અનુયાયીઓ

મંગળવાર, 21 જુલાઈ, 2015

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !! જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!


કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !!
જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં 
ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.21
વર્તમાન જુલાઈ મહિના પછી આગામી તેર માસ સુધી સતત લગ્નોના કોઈ શુભ મૂહુર્તો નથી તેવી કર્મકાંડી બ્રાહ્મણોમાં થઇ રહેલી ચર્ચાઓ અને અટકળો  પૂર્ણવિરામ મૂકી જેતલસર જંકશનના યુવા જ્યોતિષી અને કર્મકાંડી ભૂદેવ હાર્દિક સુરેશભાઈ પંડયાએ ધાર્મિક ગ્રંથોસમા શાસ્ત્રોના પાનાં ફંફોસી શુભ લગ્નોના 27 મૂહુર્તો કાઢી આપતા ચિંતિત કર્મકાંડી ભૂદેવોએ રાજી થવા જેવી વિગતો મળી છે.

કર્મકાંડ અને જ્યોતિષ સાથે સંકળાયેલા, બીલખા આનંદ આશ્રમના આચાર્ય નીતિનભાઈ મહેતાના શિષ્ય તરીકે ત્રણ વર્ષ દમિયાન જ્યોતિષ, ભાગવત અને કર્મકાંડીનું બિરુદ મેળવનાર શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ કર્મકાંડી ભૂદેવો અને યજમાનોની ચિંતા દુર કરવા આપના શાસ્ત્રોસમા પ્રાચીન ગ્રંથો "મુહુર્ત ચિંતામણી",  "નિર્ણયસિંધુ" અને "જ્યોતિનિબંધ" એમ ત્રણેય ઉપયોગી પુસ્તકોમાંથી આગામી નવેમ્બર-15 થી માર્ચ 2016 દરમિયાન શુભ લગ્નોના 27 મૂહુર્તો શોધી કાઢી પોતાની મહેનત ભૂદેવો વચ્ચે મૂકી છે.

દરેક ભૂદેવોને ગળે ઉતરે તેવી અને પડકારીએ તોય કોઈ ના પાડી શકે નહિ તેવી અમુક બાબતો વર્ણવતા હાર્દિક પંડ્યાએ જણાવેલ કે અન્ય એક પ્રાચીન ગ્રંથ(શાસ્ત્ર) " પારાશર" ના મતે ગંગા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશોમાં સિંહસ્થ ગુરુ દરમિયાન વિવાહ થઇ શકે નહિ. પણ આપણે એટલેકે મુંબઈ, ગુજરાત, રાજસ્થાન ગંગા- ગોદાવરી વચ્ચે આવતા નથી.

મુહુર્તચિંતામણી નામના ગ્રંથમાં સિંહસ્થ ગુરુ માટેના ત્રણ અપવાદો આલેખાયા છે..જેમાં સિહાંસ ત્યજ્યો એટલે ગુરુના 13-20 થી 16-40 કળા સુધીનો સમય (14-9-2015 થી 30-9-2015), મઘા નક્ષત્ર અને પૂર્વા ફાલ્ગુનીનું પ્રથમ ચરણ તા.13-7-2015 થી 30-9-2015) સુધી સિંહસ્થ ગુરુ દરમિયાન મેષ સંક્રાંતિમાં વિવાહ કાર્ય થઇ શકે.(તા.14.4.16 થી 14.52016)..

સિંહસ્થ ગુરુ મઘા નક્ષત્રમાં હોય, કારતક માસ અને તુલા સંક્રાંતિ ચાલતી હોય તો લગ્ન કરી શકાય છે.(તા.12.11.2015 થી 16.11.2015 ).. જ્યાર્રે ગુરુ પુરવા ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે પણ લગ્નો શુભ નીવડે છે. આવી વાતનો  ખોંખારો ખાઈ જેતલસર જંકશનના યુવા જ્યોતિષીએ સમગ્ર કર્મકાંડી આલમને અનુરોધ કરતા જણાવેલ છે કે બહુ ચિંતા નાં કરશો, લગ્નોના શુભ મૂહુર્તો યજમાનને આપવા માંડો, જાવ મોજ કરો બાપા !!

