અનુયાયીઓ

બુધવાર, 5 ડિસેમ્બર, 2018

રાજકોટમાં સ્વામીનારાયણ નગરમાં અાજે મહોત્સવનો પ્રારંભ થતાં જ હજારો હરિભકતો ઉમટી પડયા


જય સ્વામિનારાયણના દિવ્ય નાદથી અાજે રાજકોટમાં માધાપર ચોકડીરુમોરબી બાયપાસ રોડ પર વિશ્ર્વવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવનું સ્વામિનારાયણ નગરમાં બીઅેપીઅેસના અઘ્યક્ષ પૂ. મહંત સ્વામી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં અાવ્યું હતું. જયારે દીપ પ્રાગટય થયું ત્યારે ઉપસ્થિત હજારોની સંખ્યામાં અાવેલા હરિભકતોઅે 'જય સ્વામિનારાયણ'નો નાદ કયોૅ હતો.

અાજથી અગિયાર દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમ્યાન વીસ લાખથી વધારે લોકો ઉમટી પડશે. અાજે ધોરાજી, ગોંડલ, જામનગર, મોરબી, જેતપુર, વીરપુર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી લોકો ઉમટી અાવ્યા છે. પ૦૦ અેકર જમીન પર સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં અાવેલ છે. મુખ્ય સભાગૃહ, પ્રદશૅન ખંડો, લાઈટ અેન્ડ સાઉન્ડ શો સહિતની વિવિધતા લોકોને પ્રભાવિત કરશે. અાજે દોઢ લાખથી વધારે લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. અાજે દરેક માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.

ધ્રોલ માર્કેટ યાર્ડ નજીક એસટી બસે બાઈકને હડફેટે લેતા યાર્ડના ડીરેક્ટર સહીત ૨ ને ગંભીર ઈજા

દ્વારકા-મોરબી-અમદાવાદ તરફ જતી બસે અકસ્માત સર્જ્યો 
બંને ઈજ્ગ્રસ્તોને ધ્રોલથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા


આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ ધ્રોલ માર્કેટ યાર્ડ પાસે અમદાવાદ તરફ જતી એક એસટીની બસે બે બાઈક સવારોને હડફેટે લેતા બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલે અપાવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. ઘવાયેલા બંનેમાં એક ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટરનો સમાવેશ થાય છે. ધ્રોલના ડીરેક્ટર સહીત બંને યાર્ડમાંથી ધ્રોલ તરફ જતા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેકટર ડાયાભાઇ વશરામભાઈ ગઢિયા તેમજ રાજમલસિંહ ભુપતસિંહ જાડેજા એમ બંને આજે જી.જી.૧૦ સી.એ. ૫૯૦૩ નંબરના બાઈક પર ધ્રોલ માર્કેટ યાર્ડમાંથી નીકળી ધ્રોલ તરફ જતા હતા ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટ યાર્ડ સામે જ પહોચેલી, અમદાવાદ તરફ જતી જી.જે.૧૮ ઝેડ ૦૨૫૪ નંબરની એસટી બસ ચાલકે આ બંને બાઈક સવારોને હડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોચી હતી.





બનાવ બાદ રાજમલસિંહ અને ડાયાભાઇને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલમાં આપવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. બનાવ બાદ એસટી બસ ઘટના સ્થળે રોકાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસને બનાવની જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને એસટી બસ ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા કવાયત આદરી હતી.

આજે અચાનક બનેલા અકસ્માતમાં ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટર ડાયાભાઇ ગંભીર રીતે ઘવાતા યાર્ડના અન્ય ડીરેક્ટર, યાર્ડ સુત્રો અને વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. (ફોટો : સંજય ડાંગર)

કાલાવડમાં વિશ્વ વિકલાંગ દિનની તંત્ર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ

બી.આર.સી.ભવન, આઈ.ઈ.ડી. વિભાગ, કાલાવડ દ્વારા ગઈ તા.૩ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે આર્ટ, ક્રાફ્ટ, સંગીત, વાર્તા, અભિનય સહિતના વિવિધ કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહન આપવા યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો જોડાયા હતા.
આ તમમાં કાર્યક્રમોમાં બાળકોનાં માર્ગદર્શંક તરીકે બીઆરસી કોઓર્ડીનેટર રાહુલભાઈ વાણંદ હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમોના સફળ આયોજન માટે બ્લોક સ્ટાફ તેમજ બીઆરટી આઈઇડી સંદીપભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.


તા.૪-૧૨ થી ૧૫-૧૨ દરમિયાન શાળા છોડનાર બાળકોનો સર્વે ચાલુ : નજીકની શાળાનો સંપર્ક કરવા અનુરોધ


સર્વ શિક્ષા અભિયાન-બી.આર.સી. ભવન-કાલાવડ દ્વારા
શરુ કરાયેલી સર્વે કામગરીમાં સહકાર આપવા અનુરોધ

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બી.આર.સી.ભવન, કાલાવડ દ્વારા ૪ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો હોય અથવા તો શાળાએ  જ ના ગયા હોય તેવા બાળકોનો સર્વે શરુ કરાયો છે.

તા.૪-૧૨ થી ૧૫-૧૨ દરમિયાન હાથ ધરાનાર આ સર્વેમાં ક્યારેય શાળાએ ના ગયા હોય, વચ્ચેથી શાળા છોડી દીધી હોય, દિવ્યાંગતાના કારેણે શાળાએ ના પહોચી શક્યા હોય, તેમજ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર અભ્યાસ છોડી દીધો હોય તેવા કોઈ બાળકો મળી આવે તો નજીકની પ્રાથમિક શાળાનો અથવા તો તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવા જણાવાયું છે.

શાપર(વેરાવળ)ના કારખાનામાં ભીષણ આગ : લાખોની મત્તા ભસ્મીભૂત


આજે વહેલી સવારે શાપર વેરાવળમાં એક પ્લાસ્ટીકના કારખાનામાં ભભૂકેલી આગમાં લાખોની મત્તા બળીને રાખ થઇ ગઈ હતી. આગને બુઝાવવા રાજકોટ, ગોંડલથી ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મસ્તક પોલીમર્સ નામના પ્લાસ્ટીકના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગ્યાની જાણ પરથી રાજકોટ, ગોંડલના ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી. અગ્નિશામક દળના સ્ટાફે આગને કાબુમાં લઇ લીધી હતી પણ ત્યાં સુધીમાં લાખોની મત્તા આગમાં ખાક થઇ ગઈ હતી. બનાવની અરવિંદસિંઘની જાણ પરથી સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.




પ્રસ્તુત તસવીરોમાં મસ્તક પોલીમર્સમાં લાગેલી આગથી નાશ પામેલી મત્તા અને ફાયર સ્ટાફ આગ બુઝાવતા નજરે પડે છે.

લોધીકાના પાળ ગામેથી બાઈકની ઉઠાંતરી


રાજકોટ તા.૫
લોધિકા તાલુકાના પાળ ગામે રહેતા કાન્તિલાલ કાળુભાઈ ટીલાળાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ જી.જે.૦૩ ડી.એફ.૬૨૯૫ નંબરનું હોન્ડા કોઈ ગઈ તા.૨૭-૧૧ ના રોજ ચોરી કરી લઇ ગયા હતા. આ બારાની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એ.એસ.આઈ.ગજુભા જાડેજાએ તપાસ આદરી છે.

શાપર(વેરાવળ)માં બોલેરો કાર ઝુંપડામાં ઘુસી જતા ૪ વર્ષની બાળકીને ગંભીર ઈજા

શાંતિધામ નજીક બાઈક હડફેટે આધેડને ગંભીર ઈજા

રાજકોટ તા.૫
ગઈકાલે શાપર વેરાવળમાં એક બોલેરો કાર અકસ્માતે તળાવની પાલ નજીકના એક ઝુંપડામાં ઘુસી જતા ચાર વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોચી હતી. પોલીએ કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો અહી શાંતિધામ મેઈન રોડ પર એક બાઈક ચાલકે આધેડને હડફેટે લઈને ગંભીર ઈજા પહોચાડ્યાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ ગ્લેર કંપનીના કમ્પાઉન્ડ સામે તળાવની પાલ નજીક ઝુપડપટ્ટીમાં જી.જે. ૦૧ કે.સી. ૪૫૮૬ નંબરની કાર પુરઝડપે આવી ઘુસી જતા એક ઝુંપડામાં દિનેશભાઈ ભીખુભાઈ ચારોલાની ૪ વર્ષની બાળકી કોમલને ગંભીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાઈ હતી.

બનાવની હંસાબેન દિનેશભાઈની ફરિયાદ પરથી શાપર(વે)ના પીએસઆઈ એ.એ.ખોખરે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં શાપર(વે)ના શાંતિધામ-૧ માં રહેતા હરસુખભાઈ મોહનભાઈ ટીલવા(ઉ.વ.૪૮)ને શાંતિધામ મેઈન રોડ પર ડીસીએમ બેરીંગ આગળ જી.જે.૧૪ ૭૬૮૬ નંબરના બાઈક ચાલકે હડફેટે લઇ ગંભીર ઈજા કરતા હરસુખભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ બનાવની રમેશભાઈ મોહનભાઈ ટીલવાની ફરિયાદ પરથી એ.એસ.આઈ. એન.બી.રાઠોડે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જસદણ તાલુકાના જુંડાળા ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ કિશન સામે ગુનો નોંધાયો

મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કિશન
 દેવમુરારીને શોધતી આટકોટ પોલીસ

રાજકોટ તા.૫
જસદણ તાલુકાના જુંડાળા ગામે પતિના શારીરિક ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પી મોતને ભેટેલી પરિણીતાના ભાઇની ફરિયાદ પરથી આટકોટ પોલીસે પતિ કિશન દેવમુરારી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના જુંડાળા ગામે રહેતી કવિતાબેન કિશન દેવમુરારી નામની પરિણીતાને પતિ કિશન છેલ્લા ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આ વાતથી કંટાળેલા કવિતાબેને આજથી ચાર પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બીજીબાજુ પોતાની બહેનને બનેવી કિશન ભૂપત દેવમોરારીએ ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની કવીતાબેનના ભાઈ સંજયભાઈ નરશીભાઈ રાઠોડ(રહે.કૈલાશનગર, ભઠ્ઠાની બાજુમાં, આટકોટ)ની ફરિયાદ પરથી આટકોટ પોલીસે કિશન સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એફ.ચૌધરીએ હાથ ધરી છે.