અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

મતદારયાદી ચકાસવા હેલ્પ લાઇન શરૂ કરાઇઃ

ભુજ
કચ્છર જિલ્લા્માં સમાવિષ્ટઃ તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ
સુધારણાનો કાર્યક્રમ ચૂંટણીપંચ તરફથી અપાયો છે. નિયોજીત સ્થનળોએ
તા.૧/૬/૧૨થી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્ધિં કરાઇ છે અને
તા.૧૮/૬/૧૨ સુધી આ અંગેના ફોર્મ્સદ સ્વીતકારવામાં આવશે. પરંતુ મતદારો
પોતાનું તથા કુટુંબના સભ્યોદના નામ સાચી રીતે યોગ્ય‍ જગ્યાઅએ મતદાર
યાદીમાં નોંધાયેલ છે કે કેમ? તેની ચકાસણી કરી શકે તે માટે કચ્છ૧ જિલ્લા
માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. આ હેલ્પકલાઇનના નં.૦૨૮૩૨-૨૫૭૬૦૩ છે.
આ હેલ્પેલાઇન ઉપર ફોન કરવાથી મતદાર પોતાનું નામ, ઉંમર, જાતિ, અટક,
ઓળખકાર્ડની વિગતો તથા મતદાન મથકના સ્થરળની જાણકારી મેળવી શકે છે તેમજ
મતદાર યાદીના કયા ભાગ નંબર, કયા અનુક્રમ નંબર ઉપર પોતાનું તથા કુટુંબના
સભ્યોીના નામ નોંધાયેલ છે તેની તમામ જાણકારી મેળવી શકે છે.
જિલ્લાે ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાર યાદીના આ મુસદ્દામાં જો
નામ દાખલ થયેલ ન હોય તો અથવા નામ વગેરેમાં ક્ષતિ જણાય તો તેમાં સુધારો
કરવા માટે અથવા નામ કમી કરવા માટે ફોર્મ ભરવા માટે કયા સ્થલળે જવાનું છે
તેની પણ જાણકારી હેલ્પ લાઇનથી ઉપલબ્ધ થઇ શકે છે. જેથી ચૂંટણી વખતે મતદાર
યાદીમાં નામ ન હોવાની કે નામ વગેરેમાં ભુલો હોવાની ફરિયાદને અવકાશ ન રહે.
આ હેલ્પ લાઇનનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાત ચૂંટણી તંત્ર દ્વારા
નાગરિકોને અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવા,
કમી કરવા કે સુધારો કરવા માટે પણ ચૂંટણીપંચની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધઇ
છે. આ સુવિધાનો પણ લાભ લેવા અનુરોધ કરાયો છે.

કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તાલુકાના સરપંચશ્રીઓને કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ સન્માાનિત કર્યા

અમરેલી
કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તા.૩-૬-૨૦૧૨ના રોજ સોરઠીયા પરિવારના
સ્વવ.કુંવરબાની ચર્તુથ પુણ્યતિથિ નિમિત્તે કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાનને તાલુકાના સરપંચોને સન્માવનિત કરવાનો
તેમજ રાત્રીના લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
પંચાયતી રાજને સુદ્રઢ કરવાનું સુકાન સંભાળી રહેલા તાલુકાના સરપંચોને
સંબોધતા કુષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ગામના સર્વાંગી
વિકાસને પ્રાધાન્યા આપવા રાજય સરકારે તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો શરૂ
કર્યાનું જણાવ્યુન હતું. ગામડાના વિકાસ માટે ખૂટતી માળખાકિય સુવિધાઓ પુરી
પાડવા તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો ખાતે નિર્ણય કરવાનો હોય જે તે
ગામોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા આપવામાં આવશે. આથી ગામના સર્વાંગી
વિકાસ માટે આવશ્યક માળખાકિય સુવિધા વધારવા મંત્રીશ્રી સંઘાણીએ સરપંચશ્રીઓ
અને ગામલોકોને અનુરોધ કર્યો હતો.
કોલડા જેવા નાના ગામમાં અમદાવાદ-સુરત તેમજ તાલુકામાંથી મોટી સંખ્યાએમાં
ઉપસ્થિમત લોકોની હાજરી સોરઠીયા પરિવારના મોભી હરિબાપા પ્રત્યેની લાગણી
દર્શાવે છે તેમ જણાવી મંત્રીશ્રી સંઘાણીએ આદિ-અનાદિ કાળથી ધર્મ અને
અધર્મ, શ્રધ્ધાય અને અંધશ્રધ્ધા વિશેના ઉદાહરણો આપીને ધર્મ અને યાત્રા
બાબતે વિસ્તૃ ત માહિતી આપી હતી. બીજા ધર્મ પ્રત્યે નકારાત્માક વિચારો
ત્યિજીને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખી, આત્માના અવાજને અનુસરી કરવામાં
આવતા કાર્યોને મંત્રીશ્રીએ સાચો ધર્મ ગણાવ્યો્ હતો.
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અને રાજયસભાના સાંસદશ્રી
રૂપાલાને અમરેલી જિલ્લાાના શ્વેતક્રાંતિના પ્રણેતા ગણાવી અમર ડેરીના
ડીરેકટર ભાવનાબેન ગોંડલિયાએ અમર ડેરી મારફત પશુપાલન પ્રવૃત્તિને વેગ આપવા
કરવામાં આવતી કામગીરીની વિસ્તૃરત માહિતી આપી હતી. કૃષિ અને પશુપાલન
ક્ષેત્રે અમરેલી જિલ્લાેનો વિકાસ કરવા રાજય સરકારે અનેકવિધ સુવિધા પુરી
પાડયાનું જણાવી ભાવનાબેન ગોંડલીયાએ જિલ્લા માં અગાઉ ૧૦ કે ૧૨ રૂપિયે લીટર
દૂધ વેંચતા પશુપાલકોને આજે અમર ડેરી દ્વારા ૪૪ રૂપિયા મળતાં થયાનું
ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યકશ્રી કાંતિભાઈ સોરઠીયાએ કોલડા
ગામના ગૌચર વિકાસ માટે કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂ.૧૪.૫૦ લાખની
ફાળવણી કર્યાની જાહેરાત કરતાં ગામલોકોએ તાલીઓના ગડાગડાટથી વધાવી લીધી
હતી.
કાર્યક્રમમાં કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉપસ્થિણત
સરપંચશ્રીઓ પૈકી ૩૦ વર્ષ બિનહરીફ ચૂંટાયેલ કોલડાના પૂર્વ સરપંચશ્રી
વલ્લીભભાઈ સોરઠીયા, નારણભાઈ વસાણી (જંગર), ભરતભાઈ વેગડ (લુણીધાર),
મનસુખભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ), કનુભાઈ ગજેરા (લાખાપાદર), કિશોરભાઈ
લુણાગરીયા (ભાયાવદર), જગદીશભાઈ ડાભી(માલવણ), ભદ્રેશભાઈ ગજેરા(સનાળી)ને
શાલ ઓઢાડી સન્માડનિત કર્યા હતાં.
રાત્રીના લોકડાયરામાં હાસ્યં કલાકાર ધીરૂભાઈ સરવૈયા અને પૂનમબેન
ગોંડલીયાએ ગ્રામજનોને હાસ્યારસ અને લોક સંસ્કૃોત્તિના ભાતીગળ લોકગીતોની
રસલ્હા ણ કરાવી હતી.
આ પ્રસંગે સરપંચ કૈલાશબેન સોરઠીયા, જિલ્લાર અને તાલુકાના અગ્રણીઓ
સર્વશ્રી બાવાલાલ મોવલીયા, ભરતભાઈ સોરઠીયા, શૈલેષભાઈ પરમાર, વશરામભાઈ
વઘાસીયા, બાબુભાઈ ચોવટીયા, રમેશભાઈ સોરઠીયા, ભીખાભાઈ સોરઠીયા,
મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-મંત્રીશ્રી સહિત બહોળી
સંખ્યા,માં ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.

વડિયા ખાતે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવા અરજીઓ મંગાવાઈ

અમરેલી જિલ્લાતના કુંકાવાવ-વડિયા તાલુકાના વડીયા ગામે પંડિત દિન દયાળ
ગ્રાહક ભંડાર ખોલવાનો છે. આ માટે વડીયા ગામના વિવિધ કાર્યકારી સહકારી
મંડળી, પછાતવર્ગની સહકારી મંડળી, આઝાદીના લડવૈયાઓની સહકારી મંડળી, માજી
સૈનિકોની મંડળી, મહિલા સહકારી મંડળી, ઇત્તર સહકારી મંડળીને અગ્રતા
આપવામાં આવનાર હોય સ્થા નિક કેટેગરીની મંડળીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં
આવે છે.
નિયત અરજી ફોર્મ માટે રૂ.પ/- (પાંચ)નું ચલણ ભરીને મામલતદાર કચેરી ખાતે
અસલ ચલણ રજૂ કર્યેથી કચેરીના કામકાજના કલાકો દરમ્યાીન મેળવી
તા.૧૫/૦૬/૨૦૧૨ સુધીમાં મામલતદાર કચેરી- વડિયાને પહોંચતી કરવાની રહેશે.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-વડિયાની યાદીમાં
જણાવેલ છે.

મતદારયાદી સંક્ષિપ્તગ સુધારણા યાદી કાર્યક્રમ-૨૦૧૨ જિલ્લાા તથા તાલુકા મથકોએ શરૂ કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રં મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા કેન્દ્રમમાં થશે સંપૂર્ણ ક્ષતિરહિત મતદારયાદી બનાવવા સહકાર આપવા કલેક્ટરશ્રી ડી.એ. સત્યા નો

અમરેલી
તા.૪થી જુન-૨૦૧૨થી અમરેલી જિલ્લા માં જિલ્લાતકક્ષાએ તથા તમામ
તાલુકાકક્ષાએ મામલતદાર કચેરી ખાતે મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં
આવ્યાદ છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા, જરૂરી
સુધારાવધારા કરાવવા તથા મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા
કેન્દ્રો પર કરવામાં આવે છે.
મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬, મતદાર યાદીમાંથી નામ કમી
કરાવવા માટે ફોર્મ નં.૭ અને મતદાર યાદીમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ
નં.૮ અને એક જ વિધાનસભાના એક ભાગમાંથી અન્યફ ભાગમાં નામ તબદીલ કરાવવા
માટે ફોર્મ નં.૮ (ક) ભરવાનું રહે છે. મતદારયાદી અંગેના જરૂરી ફોર્મ
મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે્ મળશે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતે
જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા ફોર્મ સ્વીનકારવામાં આવશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાયેલ હોય પરંતુ એક પણ વખત ઓળખકાર્ડ મળેલ ન
હોય, ફોટો ઓળખકાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા ફાટી ગયુ હોય કે ભૂલવાળુ હોય તો
નિયત ફી ભરી ડુપ્લી,કેટ ઓળખકાર્ડ આપવાની કામગીરી પણ મતદાર સુવિધા
કેન્દ્રો પર થનાર હોય જિલ્લા ના નાગરિકો/મતદારોને સુવિધા કેન્દ્રો નો લાભ
લેવા અને જિલ્લાોની મતદાર યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા સહકાર આપવા
કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એ. સત્યાંએ અનુરોધ કર્યો છે.

તા.૧૦-૦૬-૨૦૧૨ સુધીમાં અમરેલી જિલ્લાા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના પ્રશ્નો મોકલી આપવા

જિલ્લાો કક્ષાએ કલેકટરશ્રી અને અન્યુ અધિકારીઓની હાજરીમાં ફરિયાદ નિવારણ
કાર્યક્રમ દર મહિને યોજાય છે. ચાલુ મહિને તા.૨૮.૦૬.૨૦૧૨ને ગુરૂવારના રોજ
સવારે ૧૧-૦૦ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીના વિડીયો
કોન્ફલરન્સઅ રૂમ ખાતે યોજાનાર છે. જેમાં અરજદારની રૂબરૂમાં લોકપ્રશ્નો કે
ફરિયાદના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી જિલ્લારમાં આવેલ સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન
આવતો હોય તેવી પડતર માંગણી/પ્રશ્નો કે ફરિયાદ અંગેની અરજીઓ આધાર પુરાવા
સાથે કલેકટર કચેરીની રજીસ્ટ્રી શાખાને તા.૧૦.૦૬.૨૦૧૨ સુધીમાં મોકલી આપવા
જાહેર જનતાને જણાવવામાં આવે છે. અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ
કરવાનો રહેશે. જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ અથવા પોસ્ટન મારફત અરજી
મોકલી શકાશે. અરજીમાં અરજદારે ફોન અથવા મોબાઈલ નંબર અચૂક લખવા પણ અનુરોધ
કરવામાં આવે છે. જિલ્લા્ કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન લેવા
પાત્ર હશે તો જ કાર્યક્રમમાં હાજર રહેવા અરજદારને પોસ્ટાથી જાણ કરવામાં
આવશે. તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયુ

તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં અરજીઓ મોકલવી તા. ૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર બગસરા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

અમરેલી
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા
ઉચ્ચિ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાિગત ઓનલાઇન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંર છે. જે અંતર્ગત જુન-૨૦૧૨ માસની
તા.૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો
ફરિયાદો તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં તાલુકામથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ
મેજીસ્ટ્રે ટની કચેરી-બગસરા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને
જણાવવામાં આવે છે. અરજીમાં મોટા અક્ષરે "તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ" લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં
પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ
સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો
પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી
હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ
અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ.આ કાર્યક્રમમાં
અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ
કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ
શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ અને
કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ
મામલતદારશ્રી,બગસરાની યાદીમાં જણાવાયું છે.

સંપૂર્ણ સ્વફચ્છછતા અભિયાન અંતર્ગત જિલ્લાક સુખાકારી સમિતિની બેઠક યોજાઇ નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં રૂ.૪૫૪.૦૩ લાખના ખર્ચે કામગીરી

જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીન-અમરેલી ખાતે જિલ્લાે વિકાસ અધિકારીશ્રી
આલોકકુમાર પાંડેના અધ્યડક્ષસ્થાડને સંપૂર્ણ સ્વ્ચ્છ‍તા અભિયાન અંતર્ગત
જિલ્લાી સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અન્ડરરગ્રાઉન્ડ્ ગટરના કામો તથા સફાઇના
સાધનોની ખરીદી, સ્વમર્ણિમ વિલેજ તથા ટી.એસ.સી. યોજના અંગે ચર્ચા-વિચારણા
કરી સત્વઇરે કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં કરવાની થતી કામગીરીમાં
વ્યવકતિગત, શાળા અને આંગણવાડી શૌચાલય, ઉકરડા, વર્મી કમ્પોતસ્ટમ તથા
પ્લાતસ્ટિધક વેસ્ટઆના નિકાલ માટે ડસ્ટજબિન, ટ્રોલી તથા પીટ ઉપરાંત લીકવીડ
વેસ્ટયના નિકાલ અને અન્યા કાર્યવાહી માટે કુલ રૂ.૪૫૪.૦૩ લાખનો ખર્ચ
કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યા૫ણ
અધિકારીશ્રી ઉપાધ્યાકય અને આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ છાયાબેન
ઉપાધ્યારય સહિત અમલીકરણ અધિકારીગણ ઉપ

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન
જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા
અમરેલી
યુવાનોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દીનો અભિગમ કેળવાય અને યોગ્યૂ
માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સંરક્ષણ ભરતી પૂર્વે તાલીમનું
આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાવ રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ
વસાવાના માર્ગદર્શન તળે અમરેલી જિલ્લાર રોજગાર કચેરી દ્વારા પ્રજ્ઞા વિનય
મંદિર-અમરેલી ખાતે સ્વાામી વિવેકાનંદ સંરક્ષણ પૂર્વ ભરતી નિવાસી તાલીમનું
આયોજન કરવામાં આવ્યુર છે. આ નિવાસી તાલીમમાં અમરેલી જિલ્લાનના ૭૨ સશક્ત
યુવાનો જોડાયા છે.
રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ વસાવાએ જણાવ્યુો હતુ કે, સંરક્ષણ ક્ષેત્રે
વધુમાં વધુ યુવાનો જોડાય અને આ માટે યોગ્યર તાલીમ ઘરઆંગણે મેળવી શકે તેવા
શુભાશયથી એક માસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુા છે. જેમાં આર્મી
નિવૃત મેજર ડૉ. એસ.કે. રોય તથા અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષય
નિષ્ણાંાતો દ્વારા વિવિધલક્ષી તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારની તાલીમ
ઓપન ભરતી મેળા-રેલીમાં અને આર્મી ભરતી પૂર્વે યોજાતી લેખિત તથા શારિરીક
કસોટીમાં ખૂબ ઉપયોગી નીવડશે. આગામી ૧૨ જૂનના રોજ અમરેલી ખાતે ભરતી મેળો
યોજાનાર છે.

લોકહિતના પ્રાથમિક સુવિધાના ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકિદ કરતા રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા મોરબી, ટંકારા અને પડઘરી તાલુકામાં માર્ગ મકાનના રૂ. ૧૪૩ કરોડના તથા પાણી પૂરવઠાના રૂ. ર૧.૧૯ કરોડના ચાલી

લોકહિતના પ્રાથમિક સુવિધાના ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમય
મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકિદ કરતા રાજયમંત્રીશ્રી
મોહનભાઇ કુંડારીયા મોરબી, ટંકારા અને પડઘરી તાલુકામાં માર્ગ મકાનના રૂ.
૧૪૩ કરોડના તથા પાણી પૂરવઠાના રૂ. ર૧.૧૯ કરોડના ચાલી રહેલા કામો મોરબી,
ટંકારા અને પડધરી તાલુકાના માર્ગ મકાન અને પાણી પૂરવઠાના કામોની યોજાયેલ
સમિક્ષા બેઠક સંપન્ન

રાજકોટ
પ્રાથમિક સુવિધા રસ્તાસઓ, પુલો, કોઝવેના તથા પીવાના પાણીની પાઇપલાઇનોના
કરોડોના ખર્ચે ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય
તે જોવા ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ મોરબી, ટંકારા
અને પડઘરી તાલુકાની ચાલી રહેલા માર્ગ અને મકાન તથા પાણી પૂરવઠાના કામોની
યોજાયેલી સમિક્ષા બેઠકમાં તેમણે ઉપસ્થિ ત અધિકારીઓને જણાવ્યુ હતું.
મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન સ્ટેસટ તથા પંચાયત તથા પાણી
પૂરવઠાના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં રાજયમંત્રીશ્રી કુંડારીયાએ
પડઘરી, ટંકારા અને મોરબી તાલુકામાં ચાલુ વર્ષે ચાલી રહેલા માર્ગ અને મકાન
વિભાગ /(સ્ટેરટ) હસ્ત,કના રૂ. ૧૪૩ કરોડના ખર્ચે ૩૧ કામો માર્ગ મકાન
પંચાયતના રૂ. ૮૦.૨૫ કરોડના ચાલી રહેલા ૭૮ કામો તથા પાણી પૂરવઠા બોર્ડના
ચાલી રહેલ રૂ. ર૧.૧૯ કરોડના નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન તથા જૂથ
પાણી પૂરવઠા યોજનાના કામો અંગે જાણકારી મેળવી હતી. રાજયમંત્રીશ્રીએ
વાસ્મોન દ્વારા ચાલી રહેલા કામો અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.
બેઠકમાં માર્ગ મકાન વિભાગ રાજયના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવ,
કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ, માર્ગ મકાન પંચાયતના નાયબ કાર્યપાલક
ઇજનેર મોરબી શ્રી બી.એમ.પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી
સિંઘલ, કાર્યપાલક ઇજનેરશ્રી દેશમુખ, યાંત્રિક કાર્યપાલક ઇજનેરશ્રી
વાઘેલા, યાંત્રિક અધિક્ષક ઇજનેરશ્રી જે.જે.પટેલ અને વાસ્મો ના કાર્યપાલક
ઇજનેરશ્રી પી.એમ.ઠાકર તથા જેતે તાલુકાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિેત રહ્યા
હતા.

રાજકોટ ગ્રામ્યં જિલ્લા માં હથિયારબંધી

રાજકોટ ગ્રામ્યં જિલ્લા માં હથિયારબંધી
રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી
જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે શ્રી એ.બી.ગોર,
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લો, રાજકોટે એક હુકમ પ્રસિધ્ધ કરી
તા. ૩૦.૬.૨૦૧૨ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ,
બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર,
પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે
ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો
અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો
ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા
ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર
કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના
સમગ્ર વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો
ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

મતદારો મતદાર યાદીમાં નામનોંધણી અને સુધારા –વધારા કરાવી શકશે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર થયો

મતદારો મતદાર યાદીમાં નામનોંધણી અને સુધારા –વધારા કરાવી શકશે
ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર થયો
રાજકોટ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા.૧/૧/૧૨ની લાયકાતની તારીખનાં
સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ તા.૧/૬/૨૦૧૨થી શરૂ થયેલ
છે. તા.૧૮.૬.૨૦૧૨ સુધી મતદાર યાદીમાં નામ નોંધણી માટે તથા નામમાં
સુધારા-વધારા કરવા અગર તો નામ કમી કરાવવા માટેનાં હકક-દાવા અને વાંધા રજુ
કરવા માટે કાર્યક્રમ નકકી કરાયેલ છે. જે મુજબ મતદાર યાદીની ખાસ સુધારણા
હાથ ધરવામાં આવશે, તેમ રાજકોટ કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા
જણાવાયું છે.
મતદાર યાદી અંગેના હકક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો
તા.૧૮/૬/૧૨ સુધી મુકર્રર કરાયો છે. તા.૧૮/૬/૧૨ સુધી મતદાર યાદીના સબંધિત
ભાગ/સેકશનનું સ્થા્નિક સંસ્થાાઓ નિવાસી કલ્યાુણ સંઘોની મીટીંગમાં વાંચન
થશે તા.૧૦/૬/૨૦૧૨ અને તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશ યોજી નિયોજીત
સ્થોળોએ અરજીઓ સ્વીતકારાશે. હકક-દાવાઓના નિકાલ માટે તા.૭/૭/૧૨નો દિવસ
મુકર્રર કરાયો છે. ડેટા બેઇઝ/કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા ફોટોગ્રાફ સંકલિત
કરવા તથા પૂરવણી યાદી તૈયાર કરી છાપકામ કરવા માટે તા.૨૭/૭/૨૦૧૨ મુકર્રર
કરાયેલ છે. જયારે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૩૧/૭/૧૨ના રોજ થશે.

''વિશ્વં પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે સાઇકલ રેલી યોજાશે.
રાજકોટ
આવતી કાલે તા.પાંચમી જુને વિશ્વરભરમાં યોજાતા ''વિશ્વવ પર્યાવરણ દિન''
નિમિત્તેા સાઇકલ રેલી યોજાશે.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
પર્યાવરણ પ્રત્યેર લોકજાગૃતિ લાવવાના આશયથી યોજાનારી આ સાઇકલ રેલી
રાજકોટના રીંગ રોડ પર આવેલી ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી ખાતેથી શરૂ થઇ
રીંગ રોડ ફરતે એક રાઉન્ડં લગાવશે, જેમાં અંદાજે ૩૫૦ સ્પીર્ધકો ભાગ લેશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રફકુમાર, મ્યુ નિસિપલ કમિશ્નેર શ્રી અજય
ભાદુ, ડીસ્ટ્રી કટ ફોરેસ્ટઓ ઓફિસર શ્રી બી.એફ.સિંધી વગેરે આ રેલીમાં
જોડાશે.

રાજકોટ જિલ્લાે સહકારી દૂધ ઉત્પાીદક સંઘ લી.ના સંચાલક મંડળની યોજાનાર ચૂંટણી અન્વ યે કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધદ કરાઇ રાજકોટ

રાજકોટ જિલ્લાિ સહકારી દૂધ ઉત્પાદદક સંઘ લી.ની સંચાલક મંડળ(બોર્ડ ઓફ
ડીરેકટર)ની ચૂંટણી કરવાની છે. જે અન્વરયે તા.૩૧.૩.૨૦૧૨ની સ્‍થિતિની
કામચલાઉ મતદારયાદી તા.૪/૬/૧૨ના રોજ પ્રસિધ્ધે કરવામાં આવેલ છે. પેટા
નિયમ-૧૪(૪) અને પેટા નિયમ-૧૬(૧) મુજબ સુધારેલ પ્રમાણે તાલુકાદીઠ
મતદારમંડળની -૧ બેઠક મુજબ ૧૪ તાલુકાની ૧૪ બેઠક અને મંડળીના
પેટાનિયમ-૧૦(૪), ૧૪(૧) મુજબ વ્ય૧કિતગત સભાસદોની ૧(એક) બેઠક મળી કૂલ
૧૫(પંદર) બેઠકોની ચૂંટણી કરવાની થાય છે તે પૂર્વે કામચલાઉ મતદાર
યાદી/મતદાન અંગે ગેરલાયકાત ધરાવતી મંડળીઓની યાદી તા.૪/૬/૧૨ના રોજ (૧)
કલેકટરશ્રીની કચેરી, શ્રોફ રોડ, રાજકોટ (ર) પ્રાંત અધિકારી, રાજકોટ
(શહેર)ની કચેરી, જુની કલેકટર કચેરી, રાજકોટ (૩) જિલ્લાજ રજીસ્‍ટ્રારશ્રી,
સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, રાજકોટ (૪) શ્રી રાજકોટ જિલ્લાં સહકારી દૂધ
ઉત્પાીદક સંઘ લી., દૂધસાગર માર્ગ, નવા પાવરહાઉસ પાસે, રાજકોટ ખાતે
પ્રસિધ્ધલ કરવામાં આવેલ છે. પ્રસિધ્ધિડની તારીખથી દિન-૭માં મુસદારૂપ
મતદાર યાદી સામે જે કોઇ વાંધા-દાવા હોય તે ચૂંટણી અધિકારી અને પ્રાંત
અધિકારી, રાજકોટ (શહેર)ને લેખિતમાં આપવાના રહેશે. પ્રસિધ્ધિીની તારીખથી
દિવસ-૭માં વાંધા-દાવા રજુ થશે તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી કરી
વાંધા-દાવાનો યોગ્યિ નિકાલ કરી ત્યારર બાદ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ
પણ ઉકત સ્થાળોએ કરવામાં આવશે તેમ ચૂંટણી સતાધિકારી, શ્રી રાજકોટ લોધીકા
સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી રાજકોટ (શહેર) જે.એમ.
દિક્ષીતે અખબારી યાદીમાં જણાવ્યું છે.

‘‘વિશ્વગ પર્યાવરણ દિન’’ની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પશર્ધા

''વિશ્વગ પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પશર્ધા
રાજકોટ
''વિશ્વગ પર્યાવરણ દિન'' નિમિત્તે રાજકોટના ચેમ્બસર ઓફ કોમર્સના હોલ
ખાતે ચિત્રસ્પ,ર્ધા યોજાઇ હતી.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
રાજયભરની આઠ મહાનગરપાલિકા અને વાપી તથા અંકલેશ્વઅરના ઔદ્યોગિક વિસ્તા
રમાં યોજાયેલ રાજયસ્તહરની ચિત્રસ્પરર્ધા અંતર્ગત રાજકોટ ખાતે તા. ૩ જુન
રવિવારે સવારે ૮.૦૦ વાગે ચેમ્બરર ઓફ કોમર્સના હોલમાં આ ચિત્રસ્પપર્ધા
યોજાઇ હતી. ૧૮ વર્ષથી ઉપરની અને ૧૮ વર્ષથી નીચેની વયજૂથના સ્પ૦ર્ધકો માટે
યોજાયેલી આ સ્પ્ર્ધામાં કૂલ ૬૯ સ્પધર્ધકોએ ભાગ લીધો હતો. પર્યાવરણ વિકાસ
કેન્દ્ર ના શ્રી તુષારભાઇ પંચોલી, શ્રી કમલેશભાઇ દવે, શ્રી કે.બી.જોષી,
ગુજરાત ઇકોલોજી કમિશનના સુશ્રી અવનિબેન ઋષિ વગેરેએ આ ચિત્રસ્પભર્ધના
આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

મતદાર યાદીમાં નામ-વિગતોની જાણકારી માટે ટેલિફોન હેલ્પ લાઇન

મતદાર યાદીમાં નામ-વિગતોની જાણકારી માટે ટેલિફોન હેલ્પ લાઇન

રાજકોટ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા.૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખનાં
સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ તા.૧/૬/૧૨થી શરૂ થાય છે. જે
સંદર્ભમાં મતદાર યાદીમાં નામ તથા વિગતોની જાણકારી માટે ખાસ ટેલિફોન હેલ્પ
લાઇન શરૂ કરવામાં આવશે જે તા.૧/૬/૧૨થી તા.૧૮/૬/૧૨ સુધી લોકો માટે કાર્યરત
રહેશે તેમ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.
આ પાંચ ટેલિફોન હેલ્પ લાઇનનાં નંબર આ મુજબ છે.
(૧)૨૪૫ ૦૬૭૧ (૨)૨૪૫ ૦૬૭૩ (હન્ટીંગ નંબર) (૩)૨૪૫ ૦૬૭૭ (૪)૨૪૫ ૦૬૭૮ (૫) ૨૪૫ ૦૬૮૦

રાષ્ટ્રખ માટે બલિદાન આપનારા શહિદોને સમાજ કયારેય વિસરતો નથી નાણામંત્રીશ્રી વાળા કારગીલ યુધ્ધરમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રાના પાંચ શહિદોને વિરાંજલી અર્પી તેઓના પરિવારોનું કરાયેલું સન્માશન વીર ભગતસિંહ ફાઉન્ડે શનના ઉપક્રમે વિરાંજલી અને કસૂંબલ લોકડાયરામાં ઉમટ

રાજકોટ
રાજકોટના વીર ભગતસિંહ ફાઉન્ડેનશનના ઉપક્રમે અહિંના સોરઠીયાવાડી ચોકમાં
શનિવારે રાત્રે ૧૯૯૯ના કારગીલના યુધ્ધગમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રકના પાંચ
શહીદોને વિરાંજલી અર્પણ કરવાનો તેમજ આ શહિદોના પાંચેય પરિવારોનો સન્માાન
કાર્યક્રમ તેમજ કસુંબલ લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંા હતુ કે માણસ પાસે સત્તા, સંપતિ કે
બુધ્ધિય કેટલી છે તેનાં કરતાં રાષ્ટ્રઅ માટે મરી ફીટે તેનુંજ મહત્વ્ છે.
કારગીલના યુધ્ધંમાં શહીદ થયેલા સૌરાષ્ટ્ર ના પાંચેય શહીદોને વિરાંજલી
અર્પતા અને તેમનાં પરિવારોનું સન્માંન કરતા નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ
જણાવ્યુે હતું કે રાષ્ટ્રપ માટે સમર્પિત થનાર અને બલિદાન આપનાર સમાજમાંથી
કયારેય વિસરાતા નથી અને તેઓની શુરવિરતા નવી પેઢીને પથદર્શક બને છે. આવા
કાર્યક્રમના આયોજન બદલ તેમણે આયોજિત સંસ્થાે અને તેના કાર્યકરોને
બિરદાવ્યા હતા પાંચેય શહીદોના પરિવારોનું સાલ પહેરાવી શિલ્ડદ અર્પી તથા
તલવાર અર્પી સન્માાન કરાયૂં હતું અને દરેક પરિવારને રૂ. પ૧/- હજારનો ચેક
અર્પણ કરાયો હતો. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેા શહીદ અશોકસિંહ
જાડેજાના પરિવારને સાલ પહેરાવી શિલ્ડય અને તલવાર અર્પણ કરી સન્મા ન
કરાયું હતું. જયારે ધારાસભ્યાશ્રી ગોવીંદભાઇ પટેલના હસ્તેડ શહીદ રમેશભાઇ
જોગલના પરિવારનું સન્માવન કરાયૂં હતુ. શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ
ભંડેરીના હસ્તેસ શહીદ દીલીપસિંહ ચૌહાણના પરિવારજનોને સાલ ઓઢાડી કરાયું
હતું. શહીદ હરેન્દ્રધગીરી ગોસ્વાતમીના પરિવારનું પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ
રૂપાણીના હસ્તેલ સાલ પહેરાવી તથા શિલ્ડશ અર્પી સન્મા્ન કરાયું હતું. શહીદ
મહિપતસિંહ જાડેજાના પરિવારજનોનું સન્માહન રાજકોટના યુવરાજ
માંધાતાસિંહજીના હસ્તે થયૂં હતું.
રાજકોટના યુવરાજશ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યુંં હતુ કે શહીદોની
શહાદતને પરિણામે રાષ્ટ્ર સુરક્ષીત છે અને આપણે સલામત રહી શકીએ છીએ. જેથી
શહીદોના પરિવારોની કાળજી લેવી તે આપણું કર્તવ્ય છે. આયોજક સંસ્થાલના આવા
રાષ્ટ્ર પ્રેમી વિરાંજલી કાર્યક્રમ પાછળની ઉદા્ત ભાવનાને તેમણે બિરદાવી
હતી.
શરૂઆતમાં રણુજાના મહંતશ્રી રામદાસબાપુ તેમજ પૂ. જયશ્રીબહેન તેમજ
મહાનુભાવોના હસ્તેા દીપ પ્રાગટય થયું હતું. રાષ્ટ્રર ગીતનું ગાન કરાયુ
ત્યાકરે મોટી સંખ્યાુમાં લોકોએ ભારતમાતાનો જય જયકાર કર્યો હતો. કસુંબલ
લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકગાયકશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ રાષ્ટ્રીંય
ભાવનાસભર લોકગીતો રજુ કર્યા હતા. તેઓ સાથે શ્રી અનુદાનભાઇ ગઢવી પણ જોડાયા
હતા. શહીદ ભગતસિંહ ફાઉન્ડેતશનના પ્રમુખશ્રી રવિરાજસિંહ જાડેજા,
મંત્રીશ્રી દીલીપસિંહ જાડેજા, શ્રી મનિષભાઇ મહેતા, ભરતભાઇ આહિર, નિલેશભાઇ
ગણાત્રા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રમેશભાઇ પાંભર વગેરેએ કાર્યક્રમના આયોજન
માટે જહેમત ઉઠાવી હતી. કોર્પોરેટરશ્રી નરેન્દ્રહભાઇ ડવે કાર્યક્રમનું
સંચાલન કર્યુ હતું. અને મુખ્યલમંત્રીશ્રીના સંદેશાનું વાંચન કર્યુ હતુ
અને કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા સ્ટે
ન્ડીંમગ કમીટી ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્યારય, શ્રી રાજભા જાડેજા, શ્રી
પ્રવિણભાઇ કિયાડા, શ્રી નરેન્દ્રીભાઇ ડવ, શ્રી નિલેશભાઇ જળુ, શ્રી
રાજેન્દ્રયસિંહજી જાડેજા, શ્રી કનકસિંહજી જાડેજા, શ્રી રમેશભાઇ સાકરીયા,
શ્રી જુવાનસિંહ જાડેજા, શ્રી જતીનભાઇ પાબારી, શ્રી મહાવિંરસિંહ ચુડાસમા,
શ્રી હઠીસિંહ વગેરે ઉપસ્થિઇત રહ્યા હતા. રાજકોટ ચેમ્બાર ઓફ કોમર્સના
પ્રતિનિધિઓ/પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિઉત રહ્યા હતા. આ પ્રસંગે
માનવસેવાના કાર્યકારી રહેલા શ્રી બાબુભાઇ ગજેરાનું શ્રી માંધાતાસીંહ
જાડેજા વગેરેના હસ્તે્ સન્માસન કરાયું હતુ અને તેમની સેવાઓને બિરદાવી
હતી. મોટી સંખ્યાામાં નગરજનો, ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા
અને શહીદોને શ્રધ્ધાંસજલી અર્પી હતી.

1...વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે..2..યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?..3.યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે

વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે :

વલસાડ
રાજ્ય ના પ્રજાજનોના પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્યા.યિક ઉકેલ
માટે રાજ્યશ સરકાર દ્વારા અમલી બનાવાયેલા સ્વાાગત કાર્યક્રમ દર માસે
જિલ્લા તથા તાલુકા સ્ત.રે યોજાતા હોય છે. માહે જૂન, ર૦૧રના આવા જ વલસાડ
જિલ્લારના સ્વામગત કાર્યક્રમ માટે જિલ્લાના અરજદારો તેમના પ્રશ્નો કે
ફરિયાદો તા.૧૦/૬/ર૦૧ર સુધીમાં રજૂ કરી શકશે.
આ કાર્યક્રમ માટેની અરજીઓ અરજદાર જે ગામના હોય તે ગામના
તલાટી-કમ-મંત્રીને સમય મર્યાદામાં રજુ કરવા જણાવાયું છે. આવી અરજીઓના
મથાળે મારી અરજી તાલુકા સ્વાજગતમાં લેવી તેમ લખવા પણ અનુરોધ કરાયો છે.
આવી અરજીઓ પૈકી જે અરજીઓ તાલુકા કક્ષાએથી નિકાલ કરવાની થતી હોય તાલુકા
સ્વારગત કાર્યક્રમમાં તથા જે અરજીઓ જિલ્લા કક્ષાએ નિકાલ કરવાપાત્ર થતી
હોય તે જિલ્લા સ્વાકગત કાર્યક્રમમાં લેવામાં આવશે. માહે જૂન માસનો તાલુકા
સ્વાોગત કાર્યક્રમ તા.ર૭/૬/ર૦૧રનાં રોજ અને જિલ્લા સ્વાતગત કાર્યક્રમ
તા.ર૮/૬/ર૦૧રનાં રોજ યોજાનાર છે. જેની નોંધ લેવા જિલ્લાના અરજદારોને
નિવાસી અધિક

યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?
કમિશ્ન રશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુક્તત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યોગાસન તાલીમ
શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક યુવતીઓએ
નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મ.તારીખ, વાલીનું સંમતિપત્ર, અભ્યાયસ તથા
તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨ સુધીમાં જિલ્લા રમત
ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત
અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક કરવો.

યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુકત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યુવક નેતૃત્વન
તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક
યુવતીઓએ નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મેતારીખ, વાલીનું સંમતિપત્ર,
અભ્યાતસ તથા તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨
સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક
કરવો.

‘વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સૂરત મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો ઉજવાશેઃ

'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સૂરત મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો ઉજવાશેઃ
સૂરતઃ
સૂરત મહાનગરપાલિકા દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિન' આવતીકાલે તા. ૫મીના રોજ
પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ અને કુટીર ઉદ્યોગ રાજ્યામંત્રી શ્રી
રણજીતભાઈ ગીલીટલાવાની ઉપસ્થિ૫તિમાં મેયર શ્રી રાજેન્દ્રઈ દેસાઈના હસ્તે
વિવિધ પ્રકલ્પોરનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવશે.
સાવરે ૧૦:૦૦ વાગ્યેો નુતન રો-હાઉસ સામે, પાલનપુર-પાલ રોડ ખાતે એકતાનગર
વસાહતને રીડેવલોપમેન્ટ૦ અંતર્ગત જેએનએનયુઆરએમ પ્રોજેક્ટી અન્વાયે મલ્ટીા
એક્ટીપવીટી સેન્ટ રનું ખાતમુહૂત, સવારે ૧૦:૧૫ વાગ્યેએ ગોપીના સોસાયટી,
પાલ ખાતે ગાર્ડનનું, ૧૦:૩૦ વાગ્યેન વૃક્ષારોપણ, ૧૧:૧૫ વાગ્યે પાંડેસરા
હાઉસિંગ બોર્ડ, પોલીસ કોલોની પાસે, શાંતિકુન્જલનું, ૧૧:૪૫ વાગ્યેસ
ગોડાદરા રેલવે ફાટક નજીક શાંતિકુંજનું લોકાર્પણ તથા ૧૨:૩૦ વાગ્યેય
છાપરીયા શેરી,ગલેમંડી રોડ ખાતે શાંતિકુંજ અને વાંચનાલયનું લોકાર્પણ
કરવામાં આવશે. આ ઉપરાંત ટીઆઇએફએસી સેમિનાર હોલ, સાર્વજનિક કોલેજ ઓફ
એન્જિખ. એન્ડર ટોક્નોેલોજી, અઠવાલાઇન્સ ખાતે સાંજે ૪:૦૦ વાગ્યેત ચિત્ર
સ્પાર્ધા, સાંજે ૫:૦૦ વાગ્યેન વેશભૂષા સ્પડર્ધા અને સાંજે ૭:૦૦ વાગ્યેં
ઈનામ વિતરણ કરવામાં આવશે.

