અનુયાયીઓ

શુક્રવાર, 25 મે, 2012

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા, ,, લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા, ,, લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Saturday, August 20, 2011 at 7:08pm ·
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા


મારા મોંઘેરામિત્રો,
ગતાંકમાં આપણે સહુ વાંચી ગયા કે માત્ર એક હાથેથી તાળી નથી વાગતી. તો
ભ્રષ્ટાચાર ઉત્પન્ન થવાની મુખ્ય ફેક્ટરીઓ કઈ છે?? આ સવાલ બધાના મનમાં રમે
છે.
તો એક નજર તે ફેક્ટરી ઉપર


ફેક્ટરી નંબર એક ------ ૩૦ % ના આય કર ઉપરાંત અનેક વિધ કર સાથે ગોટે
ચડાવતા કર માળખુ. કર ભરવા માટે સીએ કે નાણાકીય નિષ્ણાંત કે આય કર વકીલ ને
જ રોકવો પડે. તો ફેક્ટરીમાં થી કેટલા લોકો કર ભરે છે???? વસ્તીના
પ્રમાણમાં કુલ ૪ ટકા લોકો જેમા ઉદ્યોગપતિ અને સરકારી કર્મચારી મુખ્ય છે
બાકી બધા મોટા ભાગના ૮૦ સી જેવા લાભ લઈ છુટી જાય છે લીટરલી છટકી જાય છે.
તો સૌ પ્રથમ કર માળખુ બદલવાની તાતી જરુર છે.


ફેક્ટરી નં બે. બે નંબરનુ કાળુ નાણુ ??? જે સરકારી આવક કે સરકારની
નીતિ/કાયદા/નિયમ સાથે આંખમિચોલી રમીને બન્યુ હોય છે, જેમાં કાયદાની
છટકબારીનો ભરપુર ઉપયોગ થયો. જેમાં મોટા મોટા પનામા સાઈઝના કૌંભાંડ પણ આવી
જાય


ફેક્ટરી નં ----ત્રણ દાનની રકમ કરપાત્ર નથી ગણાતી એટલે સ્વાભાવિક રીતે
ચેરીટી ટ્રસ્ટ અને તેને સંબંધિત સરકારી દફતર ને ઘી કેળા પણ મુળમાં તો ૩૦
% IT જ આવે છે.


ફેક્ટરી નં ચાર--- સરકારી જમીન અને નદી નહેર ને લઈને મોટા કૌભાંડ


ફેક્ટરી નં પાંચ ઉપરોકત ચાર નબળાઈનો લાભ લેતી કાયદો અને વ્યવસ્થા તંત્ર
અને જાગતા લોકો કારણ સરકાર કે અન્ય જે રીતે કાયદાની છટક બારી શોધે છે તે
જ રીતે આવા લોકો પણ તે જ છટક બારી નો ઉપયોગ કરશે. તે નિર્વિવાદ વાત છે.

આ પણ બધાને પ્રોત્સાહન અને બળ ક્યાંથી મળે છે???? એક તો છટકબારીથી અને
બીજી શાષન તરફથી કે ચુંટાયેલા પ્રતિનિધી મારફત

પ્રશ્નએ થાય છે શાષન તરફથી આવી છુટ ક્યાં કારણો સર મળે છે? એક તો કાયદો
અને વ્યવસ્થા તંત્ર સ્વાયત નથી, (જે રાષ્ટ્રપતિના હાથમાં હોવુ જોઈએ જે
હાલ નથી ) અને ગોકળગાય રફતારે ચાલતી ન્યાય પ્રણાલી


ચાલો એક નજર આ ફેકટરીને બંધ કરતા કેટલાક ઉપાય પર.
ઉપાય નંબર --૧) તમામ પરોક્ષ કરવેરા રદ કરી એક જ સેક્યુલર ટેક્ષ, અને તે
પણ ત્રણ ટેબલ વાઈઝ. નો વધુ ઝંઝટ કે જફા


ઉપાય નંબર--૨) નો ૮૦ સીએક્ઝ્મશન, બધી જ ધાર્મિક દુકાનો કરપાત્ર, ૧૨૧
કરોડ લોકો કર ને પાત્ર, ખેતી પણ કરને પાત્ર, ખેતી માટે રાહત કરતી એક પણ
વિશેષ જોગવાઈ નહી. કારણ દેશનુ ૭૦થી વધુ પ્રતિશત આવક ધરાવતુ અને અર્થ
તંત્રને તગડુ કરતુ આ કારખાનુ. ફકત મત અને કાળુ નાણુ છુપાવવા માટે નેતા
અને મતદાર વચ્ચે આંખ મિચામણાનો અહી ઝબરો ખેલ ખેલાય છે. કોઈ પણ માણસ ગમે
ત્યારે ખેતી લઈ શકે. ભારતિય કુળનો ભારત નો જ નાગરીક હોવો જોઈએ.


ઉપાય નંબર--૩) કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપુર્ણ સ્વાયત હોવા જોઈએ. અને
ઝડપી ન્યાય પ્રણાલી; કેસ પંજીકૃત થતા ૧ થી ૪ મહિના અંદર નિકાલ. કોઈ પણ
પ્રકારના નિયમ ભંગ કે ગુનાહિત કૃત્ય માટે ઝડપી સજા અને સખત સજા.


ઉપાય નંબર--૪) વકીલ અને પોલીસની કારકીર્દી માટે એકેડેમીક કોર્સ હોવા જોઈએ
અને પ્રવેશ લાયકાત મનોવિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ વિજ્ઞાનપ્રવાહ ૫૦ ટ્કા
માર્કસ સાથે પાસ (નો અનામત.)

ઉપાય નંબર--૫) કોઈ પણ ઉમેદવાર એક જ વાર ચુંટણી લડી શકે ચાહે હારે કે
જીતે, ઉંમર વર્ષ ૨૫ થી ૫૦, કોઈ પણ પ્રકારની FIR અન્ય ફરીયાદ કે સજા
કાપેલ ના હોવો જોઈએ, (આ નિયમ સામાન્ય મંડલ ક્લબ, પક્ષ, ટ્રસ્ટ,ગ્રામ
પંચાયત કે પાલીકા, ધારા સભા, સાંસદ, રાષ્ટ્ર પતિ) શૈક્ષણિક લાયકાત
ગ્રજ્યુએટ વિથ પોલીટીકલ સાયન્સ અને મેનેજમેન્ટ ઓફ હુમન રીસોર્સીઝ ( આ બે
કોર્સ જેને ચુંટણી લડવી તેને પસાર કરવા ફરજીયાત હોવી જોઈ). સરકારી
ક્ષેત્રે ચાલુ ટર્મ દરમ્યાન ઉંમર પુરી થવી કે આકસ્મિક મૃત્યુ થવા જેવી
ઘટના પર ફરીથી ચુંટણી નહી. કલેક્ટર ત્યાંનો વહીવટ પુરી થતી ટર્મ સુધી
સંભાળે, તેવુ વડા પ્રધાન/મુખ્ય મંત્રી માટે વહીવટ રાજ્યપાલ /રાષ્ટ્રપતિ
સંભાળે.


ઉપાય નંબર --૬ ) બે કે વધુ રાજકીય પક્ષ પણ શરત એટલી કે આખા ભારતની તમામ
બેઠક પર લડી શકવાને સક્ષમ હોય તો પક્ષ તરીકે માન્યતા અને ચુંટણી લડવાની
લાયકાત મેળવી શકે. કોઈ પણ પ્રકારનુ પક્ષિય ગઠબંધન કે પક્ષાંતર સજા પાત્ર


ઉપાય નંબર--૭) વડા પ્રધાન ને સીધા ચુંટવાની પધ્ધતિ, ધારાસભ્ય અને સાંસદને
ટર્મ દરમ્યાન જ સરકારી સગવડ.રાજય સભા રદ કરવી. અગર ચાલુ રાખવી હોય
પ્રતિનિધીને સરકાર તરફથી કોઈ રાહત નહી.


