અનુયાયીઓ

શુક્રવાર, 17 જુલાઈ, 2015

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત, વિરપુરના યુવાને ઝેરી પી લેતા ગંભીર

વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત 
જેતપુર તા.17
જેતપુરના વીરપુર(જલારામ)ના જુના દલિત વાસમાં રહેતી પારૂબેન ચાવડા નામની 16 વર્ષની કિશોરી આજે પોતાના ઘરે અગ્મ્યોકારણોસર દાઝી જઈને મોત પામતા તેણીની ડેડબોડી પીએમ માટે  આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી. જ્યાં ફરાઝ પરના તબીબની જાણ પરથી વીરપુર પોલીસે ધોરણ કાર્યવાહી હાથ ધરી છે.

વિરપુરના  યુવાને ઝેરી પી લેતા ગંભીર 
જેતપુર તા.17
વિરપુરના એક યુવાને ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર માટે વીરપુરથી રાજકોટ ખાસેદાયોહોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના જલારામનગરમાં રહેતા ઉમેશ બચું ચુડાસમા ઉ.વ.23 એ કોઈ અગ્મ્યો કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રવી આંબલીયાની વરણી 
જેતપુર તા.17
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની નવી કારોબારીની થયેલી વરણીઓમાં પ્રમુખ તરીકે રવીભાઈ આંબલીયાની વરણી કરાઈ હતી.
મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની સને 2015 થી 2018 સુધીની નવી કારોબારીની રચના માટે બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રવિભાઈ જે. આંબલીયા, વસંતભાઈ પટેલ(ઉપપ્રમુખ), છગનભાઈ ઉસદડીયા(ઉપપ્રમુખ) તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ ગઢિયાની વરણીઓ કરાઈ હતી. જ્યારે આમંત્રિત સભ્યો તરીકે રાજુભાઈ પટેલ, બળવંતભાઈ ધામી, પ્રવીણ નંદાણિયા, જયંતીભાઈ રામોલીયા, હંસરાજભાઈ ખાચરીયા તથા બીપીનભાઈ ઠુંમરની વરણી કરવામાં આવી હોવાનું નવા પ્રમુખ રવિ આંબલીયા જણાવે છે. અત્રે એ નોંધનીય છે કે જેતપુર ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ રવિભાઈ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટ - જેતપુરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તો એક મોટા ગજાના કારખાનેદાર-ઉદ્યોગપતિ તરીકે દેશ વિદેશમાં, આફ્રિકન કન્ટ્રીમાં વ્યવસાય ક્ષેત્રે ઘરોબો ધરાવી રહ્યા હોય, તેઓની ચેમ્બર પ્રમુખ તરીકે નિમણુક થતાજ તેઓને સૌ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આવકાર્યા છે.

આ મેટર રવિભાઈના ફોટો સાથે લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો

જેતપુરમાં ગાયત્રી મંદિરે અધિક માસની 
ઉત્સાહભેર ઉજવણી, 56 ભોગ ભોગ ધરાયો 
જેતપુર તા.17
જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રાંગણમાં લત્તાના ભાવનાશીલ, ધાર્મિક બહેનો-ગોપીઓ દ્વારા અધિક માસ દરમિયાન આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી પૂજન, અર્ચન, સત્સંગ ભક્તિભાવથી કરવામાં આવેલ.અધિક માસના અંતિમ દિવસે પુરુષોત્તમ ભગવાનને છપ્પન ભોગ ધરાવીને ગોપીઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હોવાનું ગાયત્રી પરિજન બી.બી.ભીમજીયાણી અને ગાંડુભાઈ સાવલીયાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર શહેર-તાલુકા દ્વારા 
કાલે સરસ્વતિ સત્કાર-નોટબુક વિતરણ થશે 
જેતપુર તા.17            (કશ્યપ જોશી દ્વારા)                                                      
આવતીકાલ તા.19  રવીવારે જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સત્કારવાના તેમજ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના અર્થશાસ્ત્રી વિશારદ ડો.જયનારાયણ વ્યાસ, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરત સહિતના મુખ્ય મહેમાનોની હાજરીમાં, અતિથી વિશેષ જસુમતીબેન ધીરજલાલ રાવલ, કાળુભાઈ જોશી(સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ), વી.આઈ.પંડ્યા, શૈલેશભાઈ દવે(જુનાગઢ), હર્ષદ ભાઈ મહેતા અને રાવલ, જીતુભાઈ મહેતા(રાજકોટ), અશ્વિનભાઈ મહેતા(વડિયા)વિગેરેની ઉપસ્થિતિ વચ્ચે જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મસમાજના તેજસ્વી છાત્રોને પ્રોત્સાહક ઇનામોથી નવાજીને નોટબુક વિતરણ કરાશે..
શહેરના રામજી મંદિર રોડ પર આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે સાંજે 3 થી 6 દરમિયાન યોજાનાર આ બંને કાર્યક્રમોનો લાભ લેવા બ્રહ્મસમાજના ચીફ એડવાઈઝર વી.આઈ.પંડયા દ્વારા ભૂદેવોને અનુરોધ છે. તેમજ અ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રો. ચેરમેન નરેન્દ્રભાઈ જાની, પ્રવીણભાઈ વ્યાસ, હિતેશ રાવલ, આશિષ પંડયા, ઉપેન્દ્ર વ્યાસ, કાળુભાઈ જોશી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર - 9974262812)