જેતપુરના ખારચિયા ગામે અકસ્માતે
ગબડેલ પટેલ મહિલાનું મોત....
જેતપુર તા.૨૦
આજથી નવ દિવસ પહેલા જેતપુરના ખારચિયા ગામે પોતાના મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ મહિલાનું ગઈકાલે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે.
મળતી વિગતો મુજબ ગત ૧૧ મી જાન્યુઆરીના રોજ તાલુકાના ખારચિયા ગામે પોતાના રહેણાંક મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ ચંદ્રિકાબેન મનસુખભાઈ સેન્જલીયા(ઉ.વ.૪૦) ને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન ચંદ્રિકાબેન મોતને ભેટ્યા હોવાની તાલુકા પોલીસમાં જાહેરાત કરાતા બનાવની તપાસ રામજીભાઈ બગડાએ હાથ ધરી છે.
(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો