અનુયાયીઓ

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

જેતપુરના ખારચિયા ગામે અકસ્માતે ગબડેલ પટેલ મહિલાનું મોત....

જેતપુરના ખારચિયા ગામે અકસ્માતે

ગબડેલ પટેલ મહિલાનું મોત....

જેતપુર તા.૨૦

આજથી નવ દિવસ પહેલા જેતપુરના ખારચિયા ગામે પોતાના મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ મહિલાનું ગઈકાલે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે.

મળતી વિગતો મુજબ ગત ૧૧ મી જાન્યુઆરીના રોજ તાલુકાના ખારચિયા ગામે પોતાના રહેણાંક મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ ચંદ્રિકાબેન મનસુખભાઈ સેન્જલીયા(ઉ.વ.૪૦) ને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન ચંદ્રિકાબેન મોતને ભેટ્યા હોવાની તાલુકા પોલીસમાં જાહેરાત કરાતા બનાવની તપાસ રામજીભાઈ બગડાએ હાથ ધરી છે.  

(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

 

 

વિરપુરના(જલારામ)ના યુવાનને સર્વિસનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્તર અને અમદાવાદ સ્થિત પોસ્ટ માસ્તર જનરલને દંડ ફટકારાયો !

વિરપુરના(જલારામ)ના યુવાનને સર્વિસનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર

મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્તર અને અમદાવાદ 

સ્થિત પોસ્ટ માસ્તર જનરલને દંડ ફટકારાયો !

રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી બેદરકાર કર્મીઓ સીધાદોર !!

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

    વર્ષ ૨૦૧૪ દરમિયાન જેતપુરના વીરપુર(જલારામ)ગામે રહેતા એક યુવાનને બેંક સર્વિસ માટેનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પીજીએમ(પોસ્ટ માસ્તર જનરલ)ને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના જજ વી.કે.વ્યાસે રૂપિયા ૧ હજાર ૬ ટકા પેનલ્ટી સાથે નોકરી ગુમાવનાર યુવાનને ચુકવવા હુકમ કરતા પોસ્ટ બેડામાં ચકચાર જાગી હતી.

   મળતી વિગતો મુજબ જેતપુરના વીરપુર જલારામ ગામે રેહેતા પ્રશાંત સોલંકીને બેંક ઓફ બરોડા  દ્વારા નોકરી માટેનો કોલ લેટર મોકલ્યો હતો. પણ આ પત્ર પ્રશાંતને મહેસાણા બેંકમાં હાજર થવાની તારીખ અને સમય વીત્યા પછી મળતા તેમને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેશ નંબર ૬૮૬/૨૦૧૪ થી ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન બે અઢી  મહિના પહેલા એટલેકે તા.૧૦ મી નવેમ્બર ૨૦૧૫ ના રોજ ફરિયાદી યુવાનના વકીલ રશ્મીન દવેએ પ્રશાંતે સંબંધિત પોસ્ટ તંત્રની બેદરકારીને લીધે નોકરીની તક ગુમાવી હોવા અંગે વિવિધ દલીલો જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરતા, ઉપસ્થિત ફોરમના જજ વી.કે.વ્યાસે મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પોસ્ટ માસ્તર જનરલ(પીજીએમ) એમ બંનેને યુવાને નોકરી માટે ખર્ચેલા રૂપિયા ૧૦૦૦-૦૦ ૬ ટકા દંડ સાથે ચુકવવા હુકમ કરતા આ વાતના જાણકાર પોસ્ટબેડામાં ચકચાર જાગી હતી.

રા.જી.ગ્રા.ત.નિવારણ ફોરમનો ચુકાદો પણ જાણવા જેવો !

જેતપુર : કેશ ચાલ્યો તે દરમિયાન ફોરમે જણાવેલ કે કોલ લેટર મળવાથી નોકરી મળી જ જાય તેવું માની ના શકાય. પોસ્ટ તંત્રને નક્કી કરેલી વળતરની રકમ ઉપરાંત વળતર ના આપી શકાય. કાનૂની જોગવાઈઓ અને કાનૂની પ્રસ્થાપિત સિદ્ધાંતો લક્ષમાં લેતા યોગ્ય અને વાજબી-વ્યવહારુ અભિગમ અપનાવી પ્રતિવાદીઓને ખર્ચ ચુકવવા હુકમ નહિ કરતા પ્રતીકાત્મક વળતર અને ખર્ચની રકમ ચૂકવવાનો હુકમ કરવો ન્યાયોચિત જણાય છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

પાકવિમાની આકારણીમાં જેતપુર તાલુકા પરત્વેની વિસંગતા દુર કરવા ખેડૂતોની માંગ.......

ડેમ સાઈટ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા ના હોય તેવા ખેડૂતો સાથે અન્યાય ? 

પાકવિમાની આકારણીમાં જેતપુર તાલુકા 

પરત્વેની વિસંગતા દુર કરવા ખેડૂતોની માંગ.......

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

        જેતપુર તાલુકાના ખેડૂતો પાકવીમા આકારણીની વાતમાં સરકારી તંત્રોની વિસંગતાથી પાયમાલી તરફ જઈ રહ્યા હોત તાકીદે ઘટતું કરવા માંગ કરાઈ છે.

        આ બાબતે જેતપુર તાલુકાના ઉમરાળી ગામના ખેડૂતપુત્ર સુનીલભાઈ ગોબરભાઈ કથીરિયા જણાવે છે કે જેતપુર તાલુકાના અનેક ગામો સમયાંતરે કરાતી પાકવીમા આકારણી બાબતમાં ભારે વિસંગતાઓનો ભોગ બને છે.

        કારણ જેતપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ડેમ સાઈટના કમાન્ડ અરિયામાં આવે છે. તેથી છેવાડાના ગામો કે જેઓને ડેમ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા નથી તેવા ગામોને પણ પુરા જેતપુર તાલુકા સાથે જોડી દેવાય છે. પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અને નહીવત વરસાદથી આવા તમામ ગામોનો ખેડૂતોના ખેતપાક નિષ્ફળ જતા હોવા છતાં અને વીમા પ્રીમીયમ ભર્યા હોવા છતાં ખેડૂતોને પાકવીમો મળતો નથી. જે વાત ખેડૂતો માટે પાયમાલી સમાન છે.

      સુનીલભાઈ કહે છે કે સરકાર વીમા પ્રીમીયમમાં સુધારા વધારા કરવા કે ઓછું કરવા માંગે છે તે વાત આવકાર્ય છે. પણ જે ગામોને પાકવીમો મળતો નથી કે અપાતો નથી તેવા ગામોનો સર્વે(ક્રોપ એનાલીસીસ) અલગથી કરવામાં આવે તો "સુંકા ભેગું લીલુ ના બળે" અને ખેડૂતોને ન્યાય પણ મળે.

 

કશ્યપ જે. જોશી જેતપુર

    

જેતલસરમાં વાલ્મીકી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસરમાં વાલ્મીકી સમાજના

સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસર તા.૨૦

વાલ્મીકી સોશ્યલ વેલ્ફર સોસાઈટી જેતલસર દ્વારા આગામી ૧-૫-૨૦૧૬ ના રોજ માત્ર વાલ્મીકી સમાજના યુવાન-યુવતીઓ માટેના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દંપતીઓને સમાવવાના હોય, જરૂરી ફોર્મ મેળવી, તા.૩૦.૩-૨૦૧૬ સુધીમાં પરત કરવા સંસ્થા પ્રમુખ જગદીશ મકવાણા(૯૯૭૮૭૦૨૪૨૯) એ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર