અનુયાયીઓ

સોમવાર, 25 જાન્યુઆરી, 2016

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

જેતપુરના પ્રાચીન મંદિર નજીક જ માંસ-મટનની મહેફિલ !!

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, 

DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

મંદિરના જ બાંધકામમાં ગેરકાયદેસર રૂમો બાંધી આચરાતી હિન્દુઓની લાગણી દુભાવે તેવી ગેરપ્રવુત્તિઓ ટૂંક દિવસોમાંજ બંધ ના કરાવાય તો ૫૦૦ સાધુ સંતો સાથે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા મહંત આત્માનંદજી ! સાધુ સંતોમાં રોષ...

જેતપુર તા.૨૫

જેતપુરમાં ભાદર કાંઠે આવેલ એક અતિ પ્રાચીન મંદિરના એક તત્કાલીન મહંતની ઉદારતાનો લાભ ઉઠાવી મંદિરની ભાડે રાખેલી જગ્યામાં માંસ-મટનનો ખાવામાં ઉપયોગ કરી હિન્દુઓની લાગણી દુભાતી હોય આજે આ મંદિરના મહંત સહિતના સાધુ સંતોએ સ્થાનિક વિભાગીય પોલીસ અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનો આપી તાત્કાલિક ઘટતું ના કરાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના કાંઠે આવેલ અતિ પ્રાચીન શ્રી નૃશિહજી મંદિરની પેટા જગ્યા એટલેકે હિંદુ સ્મશાનની બાજુમાં આવેલ અંદાજીત ૨૦૦૦ વાર જેટલી જગ્યા આ મંદિરના તત્કાલીન મહંતે એક બાવાજીને ગાયોના ઘાસચારાની વ્યવસ્થા માટે આપી હતી.

 

પણ સમય જતા મહંતની ઉદારતાનો દુરુપયોગ કરી આ બાવાજી પરિવારે મકાનો બાંધી અન્યોને ભાડે આપી, માંસ મટન ખુલ્લેઆમ બનાવી, આરોગી હિન્દુઓની લાગણી દુભાવતા હોવાની વાત ત્રાસદાયક બની જતા, આ વાતને વધતી અટકાવવા, કસુરવારો સામે પગલા ભરવા આજે નૃશીહજી મંદિરના મહંતશ્રી આત્માનંદજી બાપુ, ખાખા મઢી મંદિરના પહેલવાનબાપુ, જેતપુર પાલિકા સદસ્યા શારદાબેન એચ. વેગડા સહીત સાધુ સંતો અને સેવાભાવીઓએ આજે પ્રથમ અહીના વિભાગીય પોલીસ અધિકારી પાટીલ, મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા તેમજ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનો આપ્યા હતા.

 

આવેદનો આપતી વખતે સદસ્યા શારદાબેન તેમજ સાધુ સંતોએ જણાવેલ કે ટૂંક દિવસોમાંજ મંદિર નજીકની આવી પ્રવુત્તિઓ બંધ નહિ કરવામાં આવે તો ન્યાય માટે આંદોલનાત્મક માર્ગો અપનાવાશે.

 

બોક્સ: ગે.કા.કબજેદારો મારવા દોડે છે : મહંત આત્માનંદજી

જેતપુર : મહંત આત્માનંદજીએ પોલીસ, પાલિકા અને મામલતદારને આવેદન આપતી વેળાએ જણાવેલ કે, મંદિરની જગ્યામાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વોને આવી હીન પ્રવુત્તિઓ બંધ કરવા કોઈ વખત ટપારીયે છીએ તો માથાભારે અને ઝનૂની સ્વભાવના તત્વો મારવા દોડે છે. એક તો મંદિરની જમીન છે. ઉપરથી ચોરી ઉપર સીનાજોરી જેવું વર્તન કરે છે. આ બધું તાત્કાલિક બંધ નહિ કરાવાય તો સાધુ સંતોની જમાત આંદોલન કરશે એવું કોઈ નહિ કરે તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે.... સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે....

સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ

જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ જ કર્યા અનેક આક્ષેપો !

જેતપુર તા.૨૫

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી, સ્થાનિક બાંધકામ શાખાની અમી દ્રષ્ટી તળે ચાલતા મહાકાય બાંધકામો તાકીદે અટકાવવા પાલિકા સદસ્ય અશોક મંગલાણી એ માંગ કરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક ફરિયાદ કરતા જણાવ્યું છે કે હાલના દિવસોમાં જેતપુર શહેરમાં સરકારી નિયમોને ઠેબે ચડાવી અનેક જગ્યાએ બેરોકટોક જિરાફ જેવડા બાંધકામો ચાલી રહ્યા હોય સંબંધિતો દ્વારા વ્યાપક ગેરરીતી આચરાઈ રહી છે.

 

કારણ જેતપુરમાં સરકારી નિયમો મુજબ ત્રણ માળથી વધુ કોઈ બાંધકામ કરી શકાય નહિ. અને આજની તરીકે અનેક નાના અને નબળા લોકોના બાંધકામની અનેક અરજીઓ પેન્ડીંગ પડી હોય, મંજુર ના કરાતી હોય, તો ચાલુ દિવસોમાં મોટા મોટા બાંધકામો કેમ કરી શકાય ? આ વાતમાં સંબંધિતો સામેલ છે કે બિલ્ડરોની પૈસાના જોરે દાદાગીરી ? તે વાત તપાસવા અરજદારની માંગ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે જેતપુર શહેરમાં ચાલતા આવા ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક રોકાવવા છેક રાજકોટ ખાતે કલેકટરને રજુઆતો કરાઈ છે. આમછતાં આ પ્રશ્ન કોઈ ધ્યાને ના લેતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. બીજી બાજુ પાલિકાના અમુક સુત્રોનું કહેવું છે કે વખતોવખત આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામો વાળા આસામીઓને નોટીસો ફટકારાઈ છે. પણ માત્ર નોટીસોથી જ નહિ કડક અમલવારી અમલી બનાવાય તો  "ઘર ફૂટે ઘર જાય"  તેવી કહાવત મુજબ ત્રણ માળથી ઉપરના ગેરકાયદેસર બાંધકામો માટે પાલિકાના ક્યાં સત્તાધીસે કેવું  હિત સાધ્યું ? તે વાત બહાર આવ્યા વગર નહિ રહે તેવું અશોક મંગલાણી જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર