અનુયાયીઓ

શનિવાર, 17 જાન્યુઆરી, 2015

કોર્ટની 2 વર્ષ ની સજા જેતપુર કશ્યપ જોશી




આજથી પાંચ  વર્ષ પહેલા જેતપુરમાં લાંચ લેતા પકડાયેલ 
જેતપુર મામલતદાર કચેરીના ગ્રામ મિત્રને 2 વર્ષની  
સજા અને રૂ.5000 નો દંડ ફટકારતી શેશન કોર્ટ 
કશ્યપ જોશી જેતલસર(જેતપુરતા.17
આજથી 5 વર્ષ પહેલા જેતપુરની મામલતદાર કચેરીમાં રૂ.5000 ની લાંચ લેતા વચેટીયો એવો ગ્રામમિત્ર પકડાયા બાદ આ બનાવનો કેશ ચાલ્યો તે દરમિયાન જેતપુરની શેશન કોર્ટે ગ્રામમિત્રને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વી.જી.ડેન્ગરાએ જણાવ્યું હતું..
આ બાબતે મળતી વિગતો મુજબ ગત 28.3.2009 ના રોજ જેતપુરની મામલતદાર કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ મોહનભાઈ  પીપળીયા (રહે.ન્યુ પોપૈયા વાડીની બાજુમાં, પંચશીલ શેરી નંબર - 1,) એ જેતપુર તાલુકાના જેપુર ગામના વલ્લભભાઈ નાથાભાઈ રાઠોડ પાસે તેમના માતા મણીબેનના નામની વિધવા સહાય મકાન બાંધવાની અરજી અનુસંધાને રૂ.5000 ની લાંચ માગી હતી.
દરમિયાન વલ્લભભાઈએ આ વાતની ફરિયાદ રાજકોટ એસીબીને કરતા એસીબીએ ફરિયાદીને લાંચ આપવાના વાયદાના દિવસે છટકું ગોઠવ્યું હતું. આવા સમયે પંચની હાજરીમાં મામલતદાર કચેરીના ગ્રામમિત્ર શૈલેશ બાવા ચાવડા (રહે.જેપુર, તા.જેતપુર) એ સ્પીકર ફોનમાં વલ્લભભાઈ પૈસા દેવા આવ્યા છે, શું કરવું તેવી વાત જયંતી પીપળીયા સાથે કરતા, પીપળીયાએ આ રકમ શૈલેશને લઇ લેવાનું કહેતા શૈલેશ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે પકડાઈ ગયો હતો.
આ વાતનો કેશ આજે 5 વર્ષ પછી જેતપુરના એડીશનલ શેસન જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વી.જી.ડેન્ગરાની ચોટદાર દલીલોને અંતે જજ દવે એ શૈલેશને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

બોક્સ: મુખ્ય સૂત્રધારનું અગાઉ અવશાન... 
જેતપુર: આજે જેતપુરની કોર્ટમાં લાંચ કેશના ફેસ્લામાં ખરેખર 2 વ્યક્તિઓ સમાજ કલ્યાણ નિરીક્ષક અને ગ્રામ મિત્રને સજા થવા પામત. પણ જેમને અરજદાર પાસે પૈસા માંગ્યા હતા તે મુખ્ય માણસ સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ પીપલીયનું 2 મહિના પહેલા ચિંતામાં ને ચિંતામાં હાર્ટ એટેકથી અવસાન થતા તેઓનું નામ આ કેશમાં નીકળી ગયું હતું, અને આજે વચેટીયો એવો શૈલેશ સજાનો ભોગ બની ગયો હતો.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812




અરજન્ટ સમાચાર કશ્યપ જોશી જેતલસર

નવાગઢમાં ખદબદતી ગંદકી દુર કરાવવા 
રાજકોટ જીલ્લા મહિલા કોન્ગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ  
જેતપુર નગરપાલિકાના કાર્યવાહકોને ભારે દોડાવ્યા.. 
પાલિકા તંત્ર મશીનરી સાથે ગંદકી દુર કરવા નવાગઢ દોડ્યું. રહી સહી આબરૂ બચાવવા પ્રયાસ 
કશ્યપ જોશી જેતલસર જેતપુર તા. 17
જેતપુરમાં  એકબાજુ સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકા સહિતના આગેવાનો નીકળી પડ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીસોના પાપેજ નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરાવવા જેતપુરના રહીશ અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ પાલિકા સુત્રોને રીતસરના સાણસામાં લેતા પાલિકા પ્રમુખ સહિતનો કાફલો નવાગઢ દોડી જઈ ગંદકી દુર કરવા લાગ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરમાં સ્વચ્છતા અભિયાનના આજે બીજા દિવસે આગેવાનો ફોટો શેશન પૂરતા ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરાઈ હોવાનો દેખાડો કરતા હતા.
બીજીબાજુ વર્ષો થયા નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરવા કોઈ જાગતું ના હોય આજે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડા(કારીબેન) અને શહેર કોન્ગ્રેસ પ્રમુખ નીલેશ પંડયા વિગેરેએ નવાગઢ ની મુલાકાત લેતા નવાગઢવાસીઓ કોંગી આગેવાનોને ઘેરી લઇ ગંદકી દુર કરાવવાની માંગણી દોહરાવતા શારદા વેગડાએ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા સહિતના સત્તાધીસોને રીતસરના ખખડાવી સ્વચ્છતા અભિયાનના નાટકો બંધ કરી નવાગઢની ગંદકી દુર કરવા ઉગ્રાવેશે રજુઆતો કરતા પાલિકાનું સબંધિત તંત્ર ઉભી પુછડીએ સાધનો લઈને નવાગઢ દોડી ગયા હતા. અને ગંદકી દુર કરવા લાગી ગયા હતા.

કીધા પછી કામો થાય તે શું કામનું ?
જેતપુર: શારદા વેગડા અને નીલેશ પંડ્યા એ પત્રકારોને જણાવેલ કે નવાગઢની પ્રજા ગંદકીથી ત્રાસી ગઈ છે અને આવી હજારો ફરિયાદ પછી પણ પાલિકા તંત્રે કઈ પગલા ના લેતા આજે તેઓને (કોંગ્રેસને) નાવાગઢની જાત  મુલાકાત લેવી પડી હતી અને ઠેર ઠેર ગંધાતા ગટરના પાણી રસ્તા ઉપર ફેલાતા અને બેસુમાર ગંદકી નજરે પડી હતી. રજૂઆતકર્તાઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા નવાગઢમાંથી ગંદકી દુર કરવા પાલિકા તંત્ર નહિ જાગે તો તેઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપતા અચકાશે નહિ.

કશ્યપ જોશી જેતલસર જેતપુર  9974262812