અનુયાયીઓ

સોમવાર, 16 ડિસેમ્બર, 2019

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખસ પકડાયા

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના
ચોરી કરનાર ચાર શખસ પકડાયા

વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી
રાજકોટ ગ્રામ્ય એલ. સી.બી.

(કશ્યપ જોશી)
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણશોધાયેલ
મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપી હતી. જે અન્વયે એલ સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઈન્સ.  એમ.એન રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધ ના ગુન્હા કરતા ગુન્હેગારોનાં શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા.

 તે દરમ્યાન પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણિયા, દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઇ જોષી એમ ચારેય ના સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકિકત આધારે ચાર શખસને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી દબોચી વણશોધાયેલ
ગુન્હાના ભેદ ઉકેલવામાં આવેલ છે.



એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા તસ્કરોમાં દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે. આદિવાસી ઉ.વ. ૨૬ ધંધો- ખેતમજુરી રહે- મડલીકપુર ગામની સીમ
અરવિંદભાઇ સેજલીયાની વાડી માં તા. જેતપુર મુળ ગામ- ડોબડી તા.ટોડા જી.ધાર (મધ્યપ્રદેશ),
 ગીરધરભાઇ રેયસીંગભાઇ પવર જાતે આદિવાસી ઉ.વ ૩૦ ધંધો ખેત મજુરી રહે. પાયાપર ગામ ની સીમ
નજરૂભાઇ ની વાડી એ તો,જી. મોરબી ટંકારા મુળ ગામ- તેગવલી ગામ તા, ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ),



 કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર જાતે- આદિવાસી ઉ.વ. રપ ધધો- ખેત મજુરી રહે- મંડલીકપુર ગામની સીમ, બાલુભાઈ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી. ધાર એમપી તથા અર્જુનભાઈ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ ૨૦ ધંધો- ખેત મજુરી રહે- જેતલસર ગામની સીમ, રતીભાઇ
પટેલ ની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ ના નરવાલી જી.પાર (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

પોલીસે રોકડા રૂપીયા -૧,૪૬o
- ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦,
મોબાઇલ ફોન નંગ- ૭ કિ. રૂ ૪૭,૫૦૦/
- કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૧૮,૫૬૦/ કબ્જે કર્યો છે.

જ્યારે ચોરીની આરોપીઓએ કરેલ કબુલાતમાં
- (૧) આજથી આશરે બારેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ ધોરાજી, જમનાવડ રોડ પાસે આવેલું એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની

કબુલાત આપેલ છે. ( ધોરાજી પો.સ્ટે.).
આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઈ માનસિંહભાઈ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ

પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર ઐમ ચારેય જણાએ જેતપુર નવાગઢ ખોડીયાર માતાજી ના મંદિર પાસે મકાન પાસે પડેલ એક મો.સા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે.)
 આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઇ બનસહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ

પાવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઈ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રશ કરી મોબાઇલ ફોન તથા રોક્રડ રકમની ચૌરી કરેલની કબુલાત આપેલ છે, જેતપુર સીટી પો.સ્ટે.
(૪) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઈ બન સીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ
પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ. બી.આઈ
, બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરેલ ની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો. સ્ટે. ફ.ગુ.ર.ને ૧૧૬ ૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯ ,૫૧૧)
 (૫) આજથી આશરે દશેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઈ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મસા.ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. જેતપુર સીટી પો.સ્ટે.

- (૬), આજથી આશરે નવેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મસા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે, (વિરપુર પો રે,
ઉ. ગુ.ર.ન. ૩૩ /૧૯ છે.પી કો કે, ૩૭e )



- આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઈન્સ.  એમ. એન. રાણા તથા એ.એસ.આઈ  પ્રભાતભાઈ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રવ્યુમનસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઈ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો. કોન્સ. નારણભાઈ પંપાણિયા , દિવ્યેશભાઇ દેવાયત ભાઈ સુવા, કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા , મનવીરભાઈ મિયાત્રા, બાલકૃષણભાઈ ત્રિવેદી, રસીકભાઇ જમોડ , રહીમભાઈ દિલ, તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા
નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રવિવાર, 15 ડિસેમ્બર, 2019

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં પણ લાગુ કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત

કરોડો રૂપિયા લઈને ભાગેલી કંપનીઓ સામે
-----

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં  પણ લાગુ
કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત
-------

18મી ડિસેમ્બરે રાજકોટમાં નવનિર્માણ સેના દ્વારા
સૌરાષ્ટ્રભરના એજન્ટો-ગ્રાહકોની બેઠકનું આયોજન

રાજ્કોટ, તા.15
 દેશભર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ગરીબ પ્રજાના કરોડો રૂપિયા ઉસેડીને ભાગી ગયેલી કંપનીઓ સામે આક્રમક રીતે પગલાં ભરવા કેન્દ્ર સરકારે ચિટફંડ(સંશોધન) બિલ તાજેતરમાં પસાર કર્યું હતું.

જેની અમલવારી રાજસ્થાન સહિતના રાજ્યોમાં શરુ થઇ ગઈ હોય, ગરીબ પ્રજા, એજન્ટો અને સંસ્થાના કર્મચારીઓને ફસાવનાર કંપનીના ડિરેક્ટરો સામે કાનૂની પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

આવા ચીટફંડ(સંશોધન)બિલની ગુજરાતમાં હજુ અમલવારી શરુ ના થઇ હોય, તાકીદે શરુ કરવાની માંગ સાથે બે દિવસ પહેલા રાજકોટના એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને એક આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં એજન્ટોએ જણાવ્યું હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર અને આદર્શ ક્રેડિટ સોસાયટી જેવી 150 થી વધુ કંપનીના સંચાલકો પ્રજાને ગેરમાર્ગે દોરી, લાલચ આપી કરોડો રૂપિયા એજન્ટો અને કર્મચારીઓ મારફત ઉઘરાવી પોતપોતાની સંસ્થા બંધ કરી દીધી છે.




પરિણામે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક એજન્ટો અને કર્મચારીઓ ભારે મુસીબતમાં ફસાઈ ગયા છે. કારણ આ લોકોએ પૈસા ઉઘરાવીને જે તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરી દીધા પછી પાકતી મુદ્દતે પૈસા પાછા વાળવા રીતસરની છેતરપિંડી કરતા ગરીબોની મરણમૂડી સમાન પૈસા આવી કંપનીઓમાં ફસાઈ જતા રોજ બરોજ ગ્રાહકો અને એજન્ટો સાથે તકરારો થઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં  અમુક જગ્યાએ તો આવી ચીટફંડ કંપનીઓ સાથે ભોળવાઈને સંકળાયેલા કર્મચારીઓ અને એજન્ટો આપઘાત કરવા લાગ્યા છે. ટૂંકમાં ફરેબી કંપનીઓએ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને તેઓની કંપની બંધ કરી દેતા રોકાણકારો, એજન્ટો, કર્મચારીઓ સૌ કોઈ દયનિય હાલતમાં મુકાઈ ગયા છે.

ત્યારે બીજીબાજુ સરકારે આવી ચીટફંડ કંપનીઓ સામે આકરા પગલાં ભરવાની કાર્યવાહી માટે તાજેતરમાં ચીટફંડ(સંશોધન) બિલ પસાર કરતા હવે કંપનીના સંચાલકો સામે તવાઈ આવશે તેવી  પૈસા ગુમાવનાર વર્ગમાં આશા જન્મી છે. પણ દુઃખની વાત એ જાણવા મળી છે કે આવા ચીટફંડ બિલની અમલવારી હજુ ગુજરાતમાં શરુ થઇ નથી. જેની અમલવારી ચાલુ કરવા બે-ત્રણ દિવસ પહેલા રાજકોટમાં નવનિર્માણ સેનાના રાજેશ પરમારના નેજા હેઠળ એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને આવેદન આપ્યું હતું.

આ તકે રાજેશ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક કંપનીઓમાં ફસાયેલા પૈસા કઢાવવાની ચર્ચા વિચારણા અને ફરિયાદો માટે શું કરવું ?  તે માટે આગામી 18મી ડિસેમ્બરે રાજકોટ ખાતે, રેસકોર્ષમાં સવારના 10થી1 વાગ્યા દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, એજન્ટો, રોકાણકારોએ જોડાવા તેમજ વધુ વિગતો માટે મો.નં. 7016229340 પર સંપર્ક અનુરોધ કરવામાં આવ્યો છે.