બોક્સ: ચિંતિત ભૂદેવોની ચિંતા દુર થશે ! 
જેતલસર: સાંપ્રત સમયમાં એવા અનેક ભુદેવોના પરિવારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસે છે કે જેઓનું ગુજરાન માત્રને માત્ર કર્મકાંડ ઉપર નિર્ભર છે. આવા કર્મકાંડી ભૂદેવ પરિવારો એવી વાતથી ચિંતિત બન્યા હતા કે જુલાઈ-2015 પછી લગાતાર 13 મહિના સુધી કોઈ લગ્નોના શુભ મૂહુર્તો નાં હોય, આવકનો સ્ત્રોત ક્યાંથી ઉભો કરીશું ??  પણ ભૂદેવોની આવી ચિંતા જેતલસરના જ્યોતિષી હાર્દિકભાઈ પંડયાએ દુર કરી હોય તેવું જણાય છે.

બોક્સ: ક્યાં મહિનાની કઈ તારીખે શુભલગ્ન ?
જેતલસર: નવેમ્બર-2015 માં તા.24, 26 અને 27, ડીસેમ્બર-2015 માં તા.6, 7, 8, જાન્યુઆરી-2016 માં તા.17, 20, 21, 26, 30, 31, ફેબ્રુઆરી-2016 માં 1, 2, 4, 5, 13,16 અને તા.17 તેમજ માર્ચ-2016 માં તા.3, 5, 6 અને તા. 11.3. એમ તમામ 27 મૂહુર્તો લગ્નો માટે શુભ હોય, યજમાનોને મૂહુર્તો આપી દેવા તેમજ વિશેષ જાણકારી માટે 99740 49449 પર સંપર્ક કરવા હાર્દિક પંડયાનો અનુરોધ છે. 

ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812

જેતપુર નવાગઢ નગર પાલિકા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવશે..

એસટી બસ સ્ટેન્ડ મેઈન રોડ ઉપર 
જેતપુર નવાગઢ નગર પાલિકા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવશે..
જેતપુર તા.21    (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા આગામી ટૂંક દિવસોમાં અહીના બસસ્ટેન્ડ મેઈન રોડ ઉપર રૂપિયા 3.24 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવનાર હોવાનું જાણવા મળે છે.
આ બાબતે વિગતો આપતા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ જણાવેલ કે જેતપુરના અમરનગર રોડ ઉપર ફિલ્ટર પ્લાન્ટ પાસે ટાઉન હોલ બનાવવાનું આયોજન કરાયું હતું.
પણ જગ્યા બાબતે વિવાદ થતા કારોબારી સમિતિના ઠરાવ નંબર 28(ચેર)(1) તા.8-6-2015 થી નગર પાલિકાની માલિકીની જમીન કે જે કણકિયા પ્લોટમાં આવેલ સર્વે નં. 1 ના પ્લોટ પૈકીની આગળના ભાગે એસટી બસસ્ટેન્ડ મેઈન રોડ પર પ્રવેશવાળી જગ્યાએથી શરુ કરી 33 x 50 ચો.મીટરની જગ્યામાં ટાઉન હોલ બનાવવાની માંગણી રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, પાલિકાના મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસ તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા દ્વારા  દોહરાવતા, રાજકોટ જીલ્લા કલેકટરએ સ્થળ ફેરફાર ગ્રાહ્ય રાખી, યુડીપી-78 ની વર્ષ 2013-14 ની ગ્રાન્ટ હેઠળ, તા.6-2-2014 ની જીલ્લા કક્ષાની તાંત્રિક સમિતિની બેઠક ટાઉન હોલ બનાવવા માટે રૂ.3 કરોડ, 23 લાખ, 57 હજાર 500 ની રકમની વહીવટી મંજુરી આપતા પાલિકા સુત્રો તેમજ વહીવટી કર્મચારી ગણમાં આનંદ ફેલાયો છે.
(કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812)



જેતપુર તાલુકાના પેઢલા ગામના સસ્પેન્ડ થયેલા સરપંચ દેવશીભાઈ મકવાણાને 
પેઢલાનું સરપંચ પદ પુનઃ સોંપવા હાઈકોર્ટનો આદેશ !!
કાનૂની લડત ચલાવી અગાઉના સરપંચે વર્તમાનમાં ચૂંટાયેલ નવા સરપંચને પાછા ઘરે બેસાડી દીધા !!
જેતપુર તા.21  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના પેઢલા ગામના સસ્પેડેડ સરપંચ દેવશીભાઈ મકવાણાને પુનઃ પેઢલા ગામનુંજ સરપંચ પદ સોંપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કરતા તાજેતરમાજ ચૂંટાયેલ નવા સરપંચ ભગવાનજીભાઈ જેઠવાને બેક ટુ હોમ થવાની સહવી પડેલી નોબત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પેઢલા ગામના સરપચ દેવશીભાઈ ચનાભાઈ મકવાણા વિરુદ્ધ ગત 20-9-2014 ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજુ થઇ હતી. દરમિયાન જેતપુરના તાલુકા વિકાસ અધિકારીએ અવિશ્વાસના પ્રસ્તાવના નિર્ણય માટે બોલાવેલી બેઠકમાં સરપંચ દેવશીભાઈએ વાંધા રજુ કરતા, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીએ અવિશ્વાસ પ્રસ્તાવ નિર્ણય બેઠક બીજો હુકમ નાં થાય ત્યાં સુધી સ્થગિત કરી 
દીધી હતી. 

