જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
જેતપુર તા.15
ગઈકાલે જેતપુરમાં એક ભંગારના ડેલામાં આકાશમાંથી પડેલા એક ગુબારાએ ભયાનક આગ લગાડતા આજુબાજુના લત્તાવાસીઓ અને રાહદારીઓમાં ભયનું મોઝુ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ ગઈકાલે મકારસંકરાતીના દિવસે કોઈએ પતંગ સાથે ઉડાવેલ એક ગુબારો અહીંના ટાકુડીપરા વિસ્તારમાં આવેલ આલ્ફા સ્કુલ નજીકના એક ભંગારના ડેલામાં પડતા ભયાનક આગ લાગી ઉઠી હતી..આગમાં ભંગારના ડેલામાં પડેલો મોટાભાગનો ભંગાર બળીને ખાક થઇ જતા હજારોની નુકસાની અંદાજાઈ રહી છે.
બનાવની જાણ થતા જેતપુર પાલિકાનો ફાયર ફાઇટર સ્ટાફ દોડી જઇ આગને ઠારી હતી. જો કે આ બનાવની કોઈ નોંધ કે જાણ શહેર પોલીસમાં નહિ કરાઈ હોવાની પીએસઓ જયસુખભાઈએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016
જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