1.આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું આયોજનઃ..2..દ્વિચક્રીય વાહનોની નવી સીરીઝમાં પસંદગીનો નંબર જોઇએ છે?

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું આયોજનઃ
સૂરતઃ
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પર્યાવરણ
સંદર્ભે લોકઝુંબેશ ઉભી થાય તે માટે સરકાર દ્વારા જુદા જુદા કાર્યક્રમો
કરવામાં આવે છે. જે અન્વણયે વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઈકોલોજી કમિશન
અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ સૂરતના સંયુકત ઉપક્રમે આવતીકાલ તા.૫/૬/૨૦૧૨ના
રોજ સવારે ૮.૦૦ વાગે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું શારદાયન સ્કુ,લ,
પીપલોદથી એસ.વી.એન.આઈ.ટી કોલેજ ધોડદોડ રોડ, ઉમરા પોલીસ સ્ટે શનથી પરત
ફરશે. જેને જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ લીલી ઝંડી આપી પ્રસ્થાીન કરાવશે.

દ્વિચક્રીય વાહનોની નવી સીરીઝમાં પસંદગીનો નંબર જોઇએ છે?
સૂરતઃ
સૂરતની પ્રાદેશિક વાહન વ્યનવહાર અધિકારીની કચેરીમાં આગામી તા.૧૬/૦૬/૨૦૧૨
થી દ્વિચક્રી વાહનોની નવી સીરીઝ જીજે-૫- એચ.આર (GJ.5.HR) શરૂ કરવામાં
આવશે. આ સીરીઝમાં પસંદગીનો નંબર મેળવવા માટે ઇચ્છાિ ધરાવતા વાહન માલિકોએ
તેમના વાહનોનું રજીસ્ટ્રેરશન કરાવીને પસંદગીના નંબર માટેની અરજી કચેરીમાં
તા.૧૩/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૩/૨૦૧૨ ના રોજ કચેરી સમય દરમિયાન ૩:૦૦ વાગ્યામ
સુધીમાં આર.ટી.ઓ. કચેરીમાં પી.આર.ઓ શાખામાં ફોમ નં.૨૦ સાથે બંધ કવરમાં
અરજી કરવી. અને તે અરજી સાથે પોતે કેટલી ઓફર કરવા માગે છે, તે ઓફરનો
''આર.ટી.ઓ. સુરત'' ના નામનો ડીમાન્ડર ડ્રાફટ સ્ટેપટ બેંક ઓફ ઇન્ડિ યા તથા
બેંક ઓફ બરોડા નો જોડવાનો રહેશે. પસંદગીના નંબરની નિયત ફી રૂા. ૫૦૦/- થી
ઓછા ઓફરવાળી તથા છેકછાક વાળી અસ્પનષ્ટે અરજીઓ માન્યી રાખવામાં આવશે નહિ.
વાહનની નોંધણી કર્યા બાદ ૩૦ દિવસમાં જ પસંદગીના નંબર અંગે અરજી કરી
શકાશે. એકજ વાહન માટે એક કરતા વધારે અરજીઓ જુદાજુદા ઓફર સાથેની હશે તે
પૈકી સૌથી વધારે રકમની ઓફરનો ડિમાન્ડ ડ્રાફટ હશે તેમની અરજી માન્યા રાખી
તેમને નંબર ફાળવવામાં આવશે. આ રીતે ફાળવેલ નંબર વાહન માલિક અન્યત વાહન
માટે તબદિલ કરી શકશે નહિ. ઓફર મુજબની રકમ તેજ દિવસે સ્થિળ ઉપર ભરપાઇ
કરવાની રહેશે. હરાજીમાં ભાગ લેનાર તમામ અરજદારોના નામ તા. ૧૬/૦૬/૨૦૧૨ ના
રોજ ૧૧:૩૦ કલાકે જાહેર બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. અસફળ અરજદારોને
તેઓએ રજુ કરેલા ડિમાન્ડ ડ્રાફટ રૂબરૂમાં અથવા પહોંચ લઇ આવનારને પરત
આપવામાં આવશે.

નવી સિવિલ હોસ્પિવટલના બાકડા પાસેથી અજાણ્યાહ વ્ય્કિતનો મૃતદેહ મળી આવ્યોઃ

સૂરતઃ
ખટોદરા પોલીસના જણાવ્યાછનુસાર નવી સિવીલના તાત્કા્લિક વિભાગના ગેટ પાસેના
બાકડા પાસેથી આશરે ૩૦ વર્ષીય અજાણ્યાન યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
શરીરે મધ્ય મ બાંધાનો, રંગે શ્યાતમ વર્ણી, ચહેરો લંબગોળ, ઉચાઈ આ.૫ ફુટ
પાંચ ઈચ છે. ગુલાબી રંગનું ઉભી લાઇનિંગવાળુ ફુલ બાયનું શર્ટ તેમજ આછા
લીલા રંગનું લાઈનીગવાળુ પેન્ટા પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ
સ્ટબશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

૧૫મીએ અમદાવાદમાં સોલ્જુર નર્સીંગ આસિસ્ટંન્ટગ માટે ભરતીમેળોઃ

સૂરતઃ
આર્મી રીક્રુટીંગ કાર્યાલય દ્વારા તા. ૧૫.૬.૨૦૧૨ના રોજ અમદાવાદના રાવલે
સ્ટેયડિયમ, કેંટોનમેન્ટન, સોલ્જહર નર્સીંગ આસિસ્ટરન્ટ્ માટે ભરતીમેળાનું
આયોજન કરવામાં આવ્યુંગ છે. સોલ્જેર નર્સીંગ આસીસટન્ટી માટે ધોરણ-૧૨
સાયન્સા પ્રવાહમાં ફિઝીક્સઆ, કેમેસ્ટ્રી , બાયોલોજી, અંગ્રેજી પ્રત્યેટક
વિષયમાં ૪૦ ગુણ અને કુલ ૫૦ ટકા હોવા જરૂરી છે. જે ઉમેદવારની ઉંમર ભરતીના
દિવસે ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઊંચાઈ ૧૬૭ સે.મી. હશે તેઓ આ ભરતીમેળામાં ભાગ લઇ
શકશે. સ્નાફતક ઉમેદવારો(બી.એસ.સી વીથ બોટની, ઝુલોજી, બાયો સાયન્સભ) માટે
માત્ર પાસીંગ ગુણ જરૂરી છે. ૧૬૦૦ મીટર દોડ ૬ મીટર ૧૦ સેકન્ડ માં પુરી
કરવાની હોવાથી તેની પ્રેક્ટીાસ કરીને જવાની સલાહ રોજગાર કચેરી દ્વારા
આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અને પ્રિ. રીક્રુટમેન્ટે એસેસમેન્ટહ
માટે મદદનીશ નિયામક( રોજગાર)ની કચેરી, સી- ૫, બહુમાળી ભવન, નાનપુરાનો
સંપર્ક કરવા જણાવાયું છે. રોજગાર કચેરીમાં નામનોંધણી કરાવેલી ના હોય તો
પણ ભરતી રેલીમાં ભાગ લઇ શકે છે.

સૂરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની સમીક્ષા બેઠક યોજાઇઃ

સૂરતઃ સૂરત જિલ્લામાં આદિવાસી વિસ્તાબરોમાં વિકાસના કામો સંદર્ભે આદિજાતિ
વિકાસ મંડળની સમીક્ષા બેઠક આજરોજ કામરેજ સુગર ફેકટરી ખાતે જિલ્લાના
પ્રભારી અને વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલની અધ્ય ક્ષતામાં યોજાઇ હતી.
આ બેઠક અન્વકયે ગત ત્રણ વર્ષોના બાકી કામો, શરૂ કરવાના કામ તેમજ પ્રગતિ
હેઠળના વિકાસકામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ
કહ્યું કે, ચોમાસાની ઋતુ પહેલા બાકી રહેલા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામો
બિનજરૂરી વિલંબ વગર સત્વમરે પૂર્ણ કરવાની જે તે અધિકારીઓને સૂચના આપી
હતી. આરોગ્યિ, શિક્ષણ, સિંચાઈની સગવડો, રસ્તા ઓ વગેરેને લગતી સમસ્યાંઓની
પુર્તિ માટે વર્તમાન નાણાકીય વર્ષના વિકાસકામો ઝડપથી સમયમર્યાદામાં પૂર્ણ
થાય તેવા પ્રયાસો હાથ ધરવાની જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને
સુચનાઓ આપવામાં આવી હતી. એટીવીટી અંતર્ગત કરવાના કામો તેમજ
લેપ્ટોેસ્પાનયરોસીસ રોગ અંગે જરૂરી આયોજન કરીને તેને લગતા પગલાઓ લેવાની
સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાતય પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી
એ.જે.શાહ, ટ્રાયબલ પ્લા્ન માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી દેવાંગ દેસાઈ,
પ્રાંતશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ
ઉપસ્થિટત રહ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. પ૫ ફેરફાર સાથે મંજૂર

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના
નં. પ૫, દક્ષિણ ઇસનપુર કેટલાક ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. આ યોજના
લોકનિરીક્ષણાર્થે કચેરી કામકાજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે તેમ
પણ યાદીમાં જણાવાયું છે.

વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. પ ફેરફાર સાથે મંજૂર

રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના
નં. પ, સાવદ કેટલાક ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. આ યોજના
લોકનિરીક્ષણાર્થે કચેરી કામકાજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે તેમ
પણ યાદીમાં જણાવાયું છે.

નિરાધાર માજી સૈનિકો અને દિવગંત માજી સૈનિકોની ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવાશે

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજી સૈનિકો અને દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓ માટે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રય સ્થાન બનાવવાની
યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. આથી જે માજી સૈનિકો/દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓએ તુરંત રૂબરૂ
સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની
અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

વિશ્વ પર્યાવરણ દિવસ જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે

૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ
દિન''નું આ વર્ષનું સુત્ર છે "હરિત અર્થતંત્ર' ઃ સામાન્ય માનવીની જીવન
વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ
અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર
પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની
જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ
બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના
દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા
કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ
દિન''ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ
કાર્યક્રમો યોજવામાં આવે છે.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી
સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય
જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં
બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.
સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી
કરી સુત્ર આપે છે. વર્ષ ૨૦૧૨નો વિષય છે "હરિત અર્થતંત્ર'. એક એવી અર્થ
વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે
સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર
વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ,
ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો,
વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની
જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું
પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું
અટકાવવું.
પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની
સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે.
એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની
સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્ત્િાને જાળવવાની સંધિ,
વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના
શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ
પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન
ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ
ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ
વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે
સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે
લાંબાગાળાની હોય છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાઇમેન્ટ
ચેન્જ અંગે ""કન્વીનીઅન્ટ એકશન'' નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે,
આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.
આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ
છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે.
દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની
બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના
દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ
પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ
પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની
પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના
કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં
મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને
સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે
ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.
દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો,
અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર
રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું
વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા
સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે
રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે
તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત
પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને
રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે
તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો
જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.
ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય
સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત
ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ
દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી
દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા
દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી
શકીશું. તદ્ઉ પરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા
વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા
સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને
આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ
જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ
બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે
સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત
નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ
અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના
કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ
નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ""વધુ વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ
અનિવાર્ય છે.
""વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે
વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના
સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.

સોફટવેર ક્ષેત્રે ટીડીએસ નાબૂદ

સોફટવેર ક્ષેત્રે મલ્ટી લેવલ ટીડીએસ પહેલી જુલાઈથી નાબૂદ

નવી
દિલ્હીઃ સોફટવેર ક્ષેત્રના લાભાર્થે સરકારે પહેલી જુલાઈથી અમલમાં આવે તે
રીતે ટેક્સ ડિડકટ એટ સોર્સ (ટીડીએસ)ની જટિલ બહુવિધ સ્તર પદ્ધતિ નાબૂદ
કરવાનો નિર્ણય લીધો છે. નાણાં ખાતાના અધિકારીએ પત્રકારોને કહ્યું હતું કે
પહેલી જુલાઈથી
સોફટવેર કંપનીઓ માટેની મલ્ટીલેવલ ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવામાં આવશે. કાયદા
ખાતુ આવકવેરા ધારામાં સુધારો કરવા માટેની અંતિમ બ્લુપ્રિન્ટ કાળજીપૂર્વક
તૈયાર કરી રહ્યું છે. વર્તમાન માળખામાં સોફટવેર વિતરણ શ્રેણીના દરેક સ્તરે
દસ ટકા ટીડીએસ લાગુ પડે છે. માસ્ટર વિતરણથી રિટેલર અને અંતે વપરાશકાર સુધી
દસ ટકા ટીડીએસ લેવામાં આવે છે. સોફટવેર ક્ષેત્રની લાંબા ગાળાની માગણીના
પ્રતિસાદમાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ ગયા સપ્તાહે કહ્યું હતું કે વર્ષ
૧૯૬૧ના ઈન્કમટેક્સ એકટના સેકસન ૧૯૪ (જે)માં સુધારો કરવામાં આવશે જેથી
ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના મલ્ટી લેવલ ટીડીએસ દૂર થઈ શકે. બહુવિધ
સ્તરના ટીડીએસ દૂર કરવા લાંબા ગાળાથી પ્રયત્નશીલ કંપની નાસકોમે કહ્યું હતું
કે આ પગલાંથી આઈટી ક્ષેત્રને લાભ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.

--
KKUMARJOSHI