ઉપાય નંબર--૮) કારોબારી/કેબીનેટમાં જવા માટે રેન્કીંગ મેથડ, નો અન્ય વાદ

ઉપાય નંબર--૯) લાંચ અને ભ્રષ્ટાચાર અને સરકારી ઓફીસર અને ચુંટાયેલા
પ્રતિનિધી સામે કાર્યવાહી માટે લોક અદાલત જેવી ખુલ્લી અદાલત જે રાત્રે પણ
કાર્ય રત હોય અને આવી કોઈ પણ ફરીયાદ નો નિકાલ એક મહિનાની અંદર આવવો જોઈએ
ખોટી ફરીયાદ અને ખોટા સાક્ષી પણ સજા કર્તા અને એટલા જ જવાબ દાર મનાશે
જેટલો ગુનેગાર, ભારતના તમામ નેતા અને સનદી અધીકારીની સંપુર્ણ માહિતી
ઓનલાઈન હોવી જોઈએ. અને તેમાં ગરબડી કે શંકાસ્પદ કશુ જણાતા ભારતના કોઈ પણ
ખુણામાંથી તેની ફરીયાદ દાખલ કરી શકાય
ઉપાય નંબર--૧૦) સીવીલ અને સમાન ધારો. નો રાહત નો સબસીડી.


કોઈ પણ તજજ્ઞ આ ઉપરોકત બાબત/ફેરફાર સાથે દલીલ જરુર કરી શકશે, પણ આ બદલાવ
થશે તો જ ભારતમાં સુવર્ણ યુગના મંડાણ થશે તે પણ નિર્વિવાદ વાત છે.


ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા

ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Tuesday, May 17, 2011 at 10:02pm ·
મારા મોંઘેરામિત્રો,
આપણે જયારે હોય ત્યારે દેશમાં ચાલતા અંધાધુંધ ભ્રષ્ટાચાર પર બળાપા કાઢી
નેતાઓ ને કે શાષક કે વિપક્ષ કે ઉચ્ચ અધિકારી કે સરકારી કર્મચારીને ગાળો
ભાંડીયે છીએ અને વિદેશના વખાણ કરીએ છીએ. ભલે ને પછી આપણે એક વાર પણ
વિદેશી ધરતી પર પગ ના મુકયો હોય, કોઈએ આપણા દેશના રોગોનુ કે ભ્રષ્ટાચાર,
કે અરાજકતાનુ અન્વેષણ કર્યુ છે????
નેતા એવા જ મળે જેવો સમાજ હોય ???? ખરુ કે નહી????? આ બધા નેતા ને
ચુંટીને કોણ મોકલે છે????અન્ના હજારે જેવા એકાદ લોકો જન આંદોલન કરે છે
ત્યારે જોડાય જાયે છીએ. કે પછી બાબા રામદેવ હોય... ભારત ભરના લેખકો
પત્રકારો અલગ અલગ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આયનો ધરે છે....અલગ
અલગ દિશામાં આપણે સૌ મંડી પડયા છીએ.... ક્યાય મંઝિલ એક નથી કે નથી એક
રસ્તો. ઘણા બધા પત્રકાર અને ક્રાંતિ કારી વિચારકોની મહેનત એળે જાય છે
રોજ, એ નફામાં.


શિક્ષણ ખાતમાં ભ્રષ્ટાચાર જોયો કે શિક્ષકોને ગાળો અને શાપ.. ન્યાય
તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે વકીલ તથા માન્યવર જજોને ગાળો ને શાપ ..
પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે પોલીસ અધીકારીઓને ગાળો અને શાપ આવુ
પ્રત્યેક ખાતામાં આપણે જોઈ એ છીએ અનુભવીએ છીએ .....કાળુ નાણુ ડામવા
જંત્રીના ભાવ વધારવા પડે છે....આ કાળા નાણાને હિસાબ માં લાવવા જાત જાતની
કવાયત કરવી પડે છે સરકારને... અરિંમ ચૌધરી જેવા મેનેજમેન્ટના બકવાસ
પાઠ શિખડાવી દેશના લોકોને ગુમરાહ કરે છે તે નફામાં.... આ ઉપરાંત સીબીઆઈ
ના વડાના નંબર જાહેર હિત માટે જાહેર થયા છે કેટલાએ આ બાબત નો લાભ લીધો
કેટલા લોકો દેશ માટે આગળ આવ્યા???????? તેમ જ RTI જેવો કાયદો પણ અમલી
બન્યો છે તેનો કેટલા લોકોએ લાભ લીધો ???????????? કોઈ એ વિચાર્યુ કે કાળા
નાણાનુ મુળ છે ૩૦ ટકા ઈન્કમ ટેક્ષ અને અનેક પ્રકારના આડકતરા વેરાઓ ....
સરવાળે ૪૦ થી ૫૦ ટકા વેરા ચુકવવાના આવે છે. તો બધાને એવુ નથી લાગતુ કે
આવડા મોટા દેશમાં વહીવટ અતિ સરળ અને સગવડ પુર્ણ બની રહે તે માટે એક જ
વેરો હોવો જોઈએ .... સિંગાપોર માફક ફક્ત ત્રણ જ ટેબલ
---૧) ૯ ટકા પાંચ લાખ સુધી
---૨) ૮ ટકા પાંચથી ૨૫ લાખ સુધીની આવક માટે
---૩) ૭ ટકા ૨૫ લાખથી શરુ...આવક સુધી...
અને બાકી કોઈ પણ પ્રકારના ટેક્ષ જ નહી બાકી ના ટેક્ષ ન ભરાતા આવક તો
વધવાની છે ને. આ ટેક્ષ માંથી અમુક હિસ્સો સ્થાનિક અમુક હિસ્સો રાજ્ય ,
અમુક હિસ્સો કેન્દ્ર અને અમુક હિસ્સો વિમા અને પેન્શન માં જવો જોઈ એ બધી
જ બેન્ક આ ટેક્ષના ભરણા સ્વીકારતી હોવી જ જોઈ એ .આમાં બધાનો સમાવેશ થઈ
જવો જોઈ એ ભીખારી કે મંદિર, આશ્રમ કે સામાન્ય માણસ કે ધનવાન.... કલ્પના
કરો એક સાથે ૨૨ કરોડ લોકો ટેક્ષ ભરશે.... તો જ દેશ પ્રત્યે નિષ્ઠાનો જન્મ
થશે. ( આ એક ઉદાહરણ છે)
કોઈ ઉદ્યોગપતિ એ ટેક્ષ વેરાઓ ને લઈ ને કોઈ આંદોલન કર્યુ છે???? કેમ નહી
અને શા માટે નહી ?????શુ તેઓ ભારતના વાસી નથી શું તેઓ પરગ્રહથી આવેલ
છે... અતિ મોટા ઉદ્યોગગૃહને ક્યા કોઈ પ્રશ્ન છે... એ તો ચુંટણી ફંડ આપી
પોતાના ફાવતા નિયમો બનાવી ટેક્ષ ભરી અને ભાવ વધારીને લોકોને લુટતા
રહેશે!!!!!!!! ખરુ ને. કોઈ એ આડકતરા વેરા સામે પણ આંદોલન કર્યુ છે??? શા
માટે નહી ???? કારણ વહીવટી કાયદાઓની એટલી બધી ગુંચ છે કે સીએ અને IT
વકીલની મદદ વિના સમજી જ ના શકાય અને ગુંચ કોણે વધારી અને શા માટે વધી ???
વેપારીઓ એ ક્યારેય આ બાબતે અહિંસક આંદોલન નો રાહ પક્ડયો છે????????


શિક્ષણ અને શૈક્ષણિક રોજગારીમાં કેટકેટલી અસમાનતા છે. ડોનેશન સીટ, જ્ઞાતિ
વાદ આધારીત સીટ સરકારી ક્વોટા, NRI ક્વોટા, ત્યાર બાદ મેરીટ .... અહી પણ
ક્યા અસમાનતા છે ત્યાર બાદ માધ્યમોને લઈ ને ફીઝની મગજ મારી અંગ્રજી
માધ્યમમાં સરેરાશ ફી મહિને ૩૦૦૦ થી......... લઈ શકાય છે જ્યારે પ્રાદેશિક
ભાષાની શાળામાં ફક્ત ૩૦૦ થી ૫૦૦ મહ્તમ છે આથી બધો ઝોંક ઈંગ્લીશ શાળા તરફ
જ વધ્યો.. આવી ને અસમાનતા.... તેમજ સીલેબસ ને લઈ ને આખા ભારતમાં અસમાનતા,
ઉપરથી બે બે બોર્ડ. હવે આપણે જોઈ એ પ્રથમ સોપાનથી છાત્ર આટઆટલી
અસમાનતાનો ભોગ બને છે તો સમાન વિચાર ધારા ક્યાંથી બનશે?? ક્યાંથી દેશ
પ્રત્યે પ્રચંડ ઈચ્છા શક્તિ પેદા થશે.... રાષ્ટ્ર ભાષાના ઠેકાણા જ
નથી.....યુનિવર્સીટીઓ ના તો નંબર કે કોઈ રેગ્યુલરી એક્ટના તો સરનામા ના જ
પુછો.


સરકારી અને ખાનગી ક્ષેત્રે પગારમાં જમીન આસમાનનો તફાવત ... લઘુતમ વેતન
ધારો ફક્ત કાગળ પર જ છે ફરી એક વધુ અસમાનતા, બાળ મજુરી અને નેપાળ અને
બાંગ્લાદેશી મજુરો ને લઈ ને સમસ્યા.......

મેડીકલ ક્ષેત્રને લઈ ને અનેક સમસ્યા અને અસમાનતા કોઈ ચાર્જ નુ ફિક્ષ ધારા
ધોરણ જ નહી આનાથી વધુ ઈન્ડ. નિયમોમાં ઈસ્પેક્ટર રાજ અને ઉદ્યોગપતિ ની
વચ્ચે સાઠમારી...
ટ્રાવેલ્સ અને સરકારી પરિવહન વચ્ચે અસમાનતા બેંક ક્ષેત્રે વિમા ક્ષેત્રે,
ઓટો મોબાઈલ , રીયલ એસ્ટેટ અને બાંધકામ અને નગર પાલિકાના નિયમ ભંગ
ક્ષેત્રે. ટ્રાફિક નિયમન,બેંક ક્ષેત્રે
વગેરે વગેરે એવુ એક પણ ક્ષેત્ર બાકી નથી કે જેમાં વહીવટી સરળતા હોય અને
નિયમોનુ ચુસ્ત પણે પાલન થતુ હોય. (કદાચ ભ્રષ્ટાચાર ખાતામાં સમાનતા હોય
શકે) સરકારની યાને આપણી લાખો ટન શાહી અને કાગળનુ પાણી થાય છે. લાખો
માનવશ્રમ એળે જાય છે.
સરેરાશ ભારતિય જીવે ત્યાં સુધીમા અનેક નાની મોટી બેઈમાની કરી ને ૧૭૪
પ્રકારના નિયમોનુ ભંગ કરી ટેશથી જીવે છે, અને ઉપરથી કહે છે કે સરકાર લબાડ
છે...હેલ્મેટના કાયદાનો ભંગ કરી બેફામ થઈ વાહન ચલાવી પોતે મરે છે અને
બીજાને તબીબી સારવારના અભાવે કે અપુરતા લોહીના પુરવઠાથી મારશે.છાપામાં
હોબાળો થશે કે બ્લડ બેન્ક માં લોહી નહોતુ. ગટરમાં હાજતે બેસશે અને
સ્વચ્છતાના પાઠો ભણાવશે ઘરે ટોઈલેટ હોવા છંતા તો અહી શુ સરકાર ટીસ્યુ
લઈને આવે પાછળ પાછળ ...જ્યાં હોય ત્યાં ગંદકી ફેલાવવી અને પાનની પીચકારી
મારવી ... પોતાના બેડરૂમ કે કિચનમાં કેમ પીચકારી નથી મારતા ???અતિ ધનાઢ્ય
લોકો ઓછા માર્કસ વાળા સંતાનોને તગડા ડોનેશન વાળી બેઠક પર શા માટે ભણાવે
છે??? એફએસસાઈ ના નિયમ કે પાલિકા નિયમ વિપરીત બાંધકામ ખરીદી કોર્ટે
ચડ્શે, લાયકાત તો સમજો આવી નાની મોટી અનેક ભ્રષ્ટાચારી ક્રિયા-પ્રક્રિયા
આપણે જીવન દરમ્યાન જોઈ જ છીએ..અને આવી બધી બાબત નો દોષ સરકારના માથે
ચડાવશુ. આટલુ ઓછુ હોય ત્યાં ઉપરથી દાઢી વાળા ફાવાઓ (તથાકથિતલે ભાગુ સંતો)
અને તેના મસ મોટા આશ્રમ (ત્યાં ૮૦ C એક્સ્મસનનો લાભ મળે બેઉ તરફે
કહેવાની જરુર છે ખરી? )અને ઉદ્યોગ પણ ચાલુ છે હજુ નવા નવા આશ્રમો ખુલે જ
છે રોજે રોજ.


મિત્રો આ તો ટ્રેલર રૂપે જ બતાવ્યુ છે. ભારતિય પ્રજા એ જાગૃતિનો કોઈ
ચોક્ક્સ રાહ પકડયો છે?????? ચાર આંધળા અને હાથી વારી જ કરે છે.... આટ
આટલા ભ્રષ્ટાચારનુ કારણ શુ??? શુ ભ્રષ્ટાચારને ફેલતો અટકાવો જોઈ એ કે
ભ્રષ્ટાચારને ઉત્પન્ન કરતી ફેકટરીને બંધ કરવી જોઈ એ ??? અભિપ્રાય
આવકાર્ય છે.અને આ જ કથા વિષય પર

ડો.હિતેષ મોઢા

MY VISIT TO BAGDANA DHAM AND UNCHAKOTADA-KASHYAP JOSHI JETPUR

MY VISIT TO BAGDANA DHAM AND UNCHAKOTADA-KASHYAP JOSHI JETPUR

Mulay Article

પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ

જેતપુર શહેર ભાજ૫ દ્વારા અત્યારે પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં
વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ રાખેલ ૫ણ શહેર પોલીસે આંદોલનકારી
આગેવાનોની મનની મુરાદ ૫ર પાણી ફેરવી દિઘાની વિગતો મળી રહી છે.

ધર્મ : નવી દૃષ્ટીએ

Post : ધર્મ : નવી દૃષ્ટીએ
URL : http://govindmaru.wordpress.com/2012/05/24/swami-schchidanandji/
Posted : મે 24, 2012 at 2:37 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો

–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા) પ્રશ્ન : આપણાં
શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ
ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં
ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના
કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે
કરવાની [...]

