્રમ
અંતર્ગત ગઇકાલે સુરેન્દ્રભનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી રતિલાલ યાદવે વઢવાણ તાલુકાની ડાંગસીયા વસાહત, માળોદ,
ખોલડીયાદ, ખેરાળી અને મુંજપર ગામોની શાળામાં જઇ પ્રવેશપાત્ર બાળકોને
પાટી- પેન- દફતર આપી શાળા પ્રવેશ કરાવ્યો, હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં ચેરમેનશ્રી રતિલાલ
યાદવે જણાવ્યુંશ હતુ કે, રાજય સરકારે છેલ્લાપ એક દસકામાં શિક્ષણ ક્ષેત્રે
આમુલ પરિવર્તનો દ્વારા ગુજરાતમાં શિક્ષણને ધબકતું કર્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ૧૦ વર્ષોમાં રાજયમાં ૭૫,૮૪૮ શાળાના
ઓરડાઓનું નિર્માણ કર્યુ છે, સાથોસાથ ૨૦,૫૦૦ ઉચ્ચંતર પ્રાથમિક શાળાઓમાં
કોમ્યુારા ટર અને ટીવી સેટ આપીને શાળાઓને આધુનિક સુવિધાઓથી સજજ કરી છે.
ચેરમેનશ્રી યાદવે વધુમાં ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦
આચાર્યોની ભરતીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં બીજા
૧૦,૦૦૦ આચાર્યની ભરતી પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત છેલ્લાર બે વર્ષમાં
૨૧,૬૨૫ જેટલા ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભરતી કરીને શિક્ષણને
સાચા અર્થમાં સંસ્કારરીત કર્યુ છે. જેના કારણે રાજયમાં સાક્ષરતાનો દર
નોંધપાત્ર વધ્યોિ છે.

પ્રાથમિક શિક્ષણ એ વ્યકિતના વિકાસનું પ્રથમ પગથિયું છે -નાયબ વન
સંરક્ષકશ્રી જોષી લીંબડીના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ પ્રવેશપાત્ર ભૂલકાંઓનો ધોરણ -૧ માં રંગેચંગે પ્રવેશ
ઉમરડા વાડી વિસ્તાીરનું પુનરાવર્તન કરતું લીંબડીનું ગોપાલનગરઃ ૩ બાળકોના
શાળા પ્રવેશ માટે ભરવાડ સમાજનું આખેઆખું ગામ હાજર રહીને ભાવિ પેઢીના
વિકાસ માટેની જાગૃતિના દર્શન કરાવ્યાં
સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા માં શાળા પ્રવેશોત્સ વ- કન્યાય કેળવણી રથયાત્રાના
ભાગરૂપે ગઇકાલે લીંબડી તાલુકાના ગોપાલનગર, જામડી, બોરાણા, પાદરી અને સૌકા
ગામોએ યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી
જે.બી.જોષીએ પ્રવેશપાત્ર ભૂલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવી પેન, પાટી,
દફતરનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાનહિત કર્યા હતાં.
ગોપાલનગર ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટય દ્વારા ખુલ્લોશ મૂકતાં
શ્રી જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ એ વ્ય કિતના વિકાસનું
પ્રથમ પગથિયું છે. રાજય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સામહન આપી તેનો
વ્યાયપ વધારવા લેવાયેલાં અનેકવિધ પગલાંઓની જાણકારી આપતાં ઉમેર્યું હતું
કે, રાજયમાં ૨૦,૫૦૦ થી પણ વધુ શાળાઓમાં કોમ્યુધાર ટરના સાધનોની સુવિધા
પુરી પડાઈ છે. આજના વૈશ્વિક સ્પરર્ધાના યુગમાં શિક્ષણનું મહત્વજ ખૂબ જ
વધ્યુંા છે, ત્યાોરે દિકરાઓના શિક્ષણની સાથે-સાથે દિકરીઓ માટે પણ
કસ્તુારબા ગાંધી સ્કૂવલ છાત્રાલય જેવી અનેકવિધ સુવિધાઓનો લાભ મેળવી
બાળકોના ઉજજવળ ભાવિ ધડતરના કાર્યમાં સહાયરુપ થવા તેમણે ઉપસ્થિકત વાલીઓને
અનુરોધ કર્યો હતો. મુખ્યમમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોની હરાજીની રકમ
કન્યાશ કેળવણી નીધિમાં જમા કરાવીને દિકરીઓના શિક્ષણને અપાતા
પ્રોત્સારહનની પણ તેમણે જાણકારી આપી હતી. લીંબડી તાલુકામાં કાર્યરત ૮૦
જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ ના અભ્યા‍સક્રમની સુવિધા ચાલુ વર્ષના અંત
સુધીમાં પ્રાપ્તડ થઇ જશે.

કલસ્ટમર બેઇઝ ડ્રીપ ઈરીગેશન ઇન કોટનમાં કલસ્ટમર બનાવી ટપક પધ્ધઅતિનો લાભ
લેવા અનુરોધ
સુરેન્દ્રોનગર;- નાયબ ખેતી નિયામક (વિ), ખેડુત તાલીમ કેન્દ્રઇ
સુરેન્દ્રાનગરની યાદી જણાવે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ એન્હે્સ્મેરન્ટગ ઓફ્
પ્રોડકિટવિટિ ઓફ્ કોટન ન્યુ સ્પેનશિયલ ઇન્સિદએટિવ ફોર ડ્રીપ ઇરીગેશન
કલસ્ટાર બેઇઝ અંડર આર.કે.વી.વાય યોજનામાં કપાસનુ વાવેતર કરતા ખેડુતો પાસે
જી.જી.આર.સી દ્વારા ડ્રીપ વસાવવા માંગતા ખેડુતોને ૫૦ ટકા ઉપરાંતની હેકટર
દીઠ રૂ.૨૦,૦૦૦ મુજબ વધુમાં વધુ ૨ હેકટરના લાભ માટે અરજીઓ મંગાવવામાં આવેલ
અને તે મુજબ અંદાજે ૩૩૦૦/- ખેડુતો એ અરજીઓ કરેલ છે, અને તે મુજબ અંદાજે
૫૩૦૦/- હેકટર માટે સહાય મંજુર કરવા અત્રેથી ભલામણ કરવામાં આવેલ તે પૈકી આ
યોજનાથી ઘણા બધા ખેડુતોએ આર.કે.વી.વાય યોજનાની વધારાની સહાયનો લાભ મેળવી
ડ્રીપ વસાવેલ છે જે ખેડુતો અભિનંદનને પાત્ર થાય છે.
ચાલુ વર્ષે ૨૦૧૨-૧૩ માં પણ આર.કે.વી.વાય યોજના હેઠળ ઇંક્રીઝીંગ ક્રોપ
પ્રોડ્કશન એન્ડા વોટર યુઝ એફીશીયન્સીુ થ્રુ. એમ આઇ એમ કલસ્ટ ર બેજ કોટન
ગ્રોવીંગ એરીયા એન્ડમ લો વોટર ટેબલ એરીયા યોજના અંતર્ગત સુરેન્દ્ર નગર
જિલ્લાટનો નવો લક્ષાંક અત્રેની કચેરીને મળેલ છે. આથી આ યોજના અંતર્ગત ૫૦
ટકા ઉપરાંતની વધારાની સહાય મેળવી કલસ્ટિર બેઇઝ ડ્રીપ ઇરીગેશન ઇન કોટનમાં
કલસ્ટળર બનાવી (ઓછામાં ઓછું પ હેકટર લાભાર્થીઓ) તમામ તાલુકાના ખેડૂતોને
અરજીઓ રજુ કરવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત આર.કે.વી.વાય. યોજનાની આ જ
યોજનાની અમલીકરણના શરતોને ધ્યાુને લઇ વોટર રંક તૈયાર કરવા ખેડૂતોને
૨૫,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર થાય છે. તો તે માટે પણ અરજીઓ મંગાવવામાં
આવી છે.


સુરેન્દ્રતનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્તસ સુધારણા કાર્યક્રમની
મુદ્દતમાં વધારો : હવે તા. ૨૭ મી સુધી સુધારણા કામગીરી ચાલશે
જિલ્લાવાસીઓને મતદાર યાદીમાં નામની ખરાઈ તથા હક્ક-દાવા રજુ કરી
આ મતદાર યાદી ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્રાનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીની એક
અખબારી યાદીમાં જણાવ્યાર પ્રમાણે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી –
ગાંધીનગરની સૂચના પ્રમાણે અને ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર
સુરેન્દ્ર્નગર જિલ્લામાં તા. ૧/૧/૨૦૧૨ ની લાયકાતની સ્થિ તિએ મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તક સુધારણા કાર્યક્રમ તા. ૧/૬/૨૦૧૨ થી શરૂ થઈ તા. ૧૮/૬/૨૦૧૨
સુધી ચાલનાર હતો, જેની મુદ્દતમાં વધારો કરીને આ કાર્યક્રમ હવે તા.
૨૭/૬/૨૦૧૨ સુધી લંબાવવામાં આવ્યો છે.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તેની મુદ્દતમાં
કરાયેલા સુધારા મુજબ આ કાર્યક્રમ આગામી તા. ૨૭ મી જુન – ૨૦૧૨ સુધી
ગ્રામસભા/શહેરી મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન થશે. તા. ૧૭ અને ૨૭ મી
જુન – ૨૦૧૨ ના રોજ નિયોજીત સ્થ૧ળોએ હક્ક – દાવા, વાંધા સ્વિનકારવા માટેની
ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. હક્ક-દાવા અને વાંધાઓ નિકાલ કરવાની છેલ્લી તારીખ
૨૦ મી જુલાઈ – ૨૦૧૨ તથા પુરવણી યાદીઓ તૈયાર કરવી, છાપકામની તથા ડેટા
એન્ટ્રી બાદ ચકાસણી સહિતની તમામ કામગીરીની છેલ્લી તારીખ ૯ મી ઓગષ્ટદ –
૨૦૧૨ રહેશે. જ્યારે તા. ૧૪/૮/૨૦૧૨ ના રોજ ફોટાવાળી મતદાર યાદીની આખરી
પ્રસિંધ્ધિટ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન નામ નોંધણી માટે, નામ કમી અને નામની વિગતમાં સુધારા
માટેના હક્ક-દાવા અને વાંધા રજુ કરવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
અને જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહ તરફથી અનુરોધ કરવામાં આવ્યોર છે.


