અંતર્ગત ઉઘોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુના હસ્તે ૨૯ કુમાર
અને ૨૫ કન્યાઓ મળી કુલ ૫૪ બાળકોને કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી મોંઢુ
મીંઠુ કરાવી દફતર આપી વિધિવત રીતે પહેલા ધોરણમાં દાખલ કરાવી શાળામાં
નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૧૪ બાળાઓને સરસ્વતિ સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી મહેશ્વર શાહુએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણીની ઉજવણીનો હેતુ સમજાવી બાળકોના શિક્ષણમાં રસ લઇ નિયમિત શાળામાં
મોકલવા અનુે પુરેપુરૂં શિક્ષણ અપાવવા ગ્રામજનો અને વાલીઓને અનુરોધ કર્યો
હતો.
પ્રારંભમાં ઢોલ ત્રાસા વગાડી, સામૈયું કરી ગ્રામજનો અને શાળાના બાળકોએ
સૌનું સ્વાગત કર્યુ હતું તેમજ ત્રણોલ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના
અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. આચાર્યા શ્રીમતી મંજુબેન વાળંદે આભાર
દર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સને ૧૯૦૯ માં સ્થપાયેલ ૧૦૩ વર્ષ જૂની ત્રણોલ પ્રાથમિક
શાળામાં ધટાટોપ લીમડા અને અન્ય વૃક્ષો તથા વિશાળ પટાંગણ, ચોફર
કંમ્પાઉન્ડવોલ, પીવાના પાણી માËõ દાતાઓના સખાવતથી જલકુટીરની સવલત વચ્ચે
સુંદર શાળાના ઓરડાઓમાં ધો.૧ થી ૮ ના બાળકો આનંદ-કિલ્લોથી અભ્યાસ કરી
રહ્યા છે.
આ કાર્યક્રમમાં લાયઝન અને ઉઘોગ અધિકારી નીલકુમાર શ્રીમાળી, જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી પાઠક, જિલ્લા પંચાયતના સભ્ય ગિરવતસિંહ, અગ્રણી
ભરતભાઇ સોઢા, સરપંચ બુધાભાઇ પરમાર અને ગ્રામજનો ઉÕìસ્થત રહ્યા હતા.
કૃìષ અને સહકાર વિભાગના અગ્રસચિવશ્રીના હસ્તે સારસા ગામે ૧૩૧ બાળકોનુ શાળા નામાંકન
આણંદ તાલુકાના સારસા ગામે કૃષિ અને સહકાર વિભાગના અગ્રસચિવ આર. કે.
ત્રિપાઠીની પ્રેરક ઉપસ્થિતીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની
ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન સારસા ગામના કુમાર શાળા, કન્યા શાળા, બ્રાન્ચ શાળા
તથા ધોડાપુર પ્રાથમિક શાળાના ૫૯ કુમાર અને ૭૨ કન્યા મળી કુલ ૧૩૧ બાળકોને
કુમ કુમ તિલક કરી, ચોકલેટ ખવડાવીને પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ૮૬ ભૂલકાંઓને ચોકલેટ ખવડાવી, રમકડાં આપી વ્હાલપૂર્વક તેડી
આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નવ બાળાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવી
હતી તેમજ શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્ર સચિવશ્રીએ બાળકોને ધ્યેય અનુસારનું શિક્ષણ આપવા ઉપર ભાર
મુકી ગ્રામજનોને બાળકોને નિયમિત શાળામાં મોકલવા અનુરોધ કર્યો હતો.
આ કાયૂક્રમમાં લાયઝન અધિકારી અને નાયબ બાગાયત નિયામક બી.એચ. વાળંદ, કૃષિ
યુનિ.ના ડો.જાની, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મણીભાઇ ચૌહાણ, દાતા મધુબેન
પટેલ સરપંચ વિમલભાઇ પટેલ, બીટ નિરીક્ષક અìશ્વન બ્રહ્મભટ્ટ સહિત ગ્રામજનો
અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લામાં રથયાત્રા દરમ્યાન સભા-સરધસબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨ જૂન, ૨૦૧૨ ના રોજ આણંદ શહેર
ઉપરાંત વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ,
વિરસદ, ભાદરણ અને શક્કરપુર ગામõ રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ
યોજાશે.
આ શોભાયાત્રાઓ દરમ્યાન આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો
અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે
માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી અવંતિકાસિંધે ગુજરાત પોલીસ અધિનિયમÞí
કલમ-૩૭(૩) હેઠળ તા. ૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી સક્ષમ
અધિકારીશ્રીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકઠા થવા, ચાર
કરતાં વધુ વ્યક્તિઓની કોઇ સભા ભરવા કે બોલાવવા અથવા સરધસ યોજવા ઉપર
પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ તથા
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.
આણંદ જિલ્લામાં રથયાત્રાના તહેવારને અનુલક્ષીને હથિયારબંધી
આણંદ જિલ્લામાં આગામી તા. ૨૦, ૨૧ અને ૨૨-૬-૨૦૧૨ ના રોજ આણંદ શહેર ઉપરાંત
વિઘાનગર, પેટલાદ શહેર, ખંભાત શહેર તથા નાપાડ તળપદ, અડાસ, ઓડ, વિરસદ,
ભાદરણ અને શક્કરપુર ગામે રથયાત્રાના તહેવાર નિમિત્તે શોભાયાત્રાઓ યોજાનાર
હોઇ આ શહેરો અને ગામો સહિત સમગ્ર આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટ આર. જી. ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ (૧) હેઠળ તા.
૧૮/૬/૨૦૧૨ થી તા. ૨૩/૬/૨૦૧૨ સુધી હથિયારબંધી ફરમાવી છે.
તદ્નુાસાર આ સમયગાળા દરમ્યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી,
સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે
રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા,
મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના
ઇરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ
અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે
પ્લેકાડó અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા, બતાવવા
કે તેનો ફેલાવો કરવા ઉપર પ્ર¬તિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ
શિક્ષાપાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો