અનુયાયીઓ

બુધવાર, 6 જાન્યુઆરી, 2021

લસણમાં થ્રીપ્સ અને પાન સુકારાના રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ


૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ -  લસણનું વાવેતર ધરાવતા ખેડૂતોએ પાકની વૃદ્ધિ-વિકાસ અવસ્થાએ જોવા મળતા  થ્રીપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું  ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને પ્રોફેનોફોસ ૨૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૧૪ મિલી દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી વારાફરતી છંટકાવ કરવો તેમજ  જરૂરિયાત મુજબ  પિયત આપવુંલસણના પાકમાં પાનની ટોચનો સુકારાના રોગ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવોપિયત પાણી નિયંત્રિત આપવું તેમ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ  યુનિવર્સીટીતરઘડીયાની યાદીમાં જણાવાયું છે.

સેનામાં ભરતી થવા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન રજસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૧૮મી જાન્યુઆરી

 દેશ સેવા સાથે રોજગારીની ઉત્તમ તક


રાજકોટ : મદદનીશ નિયામકશ્રી (રોજગાર– રાજકોટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારીની સાથે દેશની સેવા કરવાનો અવસર ભારતીય સેના લાવી રહી છેદેવભૂમિ દ્વારકા ખાતે આગામી તા૧ લી ફેબ્રુઆરી – ૨૦૨૧ થી તા૧૫ મી ફેબ્રુઆરી – ૨૦૨૧ સુધી આર્મી રીક્રુટીંગ ઓફિસર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છેજેમાં સોલ્જર જનરલ ડયુટીસોલ્જર ટેકનીકલસોલ્જર કલાર્કસોલ્જર ટ્રેડમેનનર્સીંગ આસીસ્ટન્ટ વગેરે કક્ષામાં ભરતી કરવામાં આવનાર છે.

આ ભરતી રેલી માટે તા૧૦ મી ડીસેમ્બર – ૨૦૨૦ થી ઈન્ડીયન આર્મીની વેબસાઈટ www.joinindianarmy.nic.in ઉપર રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છેઆ રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા૧૮--૨૦૨૧ સુધીમાં ઉકત વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો જ આ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે જેને ધ્યાને લઈ ભારતીય સેનામાં જોડાવા માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને તાત્કાલિક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

હેતલ દવે                              ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જે.એલ.ઇ.એસ.જી. અંતર્ગત કાર્યરત ગૃપોને સહાય માટે આર.ડી.સી. બેંક અને ડી.આર.ડી.એ. વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

 

૦૦૦૦૦૦૦૦૦૦૦

રૂા. ૬ કરોડ ૫૦ લાખની વગર વ્યાજની લોન ઉપલબ્ધ કરાવાશે

૦૦૦૦૦૦૦૦૦૦૦ 

રાજકોટ  : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (RDC) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા અને  નિયામકશ્રી જે.કે.પટેલ ઉપસ્થિત રહ્યા અને RDC તરફથી બેંકના સી.ઇ.ઓ. સખીયાએ ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. કર્યા હતા.

આ એમ.ઓ.યુ. અન્વયે રાજકોટ જિલ્લાના લગભગ ૬૫૦ જેવા જોઇન્ટ લાયબીલીટી ઓફ અર્નિગ એન્ડ સેવીંગ ગ્રૃપ (JLESG) ને રૂ.  કરોડ ૫૦ લાખ જેવી રકમની વગર વ્યાજની લોનનો લાભ માર્ચ પહેલા આપવામાં આવશે તેમ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના પ્રોજેકટ ઓફીસરશ્રી બસીયાની યાદીમાં જણાવાયું છે.

ભાતીગળ હસ્તકલાના કુભ સમાન હસ્તકલા પર્વનો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પ્રારંભ


 ૦૦૦૦૦

હાથશાળભરતકામવાંસકામઇમીટેશન જવેલરીલેધરવર્ક સહિત વિવિધ હસ્તકલા કારીગીરીની બેનમુન વસ્તુઓનું પ્રદર્શન સહ વેંચાણ

૦૦૦૦૦

રાજકોટ : ભારતની પરંપરાગત  હસ્તકલા અને કારીગીરીએ વિશ્વવિખ્યાત છે. રાજયના અંતરીયાળ ગામોમાં વસતા આવા હસ્ત કલાના કારીગરોની કલાના જતન અને સંવર્ધન સાથે પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા ઇન્ડેક્ષ-સી કાર્યરત છે.

ઇન્ડેક્ષ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ જેનો હેતુ રાજયના અંતરીયાળ વિસ્તારમાં વસતા હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની હસ્તકલાની બેનમુન કૃતિઓનું સર્જન કરતા હસ્ત કલાકારોને તેમની કલાકૃતીઓના નિદર્શન અને વેંચાણ અર્થે સીધુ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું તેમજ તેમની આવકમાં વધારો કરાવવાનું છે.

હાલની કોવિડ-૧૯ની મહામારીને કારણે રાજયના આવા હસ્તકલાકારોની આજીવિકાને માઠી અસર થયેલ છે. જેને પૂનઃ વેગવાન બનાવવાના ઉદેશથી રાજકોટના રેસકોર્ષ રોડ ગત તા. ૪ જાન્યુઆરીથી તા. ૧૩ જાન્યુઆરી (દિન-૧૦) સુધી ઇન્ડેક્ષ–સી દ્વારા હસ્તકલા પર્વ અને પ્રદર્શન સહ વેંચાણ હાટ યોજવામાં  આવેલ છે.

  રાજયના ૧૫૦થી વધુ વ્યક્તિગત કારીગરોસખીમંડળોસ્વૈચ્છીક સંસ્થાઓમંડળીઓ તથા સ્વસહાય જુથના કારીગરો દ્વારા તૈયાર થયેલ ભાતીગળ હાથશાળનીવાંસકામપેચવર્કલેધરવર્કઇમીટેશન જવેલરીઅકીકની વસ્તુઓમાટીકામની કલાકૃતીઓ જેવી વિવિધ કલાકૃતિઓના નિદર્શન અને ખરીદી અર્થે આ હસ્તકલા પર્વની મુલાકાત લેવા અને કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની કલાપારખુ જનતાને ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ.શુકલ અને મેનજેર આર. આર. જાદવ દ્વારા અનુરોધ કરાયો છે.     

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સાથે ગૌ વિષયક વાર્તાલાપ કર્યો.


રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન   ડો.વલ્લભભાઈ કથીરિયાએ સમગ્ર ભારતમાં ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણાર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેક મુદા ઉપર વાત ચર્ચા કરેલ હતી.


 સાથો સાથ તા.૨૫,ફેબ્રુઆરી,૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા "રાષ્ટ્રીય કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા" લેવામાં આવનાર છે તે અંગે વિસ્તૃત માહિતી શ્રી સંબિત પાત્રાને આપેલ હતી. શ્રી સંબિત પાત્રાએ " ગૌ આધારીત અર્થ વ્યવસ્થા" નાં પૂન:નિર્માણ માં પોતાના શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.