લીંબડી તાલુકામાં મધ્યાલહન ભોજન કેન્દ્રોે માટે મહિલા સંચાલકની જગ્યા
માટે અરજી કરો

સુરેન્દ્રલનગર,
સુરેન્દ્રલનગર જિલ્લા ના લીંબડી તાલુકાના આણંદપર, રોજાસર, શિયાણી,
રામરાજપર, સમલા, દોલતપર અને કમાલપુર ખાતે મધ્યારહન ભોજન યોજના કેન્દ્ર
માટે મહિલા સંચાલકની ખાલી જગ્યા્ ભરવાની થાય છે. આ ખાલી જગ્યાુના કેન્દ્ર
માં સંચાલક તરીકે ફરજ બજાવવા ઇચ્છિતા હોય તેવા ફકત મહિલા ઉમેદવારોએ નિયત
નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી- લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ
વિગતો સહિતની અરજી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તા. ૭ મી જુલાઈ-૨૦૧૨
સુધીમાં મામલતદારશ્રી, લીંબડી કચેરીને મળે તે રીતે મોકલી આપવા
મામલતદારશ્રી, લીંબડી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ત્રણોલ ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી અગ્ર સચિવ મહેશ્વર શાહુÞë હસ્તે ૫૪ બાળકોનું થયેલ શાળા નામાંકન

આણંદ તાલુકાના ત્રણોલ ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨
અંતર્ગત ઉઘોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુના હસ્તે ૨૯ કુમાર
અને ૨૫ કન્યાઓ મળી કુલ ૫૪ બાળકોને કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી મોંઢુ
મીંઠુ કરાવી દફતર આપી વિધિવત રીતે પહેલા ધોરણમાં દાખલ કરાવી શાળામાં
નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૧૪ બાળાઓને સરસ્વતિ સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી મહેશ્વર શાહુએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણીની ઉજવણીનો હેતુ સમજાવી બાળકોના શિક્ષણમાં રસ લઇ નિયમિત શાળામાં
મોકલવા અનુે પુરેપુરૂં શિક્ષણ અપાવવા ગ્રામજનો અને વાલીઓને અનુરોધ કર્યો
હતો.
પ્રારંભમાં ઢોલ ત્રાસા વગાડી, સામૈયું કરી ગ્રામજનો અને શાળાના બાળકોએ
સૌનું સ્વાગત કર્યુ હતું તેમજ ત્રણોલ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના
અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. આચાર્યા શ્રીમતી મંજુબેન વાળંદે આભાર
દર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સને ૧૯૦૯ માં સ્થપાયેલ ૧૦૩ વર્ષ જૂની ત્રણોલ પ્રાથમિક
શાળામાં ધટાટોપ લીમડા અને અન્ય વૃક્ષો તથા વિશાળ પટાંગણ, ચોફર
કંમ્પાઉન્ડવોલ, પીવાના પાણી માËõ દાતાઓના સખાવતથી જલકુટીરની સવલત વચ્ચે
સુંદર શાળાના ઓરડાઓમાં ધો.૧ થી ૮ ના બાળકો આનંદ-કિલ્લોથી અભ્યાસ કરી
રહ્યા છે.
આ કાર્યક્રમમાં લાયઝન અને ઉઘોગ અધિકારી નીલકુમાર શ્રીમાળી, જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી પાઠક, જિલ્લા પંચાયતના સભ્ય ગિરવતસિંહ, અગ્રણી
ભરતભાઇ સોઢા, સરપંચ બુધાભાઇ પરમાર અને ગ્રામજનો ઉÕìસ્થત રહ્યા હતા.

કૃìષ અને સહકાર વિભાગના અગ્રસચિવશ્રીના હસ્તે સારસા ગામે ૧૩૧ બાળકોનુ શાળા નામાંકન
આણંદ તાલુકાના સારસા ગામે કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ આર. કે.
ત્રિપાઠીની પ્રેરક ઉપસ્થિતીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની
ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન સારસા ગામના કુમાર શાળા, કન્યા શાળા, બ્રાન્ચ શાળા
તથા ધોડાપુર પ્રાથમિક શાળાના ૫૯ કુમાર અને ૭૨ કન્યા મળી કુલ ૧૩૧ બાળકોને
કુમ કુમ તિલક કરી, ચોકલેટ ખવડાવીને પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૮૬ ભૂલકાંઓને ચોકલેટ ખવડાવી, રમકડાં આપી વ્હાલપૂર્વક તેડી
આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નવ બાળાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવી
હતી તેમજ શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્ર સચિવશ્રીએ બાળકોને ધ્યેય અનુસારનું શિક્ષણ આપવા ઉપર ભાર
મુકી ગ્રામજનોને બાળકોને નિયમિત શાળામાં મોકલવા અનુરોધ કર્યો હતો.
આ કાયૂક્રમમાં લાયઝન અધિકારી અને નાયબ બાગાયત નિયામક બી.એચ. વાળંદ, કૃષિ
યુનિ.ના ડો.જાની, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મણીભાઇ ચૌહાણ, દાતા મધુબેન
પટેલ સરપંચ વિમલભાઇ પટેલ, બીટ નિરીક્ષક અìશ્વન બ્રહ્મભટ્ટ સહિત ગ્રામજનો
અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આણંદ જિલ્લામાં રથયાત્રા દરમ્યાન સભા-સરધસબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨ જૂન, ૨૦૧૨ ના રોજ આણંદ શહેર
ઉપરાંત વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ,
વિરસદ, ભાદરણ અને શક્કરપુર ગામõ રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ
યોજાશે.
આ શોભાયાત્રાઓ દરમ્યાન આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો
અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે
માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી અવંતિકાસિંધે ગુજરાત પોલીસ અધિનિયમÞí
કલમ-૩૭(૩) હેઠળ તા. ૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી સક્ષમ
અધિકારીશ્રીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકઠા થવા, ચાર
કરતાં વધુ વ્યક્તિઓની કોઇ સભા ભરવા કે બોલાવવા અથવા સરધસ યોજવા ઉપર
પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ તથા
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.


આણંદ જિલ્લામાં રથયાત્રાના તહેવારને અનુલક્ષીને હથિયારબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨-૬-૨૦૧૨ ના રોજ આણંદ શહેર ઉપરાંત
વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ, વિરસદ,
ભાદરણ અને શક્કરપુર ગામે રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ યોજાનાર
હોઇ આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટ આર. જી. ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ (૧) હેઠળ તા.
૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી હથિયારબંધી ફરમાવી છે.
તદ્નુાસાર આ સમયગાળા દરમ્યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી,
સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે
રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા,
મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના
ઇરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ
અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે
પ્લેકાડó અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા, બતાવવા
કે તેનો ફેલાવો કરવા ઉપર પ્ર¬તિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ
શિક્ષાપાત્ર થશે.

પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે ખીલી ઉઠશે ઃ લીલાધરભાઇ વાધેલા ખેડા જિલ્લાના વિરપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૨૩૧ બાળકોનું શાળામાં નામાંકન કરાયુ

પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે ખીલી ઉઠશે ઃ
લીલાધરભાઇ વાધેલા
ખેડા જિલ્લાના વિરપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૨૩૧ બાળકોનું શાળામાં
નામાંકન કરાયુ
માહિતી બ્યુરો
ગુજરાત રાજય સરકારના પરીણામલક્ષી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના
કાર્યક્રમના ભાગરૂપે ખેડા જિલ્લાના વિરપુરા તાલુકાની વિવિધ શાળાઓમાં આજે
કુલ ૨૩૧ બાળકોને નામાંકન કરાવતા શ્રમ અને રોજગાર રાજયમંત્રીશ્રી
લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ ધડતર માટે પાયાની
જરૂરીયાત છે, આમ પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે
ખીલી ઉઠશે.
મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણના ભણતરનું પ્રથમ પગથીયું
ભરતા બાળકોને પ્રોત્સાહન આપવા અને સમાજમાં શિક્ષણને વેગ આપવા તથા બાળકો
તેમનું શિક્ષણ અધવચ્ચેથી છોડી ના દે. તે અંગે જાગૃતતા લાવવા મુખ્ય
મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને આઇ.એ.એસ તથા આઇ.પી.એસ કક્ષાનો અધિકારીગણ દર
વર્ષની જેમ આ વર્ષે પણ જોતરાઇ ગયા છે. તેના સારા પરીણામો આપણે મેળવી શકયા
છીએ અને રાજયનો શિક્ષણ દર વધ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સાક્ષરતા દર વધ્યો
છે. રાજયને સો ટકા સાક્ષરતાએ લઇ જવું છે. આ ભગીરથ કામ રાજય સરકાર છેલ્લા
સતત દસ વર્ષથી સમાજ અને શિક્ષકોની મદદથી કરી રહી છે અને તેના પરીણામો
લોકોની નજર સમક્ષ છે ત્યારે સમાજે અને શિક્ષકોએ હજુ વધુ મહેનત અને દ્ઢન
વિશ્વાસથી આ કામ ઉપાડી લઇ આવનાર પેઢીને સંપૂર્ણ સાક્ષર બનાવવાની જવાબદારી
અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વિરપુર તાલુકાના ચીખલી વસાહત, ખાટા પંચાયતપ ખાટા,
નાન સલાઇ-૨ અને દુધેલા ગામ ખાતે ૮૭ આંગણવાડીના બાળકો અને ૧૪૪ ધોરણ-૧માં
પ્રવેશ મેળવતા કુલ ૨૩૧ બાળકોનું કુમકમ તિલક, દફતર કિટ અને ચોકલેટ આપી
પ્રવેશ અપાવ્યો હતો. જયારે સાત બાળાઓને વિઘાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં
આવ્યા હતાં. આ પ્રસંગે દાતાઓ તરફથી દાનનો પ્રવાહ વહયો હતો. જયારે કુલ ૬૩
બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલ આપવામાં આવી હતી. મંત્રીશ્રી તથા
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું તેમજ શિષ્યવૃતિના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ
ધારાસભ્યશ્રી પપ્પુભાઇ પાઠક, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પટેલ,
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નાયબ
લેબર કમિશનરશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.


સિવિલ હોસ્પીટલ નડિયાદ દ્વારા તબીબી સેવાયજ્ઞ યોજાયો
શ્રમિક પરિવારના ૩૦૦ દરદીઓએ લાભ લીધો
માહિતી બ્યુરો
ખેડા જિલ્લાના સમાહર્તાશ્રી એમ.વી.પારગી જિલ્લાના નાગરિકોના કલ્યાણ અને
વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. કલેકટરશ્રીની પ્રેરણા અને
માર્ગદર્શનથી સિવિલ સર્જન શ્રી એફ.જે.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
ર્ડા.બી.આર.પંચાલના ભગીરથ પ્રયત્નોથી અને જે. એમ. સી. પ્રોજેકટ ઇન્ડીયા
લી. ના સહયોગથી નડિયાદ શહેરમાં સરકાર દ્વારા ચાલતી લોક સુવિધા, વિકાસ અને
માળખાકીય સુવિધાઓના વિવિધ કામોમાં કામ કરતા સ્થળાંતરીત શ્રમિકો તથા તેમના
પરિવારો માટે જરૂરી તબીબી સેવાઓ પુરી પાડી સમાજના વિકાસમાં પાયારૂપ
ભૂમિકા અદા કરનાર શ્રમિકોની સાચા અર્થમાં સેવા કરી સરકારના મુખ્ય ઉદેશ્ય
એવા સૌનો સાથ સૌનો વિકાસ સારૂ આરોગ્ય સૌનો અધિકાર એ મંત્રને સિધ્ધ કરવાના
હેતુસર તબીબી સેવાના વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન એન.સી.ડી.સેલ સિવિલ
હોસ્પીટલ નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તબીબી અધિકારીઓ, જનરલ સર્જન, બાળકોનાં નિષ્ણાત, ડેન્ટલ સર્જન
સહિત લોહી-પેશાબની તપાસ, આંખોની તપાસ, દાંતની તપાસ, કેન્સર, ડાયાબિટીસ,
હ્રદયરોગ વિગેરે વિશે જનજાગૃતિ તેમજ પ્રદર્શન તથા દરદીઓને જરૂરી દવાઓનું
વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૩૦૦ શ્રમિકો તથા તેમના
પરિવારજનોએ તબીબી સેવાનો લાભ લીધો હતો.

આવતીકાલના ભવિષ્યને ઉજાગર કરવા આજે ધ્યાન રાખવું પડશે -પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૩૭૦ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ઠાસરા તાલુકાની આગરવા, રખિયાલ, ઢુણાદરા અને
પાંડવાણિયા પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના
ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં પ્રવેશ અપાવ્યો હતો. શ્રી
જાડેજાએ આગરવા ગામે બે શાળાના ઓરડાઓનું લોકાણ્પર્ણ તથા બે ઓરડાઓનું
ખાર્તમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણની
ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી પગલા લીધા છે.
રાજયમાં વિઘાસહાયકોની ભરતી, ૮૦ હજારોની સંખ્યામાં નવા ઓરડા, શૌચાલયો તથા
પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં કન્યા
શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં શ્રી જાડેજાએ
ઉમેર્યું હતું કે, આજે શાળામાં દાખલ થનાર બાળકો અને અભ્યાસ કરતાં બાળકોએ
ભારતનું અને સમાજનું આવતી કાલનું ભવિષ્ય છે. તેને ઉજાગર કરવા સમાજને દરેક
વ્યકિતએ પોતાની સકારાત્મક ભૂમિક ભજવવી પડશે. શિક્ષણની અનુભૂતિ માટે
વિઘાર્થી, વાલી અને શિક્ષકનો ત્રિવેણી સેતુ સર્જાય તેવું સામાજિક
વાતાવરણ નિર્માણ કરવું પડશે.. જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને
પરિણામલક્ષી કામગીરી થશે. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના આરોગ્યની
ચકાસણીની પણ રાજય સરકાર તકેદારી રાખે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનો અનુરોધ કરી
શિક્ષણ થકી જ સમાજનો સર્વાગી વિકાસ થશે તેમ જણાવ્યું હતું. બાળકોમાં
શિક્ષણની સાથે સંસ્કારોનું ધડતર કરવા તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી જાડેજા તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ,
આંગણવાડીના બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન,
ઇન્દીરા આવાસ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા
દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રતિક્ષાબેન પરમાર, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી
સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો
શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો
હતો.


ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે પંકજકુમાર દેસાઇ
કપડવંજ અને બાલાસિનોર તાલુકામાં મુખ્ય દંડકશ્રી દેસાઇના હસ્તે બાળકોનું
શાળા નામાંકન
માહિતી બ્યુરો
વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે કપડવંજ તાલુકાના તોરણા, આંત્રોલી, સાલોડ, દહીઅપ,
સાવલી તથા બાલાસિનોર તાલુકાના સેલીયાવાડી,રળિયાતા, જનોડ, પીલોદરા અને
કઢૈયા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને
પ્રવેશ અપાવ્યો હતો.
શ્રી પંકજકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે વ્યકિત અને સમાજનો વિકાસ શિક્ષણ
થકી જ થશે. ધોરણ-૧ માં પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી
જાય તે જોવા તેમણે શિક્ષકો અને વાલીઓને તાકીદ કરી હતી શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમને પરિણામે ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. એટલું જ
નહી કન્યા શિક્ષણની પણ અગત્યતા સમજાઇ છે. જેને કારણે સમાજમાં મહત્તમ
દિકરીઓ શિક્ષણ લેતી થઇ છે અને રાજયનો સાક્ષરતા દર વધ્યો છે. આ પ્રસંગે
શ્રી દેસાઇ તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન, ઇન્દીરા આવાસ
યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા દાતાઓનું
બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી,
પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી
કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં
વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.


સાંપ્રત સમયમાં શિક્ષણ અનિવાર્ય જરૂરીયાત છે ઃ લીલાધરભાઇ વાધેલા
મહુધા તાલુકાના કડી ખાતે ૧૪૩ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
રાજયમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવ અંતર્ગત આજે મહુધા તાલુકાના કડી મુકામે શ્રમ અને રોજગાર રાજય
મંત્રીશ્રી લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં શિક્ષણ
અનિવાર્ય છે. શિક્ષણ વગરની વ્યકિતનું જીવન નિરર્થક થાય છે અને અનેક
વ્યાધિઓ ગ્રસ્ત જીવન આખરે ભારરૂપ થઇ પડે છે.
એકવીસમી સદી એ શિક્ષણની સદી છે. જેની પાસે જ્ઞાન હશે તે તવંગર કહેવાશે
એટલે આજના જમાનામાં શિક્ષણની કેટલી જરૂરીયાત છે તે સમજી શકાય છે. નવ
યુવાનોને સંબોધતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં શૈક્ષણિક
કારકીર્દીની સાથે યુવાનો કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી શકે તે માટે સરકારે
અનેક ટેકનીકલ સ્કૂલો, આઇ.ટી.આઇ શરૂ કરી છે અને એન્જીનીયરીંગ કોલેજ
કોલેજની સંખ્યા વધારી તેમાં પ્રવેશપાત્ર ઉમેદવારોની સંખ્યા પણ વધારી છે
ત્યારે યુવાનોએ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી રોજગારી ક્ષેત્રે સ્વનિર્ભર
થવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેઓશ્રીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, આવા
કૌશલ્ય પ્રાપ્ત ઉમેદવારો માટે રાજય સરકાર ભરતી કેમ્પો યોજીને તેઓને
રોજગારીની તકો પણ પુરી પાડે છે. તેમજ જે યુવાનોને પોતાનો સ્વતંત્ર
વ્યવસાય શરૂ કરવો હોય તેવા યુવાનોને રાજય સરકાર આર્થિક સહાય પણ પૂરી પાડે
છે.
આ પ્રસંગે કડી મૂકામે પ્રાથમિક શાળાના પટાંગણમાં આંગણવાડીના ૭૭, ધો-૧ના
૨૩ અને ધો-૮માં ૪૩ બાળકો મળી કુલ ૧૪૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો
હતો. જયારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરી, ચોકલેટ અને
શૈક્ષણિક કિટ્સ તથા તેજસ્વી તારલાઓને શિષ્યવૃતિ અર્પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ૧૧ બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલોનું વિતરણ પણ કર્યું
હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો, નાયબ લેબર કમિશનરશ્રી ત્રિવેદી, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી,
સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને
વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.


બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો અનુરોધ કરતા કાયદા રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના જાનેત્રા (અનારા) મૂકામે શાળાના ઓરડાનું
લોકાપર્ણ કરાયું
માહિતી બ્યુરો ઃ
રાજય સરકારના અતિ મહત્વના શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ
દિવસે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર પ્રાથમિક શાળાના પટાંગણમાં
ઉપસ્થિત વાલીઓ અને શિક્ષક વૃંદને સંબોધતાં કાયદા રાજય મંત્રીશ્રી
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણે જેટલા ઉત્સાહ અને આનંદ સાથે
છેલ્લા દસ વર્ષથી બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ છીએ ત્યારે આપણી પણ ફરજ
થઇ રહે છે કે પ્રવેશ મેળવનાર દરેક બાળક તેને ગમતા ક્ષેત્રમાં તેનો અભ્યાસ
પૂર્ણ કરે. બાળક અભ્યાસ સંપૂર્ણ કરે તેનાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી
પરંતુ સાથે સાથે બાળકોમાં ઇતર પ્રવૃતિઓ અને રમત-ગમત, શરીર સૌષ્ઠવ અને
ભાઇચારો તથા માનવતાના ગુણો પણ વિકસે તે બાબતે ધ્યાન રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે અને આવતી કાલનું ભારત સુરક્ષિત અને
શિક્ષિત થશે. જેનાથી આપણા સમાજ, રાજય અને દેશ તથા દુનિયાને પણ વિવિધ લાભો
પ્રાપ્ત થશે.
આ પ્રસંગે તેઓશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કુમકુમ તિલક
અને ચોકલેટ તથા શૈક્ષણિક કિટ્સ આપી ધો-૧માં ૫૩ બાળકો તથા આંગણવાડી માં ૧૧
બાળકોને શાળમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓશ્રીએ વિશેષમાં જણાવ્યું
હતું કે, રાજય સરકાર પણ બાળકોના અભ્યાસમાં ધ્યાન રાખે છે તેથી છેલ્લા
દસકામાં રાજયમાં શાળાઓની સંખ્યા વધી છે, શાળામાં વિઘાસહાયકોની નિમણૂંકો
કરવામાં આવી છે, શાળાના ઓરડાઓ, બાળકોની પ્રાથમિક જરૂરીયાતો જેવીકે,
પીવાનું શુધ્ધ પાણી, શૌચાલયો, કોમ્પ્યુટરો, કુશળ તાલીમ બધ્ધ કોમ્પ્યુટરના
શિક્ષકો-તજજ્ઞો જેવી અનેક વિધ શૈક્ષણિક જરૂરીયાતો પૂરી પાડવામાં સરકારે
પાછી પાની કરી નથી. સાથે સાથે બાળકોમાં શારિરીક શૌષ્ઠવ ખીલે તે માટે ખેલ
મહાકુંભ, આરોગ્યની જાળવણી માટે શાળા આરોગ્ય ચકાસણી, અભ્યાસની ગુણવત્તા
સુધરે તે માટે ગુણોત્સવનો કાર્યક્રમ જેવા અનેક વિધ વિકાસલક્ષી કાર્યક્રમો
અમલમાં મૂકયા છે.
આ પ્રસંગે જાનેત્રા (અનારા) ખાતે શાળાના પટાંગણમાં નવા બનેલા શાળાના
ઓરડાનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રવેશ મેળવનાર બાળકોને
કિટ્સ તેમજ રમકડાં અર્પણ કરવામાં આવ્યા હતા. સરસ્વતી સાધના યોજના અન્વયે
સાયકલોનું વિતરણ તેમજ શિષ્યવૃતિ પણ અર્પણ કરવામાં આવી હતી. જયારે શાળામાં
અભ્યાસ કરી ગયેલ વયો વૃધ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કનુભાઇ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી
રાવજીકાકા, તાલુકા સદસ્યો, સરપંચશ્રી, પ્રાંત અધિકારીશ્રી પંડયા, નાયબ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવસાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.


ગુણવત્તા સભર શિક્ષણ પર ભાર મૂકતાં પ્રભારી સચિવશ્રી રાજકુમાર
બાળકોના સર્વાગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ તેનું
યોગદાન આપવું પડશે - પ્રભારી સચિવ રાજકુમાર
માહિતી બ્યુરો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે નડિયાદ તાલુકા
હાથનોલી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૮ અને ધોરણ-૧ માં ૧૬ મળી કુલ ૨૪
બાળકોનું નામાંકન કરાવતા રાજયના અન્ન અને નાગરિક પુરવઠાના અગ્રસચિવ અને
ખેડા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, બાળકોના
સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ પોતાનું યોગદાન
આપવું પડશે તો બાળકોનો વિકાસ ઝડપી થશે અને મજબૂત તેમજ શિક્ષિત સમાજનું
નિર્માણ થશે.
આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ને સંબોધતા તેઓ શ્રીએ જણાવ્યું
હતું કે, બાળકો શિક્ષણ લે તે મહત્વનું નથી પરંતુ આ શિક્ષણ ગુણવત્તા સભર
અને પરિણામલક્ષી હોવું જોઇએ. શાળાના શિક્ષકોએ અભ્યાસની સાથે સાથે
બાળકોમાં મિત્રાચારી અને સદભાવનાના ગુણો વિકસે તે જોવાનું, વાલીઓએ બાળકો
ધરે આવે ત્યારે તેઓની સાથે થોડો સમય કાઢી સંસ્કાર અને સદાચારની સાથે સાથે
બાળકે આજે તેની શાળામાં શુ પ્રવૃતિઓ કરી છે તે જોવાનું રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોમાં શિક્ષકો અને વાલીઓ પ્રત્યે આત્મીયતા અને સદભાવનાના ગુણો
કેળવાશે અને એક સંસ્કારી-સુશિક્ષિત બાળકનું નિર્માણ થઇ શકશે. બાળકો કુસંગ
અને કુટેવોથી દૂર રહેશે. તેઓશ્રીએ દિકરીઓના ભણતર પર ભાર મૂકી જણાવ્યું
હતું કે, દિકરીઓ ભણશે તો તે બે ધરને તારશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક
કરી, મિઠાઇ અર્પણ કરવામાં આવી હતી તેમજ શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં
આવ્યું હતું. તેઓશ્રીના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું
તેમજ શાળાની વિવિધ પ્રવૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
ઉપસ્થિત વાલીઓ સાથે બાળકોના અભ્યાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ સમારોહમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રો શ્રી ધ્રુવ, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ આપવા હિમાયત સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન

ચાર પૈંડાવાળી લારી નહીં પણ ચાર પૈંડાવાળી ગાડી રાખતા થાય તેવું શિક્ષણ
આપવા હિમાયત
સુરાશામળ ગામના કન્યા કેળવણી મહોત્સવમાં દાતાઓનું પણ સન્માન
વડોદરા
શિનોર તાલુકાના માલસર, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા અને સીમળી ગામોની
પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોમાં
શકિતકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જિતુભાઈ પટેલ, ગામની
પ્રાથમિક શાળામાં ભણીને કેળવીણકાર તરીકે નામાંકિત બનેલા મનુભાઈ પટેલ અને
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સચિન પટેલે પ્રાથમિક શાળાઓ
અને આંગણવાડીઓમાં નવો પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને હેતપૂર્વક આવકાર્યા હતા.
આ પ્રસંગની સાથે જ જિલ્લા ઉઘોગ કેન્દ્ર સંચાલિત માનવ કલ્યાણ યોજનાના
લાભાર્થીઓને શાકભાજીની ફેરી તેમજ દૂધ-દહીં વિતરણ કીટસનું લાભાર્થીઓને
વિતરણ કરતાં શ્રી જિતુભાઈ પટેલે વિઘાર્થીઓ ભણે-ગણે અને ચાર પૈંડાવાળી
લારીને બદલે ચાર પૈંડાવાળી ગાડી રાખતાં થાય તેવું સક્ષમ શિક્ષણ આપવાની
ભારપૂર્વક ભલામણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નવો પ્રવેશ મેળવનારાઓને દફતર તેમજ
શૈક્ષણિક સાધનો રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ૧૫૦૦
નોટબુકસની સખાવત કરનારા કેળવણીકાર મનુભાઈ પટેલ, કંપાસ ઈત્યાદિ શૈક્ષણિક
સાધનો આપનારા તાલુકા પંચાયત સદસ્ય શેરખાન સિન્ધી અને સ્ટીલ પ્લેટસની ભેટ
આપનારા ફૈઝયંગ સર્કલના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ
ઉપરાંત તેજસ્વી તારલાઓનું અભિવાદન અને માનવ કલ્યાણ યોજનાના ૦૬
લાભાર્થીઓને પ્રત્યેકને રૂા. ૫૦૦૦/- ની રોજગારલક્ષી કીટસનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
અગાઉ શાળામાં દાખલ થનારા બાળકોને કોઈ આવકારતું ન હતું તેની યાદ દેવડાવતા
શ્રી જિતુભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દ્વારા સરસ્વતી સાધના શરૂ કરનારા ભૂલકાંઓને હૂંફ અને સ્નેહની
અનુભૂતિ કરાવી છે. શ્રી જિતુભાઈ પટેલે વિકાસની ખાતરી માટે ભાવીપેઢીને
સુશિક્ષિત કરવા પર ભાર મૂકયો હતો. નાયબ પશુપાલન નિયામક ડૉ કે.બી.બસોની
અને ડાયટના પ્રાધ્યાપક બેલા શાહ પણ ભૂલકાઓના સ્વાગતમાં જોડાયાં હતા.

ગ્રામીણ શાળામાં ભણતું એકપણ બાળક શિક્ષણમાં પાછળ ન રહી જાય તે જોવાની
જવાબદારી સમાજ નિભાવે
- ધરોલિયા (ભી) ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો -
વડોદરા
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે
ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નનર શ્રીમતી જયંતી રવિએ વડોદરા જિલ્લાના
જેતપુર-પાવી તાલુકાના ધરોલીયા(ભી) ગામે ત્રણ ભૂલકાંઓને પહેલા ધોરણમાં
પ્રવેશ કરાવતા જણાવ્યું કે ગામના શિક્ષણ લેતા બાળકોના લેખન વાંચનમાં
રહેલી ત્રુટિઓ દૂર કરી આ ભૂલકાંઓને શ્રેષ્ઠ રીતે લખતાં વાંચતા શીખવવામાં
આવે. શિક્ષણ માટે યોગ્ય જાગૃત્તિના અભાવથી બાળકો શિક્ષણમાં પાછળ રહી જાય
છે ત્યારે પ્રત્યેક ગ્રામીણજન બાળકોને શિક્ષણમાં શ્રેષ્ઠ બનાવવામાં
સામાજિક ઋણ અદાયગી કરવા સહિયારી જવાબદારી નિભાવે.
ગ્રામીણ બાળકો શિક્ષણમાં અગ્રેસર બનશે તો ગુણોત્સવમાં ગ્રેડ મેળવવામાં
પાછળ રહી નહિ જાય અને એ ગ્રેડ મેળવશે તો તેમનું શૈક્ષણિક પરિણામ ઉજ્જવળ
બનશે. આ માટે ગામમાં ભણેલા વડીલોની વિગત મેળવી બાળકો શિક્ષણમાં દુર્લક્ષ
ન સેવવા પરંતુ તેને સાચા અર્થમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતાં જો શિક્ષિત
વ્યકિત ખેતી પણ કરશે તો સારી રીતે કરશે. ગામનું પ્રત્યેક બાળક સ્નાતક
કક્ષા સુધી ભણે તે માટે ગ્રામજનોના સહકારની અપેક્ષા વ્યક કરી હતી.
પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા શિક્ષણમાં બદલાવ લાવી શિક્ષક શાળા સમય
પહેલાં અને શાળા સમય પૂર્ણ થયાં બાદ શાળામાં રોકાઈને બીજા દિવસના
અભ્યાસનું આયોજન કરે તે જરૂરી છે. જેથી શાળાના તમામ બાળકોમાં રહેલી છૂપી
શકિતઓને ખીલવવાની તક મળશે બાળકોને હૂંફ અને સ્નેહ દ્વારા સંસ્કાર સિંચન
અને શૈક્ષણિક કારકિર્દીના ધડતરમાં તેનું પ્રતિબિંબ ઝીલાશે. બાળકોના
શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવાથી જ ગુણોત્સવ જેવા મહત્ત્વના કાર્યક્રમને પણ
સફળતા મળશે.
જેતપુરપાવી તાલુકાના ધરોલીયા ગામે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવ દરમિયાન ઉચ્ચશિક્ષણ સચિવ શ્રીમતી જયંતી રવિએ પહેલા ધોરણમાં
પ્રવેશ પામેલાં બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કર્યું હતું. જયારે
શ્રેષ્ઠ પરિણામ મેળવનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમના બાળકોને
કંપાસબોક્ષ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ચોથા ધોરણમાં ભણતાં બાળકોએ સમગ્ર કાર્યક્રમનું
સંચાલન કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં શ્રીમતી જયંતી રવીએ
બિરદાવ્યાં હતો.
પ્રાથમિક શિક્ષણના બાળકોને દરરોજ નાવીન્યપૂર્ણ શિક્ષણ આપવામાં આવે
બાળકોને વાર્તાઓ, અભિનય અને ઈતર પ્રવૃતિઓ તરફ વાળી તેમની શકિતઓ ખીલવવામાં
આવે - ઉચ્ચ શિક્ષણકમિશનર શ્રીમતી જયંતી રવિ
વડોદરા
વડોદરા જિલ્લાના વનાંચલ જેતપુરપાવી તાલુકાના ભીંડોલ ગામે કન્યા કેળવણી
અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રીમતી જયંતી
રવિએ આંગણવાડીમાં સાત બાળકો અને પંદર બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ
કરાવવા સથે ઓરડાનું લોકાર્પણ કર્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ શાળાના શિક્ષકગણનો પરિચય કરતાં શિક્ષણ આપવાની પદ્ધતિ
કયો વિષય ભણાવે છે, ભણાવવામાં બાળકોને રસ પડે વગેરે જેવા પ્રશ્નો શાળાના
બાળકોને પૂછતાં બાળકોએ તેમના વાત્સલ્યસભર શિક્ષકો માટે હકારાત્મક
પ્રત્યુત્તર આપ્યા હતા.
તેમણે શિક્ષકોને શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં રહેલા
કૌશલ્યને ખીલવવા માર્ગદર્શક બનવા અનુરોધ કરતાં શાળાના બાળકોને દરરોજ નવી
નવી પ્રેરણાદાયી વાર્તા કથન અને ગીતોથી સભર બનાવવા સૂચવ્યું હતું.
શ્રીમતી જયંતી રવિએ બાળકોને લખતાં વાંચતા અને ગણિત ગણતા આવડે તે માટે
શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગ્રામજનોને તથા વાલીઓને સંપૂર્ણ સહયોગ આપવા
હાકલ કરતાં શાળામાં અનિયમિત બાળકને શાળા શિક્ષણમાં જોતરવા તેના વાલી તથા
બાળકને શિક્ષણ પ્રેરિત ખાસ ભાર મૂકયો હતો.
ભીડોલ ખાતે પહેલા ધોરણમાં પ્રવેશ પામેલા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
કરતાં મોં મીઠું કરાવ્યું હતું. જયારે આંગણવાડીના બાળકોને દાતાઓ દ્વારા
મેળવાયેલાં રમકડાં અને ચોકલેટસ આપી હતી. આ પ્રસંગે સગર્ભા અને ધાત્રી
માતાને સુખડી અને શીરાના પેકેટસનું વિતરણ કર્યું હતું. પહેલા ધોરણમાં
પ્રવેશ મેળવનાર બાલિકાના વાલીઓને વિઘાલક્ષ્મી બોન્ડ સાથે ધોરણ સાત પાસ
કરનાર બાલિકાના વાલીઓને પાકેલા વિઘાલક્ષ્મી બોન્ડની રકમના ચેકસનું વિતરણ
કર્યું હતું.
ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના પ્રોજેકટર કો-ઓર્ડિનેટર શ્રી વિક્રમ
ગોહેલએ પ્રાથમિક શિક્ષણ પદ્ધતિને ભાર વિનાનું બનાવવાના અભિયાનરૂપ અભિનય
ગીત રજૂ કરી બાળકોને પ્રેરણા આપી હતી.
ભીડોલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીમતી
જયંતી રવિ સાથે ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગના ખાસ ફરજ પરના અધિકારી
શ્રી ચેતનભાઈ ચૌહાણ, પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સર્વશ્રી ધર્મેશભાઈ રામાનુજ,
વિક્રમભાઈ ગોહિલ, સચીનભાઈ પટેલ, ગ્રામજનો વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા
હતા.


ગ્રામ શાળાઓમાં ભણતા ધગશવાળા વિઘાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સોપાનો સર કરી શકે છે
સેગવાની પ્રાથમિક શાળામાં વરિષ્ઠ આઈએએસ અધિકારી મુકેશ પુરીએ ભૂલકાંઓને આવકાર્યા
વડોદરા
વરિષ્ઠ આઈએએસ અધિકારી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (જીયુવીએનએલ)ના
પ્રબંધક નિર્દેશક શ્રી મુકેશ પુરીએ શિનોર તાલુકાના નાનકડા સેગવા ગામની
૧૦૬ વર્ષ જુની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા ભૂલકાંઓને આવકાર્યા હતા.
આ પ્રસંગે આંગણવાડી માટે રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા. નવો પ્રવેશ
મેળવનારાઓને દફતર ઉપરાંત દાતાશ્રી ચેતનભાઈના સહયોગથી શૈક્ષણિક સાધનોની
ભેટ આપવામાં આવી હતી અને ધો.૨થી ૬ના તેજસ્વી વિઘાર્થીઓને સન્માનવામાં
આવ્યા હતા. આ વિઘોતેજક કાર્યમાં પક્ષ પદાધિકારીશ્રી સુરેશભાઈ પટેલ, સરપંચ
અને ઉપસરપંચશ્રીએ શ્રી પુરીને સહયોગ આપ્યો હતો.
ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામણીમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિઘાર્થીદીઠ
શિક્ષકોનું પ્રમાણ વધુ હોય છે અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતો વધુ સારી
હોય છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ગ્રામ શાળાઓમાં
ભણતા ધગશવાળા બાળકો ઉચ્ચશિક્ષણના સોપાનો સર કરી શકે છે. એટલે શિક્ષકો
શિક્ષણની ગુણવત્તા જાળવે તેમણે ગ્રામિણ વાલીઓને શાળાઓની નિયમિત મુલાકાત
લેવા, શાળાના વિકાસમાં સહયોગ આપવા અને શિક્ષણની ગુણવત્તા પર નજર રાખવા
ખાસ અનુરોધ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાતના આયોજનોને પગલે રોજગારીની વિપુલ
તકો સર્જાઈ છે ત્યારે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મેળવનારાઓનું ભવિષ્ય ઉજજવળ
બનશે તેવો સંકેત તેમણે આપ્યો હતો. આ પ્રસંગે ઉચ્ચશિક્ષણ મેળવનારી ગામની
દીકરી પિ્રયંકા પટેલનુ઼ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી સુરેશભઈ પટેલ ગુજરાતના વિકાસ માટે શિક્ષણની ઉચ્ચતમ સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવા માટે મુખ્યમંત્રીશ્રી મોદીને અભિનંદન આપ્યા હતા અને વાલીઓ
સંતાનોના શ્રેષ્ઠ શિક્ષણ માટે તેનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

ચૂંટણીપંચના નિરીક્ષક આજે મતદાર નોંધણીની સમીક્ષા કરશે અને નાગરિકોને મળશે
આજે તમામ મતદાન મથકો ખાતે નામ નોંધણી કરાવવા સહિતની સુવિધાઓ
વડોદરા
ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે હાલમાં મતદાર યાદીની સંક્ષિપ્ત
સુધારણાના ભાગરૂપે મતદારોની નામ નોંધણી, નામમાં ભૂલોની સુધારણા, નામો કમી
કરવા અને વિધાનસભા વિસ્તારની ફેરબદલ ઈત્યાદિ કામગીરી ચાલી રહી છે. ચુનાવ
આયોગે આ કામગીરીના નિરીક્ષણ માટે વરિષ્ઠ સનદી અધિકારીઓની મતદારયાદી
નિરીક્ષક (રોલ ઓબ્ઝરવર) તરીકે નિયુકતિ કરી છે. તેના ભાગરૂપે વડોદરા શહેર
જિલ્લા માટે સનદી અધિકારીશ્રી આર.એલ.મોપાલવર (આઈએએસ)ની ચૂંટણીપંચે
નિયુકતિ કરી છે. શ્રી મોપાલવર રવિવાર તા.૧૭/૦૬ના રોજ મતદાર નામ નોંધણી
અભિયાનની કામગીરીની સમીક્ષા કરવાની સાથે આ બાબતમાં નાગરિકોને મળી શકશે.
મુલાકત ઈચ્છકોને સાંજના ૪.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધી સર્કિટ હાઉસ વડોદરા ખાતે
ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમનો મોબાઇલ નં. ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે.