પરંતુ તા.26.12.14 ના રોજ જેતપુરના ટીડીઓએ બોલાવેલી બેઠકમાં ઉક્ત સરપંચ વિરુદ્ધ 2/3 બહુમતીથી ઠરાવ પસાર થઇ જતા દેવશીભાઈએ સરપંચ પદ ગુમાવ્યું હતું. પરંતુ પોતાની સાથે અન્યાય થયો હોવાનું માની, એક નિષ્ઠાવાન સરપંચના નાતે દેવશીભાઈ મકવાણાએ પસાર થયેલ અવિશ્વાસના પ્રસ્તાવની અમલવારી સામે પંચાયતીરાજના તમામ સ્તરેથી અપીલો, અરજીઓ કરી દાદ માંગી હતી. પણ કહેવાય છે કે વર્તમાન બ્યુરોક્રષીએ ન્યાયિક કોઈ નિર્ણયો નાં લેતા સરપચ મકવાણાએ ગુજરાત હાઈકોર્ટમાં 8646 નંબરથી સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન કરી હતી.

બીજીબાજુ આવી કાર્યવાહી દરમિયાન પેઢલા ગ્રામ પંચાયતની ચુંટણીની તા.17-5-2015 નક્કી થઇ ગઈ હતી. પણ હાઈકોર્ટે અરજદાર સરપંચને તા.16-5-2015 અથવા તે પહેલા ન્યાયિક નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો. જે રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીએ તા.16.5.2015 ના રોજ અરજદારની અપીલો રીજેક્ટ કરતો હુકમ કરતા સદરહુ હુકમને કોર્ટમાં પડકારાયો હતો. પણ ત્યાં સુધીમાં સરપંચ પદની ચુંટણી યોજાઈ જતા પેઢલા ગામના નવા સરપચ તરીકે ભગવાનજીભાઈ રામજીભાઈ જેઠવા સત્તારૂઢ થઇ જતા નવા સરપંચની ટેકેદાર છાવણીમાં રાજીપો છવાયો હતો.

ભલે નવા સરપંચ પેઢલા પંચાયતની ખુરશી ઉપર બેઠા, પણ રાજ તો હું જ કરીશ અને જીત તો સત્યની જ થશે તેવા મનોમન નિશ્ચય સાથે 
સસ્પેન્ડેડ સરપંચ દેવશીભાઈ મકવાણાએ રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકારી 9019/2015 થી સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દ્વારા રીટ દાખલ કરી હતી.  જે રીટના ચાલેલા કેઈસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અરદાર દેવશીભાઈ મકવાણા તરફે ચુકાદો આપી તેઓને પુનઃ પેઢલા ગામના સરપંચપદે મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

જેતપુરના ટીડીઓ શું કહે છે ?
જેતપુર : ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્ડ થયેલ પેઢલાના સરપંચ દેવશીભાઈ મકવાણાને પુનઃ સરપચ પદે  બેસાડવાનો હુકમ કર્યો છે. તે બાબતે આપે શું કર્યું ? નવા સરપંચ ભગવાનજીભાઈ જેઠવાએ પોતાનો સરપંચ તરીકેનો ચાર્જ છોડ્યો કે નહિ ? વિગેરે સવાલોના જવાબો આપતા જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે હાઈકોર્ટના હુકમની નકલ તેઓ દ્વારા તા.17.7.2015 ના રોજ રજીસ્ટર દ્વારા નવા સરપંચ ભગવાનજીભાઈને મોકલી દેવાઈ છે. તેમની સરપંચ તરીકેની સત્તા હાલ પૂરી થઇ ગઈ છે. તે સત્તા છોડે કે નાં છોડે, તેમનું કઈ ચાલે નહિ, કાયદેસર રીતે હવે પેઢલા ગામના સરપંચ દેવશીભાઈ ચનાભાઈ મકવાણા છે, બીજું કોઈ નહિ !!!

આ સાથે સરપંચ દેવશીભાઈ મકવાણાનો ફોટો પણ મોકલેલ છે.

(કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812)