અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2015

જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો

જેતપુરના નવાગઢમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી

વિદેશી શરાબની ૧૦૮ સાથે એકને ઝડપી લીધો 

 

જેતપુર તા.૧૫

         જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના નારણભાઈ આહિરે દરોડો પાડી એક મુસ્લિમ યુવાનના રહેણાંક મકાનમાંથી વિલાયતી શરાબની ૧૦૮ બોટલ સાથે ધરપકડ કરી હતી.

        મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં સાગર ટ્રાન્સપોર્ટ વાળી શેરીમાં રહેતો રાહિલ ઉર્ફે ભૂરો અનવર સુમરા નામનો યુવાન વિલાયતી શરાબ વેંચતો હોવાની બાતમીના આધારે આજે બપોરે એલસીબીના નારણભાઈએ ભુરાના મકાન પર દરોડો પાડતા પોલીસને રૂપિયા ૪૮૦૦૦ ની કિમતની વિદેશી શરાબની ૧૦૮ બોટલ મળી આવી હતી. પોલીસે ભૂરાની  ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 

               કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

 

 

 

જેતલસર જંકશનમાં નિવૃત રેલ કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...

જેતલસર જંકશનમાં નિવૃત રેલ
કર્મીઓનું સ્નેહમિલન મળ્યું...
જેતલસર તા.૧૫
જેતલસર જંકશન ખાતે નિવૃત રેલ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજકોટના ભીમજીભાઈ તથા અખેરાજ્ભાઈ, જંકશનના બાબુભાઈ જેઠવા, ડાયાભાઇ, નગીનભાઈ સહિતના નિવૃત રેલ કર્મીઓએ હાજર રહી એકબીજાને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
                                                                                           કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
 


JETALSAR JUNCTION : AVSAAN NONDH 15-11-205

અવસાન નોંધ : ૧૫-૧૧-૧૫

જેતલસર: જેતલસર જંકશન નિવાસી હરસુખભાઈ(ટીલાભાઈ) મણીભાઈ જોટંગીયા(ઉ.વ.૫૯) તે જયેશભાઈ, ભાવેશભાઈ અને સંગીતાબેનના પિતા, જેન્તીભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, વિજયભાઈના મોટાભાઈ, પ્રવીણભાઈના સસરા તા.૧૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧૯ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨  

 

AVSAAN NONDH 15- 11-2015 JETALAR KASHYAP JOSHI

AVSAAN NONDH 15- 11-2015 JETALAR KASHYAP JOSHI