Fwd: [વલસાડ સમાચાર અંક - 248] petrol

ત્યારે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, સાફ નીયતવાળા , આજે
!!!!!!!!!!!!!!!!!!!!!!!!લાખો કરોડોના કૌભાંડ વડાપ્રધાન સમક્ષ થઈ રહ્યાં
છે ,કાળાનાણાનો તો હિસાબ્જ નથી ,સરકારને પ્રજાની કઈજ પડી નથી ,હવે તો
ક્રાંતિ ! ક્રાંતિ અને ક્રાંતિ જ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


________________________________
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: akhilTV-google <akhiltv@googlegroups.com>; akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>; valsadsamachar googlegroups
<valsadsamachar@googlegroups.com>
Sent: Thursday, 24 May 2012 9:27 AM
Subject: [વલસાડ સમાચાર અંક - 247] petrol


મને યાદ આવે છે કે,
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ ..
તેમના કાર્યકાળ દરમ્યાન ..
અનાજ .. કરિયાણા .. તેલના સંગ્રહખોરોની સાન ઠેકાણે લાવવા ..
સમગ્ર દેશની જનતાને અપીલ કરી હતી કે ...

ફક્ત બે દિવસ માટે ...
ઘઉં, ચોખા, દાળ અને તેલની ખરીદી નહી કરશો ...

પરિણામ એ આવ્યું કે ... સંગ્રહખોરોની સાન ઠેકાણે આવી ગઈ.

ખાસ નોંધ :

ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર
શાસ્ત્રીજીએ .. પ્રજાનો વિચાર કર્યો હતો ..
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી પર પ્રજાએ વિશ્વાસ મુક્યો હતો ..

અને આજે ?

ચાલોને આપણે સાડા પાચ કરોડ ગુજરાતીઓં
એક સપ્તાહ માટે
પેટ્રોલની ખરીદી નહી જ કરવાનો
સંકલ્પ કરીએ તો ?

----

દિલ પર લેશો તો અઘરું નહિ લાગે .... દિમાગ વચ્ચે લાવશો તો શંકા-કુશંકા ઘેરી વળશે.
અપને આપ કુછ હોતા નહિ ... અપનો કો કુછ કહને સે બહુત કુછ
હોતા હૈ.


with best regards,

AKHIL sutaria | www.akhiltv.com | +91 9427 222 777 | My Blog

MARGDARSHAN Learning Systems

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૫

Posted: 23 May 2012 09:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fFODPH9MZSg/?utm_source=feedburner&utm_medium=email

ચેતનાની ક્ષણે ૫ મહારાજય ભદ્રબાહુને તેમના મંત્રી જણાવી રહયા હતા કે
ગુરુકુળોએ રાજય-વ્યવસ્થાને અધીન જ રહેવું જોઈએ. શિક્ષકોને રાજતંત્રની ટીકા
કરવાનો કે માર્ગદર્શન આ૫વાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. આંત્રેષ્ટક નામના આ
મહામાત્યના તર્ક પાછળ કુટિલતા હતી. તેમણે આગળ કહયું કે પ્રજા ભલેને ગુરુકુળના
કુલાધિ૫તિ મહર્ષિ યજ્ઞદીતિને સન્માન આ૫તી હોય, ૫ણ જો એક વાર [...]

///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૪

Posted: 23 May 2012 09:19 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/SG0ok2DY3dY/?utm_source=feedburner&utm_medium=email

ચેતનાની ક્ષણે ૪ સ્પેનમાં ગૃહયુદ્ધ છેડાયું હતું. કમ્યુનિસ્ટો અને સત્તાસીન
સરકારી સેનામાં બરાબરીનો સંઘર્ષ ચાલી રહયો હતો. કમ્યુનિસ્ટો અધિનાયકવાદી સરકાર
સ્થા૫વા માગતા હતા. સ્પેન રાજયની સેનાનું નેતૃત્વ કર્નલ મસ્કેરેડોના હાથમાં
હતું. કમ્યુનિસ્ટો તેમનાથી યુદ્ધમાં વારંવાર હારીને પીછેહઠ કરવા વિવશ બની જતા
હતા. કર્નલનો પુત્ર મૈનુઅલ મેંડ્રિડમાં ભણતો હતો. તેમણે છળથી તેનું અ૫હરણ કરી
લીધું. [...]