મતદારયાદીની સુધારણા હવે વધુ એક સપ્તાહ ચાલશે - નાગરિકો લાભ લેવાનું ન ચૂકે
વડોદરા
મતદારયાદીની ખાસ સુધારણાનો કાર્યક્રમ તા.૧/૬/૧૨થી ૧૮/૬/૧૨ સુધી ચાલવાનો
હતો. જે કાર્યક્રમ ફેરફાર કરી હવે તેની સમયમર્યાદા તા.૨૭/૬/૧૨ સુધી
લંબાવવામાં આવી છે. જેમાં તા. ૧/૧/૧૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા
નાગરિકો નિયત ફોર્મ ભરી ઉંમર, રહેઠાણના પુરાવા તથા ફોટો વિગેરે રજૂ કરી
તેઓના નામો મતદાર યાદીમાં નોંધણી કરાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
વિનોદ રાવે આ એક સપ્તાહની લંબાવેલી મુદતનો લાભ લઈ નામ નોંધણી કરાવી લેવા
જણાવાયું છે.
ખાસ ઝૂંબેશ સ્વરૂપે તા. ૧૭/૬/૧૨ને રવિવાર તા. ૨૪/૬/૧૨ને રવિવારના રોજ
તમામ મતદાન મથકો ઉપર પદનામિત અધિકારીઓ સવારના ૯.૦૦ કલાકથી સાંજના ૬.૦૦
કલાક સુધી સંકલિત મુસદૃાની પ્રસિધ્ધિ કરવામાં આવેલ મતદારયાદી જરૂરી ફોર્મ
સાથે હાજર રહેશે અને હકક દાવા, વાંધા અંગેની અરજીઓ સ્વીકારશે.
આ મતદાર તરીકે નોંધાયેલ છો કે કેમ ? તે અંગેની માહિતી
http://www.ceogujarat.nic.in વેબસાઈટ Search your name-Electoral Rool
ની લીન્ક ઉપર જોઈ શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ
જણાવ્યું છે.
બે પૈંડાવાળા વાહનો માટે નવી નંબર સિરીઝ


વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) આરટીઓમાં બે પૈંડાવાળા વાહનો માટે તા.
૨૯/૬/૧૨ના રોજ જીજે-૦૬-એફ.જી. 1 થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરિઝ શરૂ
કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના
હેડકલાર્ક શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૯/૬/૧૨ સાંજે પાંચ કલાક સુધીમાં
ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી
વધુ રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી
વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર
સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૯/૬/૧૨ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય
તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે
નહીં ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર છ માસની અંદરનો હોવો જોઈએ તેમજ સ્માર્ટ
ઓપ્ટિકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે વિગતવાર માહિતી માટે
કચેરીનો સંપર્ક કરવો.


મૃતક ડાહ્યાભાઈ વસાવાના કુટુંબીજનો સંપર્ક કરે
વડોદરા ૧૬ જૂન, ૨૦૧૨ (શનિવાર) અંદાજે ૬૦ વર્ષની ઉંમરના ડભોઇ રોડ, સોમા
તળાવના નિવાસી ડાહ્યાભાઈ સોમાભાઈ વસાવાને બિમાર હાલતમાં તા. ૧૭મી મેના
રોજ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વાડી નાની
શાકમાર્કેટ પાસેથી બિમાર હાલતમાં મળી આવ્યા હતા. આ માંદગીગ્રસ્તનું
સારવાર દરમિયાન શુક્રવાર તા. ૮/૦૬ના રોજ મરણ થયું છે. તેના વાલીવારસોને
તાત્કાલિક વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવનું સમાપન હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ત્રણ દિવસના વિરાટ કન્યા કેળવણી શાળાપ્રવેશ
મહોત્સવનું સમાપન
હવે ર૮-ર૯-૩૦ જુન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાશે
...
આટ અને તવડી ગામોમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અનોખો ઉત્સવ...
કુપોષણ અને નિરક્ષરતા સામે સરકારે જંગ છેડયો છે
...નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે જલાલપોર તાલુકામાં
ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત બનાવવા સમાજ સંવેદના ઉજાગર કરી
સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ ઉત્તમ બનીને જ રહેશે
સમાજ સમસ્તમાં પ્રાથમિક શિક્ષણ માટેનું મમત્વ જાગવું જોઇએ
ગુજરાતને શિક્ષણ માટેની ઉદાસિનતા પાલવે જ નહી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દશમા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના ત્રણ દિવસના વિરાટ જનઅભિયાનના સમાપન દિવસે એવી આહ્લેાક
જગાવી હતી કે ગુજરાતના બાળકના ભવિષ્ય માટે સમાજ જવાબદારી ઉપાડે. શિક્ષણ
પ્રત્યે ઉદાસિનતા ગુજરાતને પાલવે તેમ નથી.
ચૂંટણીના આ વર્ષમાં મત માટેની ચિંતા કરવાને બદલે ભુલકાંઓના જીવનનું ભાવિ
ધડવા આ સરકારે ભેખ લીધો છે એવી દેશમાં આ પહેલી સરકાર છે એમ પણ તેમણે
જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ ગામોની ૩૨૭૭૨ સરકારી પ્રાથમિક શાળાઓમાં સો ટકા
નામાંકન સાથે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવામાં સમાજની સંવેદના ઉજાગર કરવા
સતત દશમાં વર્ષે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ અભિયાન સંપન્ન
થયું હતું.
દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ અને તવડી
ગામોમાં શાળા પ્રવેશોત્સવના અભૂતપૂર્વ ઉત્સાહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી
સહભાગી બન્યા હતા તેમણે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું
નામાંકન કરાવ્યું હતું. ફળ-મીઠાઇ, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સાધનો કિટ્સ,
રમકડાનું બાળકોને વિતરણ કર્યુ હતું. ગરીબ કન્યાઓને સરકાર તરફથી સાઇકલ ભેટ
આપી હતી.
ધરનો ઉંબરો છોડી બાળક પ્રાથમિક શાળાનો ઉંબરો ચડે એ તેની જીંદગીનો પ્રથમ
ટર્નિંગ પોઇન્ટ છે. એની ભાવનાત્મક ભુમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
શિક્ષક પરિવારને પોતાનું વ્હાલસોયું સંતાન જીવન સંસ્કારના ધડતર માટે
સોંપતા હોય ત્યારે, શિક્ષક અને સમાજની જવાબદારી કેટલી મોટી છે. તેની
અનુભુતિ તેમણે કરાવી હતી. પાયાના શિક્ષણની વર્ષો જૂની ચીલાચાલુ ઉપેક્ષિત
સ્થિતિમાં આમૂલચૂલ પરિવર્તન લાવીને સરકારી પ્રાથમિક શાળાનું સુવિધા અને
શિક્ષણનું સ્તર સુધારવા દશ વર્ષની જે તપસ્યા કરી તેનો ઉલ્લેખ કરી શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સમાજને પ્રાથમિક શિક્ષણનું મમત્વ જાગે એ
માટેનું આ અભિયાન માત્ર ત્રણ દિવસમાં પુરૂં નથી થતું. આગામી આખો દશક,
સમાજ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એવો આ સાર્થક પ્રયાસ છે.
વાઇબ્રન્ટ ગુજરાતના દર બે વર્ષે બે દિવસ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફળતા
તો દેશ અને દુનિયાએ સમજી છે, પરંતુ દર વર્ષે સતત દશ વર્ષ સુધી ત્રણ-ત્રણ
દિવસના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આ વિરાટ સેવાયજ્ઞ તરફ દુનિયાનું
ધ્યાન નથી જતું. એક સંનિષ્ઠ અખંડ પ્રાથમિક શિક્ષણ સુધારણાનો આ પરિશ્રમ
યજ્ઞ આ સરકારે ગુજરાતની આવતીકાલને સુશિક્ષિત અને તંદુરસ્ત બનાવવા આદર્યો
છે એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
આઝાદીના પ૦ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણની ધોર ઉદાસિનતા ભૂતકાળના શાસકોએ
સેવી, એના કારણે આ સરકારે આ દુર્દશા નિવારવા પોણા બે લાખ શિક્ષકો ભર્યા
અને ૬૦,૦૦૦ શાળાના ઓરડા દશ વર્ષમાં બનાવ્યા-હવે એના ઉપર ગુજરાતની ભવ્ય
ઇમારતનું નિર્માણ કરવું છે.
આ વિકાસને વરેલી સરકાર છે અને ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવી છે
એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચે લાવવાની સાથે કે.જી થી પી.જી
સુધી બાળકના સંપૂર્ણ આરોગ્યની સંભાળ આ સરકારે લીધી છે. હજારો ગરીબ
બાળકોને લાખો રૂપિયાના સરકારી ખર્ચે ઓપરેશન સારવારની કાળજી અમે લીધી છે
અને નવજીવન આપ્યું છે. કુપોષણમાંથી મુકિત માટે ગામેગામ સમાજ ભાગીદારી
માટેની ચેતના પ્રગટાવી છે. કુપોષણ સામે કેમ લડાઇ લડવી તે લોકભાગીદારીથી
ગુજરાતે બતાવ્યું છે.
કન્યા કેળવણી માટે સમાજમાં આવેલી જાગૃતિને બિરદાવતાં શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ આ માટે માતૃશકિતને અભિનંદન આપ્યા હતાં. દીકરી શિક્ષિત હશે તો
ગુજરાતની આવતી પેઢી સુશિક્ષિત બનશે જ એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
સરકારી પ્રાથમિક શાળાને ઉત્તમ સુવિધા મળી છે ત્યારે શિક્ષણનું સ્તર ઉત્તમ
બની રહે એવો સંકલ્પ કરવા તેમણે અપીલ કરી હતી. શિક્ષણ પ્રત્યે સરકાર અને
સમાજની ઉદાસિનતા દુર કરવામાં આ સરકારે પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું
હતું.
રાજયમાં ૫૦ ટકા નારીશકિત છે અને તેને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે
શિક્ષણનું માધ્યમ જ મહત્વનું છે એટલે જ કન્યા કેળવણીનું અભિયાન ઉપાડયું
છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનું બાળક મુરઝાયેલું કે માયકાંગલુ રહે તે મંજૂર નથી એમ પણ તેમણે
ઉમેર્યું હતું.
સરકારી શાળામાં ગુણાત્મક પરિવર્તન લાવવા હવે ગુણોત્સવ પણ દર વર્ષે યોજાશે
એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે ગુજરાતમાં દશકો આખો, મુખ્યમંત્રીશ્રીએ અથાક
પરિશ્રમ કરીને દુનિયામાં ગૌરવરૂપ વિકાસ કરી બતાવ્યો છે એમ તેમના
સંબોધનમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રવેશોત્સુક બાળકોના પરિવારજનો, પદાધિકારીઓ અને વરિષ્ઠ
અગ્રણીઓ તથા સાગરકાંઠાના આ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ક્ન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૨
બે દિવસમાં ૩,૨૦,૮૪૧ બાળકોનું નામાંકન
રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી
સમાજ તરફથી રૂા. ૫,૮૨,૦૭,૮૬૬ના દાન મળ્યાં
ગાંધીનગર,
રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકન અને રાજ્યની તમામ દીકરીઓ
ભણે તે માટે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા પ્રતિ વર્ષ કન્યા કેળવણી
મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદી સહિત મંત્રી મંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ
વિભાગના અધિકારીઓ જોડાય છે. આ વર્ષે યોજાયેલાં કન્યા કેળવણી મહોત્સવને
જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને મહોત્સવના પ્રથમ બે દિવસ દરમિયાન જ
૩.૨૦ લાખ બાળકોનું નામાંકન થયું છે અને ૫.૮૨ કરોડનો લોકફાળો શાળાઓને
પ્રાપ્ત થયો છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત બીજા
દિવસે રાજ્યમાં ૭૬,૩૦૨ કન્યાઓ અને ૮૦,૩૦૩ કુમારો સહિત કુલ ૧,૫૬,૬૦૫
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. આમ આ મહોત્સવના બે દિવસો દરમિયાન કુલ ૩,૨૦,૮૪૧ બાળકોએ ધો.૧માં
પ્રવેશ મેળવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્યની શાળાઓને
રૂા. ૨ કરોડ, ૮૪ લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા. આમ,
મહોત્સવના પ્રથમ બે દિવસોમાં કુલ રૂ. ૫.૮૨ કરોડના મૂલ્યનો લોકફાળો
શાળાઓને પ્રાપ્ત થયો છે.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની આગેવાની અને શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અને
શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં
ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ લોક સહકાર
મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ બે દિવસોમાં જ ૩.૨૦ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગામના બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર,
ટ્રક વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિક્ષલઘ્ટમી બોન્ડ
યોજના અંતર્ગત પ્રથમ દિવસે ૨૫,૯૧૩ કન્યાઓને તેમજ બીજા દિવસે ૨૪,૯૪૫
કન્યાઓને મળીને બંને દિવસોમાં કુલ ૫૦,૮૫૮ કન્યાઓને કુલ રૂ.
૧૦,૧૭,૧૬,૦૦૦ના નર્મદા બોન્ડ આપવામાં આવ્યા છે. બાળકોના અને ખાસ કરીને
કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ સમિતિ,
માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ
ગાંધીનગર,
રાજ્યના શિક્ષણ વિભાગે ચિલ્ડ્રન યુનવર્સિટીના સર્વાંગી વિકાસ માટે તેની
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિક્ષનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ અને
યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ
ગાંધીનગર,
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અંતર્ગત સંસ્કૃત
સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભારતીના સહયોગથી તા.૨૦ જૂન,
૨૦૧૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ
મોદીના હસ્તે વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ
પુરસ્કાર તથા યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારંભ યોજવામાં આવ્યો છે. આ
પ્રસંગે રાસ ગરબા અને નાટક વગેરેનો ત્રિદલમ્‍ કાર્યક્રમ પણ યોજાશે. આ
કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી
ફકીરભાઇ વાધેલા ઉપરાંત અતિથિ વિશેષપદે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ
ચૌહાણ તથા ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર અને શ્રી સોમનાથ સંસ્કૃત
યુનિવર્સિટીના કુલપતિ શ્રી વેંપટિ કુટુંબશાસ્ત્રી ઉપસ્થિત રહેશે તેમ
સચિવશ્રી ભાગ્યેશ જ્હા તેમજ અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.

ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના લાભાર્થી જોગ સ્વરોજગારી માટેની યોજનાઓ
ગાંધીનગર, શનિવારઃ ગોપાલક સમાજના રબારી-ભરવાડ જાતિના સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના
રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા વિકાસ નિગમના ઉપક્રમે સ્વરોજગારી માટેની યોજનઓ
અમલમાં છે.
તદ્દનુસાર, ડેરી યુનિટ, નવા ઉક્ષેગ-ધંધા અને પરિવહનના વ્યવસાય માટે મુદતી
લોન, સ્વસહાય જૂથ મારફતે માઇક્રોફાઇનાન્સ યોજના, બીપીએલ મહિલાઓ માટે ડેરી
યુનિટ અને નવા ઉક્ષેગ-ધંધા તથા ઉચ્ચ અભ્યાસક્રમો માટે નવી આકાંક્ષા નામની
ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના અને વ્યવસાયિક માન્ય પદવી પ્રાપ્તપ વ્યવસાયિકો
માટે સ્વયં સક્ષમ યોજના અમલમાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં ૪૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં પ૦,૦૦૦ની વાર્ષિક
આવકવાળા ર૧ થી ૪પ વર્ષની વયમર્યાદા ધરાવતા (સ્વયં સક્ષમ યોજના માટે ૧૮ થી
૩પ વર્ષની વય) લાભ લેવા ઇચ્છુક અરજદારોએ સંબંધિત જિલ્લાના સમાજકલ્યાણ
અધિકારી (વિ.જા.)નો સંપર્ક કરીને અરજીપત્રકો તા. ૧૬-૮-ર૦૧ર સુધીમાં પરત
આપી દેવા અરજીપત્રકો વેબસાઇટ www.sje.gujarat.gov.in ઉપરથી પણ મળી શકશે,
તેમ ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણમાં ભાગ લેવા અંગે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ જોગ
ગાંધીનગર,
૧પ થી ૩પ વર્ષની વયમર્યાદાવાળા ફકત અનુસૂચિત જનજાતિના વિક્ષર્થી,
બિનવિક્ષર્થી યુવક-યુવતિઓને સાગરકાંઠા વિસ્તારના સાહસિક પ્રવાસમાં ભાગ
લેવાની તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના કમિશનર, યુવક, સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના ઉપક્રમે સરકારના ખર્ચે સાગરકાંઠા વિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ ઓગસ્ટ-ર૦૧રમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં ૧૦૦
યુવક-યુવતિઓને ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે.
માત્ર અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ કે જેઓ તા. ૩૧-૦૭-ર૦૧રના રોજ ૧પ થી
૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય
તેઓએ તા. ૧પ-૦૭-ર૦૧ર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા સેવા સદન-૧,
પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ની કચેરીને અરજી મોકલી આપવાની રહેશે. અરજદારોએ
આ માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ, બ્લોક નં. ૧૧,
ત્રીજો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો સંપર્ક કરવો.

બેજિંગમાં યોજાયેલી ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ ઇનવેસ્ટમેન્ટ સમીટમાં રોકાણના
આગામી મોટા કેન્દ્ર તરીકે ગુજરાતની ચર્ચા
ચીનના ઔઘોગિક આગેવાનોની ભવિષ્યના રોકાણ સ્થળ તરીકે ગુજરાત તરફ નજર
ચીનની ટોચની કંપનીઓના સીઇઓ ગુજરાતથી પ્રભાવિત.
બેજિંગ ખાતે ભારતીય દૂતાવાસે વાઇબ્રન્ટ ગુજરાત અંગે રોડ શોનું આયોજન કર્યું
ચીનની મોટી કંપનીઓ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, હેવી
એન્જિનિયરિંગ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઓટો ઉઘોગોમાં રોકાણ કરવા માટે
ઉત્સુક
ગુજરાતમાં સ્થાનિક ભાગીદારોની તપાસ કરી રહેલી ચીની કંપનીઓ
ગુજરાતમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ, રોડ, રેલ, હવાઇ અને બંદરો સાથે જોડાણ,
૨૪ કલાક વીજ પુરવઠો, કુશળ માનવબળ, ઉઘોગો માટે સાનુકૂળ વાતાવરણ અને રાજય
સરકારના સારા વહીવટથી પ્રભાવિત થઇને ચીનની મોટી કંપનીઓના સીઇઓએ ગુજરાતમાં
મોટાપાયે રોકાણ કરવા માટે અને ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા રાજય સરકારના
અધિકારીઓ સાથે ગંભીરતાથી ચર્ચાનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્ર મોદીએ નવેમ્બર, ૨૦૧૧માં ચીનની મુલાકાત લઇને ગુજરાત અંગે પાયો
તૈયાર કર્યો હતો, જેનું શ્રેષ્ઠ ડિવિડન્ડ હવે પ્રાપ્ત થઇ રહ્યું છે.
છેલ્લાં છ મહિના દરમિયાન ચીનમાં ગુજરાત એક બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે
અને ચીનમાં ખાસ કરીને ઓટો, માળખા, હેવી એન્જિનિયિરિંગ, પાવર, પુનઃપ્રાપ્ય
ઉર્જા અને કાપડક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે વ્યૂહ
ધડી રહી છે. રોકાણ માટે આ કંપનીઓ રાજયમાં ભાગીદારને શોધી રહી છે અને
તેનાથી ધરેલુ કારોબાર અને કામદારો માટે વિશાળ તકો સાંપડશે.
ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લેતાં ચીનના
કાપડ ઉઘોગો કાચા માલના વહનનો ખર્ચ ક્ષાડવા ગુજરાતમાં તેમના એકમો
સ્થાપવાની યોજના ધરાવે છે. આ સાથે ગુજરાતમાંથી એશિયા, ખાડી દેશો અને
યુરોપમાં પણ ફિનિશ્ડ પ્રોડક્ટ્સના વેચાણની તેમની યોજના છે. ગુજરાતમાં
કુશળ કામદારોની ઉપલબ્ધી સાથે રાજય સરકારની સરળ અને સાફ નીતિ કંપનીઓને
રોકાણનો વ્યૂહ ધડવામાં મોટી ભુમિકા નિભાવે છે.
વેપાર અને ઉઘોગમાં આગળ વધવા અને વિગતવાર ચર્ચા કરવા માટે ચીનની સરકારનો
સહયોગ ધરાવતી અને ચીનના વેપાર અને ઉઘોગોને પ્રોત્સાહન આપવાની જવાબદારી
નિભાવતી સર્વોચ્ચ એજન્સી એવી ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડે (સીસીપીઆઇટી) પ્રિન્સિપલ રેસિડેન્ટ કમીશનર શ્રી ભરતલાલની આગેવાની
હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળને ત્યાંના વેપાર અને ઉઘોગક્ષેત્રના
અગ્રણીઓને મળીને ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.
વધુમાં, ચાઇના એન્ટરપ્રાઇઝ ફોરમે સીઇઓ અને ટોચની ચાઇનિઝ કંપનીઓના વડાને
બેજિંગ ખાતે ૧૪-૧૫મી જૂન, ૨૦૧૨ના રોજ યોજાયેલા ચાઇના ગ્લોબલ આઉટબાઉન્ડ
ઇનવેસ્ટમેન્ટ સમીટ'ને સંબોધન કરવા માટે પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળને
આમંત્રણ આપ્યું હતું. ચીનની સરકારના વાણિજય મંત્રાલયે આ સમીટને ટેકો
આપ્યો હતો.
જંગી પ્રમાણમાં રોકડ અનામતો સાથે રોકાણની વિશાળ તકો તરફ નજર દોડાવી રહેલા
સીઇઓ અને ટોચની કંપનીઓના વડાને સંબોધન કરતાં શ્રીભરત લાલે રોકાણના
વર્તમાન માહોલ, ગુજરાતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અને મોટાપ્રમાણમાં
રોકાણને જાળવી રાખવા માટે રાજય સરકારની નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો.
સમીટમાં ભાગ લેતી ધણી કંપનીઓના સીઇઓએ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને
રશિયાની સરખામણીમાં રોકાણ માટે ભારતની પસંદગીનો ઉલ્લેખ કર્યો હતો. ચાઇનિઝ
કંપનીઓ માટે ભારતમાં ગુજરાત રોકાણ માટે પસંદગીનું સ્થળ છે. હાર્ડવેર
સાધનોમાં ચીનની મહારત સાથે સોફ્ટવેર ઉઘોગમાં ગુજરાતની ક્ષમતાઓ એક થશે તો
બંન્ને પક્ષે લાભ જોવા મળશે.
સમીટના અંતે આયોજિત ભોજન સમારોહ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સીઇઓના
માનમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં શ્રીભરત લાલે ગુજરાતમાં રોકાણકારો માટે
સાનુકૂળ માહોલ અને રાજય સરકારની સરળ નીતિ તેમજ સિંગલ વિન્ડો સુવિધા જેવી
સરકારની પહેલ અંગે જાણકારી આપી હતી. યુરોપમાં સર્જાયેલા મંદીના માહોલ
વચ્ચે કારોબારમાં વિસ્તરણ અને ખર્ચમાં કાપ મૂકવાની યોજના ધરાવતી ચીનની
વિવિધ કંપનીઓના વડા સાથે ૧૫ સભ્યોના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે ચર્ચા
કરી હતી.
બેજિંગમાં ભારતીય દૂતાવાસે ચાઇના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ
ટ્રેડ (સીસીપીઆઇટી) સાથે મળીને રોડ શોનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય
છે કે સીસીપીઆઇટી કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)નું પણ
ભાગીદાર છે. રોડ શો દરમિયાન પ્રતિનિધિ મંડળે ગુજરાતના નેતૃત્વ,
વિવિધક્ષેત્રે પહેલ અને માળખા, ઉત્પાદન અને પુનઃપ્રાપ્ય ઉર્જાક્ષેત્રે
ઉપલબ્ધ વિશાળ તકો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યાં હતાં. ચીન ખાતે
ભારતના રાજદૂત ડો. એસ. જયશંકર રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ભારતનું
કેમ્પેઇન કરી રહ્યાં છે, જેમાં ગુજરાત મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે.
ભારતીય દૂતાવાસ ખાતે અગ્રણી ઉઘોગપતિ અને રોકાણકારોને સંબોધન કરતાં
કાઉન્સિલર કે.નાગરાજે ભારત અને ચીનના આર્થિક સંબંધો સાથે સંકળાયેલી વિશાળ
તકો અને વિવિધક્ષેત્રે જોડાણથી બંન્ને દેશોને થતા લાભોની જાણકારી આપી
હતી. તેમણે રોકાણના શ્રેષ્ઠ સ્થળ તરીકે ગુજરાતની પહેલનો પણ ઉલ્લેખ કર્યો
હતો. સીસીપીઆઇટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ વાંગ લીએ પણ પ્રતિનિધિ મંડળનું
સ્વાગત કર્યું હતું અને ચીન અને ગુજરાત વચ્ચે સાતત્યપુર્ણ રીતે વધી
રહેલાં કારોબાર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં ધણી ચાઇનિઝ કંપનીઓ
કાર્યરત છે અને તેમણે રાજય સરકાર અને સ્થાનિક લોકો તરફથી કંપનીઓને
પ્રાપ્ત થતાં સહકાર અંગે પણ જાણકારી આપી હતી.
સીપીસીના આમંત્રણ બાદ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની નવેમ્બર,
૨૦૧૧માં ચીનની મુલાકાતથી વેપારક્ષેત્રે જોડાણના પ્રમાણમાં વધારો થઇ રહ્યો
છે. શ્રીમોદીની મુલાકાત બાદ ચીનની સૌથી મોટી ઉર્જાના સાધનો તૈયાર કરતી
ટીબીઇએએ ૪૦૦ મિલિયન ડોલરના રોકાણ સાથે રાજયમાં મેગા ગ્રીન એનર્જી પાર્ક
સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને
ભારે મહત્વ આપતા રોકાણકારો માટે સૌથી અનુકૂળ રાજય ગુજરાત ભવિષ્યમાં ધણાં
મોટા પ્રોજેક્ટ્સ ધરાવે છે. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર
(ડીએમઆઇસી), ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (ડી-એસઆઈઆર) તેમજ
નાણાકીય સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન- ગુજરાત
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગીફ્ટ) સિટી સહિતના મોટા પ્રોજેક્ટ રોકાણની
વિશાળ તકો છે. આ સાથે ચારંકા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની પણ
સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ઉત્પાદનની ક્ષમતાઓને ધ્યાનમાં લઇને
ચીનની કંપનીઓ ફાર્માસ્યુટિકલ્સ, રસાયણ, કાપડ અને ઓટોઉઘોગોમાં સંયુક્ત
સાહસ સ્થાપવા માટે સ્થાનિક સ્તરે ભાગીદારની શોધ ચલાવી રહી છે.
બેજિંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અર્બન પ્લાનિંગ, હાઇ ડેન્સિટી હેબિટટ
ડેવલપમેન્ટ, આધુનિક ઉઘોગો માટે ઔધોગિક અને માળખાકીય યોજનાઓ, હેરિટેજની
સંરક્ષણ માટે અમદાવાદની સેપ્ટ (સીઇપીટી) યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં
રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત તેમણે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ
પ્રોગ્રામ અને સંયુક્ત સંશોધનમાં પણ આગળ વધવાની ઇચ્છા દર્શાવી છે.
પ્રતિનિધિ મંડળે બેજિંગ સ્થિત મોટા કોર્પોરેટ જૂથો સાથે માળખા, હેવી
મશીનરી, પુનઃપ્રાપ્ય ઉર્જા, કાપડ, હેવી એન્જિનિયરિંગ અને ઓટોઉઘોગમાં
રોકાણ માટે ચર્ચા કરી હતી. શ્રેષ્ઠ માળખાગત સુવિધા, વીજ પુરવટા અને
સ્થાનિક અને વિદેશોના મોટા બજારો સાથે જોડાણને ધ્યાનમાં લઇને ખર્ચમાં
ક્ષાડો કરવાના આશયથી આ મોટી કંપનીઓ ગુજરાતમાં ફેક્ટરીઓ સ્થાપવા આતુર છે.
ધણાં સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે ૨૦૧૩માં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત
સમિટ પહેલાનો આ પ્રવાસ ચીન અને ગુજરાત વચ્ચે ઝડપથી વિકસી રહેલા કારોબાર
અને સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે. સીપીસી નેતાઓના આંમત્રણ પર નવેમ્બર
૨૦૧૧માં જયારે ગુજરાતના માનનિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઉચ્ચ
કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે ચીનનો પ્રવાસ કર્યો ત્યારે ગુજરાત અને ચીન
વચ્ચેના આ સંબંધને વેગ મળ્યો હતો. શ્રી મોદીએ બેઈજિંગ, શાંક્ષઈ અને
સિચુઆનની મુલાકાત લીધી હતી અને ચીનના રાજનૈતિક અગ્રણીઓને મળ્યા હતા જેને
લીધે તેમણે વિવિધ કારોબારોમાં ભારે રસ લીધો હતો.
ગુજરાત સરકાર વતી શ્રી ભરત લાલે શાંક્ષઈ સ્થિત કારોબારી નેતાઓ,
રોકાણકારો, કંપનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ટેકનોલોજિસ્ટ્સને ૨૦૧૩માં ૧૧-૧૩
જાન્યુઆરીએ યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું
હતું. ગુજરાતનું આ પ્રતિનિધિમંડળ ચીનના બે પ્રસિદ્ધ ઉત્પાદન કેન્દ્ર
ચેંગડુ અને ગુઆન્ગઝોની મુલાકાત લેશે.